SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ a de 1 પ્રબુદ્ધ જીવન તા. ૧–૧૧૮૮ અને ૧૬-૧૧૮૮ . . . . . . ખરેખરવાના ખેલા ' , ' , ' , ' , ', - બીજી રમતમાં તે રમ્યા પછી થાક લાગે છે પણ ખંખેરવાને ખેલ એ છે કે તે પૂરે થતાં ખેલાડી વધારે તાજે લાગે છે. વધારે ગેલમાં આવેલ જ ય છે. હળવા નશાની આનંદજનક તમતમાટી મગજ પર ચડી ' હોય તેવી ઉતેજના તે અનુભવે છે. ખેલના પ્રકારે કાંઈ ઓછા છે? તે. શારીરિક રમતના બાળખેલ હોય, યુવાનનાં અંગકસરતૈનાં પ્રદર્શને હોય જાદુગરના ખેલ હોય, સરકસના ખેલ હય, નાટકસિનેમાના ખેલ હોય. પરંતુ ખ ખેરવાને ખેલ આ બધા ખેલેથી અને છે. તે કલા છે કરામત છે, વિજ્ઞાન છે. તેની કમાણી બધા ખેલ કરતાં અનેકગણું હોય છે. મહારાજા યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરીને ભારતના શ્રેષ્ઠ નૃપતિ બનવું હતું. આવા મહાન યજ્ઞ માટે તે મહાન ખજાને જોઈએ. યુધિષ્ઠિરનું રાજય ઈન્દ્રપ્રસ્થ નગર અને બહુ તે સે-બસે ગામડાં જેટલું ત્યારે હશે. હવે શું કરવું ? તેમણે ભાઇઓને ચારે દિશામાં દિગ્વિજય કરીને ધન લાવવા મેકલ્યા, ઉત્તર દિશામાં ગયેલા અજુને તે તે પ્રદેશના રાજાઓને હરાવીને તેમને ખજાને ખંખેરી , લીધે. તે એટલું બધું સુવર્ણ લાવ્યું કે ત્યારથી તેનું નામ ધનંજય પડ્યું. ધનંજય માટે શ્રીકૃષ્ણ ગીતામાં કહ્યું છે કે હું પાંડવોમાં ધનંજય છું.” તે ભારતને ભડવીર હતું, ખંખેરવાની કલાને ખેલદે હો ! ' , અર્થશાસ્ત્રના પ્રણેતા કૌટિલ્ય, રાજાએ ધન મેળવવાના ઉપાયે ચચતાં, કશન (શ્રીમતિ ઉપર ભારે કરવેરા નાખીને તેમને કૃશ કરી દેવા તે) અને વમન (ધનનું એકામણુ કરાવવાની. કરામત) સૂચવ્યાં છે. પ્રસ્તુત લેખ માટે બંને પ્રકારે સરખા જ ઉપાગી છે. બ્રિટિશ અમલમાં દેશી રાજને ખંખેરવામાં ભારતને ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ ઉસ્તાદ હતું. તેણે અયાની બેગમેને લૂંટીને તેમને ખજાને ખંખેરી લીધે હતે. ભારતના બીજા એક ગવર્નર જનરલ ડેલહાઉસીએ બિનવારસ દેશી રાજ્યોને ખાલસા કરવાને સપાટે ચલાવીને | મહેસૂલી તથા નાણાખાતાની તિજોરીઓને તરબતર કરી નાખી હતી.' - પરદેશી પાદશાહે આ કલામાં પાવરધા હતા. તેઓ ભારત ઉપર આક્રમણ લાવતા. લૂટની લાલચે લશ્કરમાં લાખ માણસે જોડતાં, દિલ્હીના રાજકર્તાઓને હરાવ્યા પછી પેલા લશ્કરીઓ અને ખાટસવાદિયાને ત્રણ દિવસ સુધી આ વૈભવશાળી નગરીને લૂંટવાની છૂટ મળતી. આવો અમુલખ અવસર કેરું જતો કરે? શેરીએ શેરીએ વિદેશી ધાડાંઓ ધૂમતાં અને વમનપ્રયોગથી ઘરેઘરનું ધન એકાવતા, ભારતનું મયૂરાસને (તતે તાઉસ) નાદિરશાહ આ ખંખેરણીમાં જ લઈ ગયે હતા, કહેવાય છે કે તેમનાથના મંદિરના દરવાજા સુખડના લાકડાના હતા, તે પણ ખંખેરાઇને વાયવ્ય દિશાની સરહદ ઓળંગી ગયા. ઈ. સ૧૯૨૪-૨૫માં વૈષ્ણવોના પુષ્ટિમાગીય સંપ્રદાયના મુખ્ય મંદિર નાથદ્વારા (શ્રીનાથજી)માં તે કામના મંદિરના અધિષ્ઠાતા (ગુસાંઈજી) ગુજરી ગયા. પાછળ એક વિધવા અને એક સગીર બાળક રહ્યાં. ઉપુરના રાણાએ જોયું કે “આ પળ ફરી આવે નહિ', “અવસર છે છેલ્લે', આકડે મધ છે. મધપૂડામાંથી મધનાં ટીપાં પડે એટલે તે ભરપૂર છે. - દિવાળીને દિવસે પેંશ શિરાવે તે ગોકળ ગાંડામાં ખપે. તે દિવસે તે લચપચતી લાપશી જ હેય. રાણાએ ચેડા 'સિપાઈએ મંદિરમાં મેકલ્યા. એક એારડીની દીવાલે ચારે બાજુથી ચણેલી હતી તે તેડી અને પાંચ વરસનું એક થયેલું સર્વસ્વ-સુવર્ણ, રત્ન, અલંકાર અને સુવર્ણમુદ્રાઓરાણાએ લુંટી લીધું. મંદિર બેડી બામણીનું ખેતર હતું. એક તે સ્ત્રી જાત અને તેમાં અસહાય વિધવા તેની માલિકણ હતી. ગેબ્રાહ્મણપ્રતિપાળ, અનાથના અને પ્રજાના વત્સલ પિતા ગણતા રાજવીએ મંદિરને ખજાને ખંખેરી લીધો! ' બ્રિટિશ શાસનના કાળમાં જ્યારે કોઈ દેશી રાજા ગુજરી જાય અને તેને કુંવર સગીર હોય ત્યારે તે સાર્વભૌમ સત્તા આવા નધણિયાતા રાજા પર એક વહીવટકર્તા ગેરા દીવાન (એડમિનિસ્ટ્રેટર)ને નીમતી, આ. . એડમિનિસ્ટ્રેટર સારા ચિત્રકારોને બોલાવીને રાજમહેલનાં પ્રાચીન, દુલભ, મૂલ્યવાન ચિત્રોની નકલ કરાવીને તે નકલેને મૂળ ચિત્રોને સ્થાને ઠેસવી દેતા તથા અસલી ચિત્રાને વિલાયત, લઈ જઈ, બ્રિટિશ મ્યુઝિયમને વેચી મારતા. ભારતનું . આવું કલાધત, સંસ્કૃતિસંપત્તિ, પ્રજાની જાણ બહાર હરતું . જ રહ્યું. આ બનાવ કોઈ એક રજવાડા નથી પણ ભારતની મેટા ભાગની રિયાસતને છે. એક કિંવદંતી મારા નાનપણમાં સાંભળેલી. કહેવાય છે કે વડેદરાના મહારાજા સયાજીરાવ પાસે એક સેનાની અને એક ચાંદીની એમ બે ભારે તે હતી. દરેક વાઇસરોય તેના પાંચ વરસના શાસનકાળમાં ભારતભરમાં એકવાર પ્રવાસ કરતો અને દેશી રાજાઓની મહેમાનગતી માણતા. શહેનશાહના પ્રતિનિધિ હેવાથી તે રાજાની જેમ જ, (સમ્રાટની જેમ જ) કાયદેસર ભેટસોગાદે સ્વીકારતે, હવે આવો વાઇસરોય, જે વડોદરામાં આવે અને સોના-ચાંદીની તેજેડીની ભેટ, સામે ચાલીને, માગે છે તે તેને આપવી જ પડે. ના પાડવા જતાં એકવાર પદભ્રષ્ટ થતાં બચી ગયેલા આ મહારાજા બીજી વાર પદભ્રષ્ટ થવામાંથી બચે જ નહિ. મહારાજાને વાતની ગંધ આવી હશે; તેથી તેમણે આ . તે પડીને ગળાવી નાખી અને વાઈસરોયને માગણુડામાંથી મુકત કર્યા! દેશી રાજાઓને ધન ખૂટતું ત્યારે તેઓ કે શ્રીમંત પાસેથી બે—પાંચ લાખ રૂપિયા લેતા, પછી તે શ્રીમંતને પ્રજા પાસેથી નાકરારૂપે, દાણુરૂપે વસૂલ કરવાનું કહેતા આવા દાણીઓ મનફાવે તેટલાં આકરે વેર લેતા. ઈ. સ. ૧૯૩૯માં રાજકેટમાં ખાંડ વેરે અને દીવાસળી વેરે હતા. એટલે કે - તેની ઇજારાશાહી હતી રાજાએ શ્રીમંતોનું કશન કરતા ' અને આ દાણી યત પાસેથી ધનવમન કરાવૃતા.. * .
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy