SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ વન શ્રી આનંદઘનજી રચિત-શ્રી ચંદ્રપ્રભુ જિન-સ્તવન સુમનભાઈ શાહ દેહધારી કેવળજ્ઞાનીઓ સિવાય સાંસારિક જીવો ચોરાસી લાખ જવાોનિમાં ચારગતિરૂપ ભવભ્રમણ કર્યા કરે છે. પૃથ્વીકાય, અપકાય (જલકાય), તેઉકાય (અગ્નિકાય) વાઉકાય (વાઉકાય), પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાય, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય (અસંશી), સંશી પંચેન્દ્રિય, દેવતા તથા નારક ઉત્પત્તિ સ્થાનકોમાં સાંસારિક જીવો જન્મ-મરણના ફેરા વારંવાર કર્યા કરે છે. આમાંના મનુષ્યગતિના જીવોને આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ ભાષા અને મન:પર્યાપ્તિ (છ પર્યાપ્તિ) વિકસિત થયેલી હોય છે, જો કે તેમાં કર્માનુસાર તીવ્રતા કે મંદતા દરેક જીવને અલગ અલગ હોઈ શકે છે. મનુષ્યનું મન પૂર્ણપણે વિકસિત થયું હોવાથી તે કર્મના ક્ષયોપશમ મુજબ ત્રણ કાળ વિષે વિચારવાનું સામર્થ્ય ધરાવે છે. મુક્તિમાર્ગ કે આધ્યાત્મિક વિકાસની ઉપેક્ષાએ મનુષ્યદેહને રત્નચિંતામણી કહેવામાં આવે છે જ્યારે અન્ય ગતિના જીવોને બહુધા કર્મનો ભોગવટો હોય છે. ચોરાસી લાખ જીવાનિના કષ્ટમય દુઃખોના ભોગવટાથી મુક્તિ મળે એ હેતુથી વિચારવંતને શ્રી અરિહંત પરમાત્માએ માનવકલ્યાણ માટે જે જિનદર્શન કે તત્ત્વજ્ઞાન પાંત્રીસ અતિશયોથી યુક્ત વાણીથી પ્રકાશિત કર્યું છે તેને પામવાની રુચિ ઉત્પન્ન થાય છે, જે પ્રસ્તુત સ્તવનમાં શ્રી આનંદઘનજી આલોકિત કરે છે. બીજી રીતે જોઈએ તો અનેક જીવાોનિમાં જીવ પ્રભુ દર્શન અને તેઓની સમ્યક્ ઓળખથી વંચિત હતો તે પામવાની ઉત્કંઠા મનુષ્યગતિમાં ચેતનાશક્તિથી કેવી રીતે પામી શકાય તેની સરળ અને સુગમ રીતે સ્તવનકારે પ્રસ્તુત વનમાં પ્રકાશિત કરેલી છે તે ગાથાવા જોઈએ. દેખા દે રે સખી ! મુને દેખા દે, ચંદ્રપ્રભુ મુખચંદ; સખી. ઉપશમરસનો કંદ, સખી... ગત કલિ-મલ-દુઃખદંદ-સખી. ...૧ અગણિત જન્મોથી શ્રી જિનદર્શન પામવાની ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ પોતાની સુસખીરૂપ ચેતના શક્તિને વિનંતી કરે છે કે શ્રી અરિહંત પરમાત્માનું નિર્મળ આત્મસ્વરૂપ કેવું છે તે જોઈ જાણવા દે. ચેતના શક્તિ એટલે કર્મોના અય્યપશ્ચમ મુજબ આત્મિક દર્શન અને જ્ઞાનગુણનો પ્રયોગ કે ઉપયોગ જે વીર્યશક્તિના સદ્ભાવથી થાય છે અથવા ઉપયોગ લક્ષણથી જીવને થતી આંતરિક જોવા-જાણવાદિની પ્રક્રિયા. શ્રી અરિહંત પ્રભુનું સાક્ષાત્ દર્શન અત્યંત દુર્લભ છે. કદાચ આવી શક્યતા હોય તો પણ આત્માર્થી સાધક પ્રભુના કેવળજ્ઞાનાદિ આત્મિકગુણો ગ્રહણ કરી શકતો નથી, પરંતુ તેની શરૂઆત નામ અને સ્થાપના નિક્ષેપથી થાય છે, જે છદ્મસ્થ જીવથી ગ્રાહ્ય છે. જો સાધકને શ્રી જિનપ્રતિમાજીનું ભાવવાહી દર્શન નિશ્ચય અને વ્યવહાર દ્રષ્ટિએ થાય તો શ્રી જિનપ્રતિમા જિન સારિખી નીવડે છે' એવું જ્ઞાનીઓનું કથન છે. જુલાઈ ૨૦૧૦ શ્રી જિનપ્રતિમાજીની પ્રશાંત મુખમુદ્રા, ધ્યાનસ્થ અવસ્થા, કર્મમળ અને દુઃખથી રહિત ઝળકતી વીતરાગતાને નિહાળતાં સાધકની પણ ઉપાદાન શક્તિ, જે સત્તામાં અપ્રગટપણે હતી, તે જાગૃત થાય છે. અથવા શ્રી જિન દર્શનના શુદ્ધ નિમિત્તાવલંબનથી સાધકને પણ નિર્મળ આત્મિક ગુણોમાં રુચિ, પ્રવૃત્તિ, તત્ત્વરમણતાદિ થાય છે. આનાથી સાધકને પણ શુદ્ધભાવ પ્રગટે છે કે તે પણ ક્યારે શ્રી સર્વજ્ઞ ભગવંત જેવા નિર્મળ આત્મસ્વરૂપને હાંસલ કરશે. સૃહ નિગોદે ન દેખીઓ, સખી, બાદર અતિહિ વિસેસ; સખી. પુઢવી આઉ ન લેખીઓ, સખી. તેઉ-વાર્ડ ન લેસ. સખી.-૨ વનસ્પતિ અતિ ઘણ દિહા, સખી. દીઠો નહીં ય દીદાર; સખી. બિ-તિ-ચ ુરિંદી જલ લીહા, સખી. ગતસિંગ પણ ધાર- સખી. ૩ સૂર તિરી નિરય નિવાસમાં, સખી. મનુજ અનારજ સાથે; સખી. અપજત્તા પ્રતિભાસમાં, સખી. ચતુર ન ચઢીયો હાય. સખી. ૪ ઈમ અનેક થળ જાણીએ, સખી. દરિસણ વિષ્ણુ જિનદેવ; સખી. આગમથી મત આણીએ, સખી. કીજે નિરમણ સેવ. સખી. ૫ સ્તવનકારે ઉપરની બેથી પાંચમી ગાથામાં અવ્યવહાર રાશિથી માંડી પંચેન્દ્રિયપણાની ચારગતિરૂપ જિવાયોનિઓમાં અનેકવાર જે ભવભ્રમણ કરી, અવ્યક્ત અને વ્યક્તપણે જન્મ-મરણાદિનાં દુઃખો ભોગવ્યાં છે અને જ્યાં શ્રી જિનદર્શન પામ્યો નથી તેનું વૃત્તાંત વર્ણવે છે. અથવા એક થી પાંચ ઈન્દ્રિયોનું ઉત્ક્રાંતિનું સંક્ષિપ્ત નિવેદન જીવ તેની ચેતનાશક્તિને વર્ણવે છે, જેમાં તે શ્રી જિનદર્શનથી વંચિત હતો. હવે સંક્ષિપ્તમાં આ ચોરાસી લાખ જીવયોનિઓમાં કેવું ભવભ્રમણ થઈ સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામી જીવ વિચારવંત થાય છે તે જોઈએ. (૧) એક ઈંન્દ્રિય જીવાયોનિ : માત્ર સ્પર્શેન્દ્રિય. સાધારણ વનસ્પતિકાય (સૂક્ષ્મ અને બાદર નિગોદ) એક સહિયારા શરીરમાં અનંતા જવો રહેલા છે અને જેઓ એકી સાથે આહાર તથા શ્વાસોચ્છ્વાસ કરે છે, જેને નિગોદના જીવો કહેવામાં આવે છે. અનંત સૂક્ષ્મ વનસ્પતિકાય જેના અસંખ્ય ગોળા હોય છે અને પ્રત્યેક ગોળામાં અનંત નિર્વાદ હોય છે. પ્રત્યેક નિગોદમાં અનંત જીવો અત્યંત નજીક એક જ શરીરમાં આશ્રિત હોય છે. * નિર્માદો જીવ અનંતકાળથી માત્ર નિદમાં જ હોય અને એક વાર પણ ત્રસપણું પામ્યો ન હોય તેને અવ્યવહાર રાશિ કહેવામાં આવે છે અને તેને સૂક્ષ્મનિોદ કહેવાય છે. પરંતુ જે નિર્માદો જીવ એક કે તેથી વધુ વખત ત્રસપણું પામ્યો છે તેને વ્યવહાર રાશિના બાદર નિગોદયા જીવો કહેવામાં આવે છે. આવા બાદર નિગોદના જીવો કંદમૂળ, લીલ, ફુગ વગેરે તરીકે ઓળખાય છે. પ્રત્યેક વનસ્પતિકાય : એક શરીરમાં એક જ જાવ, જેમ કે વૃક્ષ, લતા, વેલ, હરિતકાય, ઔષધિ, તૃષ્ણ વગેરે.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy