SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પુસ્તકનું નામ : પગમેં ભમરી લેખક : લીલાધર માણેક ગડા પ્રકાશક : શ્રી. કે. વી. ઓ. સેવા સમાજ, નવી મહાજનવાડી, કેશવજી નાઇક રોડ,મુંબઈ૪૦૦ ૦૦૯, મૂલ્ય : રૂા. ૧૭૫-, પાનાં: ૨૮૮, આવૃત્તિ : દ્વિતીય. સત્તાવીસ વર્ષથી લેખક શ્રી લીલાધર ગડાએ 'પગદંડી' માસિકની કોલમ 'પગમેં ભમરી' હેઠળ પ્રગટ કરેલા લેખોમાંથી ૬૧ લેખોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, વ્યવસ્થાતંત્ર, ફિલસૂફી, કચ્છની ધરતી, કચ્છના માનવીઓને સાંકળી લેતો આ ગ્રંથ ગુજરાતી સાહિત્યનો નોંધપાત્ર ગ્રંથ છે. લેખક પોતે ‘મારી કલમ મારી સાહેદ'માં લખેલ ‘હું લેખક નથી’ એ વાક્યમાં એમની નિખાલસતા પ્રગટ થાય છે તે છતાં તેઓ સાચા અર્થમાં લેખક છે એની પ્રતીતિ આ પુસ્તકના વાંચન દરમ્યાન સતત થતી રહે છે. લેખકનો આત્મા વાર્તાકાર અને કવિનો છે તેથી તેમના લેખોમાં રસાહિતા અને સંવેદનશીલતાનો પરિચય થાય છે. સાત વિભાગમાં લખાયેલ (સંપાદિત થયેલ) ૬૧ લેખીમાં ભાષાનું લાઘવ અને ગરિમા પ્રગટ થયા છે. પ્રથમ ખંડમાં કુદરતે વેરેલ વિનાશના ચિત્રો વાચકની આંખોને આંસુથી છલકાવી દે છે તેવા લેખકે આલેખ્યા છે. તેમાં માનવતાની મહેક મરે છે. ખેતાબાઈ, ડીસા મોતિયા, આમ, રમણીક દોશીકાકા, રાજશ્રી વગેરે લેખકની કલમે અમરત્વને પામ્યા છે. સાહિત્ય સંસ્કૃતિ વિભાગમાં કવિ ઓસમાન, પ્રવાસી પ્રીતિ સેનગુપ્તા, સારસ્વત પુ. લ. દેશપાંડે વગેરેનાં વ્યક્તિ-ચિઓને ઉત્તમ રીતે તાદ્દશ્ય કર્યાં છે ગુલાબ દેઢિયાના નિબંધોનો આસ્વાદ પણ સ-રસ રીતે કરાવ્યો છે. કચ્છની ધરતીના અન્ય કેટલાં માર્ગોમાં લેખકે માશંસાઈની અમીરાત નિહાળી અને તેને ભાવપૂર્વક અહીં આલેખી છે. પ્રકીર્ણ તેખોમાં પોતાને થયેલ અન્ય અનુભવોને વિવિધ રંગે રંગ્યા છે. ‘પ્રગમેં ભમરી’ પુસ્તકમાં 2 જાણીતા પ્રબુદ્ધ જીવન સર્જન સ્વાગત ઘડૉ. કલા શાહ લીલાધરભાઈની સામાજિક પ્રવૃત્તિઓનું આલેખન છે અને તેમની આ લીલા માણવા જેવી છે. કચ્છના ગ્રા જીવનનું વાસ્તવિક ચિત્ર પુસ્તકમાં જોવા મળે છે. XXX 'સ્મૃતિયોં કે વાતાયન ર્સ' ગ્રંથમાં ડૉ. શેખરચંદ્ર જેનની સાંસ્કૃતિક પ્રભાવના, લેખનસંપાદન, સંસ્થા સંચાલન અને પ્રકાશક તરીકેની પ્રતિભા ઉપસે છે. તે ઉપરાંત તેમને અનેક પ્રસંગોમાં વિવિધ પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે તેની માહિતી પ્રાપ્ત થાય તા. ૧૬ જુલાઈ,૨૦૦૭ સંતો, આર્થિકાઓ, મનિધિઓ, કવિ-મિત્રો વગેરેએ લખેલા લેખો દ્વારા ડૉ. શેખચંદ્ર જૈનના બહુમુખી વ્યક્તિત્વ હૃદય-સ્પર્શી પરિચય થાય છે. ગ્રંથનું નામ : : પુસ્તકનું નામ : પતિત પાવન થાઈ સ્મૃતિયોં કે વાતાયન છે. ડૉ. શંખરચંદ્ર જૈન મુળ લેખક : આનાલ ફ્રાંસ અભિનંદન ગ્રંથ (હિન્દી ભાષામાં) પ્રકાશક : ડૉ. કોખરચંદ્ર જૈન અભિનંદન સમિતિ, અમદાવાદ. મૂલ્ય : મનન ચિંતન. પાનાં : ૫૩૪. ડૉ. શેખરચંદ્ર જૈન બહુમુખી પ્રતિભા ધરાવતા આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્વાન છે. તેઓ એક પ્રભાવશાળી પ્રવચનકાર છે. જૈન અને જૈનેત૨ સમાજમાં તેઓશ્રીએ પોતાની આગવી પ્રતિભા દ્વારા વિશિષ્ઠ પ્રતિભા સ્થાપિત કરી છે. છે. આ ગ્રંથનો ઉદ્દેશ ડૉ. શેખચંદ્ર જૈનના કર્મઠ વ્યક્તિત્વ, તેમના જીવન અને તેમની ઉપલબ્ધિઓથી ભાવિ પેઢી પરિચિત થાય તે છે. • આ ગ્રંથના ત્રણ ખંડ છે. (૧) આશીર્વચન અને શુભકામનાઓ (૨) તેમના જીવન અને સાહિત્યની સમીક્ષા અને (૩) મહત્ત્વપૂર્ણ વિષયો પર ચિંતકોના લેખો. આ ગ્રંન્થને પ. પૂ. આચાર્ય ભગવંતો, સાધુ ડૉ. શેખરચંદ્ર જૈન ગુજરાતી સમાજમાં પણ નામાંકિત વિદ્વાન તથા પ્રખર પ્રવક્તા તરીકે જાણીતા છે. તે આ ગ્રંથ વાંચે અને તેમની બહુમુખી પ્રતિભાથી પિરિચત થાય. XXX સારાનુવાદક : માવજી કે. સાવલા પ્રકાશક : વિચારવલોણું પરિવાર,૧૦૩, સુનિયોજન કૉમ્પ્લેક્સ, સ્વસ્તિક, ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦૦૦૯. ફોન નં. ૦૭૯ ૨૬૫૬૧૫૦. મૂળ અંગ્રેજી લઘુ નવલ-૧૫૫ પાનાં સારાનુવાદ ૩૫ પાનાં. ‘પતિત પાવન થાઈ’ ૩૫ પાનાંની નાનકડી પુસ્તિકા છે જેના લેખક પ્રખ્યાત ફ્રેંચ ભાષાના મહાન સાહિત્યકાર આનાતોલ ફ્રાંસ છે. ઈ. સ. ૧૯૨૧ના વર્ષની સાહિત્યકૃતિ માટેનો નોબેલ પુરસ્કાર તેમને મળ્યો હતો. વિશ્વવિખ્યાત લેખક આનાતોલ ફ્રાંસની થાઈ એક ખૂબ જાણીતી કૃતિ . માવજી સાવલાએ આ વિશ્વવિખ્યાત કૃતિનો સારાનુવાદ કર્યો છે. પુસ્તિકાના પ્રારંભમાં મૂળ લેખકનો પરિચય ગુજરાતી વાચકોને લેખકની સાહિત્યકાર તરીકેની ઓળખ આપી જાય છે. આ કથામાં લેખકે માનવમનની ગાઈને સરળ અને સુંદર રીતે રજૂ કરી છે. પૅક્નેશિયશ જે પોતાને પવિત્ર માનતો હતો તે થાઈ નામની વેશ્યાનો ઉદ્ધાર કરે છે. પરંતુ તે પોતે માનસિક રીતે કેટલો વામો હતો તેનું આલેખન લેખકે સરસ રીતે કર્યું છે અને તેના પાત્ર દ્વારા માનવસહજ નબળાઈઓનું નિરૂપા કર્યું છે. માવજી સાવલાએ કરેલ સારાનુવાદ વાચકને મૂળ કૃતિ વાંચવા પ્રેરે તેવી *** છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા ૨૦૦૭ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શનિવાર તા. ૮-૯-| ૨૦૦૭થી રવિવાર તા. ૧૬-૯-૨૦૦૭ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ, પાટકર હૉલ, ન્યૂ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ ૦૨૦ મધ્યે યોજવામાં આવી છે. એની નોંધ લેશો. -૪૨, દયાનંદ સોસાયટી, ૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy