________________
૧૨
થાય છે. ફાગુ કરતાં ધમાલમાં નાદ અને લયનું મહત્ત્વ વધારે હોય
છે.
તા. ૧૬-૫-૯૮
શૈલીનાં ફાગુકાવ્યો પણ લખાયાં. વળી, જેમાં શૃંગા૨૨સનું થોડુંક નિરૂપણ કરી અંતે સંયમનો મહિમા દર્શાવાય એવાં કથાનકો પસંદ થયાં. એમાં નેમિકુમાર અને રાજુલનું કથાનક સૌથી વધુ અનુકૂળ લાગ્યું. એથી એ વિશે સૌથી વધુ ફાઝુકાવ્યો લખાયાં છે. તદુપરાંત સ્થૂલિભદ્ર અને કોશાનું કથાનક તથા જંબુસ્વામીનું કથાનક પણ લેવાયું છે. ફાગણ-ચૈત્રમાં તીર્થયાત્રા માટે નીકળતા સંઘોમાં પણ ધાર્મિક ફાગુ ગાવા-ખેલવાનું દાખલ કરાયું. પોતાના ગુરુભગવંતે સંયમની આરાધના કેવી સરસ ક૨ી છે તથા કામવાસના ૫૨ એમણે કેવો સરસ વિજય મેળવ્યો છે એનો મહિમા બતાવવા માટે ગુરુ ભગવંત વિશે ફાગુકાવ્યો લખાયાં. બહાર ગવાતા હલકાં ફાગુઓ અને આ ફાગુઓ વચ્ચે કેટલો બધો તફાવત છે એ તેઓએ પોતાનાં ફાગુઓમાં બતાવ્યું અને સાચાં સારાં ફાગુકાવ્યોની ઉત્તમ ફલશ્રુતિ દાખવી છે. ‘વાસુપૂજ્ય મનોરમ ફાગ'માં કવિ કલ્યાણે કહ્યું છે :
વસંતઋતુને કામદેવની ૠતુ તરીકે ઓળખાવવામાં આવે છે. મદનોત્સવના આ દિવસોમાં વાતાવરણ એવું માદક બને છે કે જેમાં કામદેવને પોતાનાં આયુધો તીક્ષ્ણ કરવાની સરસ તક સાંપડે છે.
ફાગ ફાંગ પણ રિયા નહી, છાસિ ધોલી નઇ દૂધ ધોલું સહી, જેવડું અંતર મેરુ સિ૨શવઇ, તિમ જિનગુણ અવ૨ કથા કવ્યઇ, એમાંથી થોડીક પંક્તિઓ જોઇએ : ફલશ્રુતિ બતાવતાં ફાગુનો આવો મહિમા ઘણા કવિઓએ ગાયો
છે.
એ ફાગુ ઉછરંગ રમઇ જે માસ વસંતે, તિણિ મણિનાણ પહાણ કીત્તિ મહિયલ પસરંતે. (કીર્તિરત્નસૂરિ ફાગ)
એટલે જ વસંતૠતુ અને શૃંગારરસનો સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. પરંતુ ઔચિત્ય અને ગૌરવ એ શૃંગારરસના આભૂષણો છે. અન્ય રસના નિરૂપણ કરતાં શૃંગાર૨સના નિરૂપણમાં વધુ જોખમ રહેલું છે, કારણ કે રસનિરૂપણ ક૨ના૨ તાનમાં આવી જઇને ક્યારે મર્યાદા ઓળંગી જઇને ઔચિત્યભંગ કરી બેસશે તે કહી શકાય નહિ. ખુદ નિરૂપણ ક૨ના૨ને પણ એનો ખ્યાલ ન રહે. ઔચિત્યભંગ થતાં રસભંગ થાય છે. કાવ્યરસ અપ૨સમાં પરિણમે છે. વ્યાવહારિક જીવનમાં પણ શૃંગારરસની વાતોને એક સાંસ્કારિક મર્યાદા હોય છે. મર્યાદાભંગ સામાજિક ટીકાનિંદાને પાત્ર ગણાય છે. પરંતુ કામાતુરને ભય કે લજ્જા હોતાં નથી. આથી જ શૃંગાર૨સનું નિરૂપણ કરતાં કેટલાંયે ફઝુકાવ્યો ઉઘાડા સ્થૂલ શૃંગા૨૨સમાં સરી પડવા લાગ્યાં. કેટલાકે ઇરાદાપૂર્વક એવું નિરૂપણ કર્યું છે. આવાં કાવ્યો જાહેરમાં નહિ પણ ખાનગીમાં વેંચાય કે ગવાય. મધ્યકાળમાં ‘ગણપતિ ફાગુ' અને એવાં બીજાં કેટલાંક અશ્લીલ ફાગુઓ લખાયાં છે, જે સામાજિક
દષ્ટિએ નિષિદ્ધ ગણાયાં છે અને સાહિત્યિક દ્રષ્ટિએ તેનું કશું મૂલ્ય
નથી.
પ્રબુદ્ધજીવન
ફાગુકાવ્યમાં શૃંગા૨૨સનું નિરૂપણ થાય છે. પરંતુ મધ્યકાળમાં સંયમના આરાધક, બ્રહ્મચર્ય વ્રતના ઉપાસક એવા જૈન સાધુ કવિઓએ આટલાં બધાં ફાગુકાવ્યો લખ્યાં એથી આશ્ચર્ય નથી થતું ? પોતાની અતૃપ્ત વાસનાને વ્યક્ત કરવા માટે એમને ફાગુકાવ્યનું એક બહાનું મળ્યું એમ નથી લાગતું ? ના, જરા પણ નહિ, કારણ કે એમની ફાગુકૃતિઓમાં શૃંગા૨૨સનું એવું નિરૂપણ જોવા મળતું નથી. એમની સંયમની આરાધનાને બાધક થાય એવી કોઇ વાત એમાં આવતી નથી. કેટલાંક ફાગુકાવ્યો તો ‘નારીનિરાસ’ના પ્રકારનાં છે. વસ્તુતઃ જૈન સાધુકવિઓ ફાગુકાવ્ય લખવા તરફ વળ્યા તેમાં કેટલાંકમાં કાવ્યસર્જનની પ્રેરણા કરતાં સામાજિક અને ધાર્મિક કર્તવ્યની ભાવના વિશેષ રહેલી છે.
હોળીના દિવસોમાં ઉલ્લાસના પ્રતીક રૂપે અબીલ-ગુલાલ એકબીજા ઉપર ઉડાવવાની, રંગ છાંટવાની રંગની પિચકારી
છોડવાની પ્રથા છે. પરંતુ જ્યારે તે અધમતામાં સરી પડે છે ત્યારે લોકો છાણ અને કાદવનો પણ આશ્રય લે છે. હોળીના દિવસોમાં કેટલાક વર્ગોમાં ખાનગીમાં માંહોમાંહે અશ્લીલ ગાળો બોલવાની, અશ્લીલ કહેવતો કહેવાની કે ગીતો ગાવાની પ્રથા છે. તેવાં ચિત્રો પણ દોરાય છે. અને નનામા અશ્લીલ પત્રો પણ લખાય છે. મધ્યકાળમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં હોળીના દિવસોમાં યુવાનોમાં અશ્લીલ ફાગ ગાવાની પ્રથા પ્રચલિત થઈ હતી, જે કેટલેક અંશે હાલ પણ પ્રચલિત છે. અમુક વિસ્તારમાં કે અમુક કોમના લોકોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે જ અશ્લીલ ગાળ માટે ‘ફાગ’ અને સભ્ય સમાજમાં જાહેરમાં ન ગાઇ શકાય એવા અશ્લીલ ફાગ માટે ‘બેફાગ' જેવા શબ્દો રૂઢ થઇ ગયા છે. યુવાનોને બહાવરા બનાવનાર અને એમના માનસને અસંસ્કારી અને વિકૃત કરનાર આવાં ફાગુઓ જ્યારે જોર પકડતાં જતાં હતાં ત્યારે કેવળ શિખામણથી સન્માર્ગે ન વળનાર યુવા પેઢીને વિકલ્પે સારાં સુગેય ફાગુઓ આપીને સન્માર્ગે વાળવાનું કાર્ય જૈન સાધુકવિઓએ કર્યું છે. ધર્મમાર્ગે વળેલા લોકો ચલિત ન થાય એ માટે અધ્યાત્મરૂપી હોળી-હોરી વધારે ચડિયાતી છે એ બતાવવા રૂપક
X
X
ફાગુ રે સુણતહ ગુણતહ, પાપુ પણાસઇ રિ. (જયસિંહસૂરિષ્કૃત દ્વિતીય નેમિનાથ ફાગુ)
X
X
X
ગાઇ જે નવરંગ ફાગ એ, લાગએ વિ પાપ લેવ. (જિનહંસગુરુ નવરંગ ફાગ) શ્રી લષમીવલ્લભ કો રચ્યો હૌ, ઇહુ અધ્યાત્મ ફાગ; પાવતુ પદ જિનરાજ કો હો, ગાવત ઉત્તમ રાગ.
X
X
આમ, મધ્યકાળમાં ગુજરાત અને રાજસ્થાનમાં પાંચ સૈકાથી પણ વધુ સમય સુધી પ્રચલિત રહેલા ફાગુના કાવ્યપ્રકારે કેટલીક
ઉત્તમ
કાવ્યકૃતિઓ દ્વારા સાહિત્યના ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે જનમનરંજનનું તેમજ સંસ્કાર-ઘડતરનું ઉત્તમ વિશિષ્ટ કાર્ય કર્યું છે, જે ઐતિહાસિક દષ્ટિએ પણ એટલું જ મહત્ત્વનું છે.
t
અસ્થિ સારવાર કેન્દ્ર
|
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાનાં રોગોની નિશુલ્ક સારવાર દર રવિવારે સવારના ૧૦-૩૦ થી ૧-૩૦ સુથી શ્રી પરમાણંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, રસધારા કૉ-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે, મુંબઈ-૪૦૦ ૦૦૪, (ફોન : ૩૮૨૦૨૯૬) ખાતે આપવામાં આવે છે.
ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોક્ત સારવાર વિના મૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય લાભ ઉઠાવે તેવી વિનંતી છે.
જયાબેન વીરા સંયોજક
નિરૂબેન એસ શાહ ડૉ. ધનવંત ટી. શાહ માનદ્ મંત્રી
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આ મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે, શાહ
પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪,
ફોન: ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન · રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮, લેસરટાઈપસેટિંગ ઃ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,