________________
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯
સમાઈ ગઈ, તેમાં વસતા અંતરાત્માના શુદ્ધ તત્ત્વોને સ્પર્શી તે પોતાનું કામ સદા અનંતમુખે જારી રાખશે એમાં શંકા નથી.' (ગાંધીજીના પ્રબુદ્ધ થયા પછી લખાયેલ-'કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન' લેખઃ ‘દર્શન-ચિંતન' ૫૬.
‘મહાકરુણાનો વિયોગ પડ્યો છે. બાપુજીની કરુણા કોઈ પણ સંત કે મહંતની કરુણા કરતાં નોખા જ પ્રકારની હતી. ત્રિવિધ દુઃખના તાપથી તપી રહેલ માનવતાને શાન્તિ આપવાની તેમની ધગશ અને તેમના પ્રયત્નોએ પણ જગતે આજ સુધી નહીં જોયેલ એવી જ વસ્તુ છે. અને બાપુજીનો દુઃખની મહાકોળી ઠારવાનો પ્રયત્ન પણ કેવો અદ્ભુત ? નોઆખલીમાં વર્તેલ કાળાં કેરના અગ્નિને તેઓની કરુણા એક રીતે ઠારે, તો કલકત્તામાં વર્તેલ હત્યાકાંડને બીજી રીતે. બિહારમાં સળગેલી હોળીને એક રીતે શમાવે તો દિલ્હીના મહાદાવાનળને બીજી રીતે...આવું મહાકરુણાનું વિરાટ દશ્ય શું જગતે કદી જોયું હતું ?'
(‘દર્શન અને ચિંતન’ પૃ. ૭-૮) હકીકતમાં ગાંધીજીએ ભારતીય તત્ત્વજ્ઞાનને ભૂત-વર્તમાનની સઘળી વિશ્વવિભૂતિમાંથી સર્વથા વેગળીને મૌલિક રીતે પ્રત્યક્ષ જાવું, જીત્યું. પચાવ્યું ને પ્રસરાવ્યું!
બાપુજીની કરુણા અને તેમની પ્રજ્ઞા વિશ્વની વર્તમાન વિભૂતિઓ
પંચ પંથે પાથેય (અનુસંધાન પૃષ્ટ છેલ્લાનું ચાલુ
પ્રબુદ્ધ જીવન
મારી પ્રવૃત્તિ પ્રમાણે કોઈ પણ કાર્ય અધૂરું અથવા કાચું રહી જાય તે મને બિલકુલ નાપસંદ હતું. સાંધ્ય-ભોજનના બે-ત્રણ દિવસ પહેલાં જ મેં તૈયારી શરૂ કરી દીધી. માત્ર ભોજનની વાનગીઓ જ નહીં, ભોજન-ખંડ તથા ભોજન ટેબલને યોગ્ય શણગાર આપવા માટે પુષ્પગુચ્છોની પસંદગીથી લઈને મીણબત્તીના રંગોનહોતું. સુદ્ધાં મેં મનોમન નક્કી કરી રાખ્યા.
સમય થતાં જ અતિથિવિશેષ તથા અન્ય
મહેમાનો મારે ત્યાં આવ્યા અને સામાન્ય વાતચીત પૂરી થતાં જ સહુને જમવાના ટેબલ પર પોતાનું સ્થાન લીધું.
ડિક્સનો પહેલો દોર શરૂ થયું અને પૂરી થયો પરંતુ રસોઈગૃહમાંથી જમણ બહાર ન આવ્યું. કોઈ કારણસર મોડું થયું હશે તેમ સમજી અમે ડ્રિન્ક્સનો બીજો દોર શરૂ કર્યો અને તે પણ પૂરો થવા આવ્યો તો પણા જમવાની વાનગીઓ પીરસવા બાબત કોઈ જાતની હિલચાલ શરૂ ન જ થઈ. ત્યાં ઊભા રહેલા બટલરને મેં ઈશારો કર્યો. પરંતુ તે પોતાની જગ્યા ૫૨ જ ઊભો રહ્યો. મને ભારે આશ્ચર્ય થયું અને મારે ડ્રિન્ક્સનો ત્રીજો દો૨
૧૭
તેમજ ભૂતકાળની વિભૂતિઓ કરતાં પણ સાવ નોખી તરી આવે છે. તેઓ હરકોઈના આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખને નિવારવા માટે જ જાણે જન્મ્યા અને મૃત્યુને ભેટ્યા ન હોય! તેથી જ તેમની કરુણા મહાકરુણા કોટિની હતી એમ માનવું રહ્યું,' દર્શન અને ચિંતન પૂ. ૩ ૪)
-ગાંધીજીની ભારતીય તત્ત્વમૂળના આ મહાકરુણા ને ઋતંભરા પ્રજ્ઞા આજે પણ સતત જીવંત છે, ગતિશીલ છે. ગાંધીદર્શનના ઉપર્યુક્ત મૌક્તિકરત્નોના શ્રીમુખે વહેતી ‘ગાંધીકથાઓ' દ્વારા અને તેમના સાધના, શિક્ષા, સેવા આદિના નિસર્ગોપચાર આશ્રમ, ઉરુલી કાંચન, સમન્વય આશ્રમ બોધગયા, પરમધામ આશ્રમ પવનાર, ગાંધીગ્રામ સંસ્થાન મદુરાઈ, ગુજરાત, વિદ્યાપીઠ અમદાવાદ, લોકભારતી સણોસરા જેવા અનેકાનેક સાધના કેન્દ્રો અને પ્રજ્ઞા-કરુણાવંત માનવોમાં!
‘જિન ભારતી’, વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, પ્રભાત કૉમ્પ્લેક્ષ, કે. જી. રોડ, બેંગ્લોર ૫૬૦ ૦૦.
ફોન ઃ ૦૮૦-૬૫૯૫૩૪૪૦,
શરૂ કરવો પડ્યો અને મહેમાનોની માફી માંગી તે પણ મને મંજૂર નહોતું. મેં રસોઈગૃહ પ્રતિ જાણી દોટ જ મૂકી!
રસોઈગૃહની હાલત જોતાં જ હું તન સ્તબ્ધ થઈ ગઈ! રસોડાના એક પૂર્ણ રસાંયકા ગભરાયેલી હાલતમાં ઊભી હતી. બીજે એક ખૂણે ઘરનોકર બાપાની જેમ બેઠો હતો. મુખ્ય રસોયો રસોડાના ટેબલ પર હાથમાં એક કડછી વ ડ્રિન્ક્સની અસર હેઠળ ‘સમાધિ’ દશામાં બેઠો હતો. તેને સમય અથવા સ્થળનું કોઈ જ ભાન
પગ નીચેથી ભૂમિ સરકતી હોવાનો આ અનુભવ હોવા છતાં મેં ખૂબ શાંતિથી રસોયાને પૂછ્યુંઃ 'જમવાનું કેમ હજી સુધી તૈયાર નથી ?'
‘તૈયાર છે, મેડમ, બિલ્કુલ તૈયાર છે.' કેટલીક વાનગીઓ તૈયાર થઈ ન હોવા છતાં અભાન રસીયાએ પોતાની મસ્તીમાં જ મને ઉત્તર આપ્યો. હું ગુસ્સાથી લાલચોલ થઈ ઊઠી. હોંઠો પર શબ્દો આવી ગયા –'ગેટ આઉટ, મારે તારી કોઈ જરૂર નથી.'
ફરી ગાંધીજીની સલાહ સ્મૃતિપટ પર આવી ગઈ. મેં વિચાર્યું કે આ સંધ્યા બગડી તો રસોયાને ક્યાં કોઈ નુકશાન ઉઠાવવું પડે તેમ હતું ! જે કંઈ નુકશાન ભોગવવાનું આવે તે મારે જ ભોગવવું પડે તેમ હતું. અતિથિઓમાં હાંસીપાત્ર થવું પડે
મેં ખૂબ શાંતિ પકડી લીધી. જેટલી પણ વાનગીઓ તૈયાર હતી તે જમવાના ટેબલ પર લઈ આવવાની મેં નોકરોને આજ્ઞા કરી. વાનગીઓ આવતી ગઈ, મહેમાનો જમવામાં પડ્યા એટલે અનિષિવિશેષને મેં જણાવ્યું કે સાંધ્યોજનમાં શા કારણે ગડબડ થઈ હતી. બ્રિટિશ વડાપ્રધાને સમય સંભાળી લીધો અને હળવી મજાક કરતાં કહ્યું: ‘રસોયો પીધેલી હાલતમાં આવી સરસ વાનગીઓ બનાવી કાઢ્યો તો પીધેલો ન હોય તો કેવી સરસ વાનગી બનાવી શકે ?' હળવા
વાતાવરણમાં સાંધ્યભોજન પૂરું થયું.
આપણે ગમે ત્યાં હોઈએ અથવા ગમે તે
ક્ષેત્રમાં કાર્યભાર સંભાળતા હોઈએ પરંતુ ગાંધીજીની અમૂલ્ય સલાહને ક્યારે પણ અવગણી ન શકીએ-“તમે જ તમારી જાતને નુકશાન પહોંચાડી શકો, અન્ય કોઈ તે ન પહોંચાડી શકે.'
(સૌજન્ય : રીડર્સ ડાઈજેસ્ટ સંતિપ્ત ભાવાનુવાદ : જિતેન્દ્ર શાહ ૨૦૧, 'વસુંધરા' એપાર્ટમેન્ટ, ૨૯–A, નૂતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા-૩૯૦ ૦૦૭. ફોન નં. : 99258 35527.