SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૯૭ પ્રબુદ્ધ જીવન કવિએ પોતે અહીં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે તેઓ જૈનોના શ્વેતાંબર વર્ષા ઋતુ પણ શૃંગારરસના નિરૂપણ માટે નિમિત્ત બની શકે છે. સંપ્રદાયના ખરતર ગચ્છના છે. કવિએ પોતાના નામની સાથે ‘સૂરિ’વર્ષા ઋતુમાં પતિવિયોગ અનુભવતી વિરહિણીનાં હૃદય વીજળીના શબ્દ પ્રયોજ્યો છે. સૂરિ એટલે આચાર્ય, એથી એમ નિશ્ચિત થાય છે કે ચમકારા અને ગડગડાટથી થરથર કંપે છે. વર્ષા ઋતુમાં પણ કામાગ્નિથી કવિએ પોતાને આચાર્યની પદવી મળી તે પછી આ કાવ્યની રચના કરી બળતા પુરુષો પોતાની પ્રિયતમાને મનાવવાનો પ્રયાસ કરતા હોય છે. છે. કાવ્યમાં એની રચનાસાલ અપાઇ નથી, પરંતુ ખરતર ગચ્છની કવિએ નીચેની પંક્તિઓમાં વાસ્તવિક ચિત્ર ખડું કર્યું છે ઃ પટ્ટાવલી જોતાં જણાય છે કે વિ. સં. ૧૩૯૦માં શ્રી જિનપદ્મસૂરિને મહુગંભીરસરેણ મેહ જિમ જિમ ગાજતે, આચાર્યની પદવી અપાઇ હતી. વિ.સં. ૧૪૦૦માં તેઓ કાળધર્મ પંચબાણ નિશ્વ કુસુમબાણ તિમ તિમ સાજંતે; પામ્યા હતા. એટલે વિ.સં. ૧૩૯૦ થી વિ.સં. ૧૪૦૦ સુધીના દાયકામાં ક્યારેક આ ફાગુકાવ્યની રચના થયેલી છે એમ માની શકાય. ભવિષ્યમાં કદાચ અન્ય પ્રમાણો ઉપલબ્ધ થતાં આ ફાગુકાવ્યની રચનાસંવત નિશ્ચિતપણે જાણી શકાય. આ કાવ્યમાં એના રચનાસ્થળનો નિર્દેશ પણ થયો નથી. પરંતુ એ કાળે ખરતર ગચ્છના સાધુઓનો વિહાર મુખ્યત્વે રાજસ્થાનમાં રહ્યો હતો. એટલે સંભવ છે કે રાજસ્થાનમાં કોઇક સ્થળે કવિએ આ કાવ્યની રચના કરી હશે. આ ફાગુકાવ્ય માટે શ્રી જિનપદ્મસૂરિએ સ્થૂલિભદ્રનું કથાવસ્તુ પસંદ કર્યું છે. સ્થૂલિભદ્ર અને કોશાના પૂર્વ જીવનના પ્રણયસંબંધને કારણે એમાં શૃંગા૨૨સના નિરૂપણને અવકાશ રહે છે. પરંતુ કવિએ સ્થૂલિભદ્રના મુનિ તરીકેના જીવનથી કાવ્યની માંડણી કરી છે. અલબત્ત, કોશાના મનમાં હજુ એ જ કામવાસના પડેલી છે. એટલે અંશે એમાં શૃંગારરસના આલેખનને અવકાશ રહે. વસંત ઋતુ શૃંગારરસના ઉદ્દીપન માટે નિમિત્ત બની શકે. પરંતુ અહીં તો વર્ષા ઋતુમાં સાધુ સ્થૂલિભદ્ર ચાતુર્માસ માટે કોશાને ત્યાં પધારે છે. એટલે કવિએ વસંતવર્ણનને બદલે વર્ષાવર્ણનને કાવ્યમાં સ્થાન આપ્યું છે. કથાવસ્તુના નિરૂપણ અનુસાર આ કાવ્યની રચના સાત ભાસની ૨૭ કડીમાં થયેલી છે. પ્રત્યેક ભાસમાં એક કડી દૂહાની અને ત્યારપછી થોડીક કડીઓ રોળા છંદની છે. ફાગુકાવ્યની રચના ‘ભાસ' માં વિભક્ત કરવાની આ પરંપરા પછીના સમયમાં બહુ પ્રચલિત રહી નથી. પ્રથમ ભાસમાં કવિ સ્થૂલિભદ્ર મુનિ પોતાના ગુરુ સાથે પાટલીપુત્ર આવે છે અને ગુરુ ચાતુર્માસ માટે એમને કોશાને ઘરે મોકલે છે એ પ્રસંગનું નિરૂપણ છે. બીજી ભાસમાં વર્ષાઋતુનું વર્ણન છે. ત્રીજી અને ચોથી ભાસમાં કોશા શણગાર સજે છે તેનું તથા તેના દેહલાવણ્યનું વર્ણન છે. પાંચમી અને છઠ્ઠી ભાસમાં કોશા શણગાર સજીને આવે છે પરંતુ મુનિ સ્થૂલિભદ્ર કોશાની પ્રણયચેષ્ટાથી જરા પણ ચલિત થતા નથી તેનું આલેખન છે. સાતમી ભાસમાં કામવિજેતા સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધ પમાડે છે અને ગુરુ સ્થૂલિભદ્રના શીલસંયમની ‘દુષ્કર દુષ્કર’ કહી પ્રશંસા કરે છે એનું વર્ણન છે. અંતે કવિ સ્થૂલિભદ્રનો મહિમા દર્શાવી ફાગુકાવ્યનું સમાપન કરે છે . ફાગુના પ્રરંભમાં સરસ્વતી દેવીને અને પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરી પ્રસંગની માંડણી કરે છે. સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા મળતાં કોશા ગણિકાને ત્યાં આવે છે ત્યારે ખબર મળતાં હર્ષઘેલી કોશા દોડતી બહાર આવી એમનું સ્વાગત કરે છે એનું સુંદર ગતિશીલ ચિત્ર કવિએ નીચેની પંક્તિઓમાં ખડું કર્યું છે . વેસા અતિહિ ઉતાવલિય હારિહિ લહકંતી, આવીય મુણિવરરાય પાસિ કરયલ જોડતી. શૃંગારરસના નિરૂપણ માટે વર્ષાઋતુનું કવિએ રવાનુકારી શબ્દરચના કરીને મનોહર શબ્દચિત્ર દોર્યું છે. કવિએ ઝિરિમિરિ ખલહલ, થરહર વગેરે કેટલાક શબ્દોને ત્રેવડાવીને, નાદમાધુર્યની સચોટ અસર ઉપજાવી છે. અનુપ્રાસયુક્ત એવી નીચેની પંક્તિઓ જુઓઃ ઝિરમિરિ ઝિરિમિરિ ઝિરમિરિ એ મેહા વરિસંતિ, ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ. ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઇ, થરહર થ૨હ૨ થરહર એ વિરહિણિમણુ કંપઇ ૧૧ જિમ જિમ કૈતકિ મહમહંત પરિમલ વિહંસાવઇ, તિમ તિમ કામિ ય ચરણ લગ્નિ નિય૨મણિ મનાવઇ. સુંદર, આકર્ષક વસ્ત્રાલંકા૨થી સજ્જ થતી કોશાનું વર્ણન પણ કવિએ કેટલાક શબ્દોને ત્રેવડાવીને કર્યું છે. કોશાનાં વેણીદંડ, રોમાવલિ, પયોધર, નયન, સેંથો, કર્ણયુગલ, કંઠ, નાભિ, પગ, અધર ઇત્યાદિ લાવણ્યમય અંગાંગોનું ઉપમાદિ અલંકારયુક્ત મનોહર આલેખન થયું છે. વેણીદંડને મદનના ખડ્ગની ઉપમા અપાઇ છે અને પયોધર જાણે કામદેવના અમીકુંભ હોય એવી ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે. કવિ લખે છે : લહલહ લહલહ લહલહ એ ઉરિ મોતિયહારો, રણ૨ણ રણરણ રણરણ એ પગિ નેઉરસારો, ઝગમગ ઝગમગ ઝગમગ એ કાનિહિ વરકુંડલ, ઝલહલ ઝલહલ ઝલહલ એ આભરણઇ મંડલ. મયણખગ્ન જિમ લહલહંત જસુ વેણીદંડો, સરલઉ તરલઉ સામલઉ રોમાવલિદંડો, જીંગ પયોહર ઉલ્લુસઇ સિંગારથવક્કા, કુસુમબાણિ નિત્ય અમિયકુંભ કિર થાપણિ મુક્કા. મનના ભાવ ભિન્ન ભિન્ન છે. કોશાના મનમાં પૂર્વ પ્રણયની લાગણીઓ સ્થૂલિભદ્ર અને કોશાનું પુનર્મિલન થાય છે. પરંતુ હવે બંનેના કસોટીનો કાળ છે. જેની સાથે બાર વર્ષ સુધી રહીને પ્રણયજીવન માણ્યું છે. થૂલિભદ્ર હવે વિરક્ત સાધુ થયા છે. માનવમનની દષ્ટિએ આ મોટો હોય એ જ પ્રિયપાત્ર સાથે યુવાન સાધુ તરીકે સ્થૂલિભદ્ર એકાંતમાં દિવસરાત રહેવા જાય તો પૂર્વના સંસ્મરણો તાજાં ન થાય ? ફરીથી એવી લાગણીઓ ન સળવળે ? કોશાના પ્રણય માટેના પ્રયાસો હોય તો યુવાન પુરુષ એની સામે તન અને મનથી કેટલી વાર સુધી ટકી શકે ? આવા પ્રશ્નો ઉદ્ભવે એ સ્વાભાવિક છે. પરંતુ સ્થૂલિભદ્રની મહત્તા જ એ છે કે તેઓ આવાં પ્રલોભનોની સામે વજ્રની જેમ ટકી રહે છે. આ ઐતિહાસિક પ્રસંગે કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચે જે ખરેખર સંવાદ થયો હશે તેની તો ખબર નથી, પણ કવિઓએ પોતપોતાની સૂઝ અને શૈલીથી એ મુખમાં જે કેટલીક ઉક્તિઓ મૂકી છે તે જુઓ : નિરૂપવાનો પ્રયાસ કર્યો છે. જિનપદ્મસૂરિએ આ ફાગુમાં એ બંનેના કોશા પૂછે છે ઃ બારહ વરિસહં તણઉ નેહુ કિસિ કારણિ છંડિઉં, એવડુ નિષ્ઠુરપણઉ કંઇ મૂંસિઉ તુમ્હેિ મંડિઉ. એનો ઉત્તર આપતાં સ્થૂલિભદ્ર કહે છે : થૂલિભદ્ર પભણેઇ વેસ અહ ખેદુ ન કીજઇ, લોહિહિ ઘડિયઉ હિયઉ મજ્જ, દુષ્ટ વયણિ ન ભીંજઇકોશા કહે છે : * મહ વિલવંતિય ઉવરિ નાહ અણુરાગ ધરીજઇ, એરીસુ પાવસુ કાલુ સયલુ મુસિઉ માણીજઇ. સ્થૂલિભદ્ર તેનો સચોટ આધ્યાત્મિક માર્મિક ઉત્તર આપતાં કહે છેઃ મુણીવઇ જંપઇ વેસ સિદ્ધિરમણી પરિણવા, મણુ લીણઉ સંજમસિરીહિસ્સું ભોગ રમેવા. સ્થૂલિભદ્ર જ્યારે સિદ્ધિરમણીની વાત કરે છે ત્યારે કોશા ઉપાલંભ આપતાં કહે છે કે લોકો કહે છે કે પુરુષો નવી સ્ત્રી તરફ આકર્ષાય છે
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy