SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદ જીવન તા. ૧૬-૪-૭ સાવીએના પિષણ રક્ષણની જવાબદારી સ્વીકારે છે. આમ, ભગવાન મહાવીરે પ્રવતાવેલ સ્ત્રી-પુરુષની સમાનતાના આદર્શને કારણે આજ દિવસ સુધી સ્ત્રીએ અનેક પ્રકારે સામેન્નતિના પંથે આગળ વધી રહી છે. સત્સંગ એક સવારને - આત્મસિદિશારિત્ર વ્યાખ્યાતા: રમણલાલ ચી. શાહ ભકિતસંગીત: ફ. ઈન્દુબહેન ધાનક સ્થળ : ભારતીય વિદ્યાભવન, પાટી, મુંબઈ. સમય: રવિવાર, તા. ૩-૫-૧૯૮૭ સવારના ૯-૩૦ વાગે - સૌને પધારવા પ્રેમભર્યું નિમંત્રણ છે. - મંત્રીઓ ૦ ૦ (પૃષ્ઠ ૧૯૦ થી ચાલુ) ભગવાન મહાવીરની નારી ભાવના ન થઈ. વિધવા થયેલી મૃગાવતીએ લડાઈને સામને કરી હિંસા . . , આદરવાને બદલે યુકિત-પ્રયુકિતથી કામ લીધું, ચંપ્રદ્યોતનું છે. હદય પરિવર્તન કરાવ્યું. અને ત્યાર પછી સંસાર ત્યાગ કરી મૃગાવતીએ ભગવાન પાસે દીક્ષા લીધી. રાજા બિંબિસારની કે રાણી ચેલણાએ પણ જૈન ધર્મનું સરસ પરિપાલન કર્યું. અને સમાજમાં ધમ-વિકાસનાં કાર્યોમાં અગત્યનો ભાગ ભજવ્યું. અનેખા બુદ્ધિ વિભવ અને શ્રદ્ધા વડે તેણે પતિ1. બિંબિસાર, પુત્ર અને સાથે સાથે પ્રજાને સૌને જૈન ધર્મના અનુયાયી બનાવ્યાં. સમયસુચકતા અને કુનેહથી તેણે કહેવાતા દંભી અને પાખંડી ધમંપુરૂષનાં કરતૂતને ખુલ્લા પાડય. ભગવાન મહાવીરની કરુણા અને ક્ષમાભાવ માર્ગ ભૂલેલા તરફ વિશેષ વહેતું. તે સમયે રાજગૃહી નગરીમાં બારવ્રતધારીધર્મપરાયણ મહાપાતક નામના શ્રાવક હતા. તેમની પત્ની રેવતી વ્યભિચારિણી-સ્વછંદી અને દુષ્ટ હતી. એક વખત ઉપાશ્રયમાં મહાશતક પાસે આવી તે સ્ત્રીને અઘટિત એવું વર્તન કર્યું. તેનું પરિણામ શું આવશે તે મહાશતકે અવધિસ્તાનથી જાણ્યું અને તેમણે રેવતીને કહ્યું કે તું તારા આ અધમ વતનથી નરાની યાતના જોગવીશ. ભગવાનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે ગૌતમસ્વામીને મોકલી મહાશતકને કહેવરાવ્યું કે તમારી પત્ની દુષ્ટ હોય તે પણ તમારા જેવા વ્રતધારીથી તમારી પત્નીને * * બાવા આકર અને પ્રિય વચન ન કહેવાય, કારણ કે તેમાં એક ' પ્રકારની સમ હિંસા રહેલી છે.' મહાશતકે ભગવાનની આજ્ઞા માથે ચડાવી અને દુરાચારી પત્નીને દુભાળવા બદલ પ્રાયશ્ચિત કર્યું. પિતાની અધમ પત્ની પ્રત્યે પણ આવું ક્ષમાયુકત વર્તન રાખવાનું કહેવું તે ભગવાનની અપાર કરુણુ, સમભાવ અને સ્ત્રી દાક્ષિણ્ય સૂચવે છે. સામાન્ય વર્ગની તે ઠીક પરંતુ ઉચ્ચકુળની અને સુખની છાળામાં ઊછરતી સ્ત્રીઓ બાર વ્રતધારી શ્રાવિકા બને અને સમજીને ધમને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે તે ખરેખર આનંદની વાત ગણાય. રાજ શતાનિકની બહેન જયંતી વિલી સ્ત્રી હતી. તે શ્રાવિકા બની હતી. આત્માને ઉજવળ કરવા અને જીવનને સાર્થક કરવા ભગવાનને કેટલાક માર્મિક પ્રશ્નો પૂછીને એણે ચિત્તનું સમાધાન મેળવેલું. તેણે પૂછેલા પ્રશ્નો પરથી તેની ચિંતનશીલત અને ધર્માભિમુખતાની પ્રતીતિ થાય છે. આજે પણ એણે પૂછેલા પ્રશ્નો અને ભગવાને આપેલા * જવા આપણું ચિત્તનું પણ સમાધાન કરે છે. ઉદાહરણ . . તરીકે એણે પૂછલું કે “ભગવાન, જીવ આળસુ સારે કે ઉદ્યમી?” - ભગવાને કહ્યું: “ધર્મપરાયણ જીવ હોય તે તે સબળ અને ઉઘમાં સારો, કારણ કે તે કથાનાં જ કામ કરશે. અધમી* હોય તે તે આળસુ અને નબળો સારે, કારણ કે આળસ અને નબળાઈને કારણે અકલ્યાણનાં કામ નહિં કરે.” જૈન ધર્મની એ વિશેષતા છે કે ભગવાન મહાવીરે સ્થાપેલે ચતુર્વિધ સંધ આજે પણ અવિચ્છિન્નપણે ચાલુ છે ગૃહસંસારમાં રહેલી સ્ત્રીઓ પણ પિતપતાની શકિત અનુકુળતા અનુસાર આત્મ-ક૯યાણ સાધે છે. ભગવાને આપેલું સાધ્વીપદ એ પવિત્ર નવકારમંત્રનું પાંચમું પદ છે. અને સ્ત્રી જાતિ માટે તે ખૂબ ઉપકારક થઈ પડ્યું છે. સ્ત્રીને વૈરાગ્ય ઉપજે તે તે ગૃહત્યાગ કરી સાવી થઇ શતિથી પિતાની આરાધના કરી શકે એવી અનુકુળતા જૈન ધર્મમાં છે. સમાજ દુષ્કાળ રાહત નિધિમાં આવેલી રકમની યાદી ૫૦૦૦ શ્રી પરેશ કાતિલાલ દેસાઈ ૨૫૦૦ , અરેક ટેક્ષટાઈલ્સ ૨૫• » રવ. શિવજી માણેક ભેદા તથા રવ. ઉમરબાઈ શિવજી બેદાના પુણ્યાર્થે ૧૦૦૦ , ગંગાબેન ઝવેરી ૧૦૦૦ , ડી. વી. કોઠારી , અતુલ એચ. હાર , ચંપારાજ કે. શાહ ૫૦૧ , એક બેન તરફથી ૨૫૧ , કમલબેન પીસપાટી ૨૫૧ , હેમલત્તાબેન એલ શાહ ૨૫૧ , લક્ષ્મીચંદ કે. શાહ ૨૫૧ , રેખાબેન પી. દેશી , અનિલા આર. શાહ , ઇન્ડિયન કારમાસ , અમિતકુમાર કુંદનલાલ શાહ , રૂપાબેન કોઠારી ૧ , મફતલાલ રતનચંદ પરીખ ૧૦૧ , પૂર્ણિમાબેન પકવાસા જ જે જ 2 એકયુપ્રેશર તાલીમ વગ સંધના ઉપક્રમે એકયુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર માટેના નિ:શુલ તાલીમ વર્ગ અંગ્રેજી ભ.ષામાં ગુરુવાર, તા. ૨૩મી એપ્રિલ, ૧૯૮૭થી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી પી. માર્ગ, રસધારા છે. એપ, સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ - ૪૦૦૦ ૦૪. (નઃ ૩૫૦૨૯૬) ખાતે ૨૨ થશે. સપ્તાહમાં બે વખત દર ગુરુવારે અને સેમવારે બપોરના ૨-૦૦ થી ૪-૦૦ સુધી ચાલનારા આ વર્ગનું સંચાલન શ્રી જગમેહનભાઈ દાસાણી કરશે. એકયુપ્રેશરના બે મહિનાના આ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ભાઈબહેનેએ સંધના કાર્યાલયમાં સંપર્ક સાધવા વિનંતી છે. - મંત્રીઓ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy