________________
ત. ૧૬-૬-૯૭
. પ્રબુદ્ધ જીવન
કેન્દ્ર સરકારના બજેટ અંગે થોડુંક
– વી. આર. ઘેલાણી
ક
કેન્દ્ર સરકારમાં યુનાઇટેડ ફ્રન્ટના રાજમાં શ્રી પી. ચિદમ્બરમે વર્ષ ૧૯૯૭-૯૮ માટે રજૂ કરેલા બજેટનાં વખાણ ખૂબ થયાં. ભાજપે પોતે અગાઉ સૂચવેલા, સુધારાઓ પાછા ખેંચી લીધા. ડાબેરીઓએ પણ સુધારા માટે વાતો કરી, પણ દબાણ કર્યું નહિ. દેવે ગૌડાની જગ્યાએ સત્તાસ્થાને બિરાજેલા વડાપ્રધાન શ્રી ગુજરાલે સામાન્ય માણસને ન્યાય મળે તેવી રીતે પોતે બધું કરી છૂટશે તેવી જાહેરાત કરી, પણ હકીકતમાં લોકસભાના કોઇપણ પક્ષના કોઇપણ સભ્યે કે પછી દેશના ખ્યાતનામ વકીલો કે જેઓ રાજકારણમાં નથી તેમણે જાહેરમાં એવો આગ્રહ ન રાખ્યો કે જ્યારે રૂપિયાની કિંમતમાં ઘટાડો થયો છે ત્યારે વાર્ષિક રૂા. ૪૦,૦૦૦/-ની આવકની જગ્યાએ ઓછામાં ઓછા રૂા. ૫૦,૦૦૦/થી રૂા. ૬૦,૦૦૦/- સુધીની આવક કરમુક્ત (Tax Free) હોવી જ જોઇએ. આ બાબતમાં બે મત હોઇ ન શકે. આમ કરવાથી સરકારની આવકમાં કેટલો ફરક પડવાનો હતો ? ખરેખર તો કંઇ જ નહીં. છતાં કર ભરનારાઓની સંખ્યા ઘટવી ન જોઇએ એવી નીતિને કારણે રૂ।. ૪૦,૦૦૦/-ની આવક સુધી જ કરમુક્તિની મર્યાદા ચાલુ રાખવામાં આવી. પરંતુ આવો આગ્રહ તદ્દન ગેરવ્યાજબી અને તદ્દન અવાસ્તવિક છે, કેમકે આટલી આવકમાં સામાન્ય કરદાતા જ્યારે પોતાના કુટુંબનું ગુજરાન કરવા માટે પણ લાચાર હોય ત્યારે તેની પાસેથી સરકાર ટેક્ષ કઇ રીતે માંગી શકે ? સામાન્ય માણસ ભલે મરે, પણ સરકારને કંઇ ને કંઇ ટેક્ષ તો ભરે જ એવી નીતિ કઠોર ગણાય. ટેક્ષ જો તેઓ ન ભરે પોતે કાયદાની ચુંગાલમાં ફસાઇ જાય છે. સરકારી ઓફિસરોથી ડરતા રહેવું પડે છે. સામાન્ય માણસને થતા આ અન્યાય સામે કોઇપણ પક્ષના
નાની રકમની કરચોરી કરનાર પકડાય તેને કડક સજા કરવી અને મોટી કરચોરી કરી કાળા નાણાંનો ભંડાર ભેગો કરનારાઓ માટે દર બે-પાંચ વર્ષે તેમના કાળા ઘનની શુદ્ધિ માટેની સસ્તી અને સરળ યોજના કરવી તે દેશના દરેક નાણાં-પ્રધાનની મજબૂરીથી અદા કરાતી ફરજ/ધર્મ
છે
એમ સમજીને જ સામાન્ય જનતાએ ઊંડા આઘાત સાથે જીવવાનું છે. ખૂબીની વાત તો એ છે કે સરકારને આંખ આડે કાન' કરવાની કુટેવ પડી ગયેલ છે અને તેમાં સીધી કે આડકતરી રીતે સાથ આપનાર અર્થશાસ્ત્રીઓ-સલાહકારોએ ‘ખાળે કૂચા અને દરવાજા મોકળા' જેવો ઘાટ ઊભો કર્યો છે. દાખલા તરીકે ભાડાની (પાઘડીની) જગ્યા કાળા નાણાં રોકવાનું સાધન બની ચૂકી છે અને તેમાં કોઇ પ્રમાણિક વ્યક્તિને પોતાની જરૂરિયાત અને પસંદગી મુજબની જગ્યા પોતાના રહેણાંક કે ધંધા માટે લેવી હોય તો તેણે ફરજિયાત પાઘડી માટેની મોટી રકમનું
તો
નેતાએ કે કોઇ સ્વતંત્ર ઉમેદવારે લોકસભામાં કે રાજ્યસભામાં વિરોધ...કાળાં નાણાંનું સર્જન કરવું અનિવાર્ય થઇ પડે છે અને પાઘડીની રકમ
ઉઠાવ્યો નથી. તેથી તો એમ લાગે છે કે જાણે બધા જ દંભી ન હોય |
મેળવનાર વ્યક્તિ પણ પ્રમાણિક રીતે ટેક્ષ ભરવા રાજી હોય તો પણ તે તેમ કરી શકતી નથી અને પરિણામે કાળાં નાણાંનું ફરજિયાત સર્જન થતો રહે છે. આ વાત સ૨કા૨થી અજાણ તો નથી જ. છતાં તે અંગે દરેક થાય છે અને તેના વ્યવહારમાં કાળાં નાણાંનો ગુણાકર થઈ સતત વધારો રાજ્યોના ભાડા નિયમોના કાયદામાં જરૂરી ફેરફાર કરી ભાડાની જગ્યાની બાબતમાં અનિવાર્ય રીતે મોટા પ્રમાણમાં થતું કાળા-નાણાંનું સર્જન રોકવા આટલા વર્ષોમાં કોઈ સરકારે ઠોસ કદમ ઉઠાવેલ નથી. કંઇ રીતે ભરી શકે તેનો જવાબ હાલના નાણાં-પ્રધાને પણ પ્રજાને આવા સંજોગોમાં કરદાતાને પ્રમાણિક રીતે ટેક્ષ ભરવો હોય તો પણ તે આપવાનો રહ્યો. હકીકતમાં દંભ છોડી અને ખરી રીતે હાલના દરેક રાજ્યમાં રેન્ટ-એક્ટમાં, બાકી બધી જોગવાઇઓ યથાવત્ રાખી, ‘પાઘડી લેવી-દેવી તે ગુનો નથી' એવી વાસ્તવિક જોગવાઇ કેન્દ્ર સરકારે પોતાની વગ વાપરી આમેજ કરાવી દેવી જોઇએ, જેથી ભાડૂતોને રક્ષણ તેનું તે જ મળતું રહે અને કાળાં નાણાંની જગ્યાએ સફેદ નાણાંનો
વ્યવહાર ભાડાની જગ્યાની બાબતમાં પણ અનિવાર્ય બને.
હકીકતમાં નાના-નાના કરદાતાઓની સંખ્યા વધારવાથી તેમની ફાઈલ સંભાળવા પાછળ, વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં લેતાં, થતું માળખાકીય ખર્ચ જ તેમની પાસેથી વસૂલ થતા ટેક્ષ કરતાં વધુ થાય છે. છતાં નાના કરદાતાઓને પ્રમાણિક થઇ ટેક્ષ સમયસર ભરી દેવાની સલાહ માટે છાપાઓમાં, ટી.વી. ઉપર તથા જાહેરમાં નગારા પીટવામાં ખૂબ ખર્ચ સરકાર કર્યા કરે છે. આ ખર્ચનો હિસાબ પણ લગાવીએ તો તે આવા નાના કરદાતાઓ પાસેથી મેળવવા ધારેલા ટેક્ષની રકમ કરતાં ઘણો જ વધુ સાબિત થશે. પણ કોને પડી છે? ભણેલા વર્ગના નોકરિયાત માણસોના તો પગારમાંથી જ ઇન્કમટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ વગેરે કપાત થઇને જ તેમને બાકીની રકમ મળે છે. તો બાકી રહ્યો ભશેલો કે અભણ વર્ગ કે જેઓ ફેરી કે મજૂરી-ધંધો કરી પેટિયું રળતા હોય છે. બસ, આ લોકોને અત્યારથી સારી ટેવ પાડો. થોડો તો થોડો પણ સરકારને દર વરસે ટેક્ષ ભરે અને સરકારને ચોપડે કરદાતા તરીકે નામ નોંધાવે એટલે ભયો ભયો! બીજી બાજુ કરોડો રૂપિયાના કૌભાંડકારો માટે તથા અપ્રમાણિક કરદાતાઓ માટે લગભગ દર પાંચ વર્ષે ઓછા દરે ટેક્ષ ભ૨વાની છૂટ આપતી યોજનાઓ સરકાર કર્યા કરે છે. આવી યોજનાઓ દર વખતે ‘આ છેલ્લી તક છે' એમ જણાવી અપ્રમાણિક કરદાતાઓને સરકાર મદદરૂપ થાય છે. આ રીતે ફરી ફરીને થતી યોજનાઓ ખરેખર તો ગેરબંધારણીય ઠરી શકે તેમ છે, પણ તે માટે કોઇ ખ્યાતનામ વકીલ કે નેતા આગળ આવવા જોઇએ. પણ કોઇ આવતા નથી એ એક
કમનસીબીની વાત છે. સુપ્રીમ કોર્ટના કોઇ ન્યાયપ્રિય ન્યાયાધીશ આવી યોજના માટે ‘Suo-Motto' એટલે કે કોઇ નાગરિકની ફરિયાદની રાહ જોયા સિવાય પોતાની મેળે સરકારને આ બાબત નોટિસ મોકલાવી, જરૂરી સૂનવણી કરી શકે છે. પણ કોઇ સામાન્ય પ્રજાને ન્યાય અપાવવા આગળ આવતું નથી. બધાને પોતાનો સ્વાર્થ હોય છે. દેશના રાષ્ટ્રપતિ
કે
જેઓ કાયદાશાસ્ત્રી પણ છે તેઓ જો ખરેખર ન્યાયપ્રિય હોય તો તેમણે નાણાં-ખરડાને સંમતિ આપતાં પહેલાં ઉપરોક્ત બાબતો અંગે સામાન્ય માણસને ન્યાય મળે તે માટે પોતાની વગ-સત્તાનો ઉપયોગ કરવો જોઇએ. જરૂર લાગે તો સરકાર સાથે મસલત કરી ઉપરોક્ત બાબતો અંગે વટહુકમ બહાર પાડી પોતાની સત્તાનો સદ્ ઉપયોગ કરી શકે છે.
અલબત્ત, આ વખતના બજેટમાં કરવેરાના દર ઓછા કર્યા તેથી મોટી સંખ્યામાં કરદાતાઓ પ્રમાણિકપણે કર ભરવા પ્રેરાશે અને સરકારને એકંદરે વધુ રકમની કરપ્રાપ્તિ સહેલાઇથી થશે એ ગણત્રીમાં ઘણું વજુદ છે અને આવું વાસ્તવિક સમજદારીભર્યું પગલું ભરવા માટે હાલના નાણાંપ્રધાન ખરેખર ધન્યવાદને પાત્ર છે.
i