________________
૨૦૪,
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮૮
જણપૂર્વક સંયમ સ્વીકારાયો છે ત્યાં આવી વાત પિતાને માટે કૃત્રિમ કે દબાણવાળી છે એવું લાગવાને સંભવ નથી. વસ્તુતઃ સંયમની સાધના જે ઊંચા પ્રકારની હોય તે આવી આવી બાબત. પ્રત્યે સ્વાભાવિક રીતે જ અરુચિ થવા સંભવ છે.
ખોટા, દંભી સાધુઓને સમાજે વારંવાર વખતે વખત ઉઘાડા પાડયા છે અને પાડવા જોઈએ. એમ જ્યાં નથી થતું ત્યાં એક બાજુ વધુ સાધુ-સંન્યાસીઓ અને બીજી બાજુ વધુ ગૃહસ્થ સ્ત્રી-પુરુષ બગડતાં જાય છે. સાધુ-સંન્યાસીનું સ્થાન સમાજમાં ઊંચું છે એટલે એમને ઉઘાડા પાડવામાં કેટલું ક સાહસ પણ રહેલું છે. તેમના અનુયાયીઓ તરફથી ભય કે જોખમ આવી પડવાને સંભવ રહે છે. કેટલાક સાધુએ બધી વાતે પૂરા અને પહોંચેલા હોય છે. ખૂન સુદ્ધાં તેઓ કરાવી
લોકમત જાગૃત રહે, દભી, દુરાચારી સાધુઓને સાધુપણુમાંથી મુક્ત કરાવવાની વ્યવસ્થા રહે નબળા સાધુઓને સંયમમાં દઢ કરવા માટે કુશળ આયેાજન હેય, શિથિલાચારી સાધુઓને સાધુવેશનો ત્યાગ કરાવી ગૃહસ્થ જીવનમાં આજીવિકા સહિત પ્રસ્થાપિત કરવાની યોજના રહે, સાધુઓ સાથેને ગૃહસ્થ સ્ત્રીઓનો કે સાવી-સંન્યાસિનીઓને સંસર્ગ એ છ રહે, તેઓને સાચું માર્ગદર્શન અપાય અને તેઓના પરપર વ્યવહાર ઉપર ચાંપતી નજર રખાય છે તેથી સરવાળે સાધુસમાજને અને ગૃહસ્થને બંનેને લાભ છે. સાધુસમાજ જેટલે તેજવી રહે તેટલી તેજસ્વિતા સમાજની વધે છે.
રમણલાલ ચી. શાહ
' વગેવાતી સાધુસંસ્થા
: ( પૃષ્ઠ ૧૯૮ થી ચાલુ ) સાસુ-વહુ) વચ્ચે મેટા ઝઘડા ચાલતા હોય ત્યારે કાને પક્ષ લે તે બહુ મૂંઝવણ હોય આવી આવી અનેક પ્રકારની સાંસારિક ઉપાધિઓમાંથી બચવા, કોઈ ચમત્કાર થાય અને પોતે સુખી થઈ જાય એવા આશયથી કે સાધુ-અવાઓની મહેરબાની માટે ભટકવા. લાગે છે. કોઈકના જીવનમાં એવી ઘટના બનેલી સાંભળી હોય તે પિતે પણ તેનાથી દોરવાઈ જાય છે. આવી ઉપાધિવાળા માણસને લાભ લેવાનું કેટલાક સાધુ-સંન્યાસીઓ ચૂકતા નથી. પિતાની જાળમાં તેને ફસાવે છે અને કહ્યું ન માને તે પોતાની કહેવાતી મંત્રશક્તિ વડે કે પિતાના ઈષ્ટ દેવદેવીઓની સહાય વડે તેને પર બતાવવાની ધમકી આપે છે. એ પ્રસંગે વિવશ બને, મૂંઝાયેલે માણસ પોતાની પત્નીને એવા બાવાના હાથમાં સેપતાં અચકાતું નથી અથવા પની સાથે બાવાના ગેરવર્તન સામે હેતુપૂર્વક આંખ મીચામણાં કરે છે. ક્યારેક બહુ મેટ આર્થિક લાભ થતું હોય અથવા પિતાની ભારે મૂંઝવણ ટળી જતી હોય તે પત્નીને સંપીને રાજી પણ થાય છે.
એક પક્ષે સાધુ-સંન્યાસીઓ અને અન્ય પક્ષે મહિલા વર્ગ એમ ઉભય પક્ષે કશો જ અનિષ્ણ આશય ન હોય, કેવળ ધર્મતત્ત્વની વિચારણા જ હોય તે પણ પરસ્પર સતત સહચારને કારણે કેના સૂક્ષ્મ મનમાં કયારે વાસના જાગી જશે તે કહી શકાય નહિ. સાધુ-સંન્યાસીઓ માત્ર ગૃહસ્થ સ્ત્રીએથી જ બગડે છે એવું નથી. સાધુ સંન્યાસીએ સાધ્વીઓના કે સંન્યાસિનીઓના સતત સહચારથી પણ પતન તરફ ઘસડાઈ જાય છે. સાધુને કારણે સાધ્વીઓ બગડી હોય કે સાધ્વીના કારણે સાધુ બગડયા હોય એવી ઘટનાઓ પણું બને છે. તેના મૂળમાં સતત સહચાર કે સહવાસ રહેલા હોય છે. સાધુ-સાધ્વીઓના વિહાર, થિરવાસ, આવાગમન, ઉઠબેસ સહવાસ જે લાંબા સમય સુધી સાથે ને સાથે રહે તે સાધુ-સાધ્વીઓનાં મન પણ વિચલિત થયા વગર રહે નહિ.
મહિલા વર્ગ સાથે વારંવાર એકાંતમાં મળવા-હળવાનું થાય, નમમર્મયુક્ત શેઠડી થાય, નાનાં નાનાં અડપલાં થાય અને સ્થલ મજાક-મશ્કરી, ટોળટપાં કે ખડખડાટ હસવાનું થાય છે તેવી ચેષ્ટાઓ એકબીજામાં કારે વાસનાને જાગૃત કરી જાય છે તે કહેવું સરળ નથી.
ભગવાન મહાવીરે તે ત્યાં સુધી કહ્યું છે કે તે વર્ષની ઘરડી ડોશી હોય, નાક છેઃાઈ ગયેલું હોય એવી કદરૂપી સ્ત્રી હોય તે પણ તેની સાથે યુવાન સંન્યાસીએ એકાન્તવાસ ના સેવા જોઈએ. હિન્દુ ધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મમાં સાધુસંન્યાસીઓ માટે ઘણું કડક નિયમે એટલા માટે આપવામાં આવ્યા છે. જૈનધર્મમાં શીલની નવ વાડ બતાવવામાં ' આવી છે. પ્રથમ દ્રષ્ટિએ કોઈકને એમ લાગે કે આટલી બધી કૃત્રિમતાની શી જરૂર છે? પરંતુ માનવીના મનને સૂમ અભ્યાસ જેમણે કર્યો હોય તેવી વ્યકિત તેનું સમર્થન કર્યા વગર રહે નહિ. સ્ત્રીના મુખનું દર્શન ન કરવું, સ્ત્રીને ફેટ કે ચિત્ર ન જેવાં, સ્ત્રીના હાથના લખેલા અક્ષર ન વાંચવા–એટલી ચુસ્ત રીતે સંયમ પાળવા–પળાવવા માટે - આગ્રહ કેટલાક સંપ્રદાયમાં હોય છે. એમાં વધુ પડતું દબાણ છે અને દબાણ છે ત્યાં પ્રતિક્રિયા છે એવી દલીલ કરાય છે, એ દલીલમાં કેટલુંક તથ્ય પણ છે, પરંતુ જ્યાં સ્વેચ્છાએ સાચી અને ઊંડી સમ
સાભાર સ્વીકાર [[] યશવંદના (ઉપાધ્યાય યશવિજયજીનું સંક્ષિપ્ત જીવન કવન) લે. પૂ. પં. શ્રી પ્રદ્યુમનવિજયજી ગણિવર * કાઉન સેળપેજી પૃષ્ઠ-૭૫ * મૂલ્ય-દર્શાવેલ નથી પ્રકા. શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, ૪૪, વધમાન ફ્લેટ, પાલડી, અમદાવાદ–19 [] જૈનદ્રષ્ટિએ કમ લે. મેતીચંદ ગિરધરલાલ કાપડિયા * ડેમી સાઈઝ એક પાકું પૂઠું ? પૃષ્ઠ–૧૯૮ ક મૂલ્ય: રૂ. ૨૦/પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ મુંબઈ ૩૬ જૈ જૈન તત્વ વિચાર છે. મુનિ પુણ્યવિજયજી કાઉન સેળ પેજી પૃષ્ઠ – ૩પર મૂલ્ય રૂ. ૧૨-૦૦ પ્રકા. શાહ પ્રેમજી કરશી C/o. હીરછ કેરીની કુ. ૪ - ૧૭/૭૮, નળબબજાર, મુંબઈ-૩ * ભકતામર સ્તોત્ર તવનમાળા લે પૂ. આ. શ્રી ધર્મધુરં સૂરિજી * કાઉનસેળપેજી પૃષ્ઠ-૪૭ * મૂલ્ય-દર્શાવેલ નથી, પ્રકા. શ્રી અશોકભાઈ હિંમતલાલ શાહ, ૩૩, અમુલ સોસાયટી, સુખીપુરા પાસે, પાલડી, અમદાવાદ-૭ * એસે પંચ ણમેકકારે લે. યુવાચાર્ય મહાપ્રજ્ઞ સંપા. રોહિત શાહ અને દલસુખભાઈ માલવણિયા * ડેમી સાઈઝ * પૃષ્ઠ ૧૭૬ * મૂલ્ય રૂ. ૨૦ પ્રકા. અનેકાન્ત ભારતી, ઈ, ચારૂલ, ડે. સર્વોપલ્લી રાધાકૃષ્ણન માર્ગ, અમદાવાદ ૧૫ [] આભા મંડળ * લેખક, સંપાદક, પ્રકાશક ઉપર મુજબ[] વિદ્યા સાગરને બોધ લે. યંતીલાલ મેરારજી મહેતા + કાઉન સળજી *પૃષ્ઠ-૭ર મૂલ્ય રૂા. ૧૦-૦૦ પ્રકા. વિનોદરાય જયંતીલાલ મહેતા પ્લેટ . નં. ૫૬૦/એ, જ. મે. મહેતા માગ, માણેકવાડી, ભાવનગર-૧.