________________
૨
દ્વારા અનાજ, દવા, ધાબળા વગેરે પુષ્કળ સામગ્રી સાથે ટ્રકો દ્વારા ખાતે મોકલવામાં આવી હતી.
પ્રબુદ્ધજીવન
ઓરિસ્સા
આ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ અને હરિભક્તોએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આદેશ અનુસાર જાતે ઓરિસ્સામાં જઇને અનાજ, વસ્ત્ર-દવાના વિતરણનું ઘણું સંગીન રાહતકાર્ય કર્યું છે, સંતોએ પોતે મનુષ્યના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા ઉપરાંત ઢોરોનાં ગંધાતાં શબોનાં અગ્નિસંસ્કારનું પણ પ્રશસ્ય કાર્ય કર્યું છે. આ રીતે રાહતકાર્ય પૂર જોશમાં થયું છે.
આ રાક્ષસી વાવાઝોડાને કારણે સમુદ્રમાં દસ-પંદર ફૂટ મોજાં ઊછળતાં જમીન પર માઇલો સુધી ફરી વળ્યાં, દરિયાનું ખારૂં પાણી ખેતરમાં ભરાઈ જવાને કારણે પાકના નુકશાન ઉપરાંત ખેતરોની જમીન ખારી થઈ ગઈ
છે. જમીન ફરી ખેતીને લાયક થતાં વર્ષો લાગશે. એથી ખેતી પર જીવન નિભાવતા લાખો ખેડૂતો બેકાર બની ગયા છે. તેઓને માટે આજીવિકાનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. તેઓને વ્યવસાયે લગાડવાનું કામ ભગીરથ
છે.
ઓરિસ્સામાં વાવાઝોડાને કારણે કેટલીયે શાળાઓના મકાનો તૂટી ગયાં છે. શાળાઓ ફરી ચાલુ કરવા માટે સરકાર અને સેવાભાવી સંસ્થા
દ્વારા કાર્યો ચાલી રહ્યાં છે.
વાવાઝોડું ચાલ્યું જાય, ઉઘાડ નીકળે તે પછી રાબેતા મુજબની સ્થિતિ સ્થાપતાં ઘણો વખત લાગે છે. ગામડાંઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હોય છે. વીજળીનો પુરવઠો ચાલુ કરવાનો હોય છે. સંદેશા-વ્યવહારને નિયમિત કરવાનો રહે છે. આ તો બધું ખરું જ, પણ લોકોના પુનર્વસનનો પ્રશ્ન ઘણો મોટો અને વિકટ હોય છે.
તા. ૧૬-૧-૨૦૦૦
કે દરિયાકાંઠાના ગામોમાં મોટા ભાગના ગરીબ લોકો વાંસ માટી અને ઘાસના ઝૂંપડામાં રહે છે. એવાં ઝુપડાંઓ વાવાઝોડામાં ટકી ન શકે. વાવાઝોડા વખતે ઝૂપડાં તો ઊડી જાય, પણ માણસ પણ તણાઈ જાય. જેવું કંડલામાં થયું તેવુંતેથી પણ વધુ–ઓરિસ્સામાં થયું. એટલે કેન્દ્ર સરકારે અને રાજ્યની સરકારોએ સમુદ્ર કિનારાના ગામોમાં પાકાં રહેઠાણોની યોજના બનાવવી જોઇએ. ભારતનો સમુદ્ર કિનારો ઘણો મોટો છે. પરંતુ એમાં સંભવિત વાવાઝોડાના જોખમવાળા વિસ્તારોમાં આ કાર્ય કરવાની ત્વરિત આવશ્યકતા છે. બાંધકામના અંદાજિત ખર્ચના એંસીથી નેવું ટકા જેટલી રકમ લોન તરીકે વીસ-પચીસ વર્ષના હશે વ્યાજના મામૂલી દરે ગરીબોને સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવે તો રહેઠાણોની સમસ્યા પણ હળવી બને. સરકાર જે રકમ સંકટ પછી ખર્ચે છે એ જ રકમ સંકટ પહેલાં આયોજનપૂર્વક ખર્ચે તો રચનાત્મક કાર્ય થાય અને ઘણી જાનહાનિ બચી જાય..
પાણી અને વીજળીનો પુરવઠો ખોરવાઇ જતાં સેંકડો નાના નાના ઉદ્યોગો બંધ પડી ગયા છે. એટલું જ નહિ કેટલાંયે કારખાનાંઓમાં પાણી ભરાઇ ગયાં હતાં. ઓસર્યા પછી ત્યાં કાદવના નિકાલનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. કારખાનાઓ બંધ પડતાં મજૂરો બેકાર બન્યા છે.
ભારત સરકારે ઓરિસ્સાની આપત્તિને ગંભીરપણે લીધી છે અને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે જોરદાર પ્રયાસો કર્યા છે. આર્થિક સહાય પણ ઘણી મોટી કરી છે અને રાહત કાર્ય ઝડપી બને એ માટે ‘ટાસ્ક ફોર્સ'ની રચના કરી છે. કેટલીક જવાબદારી લશ્કરના માણસોને સોંપી છે. આમ છતાં જ્યારે કેન્દ્રમાં એક પક્ષની સરકાર હોય અને રાજ્યમાં અન્ય પક્ષની સરકાર હોય ત્યારે પરસ્પર જે દોષારોપણ થાય છે તેવું
ઓરિસ્સાની બાબતમાં પણ થયું છે. વસ્તુતઃ રાજ્ય સરકારનું વહીવટીતંત્ર
શિથિલ હતું તે વધુ શિથિલ બની ગયું. કેટલાંયે અમલદારો રજા પર ઊતરી ગયા કે જેથી જવાબદારીમાંથી બચી શકાય. નોકરશાહીનું આ એક
મોટામાં મોટું દૂષણ છે કે ખરે વખતે માણસ કપાતે પગારે કે બચેલી રજા ભોગવવાને બહાને રજા પર ઊતરી જાય તો તેને કાયદેસર ખાસ કશું કરી શકાતું નથી. નોકરશાહીની આ અને આવી બીજી કેટલીય કલમો છે જે પ્રગતિને માટે અવરોધક છે. સરકારી નોકરોને એક વખત કાયમી કર્યાં પછી તેઓ સરખું કામ ન કરે તો પણ તેને ચાર્જશીટ વગર બરતરફ કરી
કે
શકાતા નથી અને ચાર્જશીટની પ્રક્રિયા એટલી વિચિત્ર અને વિલંબકારી
છે કે એની ઝંઝટમાં કોઇ પડવા રાજી નથી હોતું. બરતરફ કદાચ કોઇને કરવામાં આવે અને એ વ્યક્તિ અદાલતમાં જાય તો જ્યાં સુધી તેનો ચુકાદો ન આવે ત્યાં સુધી એની જગ્યા પૂરી શકાતી નથી, અને પાંચ દસ વર્ષે ચુકાદો જો નોકરની તરફેણમાં આવ્યો તો તેટલા સમયનો પગાર વગર કામ કર્યે એને ચૂકવવો પડે છે. આવી કાનૂની પરિસ્થિતિમાં સંકટ સમયે સરકારી નોકરો નાસભાગ કરતા રહે છે અને બીજા કેટલાયે નોકરો તકનો લાભ લઇ નાણાં બનાવવાની પ્રવૃત્તિમાં પડી જાય છે. જે દેશમાં વડા પ્રધાન સુધીની વ્યક્તિઓ ગેરકાયદે નાણાં મેળવવાની લાલચ રોકી શકતી નથી ત્યાં મધ્યમ વર્ગના બાબુઓની તો વાત જ શી કરવી?
ઓરિસ્સા માટે કેન્દ્ર સરકારે આશરે ત્રણસો કરોડની રકમ પુનવર્સન માટે આપી છે. એટલી રકમ જો સંકટ આવતાં પહેલાં વપરાઇ હોય તો એમાંથી કેટલાયે લોકોનાં પાકાં ઘર થઈ ગયાં હોત અને તો આટલી જાનહાનિ થાત નહિ. ખુવારીનો આંકડો ઓરિસ્સામાં મોટો રહ્યો છે કારણ
માણસ કે ઢોરનું મૃત્યુ એ માનવસમાજ માટે કરુણ ઘટના બને છે, પરંતુ એજ મૃત્યુ ગીધો માટે મહોત્સવરૂપ બને છે. જ્યારે પણ પ્રજા ઉ૫૨ આપત્તિ આવી પડે છે ત્યારે સમાજમાં રહેલાં ગીધડાંઓ એનો લાભ ઉઠાવવા તૂટી પડે છે. સગાંવહાલાંઓને ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ અપાવવાની ખોટા બીલો બનાવવાની, ખોટા હિસાબો રાખવાની, ચીજવસ્તુઓ વચ્ચેથી કાઢી લેવાની, બદલી લેવાની, નમૂના કરતાં હલકી જૂની વસ્તુઓ પહોંચાડવાની પ્રવૃત્તિ પણ વેગથી ચાલે છે. પછાત ગરીબ દેશોમાં આવું બનવું સ્વાભાવિક છે. બીજી બાજુ સહાય લેનારાઓમાં પણ કેટલાક બેઇમાન બની ખોટી રીતે વધારે મેળવી લે છે.
ધરતીકંપ, વાવાઝોડું, રમખાણો વગેરે દરમિયાન બનતી એક દુષ્ટ પ્રવૃત્તિ તે ગુંડાઓ દ્વારા દુકાનોમાં અને કારખાનાંઓમાં લૂંટફાટ કરવાની ઘટના છે. પછાત ગરીબ પ્રજાનો અમુક વર્ગ આવી તકનો લાભ લેવા લલચાય એ સ્વાભાવિક છે. ઓરિસ્સામાં પણ આવા બનાવો વ્યાપક પ્રમાણમાં બન્યા છે.
આ વાવાઝોડામાં જેમણે માતા અને પિતા બંને ગુમાવી દીધાં છે એવાં અનાથ બાળકોની સંખ્યા મોટી છે, કારણ કે મરણાંક પણ મોટો છે. આવાં અનાથ બાળકોનાં જો કોઇ સગાં- સંબંધીઓ બચ્યાં હોય તો તેઓ પણ ઘરબાર વગરના થઇ ગયાં હોય. એટલે અન્યનાં બાળકોની સંભાળ કોણ લે ? સરકારે અને સેવાભાવી સંસ્થાઓએ આ કામ ઉપાડી લેવું જોઇ. ભૂખ્યાંને ખવડાવવા જેવું દસબાર દિવસ પૂરતી સેવાનું આ કામ નથી. લાંબા ગાળાનું આ સેવાકાર્ય છે. એમાં દીર્ઘદષ્ટિ અને
જે અનિષ્ટ તત્ત્વો કામે લાગી ગયાં છે તેની પ્રવૃત્તિ વધુ ફેલાય. ખાસ વ્યવહારદક્ષતા જોઇએ. જો આવું કામ તરત હાથમાં લેવામાં ન આવે તો કરીને દસબારથી પંદરવીસ વર્ષની અનાથ છોકરીઓને નોકરી ધંધો
અપાવવાના બહાને ભોળવી, પાંચ પંદર દિવસ સારૂં ખાવાનું અને સારાં
માટે અનાથાશ્રમ સ્થાપવાની જરૂર છે. મહિલા કાર્યકર્તાઓ અને સેવાભાવી
વસ્ત્રો આપી, સારી સારી આશા આપીને વેશ્યાના દલાલો એમને વેશ્યાઘરોમાં વેચી દેવા લાગ્યા છે. એ માટે દરેક જિલ્લામાં અનાથ છોકરીઓ સંસ્થાઓ આ કાર્ય સારી રીતે કરી શકે. મુંબઇના શ્રી દિવાળીબહેન ટ્રસ્ટ મહેતા દ્વારા આવા બે અનાથાશ્રમ જુદે જુદે સ્થાપવા માટે તૈયારી થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. સંસ્થાઓના સેવાકાર્યને સરકારી દેવાની ટેવ હોય છે. વહીવટી ઔપચારિકતાને ત્વરિત બનાવી આવાં કાર્યોને પાર પાડવામાં સરકારી વહીવટીતંત્રે અને સ્થાનિક કાર્યકર્તાઓએ સારો સહકાર આપવો જોઇએ.
વહીવટીતંત્રને કાયદાની કલમો અને નિયમોને બહાને વિલંબિત કરી
ધરતીકંપ, વાવાઝોડું અતિવૃષ્ટિ, દુકાળ વગેરે પ્રકારની મોટી ભયંકર કુદરતી આપત્તિઓને આવતી અટકાવવાનું સામર્થ્ય હજુ માનવજાતે મેળવ્યું નથી, પરંતુ એવી આપત્તિ વખતે જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન કેમ થાય અને પુનર્વસનનું કાર્ય ત્વરિત ને સંગઠિત કેમ થાય તે જોવાનું સામર્થ્ય મેળવી– કેળવી શકાય છે. એ માટેની દષ્ટિ મળી રહે એવો બોધપાઠ ઓરિસ્સાની ઘટનામાંથી મળી રહેવો જોઇએ.
] રમણલાલ ચી. શાહ