________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૪
ટેપ બતાવવામાં આવી ત્યાદે ભાવપૂર્વક અને અનિમેષ નયને દોઢ કલાક સુધી તે ટેપ જોઈ રહ્યો હતે. અને બે હાથ જોડીને દલાઈ લામાને તે વારંવાર પગે લાગ્યા હતા. . આમ એવી કેટલીક ઘટનાઓ બની છે કે જે પૂર્વજન્મના સંકેતરૂપ છે. જાણે પૂર્વજન્મનું જ્ઞાન થયું હોય તેવું બાળક એસેલનું વતન જોવા મળ્યું છે. આથી એસેલની લામાના અવતાર તરીકે પસંદગી કરવામાં આવી છે. પૂર્વના એક કે વધુ ભવનું ઓછુંવતું ગાન થવું તેને જાતિસ્મૃતિજ્ઞાન-જાતિસ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે.
જાતિસ્મરણ જ્ઞાનના પ્રકારની આવી ઘટનાએ પુનમ જેવું કંઈક છે એ વાત સિદ્ધ કરી આપે છે. પુનર્જન્મમાં ન માનનાર પાશ્ચાત્ય જગતના ઘણા લેકે આવી ઘટનાઓ પછી હવે પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવતા થયા છે.
વર્તમાન સમયના જાતિવમરણ જ્ઞાન વિશે દુનિયાના ઘણું દેશમાં અભ્યાસ થઈ રહ્યો છે. જાતિવમરણ જ્ઞાનને ParaPsychology ને માનસવિજ્ઞાનના વિષયના એક પેટા વિભાગ તરીકે ભારતમાં અને ભારત બહાર અનેક દેશમાં અભ્યાસ થઈ રહ્યો છે. જુદી જુદી યુનિવર્સિટીઓમાં જાતિવમરણ જ્ઞાનના સેંકડે કિસ્સાઓ નેંધાયેલા છે. અલબત્ત બધા જ કિસ્સાઓમાં કહેવાયેલી બધી જ વાત સાચી પડી હોય એવું નથી. કેટલીક વાતેમાં થોડુંક મળતાપણું જોવા મળ્યું છે, તે કેટલાક કિસ્સા એમાં ઘણું બધું મળતાપણું જોવા મળ્યું છે. યહુદી, ખ્રિસ્તી અને ઈરામ ધમ પુનર્જન્મમાં માનતા નથી. પરંતુ આવા કિસ્સાઓ વખતેવખત નોંધાયા હોવાના કારણે પૂર્વજન્મપુનર્જન્મ જેવી કોઈ ઘટના છે એવું પાશ્ચાત્ય જગતનાં ઘણા કે હવે સ્વીકારવા લાગ્યા છે.
આ જાતિસ્મરણ જ્ઞાન અથવા જાતિસ્મૃતિજ્ઞાન છે શું? દુનિયાના જુદા જુદા ધર્મોના સાહિત્યનું અવલોકન કરીશું તે જાતિસ્મરશુ જ્ઞાનના ઉલ્લેખ જૈન ધર્મમાં જેટલા જોવા મળે છે તેટલા અન્ય ધમમાં ભાગ્યે જ જોવા મળશે. અનેક જૈન ધર્મ- કયાઓમાં અને તીર્થંકરના પૂર્વભવ સહિતનાં ચરિત્રમાં જાતિસ્મણ જ્ઞાનની ઘટના જોવા મળે છે.' ,
જૈન માન્યતા પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાન એ એક પ્રકારનું માત્ર જ્ઞાન જ છે. એ કઈ દેવ-દેવીઓએ કરેલો ચમત્કાર નથી કે ભગવાનને સાક્ષાત્કાર નથી. એટલે જૈનધર્મમાં એ જ્ઞાનનું એક અપેક્ષાએ ઘણું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. તે અન્ય અપેક્ષાએ એનું બહુ મૂલ્ય આકવામાં આવતું નથી.
જૈન ધર્મમાં પાંચ પ્રકારના જ્ઞાન બતાવવામાં આવ્યાં છે(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન: પર્યાવ. જ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. કઈ પણ ગતિના જીવને ઓછેવત્તે અંશે મતિજ્ઞાન અવશ્ય હોય છે. જાતિસ્મરણ જ્ઞાન એ મતિ જ્ઞાનને જ પ્રકાર છે એમ જૈન ધર્મ માને છે.
મનુષ્ય, તિયચ, દેવ અને નારી એ ચારેય ગતિના જીને જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે છે. તિર્યંચ ગતિમાં ફકત સંસી પંચેન્દ્રિય જીવને જ (પાંચે ય ઇન્દ્રિય તથા શનવાળા જીવને જ) જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે. અસંસી છોને ઉ. ત. કીડી, વદિ, મચ્છર, પતંગિયું માખી, ઇયળ વગેરે છોને જાતિસ્મરણ જ્ઞાન થાય નહિ, કારણ કે મતિજ્ઞાનને એ પ્રકાર હોઈ જેને સંજ્ઞા (દ્રવ્ય મન) હોય તે જીવને જ આ જ્ઞાન થાય.
જાતિસ્મરણ જ્ઞાન મુખ્યત્વે જ્ઞાનાવરણીય કમના પક્ષમાંથી થાય છે. એ ચિત્તને એક વિશિષ્ટ પ્રકારનો ઉઘાડ છે. આ ઉધાડ
દરેકને ચિરકાલીન રહેતું નથી. આ જ્ઞાનને પ્રકાશ કાયમ એકસરખે પણ રહેતું નથી. એમાં વધઘટ થવાનો સંભવ રહે છે. કેટલાકને કેટલાક દિવસ સુધી એ જ્ઞાન રહે છે અને પછી કાયમને માટે ચાલ્યું જાય છે. કેટલાકને તે વધુ સમય રહે છે.. મતિજ્ઞાનમાં સ્મૃતિ છે એમ વિસ્મૃતિ પણ છે. એટલે જાતિસ્મરણ, જ્ઞાનમાં સ્મૃતિ અને વિસ્મૃતિને સંભવ રહે છે.
મતિજ્ઞાનના ચાર પેટા પ્રકાર છે. (૧) અવગ્રહ (૨) ઈહ (૩) અવાય અને (૪) ધારણું. અવગ્રહ એટલે “આ કંઇક છે.' એ અસ્પષ્ટ ભાસ છે. “આ શું છે? એ જાણવા માટે ચિત્તમાં ઉહાપોહ થ અને કંઈક અસ્પષ્ટ નિર્ણય થશે તેનું નામ ઈહા. “છા શું છે? તે વિશે વિશેષ વિચાર વેદ અને તે આ જ છે' એ સ્પષ્ટ નિર્ણય થશે તેનું નામ અવાય. જે નિ થયો હોય તે ચિત્તમાં દઢપણેઅ ‘ક્તિ થઈ જાય અને કેટલાક સમય સુધી ટકી રહે તેનું નામ ધારણ - સ્મૃતિને સમાવેશ ધારણમાં થઈ જાય છે. ધારણ એટલે પિતાના જોયેલા, સાંભળેલા કે અનુભવેલા પદાર્થોને કે વિચારોને ચિત્તમાં ધારણ કરી રાખવાની કે સંગ્રહી રાખવાની શકિત. આ શક્તિ ફકત સંસી પંચેન્દ્રિ છને જ હોય છે. જાતિસ્મરણ શાન એ ધારણાને જ એક પ્રકાર હોવાથી તે જ્ઞાન સંસી પંચેન્દ્રિય જીને જ થાય છે.
કીડી, માખી, ઈયળ વગેરેને ધારણશકિત નથી હોતી, એટલે કે - સ્મૃતિ નથી હોતી મનુષ્ય અને પ્રાણીઓને રકૃતિના આધાર
ઉપર રહેલી તાલીમ આપી શકાય. ઘેડે, હાથી, તિરું, ગાય, બળદ વગેરે પ્રાણીઓને કે મનુષ્યોને અમુક કરવું અને ન કરવું, એની તાલીમ એમની ધારણશકિત પ્રમાણે આપી શકાય છે.
જાતિસ્મરણ જ્ઞાન ઇન્દ્રિયજનિત જ્ઞાન છે. તે ઇન્દ્રિયાતી જ્ઞાન નથી. એ જ્ઞાન જવલ્લે જ કઈકને થાય છે. માટે એ ચમત્કારરૂપ લાગે છે, પરંતુ એ કાઈ અતીન્દ્રિય ચમત્કાર નથી.
જાતિસ્મરણ શાન થવા માટે સમય કે વ્યકિતની બાબતમાં કઈ નિશ્ચિત નિયમ હોતા નથી. જે નિયમ છે તે જ્ઞાનાવરણીય કર્મના અને સાથે દર્શનાવરણીય તથા મેહનીય કર્મના ક્ષપક્ષમને જ છે. તીર્થંકરના સમયમાં, ચોથા આરામ અનેક લેને જાતિસ્મરણ જ્ઞાન થયાના ઉલ્લેખ મળે છે. ભગવાન મહાવીરસ્વામીના સમયમાં ચંડકૌશિક સપને, દેડકા અવતરેલા નંદ મણિયારને, હાથીની ગતિમાંથી આવનાર મેધ કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. વર્તમાન સમયમાં એ જ્ઞાન થવાને સંભવ ઘટ ગણે છે. શ્રીમદ્ રાજચંદ્રને એ જ્ઞાન થવાની ઘટના સુપ્રસિદ્ધ છે. કાળના પ્રભાવને કારણે જીવોની તેની ગ્યતા ઘટતી ગઈ છે. એટલે આવી ઘટના વિરલ બનતી હોવાને કારણે એની વાત સાંભળતાં અનેક લોકોને કૌતુક થાય એ સ્વાભાવિક છે.
જાતિસ્મરણ જ્ઞાન ફકત સંસી પંચેન્દ્રિય ને જ થતું હોવાને કારણે જે જીવને એ જ્ઞાન થાય તે જીવને પિતાના પૂર્વના એક અથવા વધારે ભવનું મરણ થાય છે. એ ભવોમાં પણ પતે અસંગી જીવ તરીકે એટલે કે કીડી, વદિ, મચ્છર, સૂક્ષ્મ જીવાણુ ઈત્યાદિ કે વનસ્પતિ એકેન્દ્રિય જીવ તરીકે જે ભવ કર્યો હોય તે ભવનું સ્મરણ ન થાય. પૂર્વના ભવોમાં સંજ્ઞીપણું અને વર્તમાન ભવ સુધી એનું સાતત્ય મહત્વનું છે.
જાતિસ્મરણ જ્ઞાન ફકત સમકિત ને જ થાય એવું નથી. તે સજજનને પણ થાય અને દુર્જનને પણ થાય, તે
(અનુસધાન પૃષ્ઠ ૧૬૬)