SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વા, ૧૬ ૧૨ ૮૭ શ્રી માહનલાલ દૃલીચ પ્રબુદ્ધ જીવન ૐ પ્રા. કાંતિલાલ ી, શાહુ શ્રી માહનલાલ દલીચંદ દેશાએ ‘જૈન ગૂજર કવિઓ' અને ‘જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ' દ્વારા જૈન સાહિત્યની સમગ્ર ગુજરાતી સાહિત્યની તે સેવા કરી જ છે; સાથે જૈન ન“તત્ત્વ વિચારણા પ્રત્યે એમને કેટલા ઊંડે લગાવ હત એની પ્રતીતિ એમના ‘સામાયિકસૂત્ર' પુસ્તક દ્વારા મળે છે. આ પુસ્તક એક કાળે કેટલુ લોકપ્રિય અને ઉપયોગી બન્યુ હશે એના ખ્યાલ એક જમાનામાં એની ત્રણ આવૃત્તિએ થયેલી એના પરથી આવી શકે. પ્રથમ આવૃત્તિ ૧૯૧૧માં પ્રગટ થઇ. એની ૨૦૦૦ નકલે બહાર પડેલી. બીજી આવૃત્તિ ૧૯૨૭માં પ્રગટ થઇ. એની ૧૦૦૦ નક્લા - બહાર પડેલી અને ત્રીજી શાલે પયાગી આવૃત્તિ ૧૯૭૭માં પ્રગટ થ. એની ૧૦ નકલો બહાર પડેલી. આ લેાપયેાગી આવૃત્તિ પણ થોડીક કાપકૂપ અને સક્ષેપ સાથે શ્રી મેહનલાલે જ તૈયાર કરી આપેલી. આ પુસ્તક એ વળ સામાયિક-સૂત્રનુ સંકલન કે સંગ્રહ માત્ર નથી. .સામાયિક લેતાં કે પારતાં ખેલવાનાં સૂત્રા, એને ક્રમ ને એની વિધિ જ અહીં રજૂ થયાં હોત તે આ પુસ્તકનું કાઈ વિશેષ મહત્ત્વ ન હેાત. પણ આ પુસ્તક વિશેષ ઉદ્દેશથી રચવામાં આવ્યું છે. શ્રી મેહનલાલે પ્રસ્તાવનામાં લખ્યું છે કે પર પરાએ ચાલી આવેલું માટે તે કતવ્ય છે એટલું જ સ્વીકારી લેવાનું નથી; પરંતુ તેમાં કષ્ટ હેતુભૂત રહસ્ય રહેલ છે તે ોધી કાઢવાની જરૂર છે.' અહીં લેખકના ઉદ્દેશ સ્પષ્ટ થાય છે. આપણે પરંપરાએ ચાલી આવતી જે સામાયિક-ક્રિયા કરીએ છીએ, જે સૂત્રેા ખાલીએ છીએ, નિશ્રિત ધડીના જે સ્વાધ્યાય કાળ વીતાવીએ છીએ તેની પાછળનું શું રહસ્ય છે, કયા તત્ત્વવિચાર છે તેના ઉપર પ્રકાશ પાડવાનો આ પુસ્તક પાછળના, લેખકના ઉદ્દોશ છે અને તે પાર પાડવામાં લેખક સફળ રહ્યા છે. મોહનલાલ ૬. દેશષ્ટ સંશાધન અને શાસ્ત્રીય અભિગમના માણસ હોઈને એમનુ કાંઈ પણ લખાણુ કદી નિરાધાર હેતુ નથી. એટલે સામાયિક વિચારની રજૂઆત માટે એમણે સંસ્કૃત-પ્રાકૃત —અપભ્રંશ—ગુજરાતી શાસ્ત્રો અને સાહિત્યને પૂરા આધાર લગ્નને સામાયિકચિંતનને પુષ્ટિ આપી છે. આ પુસ્તકમાં ખે વિભાગે અને પાંચ પરિશિષ્ટા મુકાયાં છે. અમાંના પહેલા વિભાગ છે ‘સામાયિકવિચાર.' આ વિભાગમાં રજૂ થયેલું સામાયિકચિંતન આ પુસ્તકને આગવી વિશેષતા પે' છે. એમાં સામાયિકનું સ્વરૂપ, સામાયિકનું સ્થાન, સમાયિકનાં લક્ષણ, શબ્દા ચર્ચા, સામાયિકનું માહાત્મ્ય અને સિદ્ધિ વ. વિશેની તાત્ત્વિક વિચારણાની છણાવટ જરૂરી નગી કરણા, પૃથકકરણા અને ક્વચિત કા સહિત કરવામાં ...આવી છે. આ ચર્ચાને લેખક કુલ ૧૦૨ પેટાવિભાગમાં ફાળવી છે. દેશાઈ કૃત: ‘સામાયિકસૂત્ર’ સામાયિકના સ્થાનની વાત કરતાં એમણે સામાયિકને ૧૨ ત્રતામાંનું એક વ્રત ગણાવ્યું છે અને તેને શિક્ષાવ્રત કહ્યુ છે. એટલે કે તેમાં સુંદર ધર્માભ્યાસ સાધી શકાય છે. એ એવુ વ્રત છે જેનાથી ચારિત્રાચાર અને વીર્યાચારની શુદ્ધિ થાય છે. ‘સામાયિક’ શબ્દની શબ્દા ચર્ચા કરતાં એના ત્રણુ અ બતાવાયા છે : ૧૫૯ (૧) મેક્ષસાધન પ્રત્યે જેમનું સમ (સરખું) સામર્થ્ય છે તેવાં સમ્યકૢ - ન—ચારિત્ર એ ત્રણને આય (લાલ) જેમાં છે તે સામાયિક. (ર) રાગદ્વેષને ટાળીને, સમ્માન આદિ જેવુ લક્ષણ છે એવા લાભ જેમાં છે તે સામાયિક. અહીં ‘સમ’ના અ મધ્યસ્થપણુ --રાગ, ષરહિતતા એમ કરવામાં આવ્યા છે. (૩) સવ છવા પ્રત્યેના મૈત્રીભાવનું લક્ષણ જેવુ છે એ લાભ જેમાં છે તે સામાયિક. સામાયિકનું લક્ષણ ખાંધતાં લેખક નીચે સંસ્કૃત શ્લોક ટાંકે છે: સમતા સર્વ ભૂતેષુ સંયમ : શુભ ભાવના, આત રૌદ્રપરિત્યાગરતદ્ધિ સામાયિક વ્રત. આ શ્લોકના આધાર લઈને લેખકે વિસ્તારથી સામાયિકનાં લક્ષણાની ચર્ચા કરી છે સવ` જીવે પ્રત્યેની સમતા, ઈંદ્રિયનિગ્રહ દ્વારા સયમ, શુભભાવના, આત-રૌદ્ર મ્યાનના પરિત્યાગ કરી શુકલ ધ્યાનને ાવવુ તે સામાયિકનાં લક્ષણા છે. લેખક સમતાનુ સ્વરૂપ, વિષયમાં ખૂબ ઊંડા ઊતરીને સમજાવે છે. ઉપાધ્યાય યશે:વિજ્યજીના ‘શમાષ્ટક'માંથી સ ંસ્કૃત શ્લોકના લેખકે આધાર લીધા છે. જ્ઞાનષ્યાનતપઃશીલ સમૂત્વસહિત ખડો, તનાષ્નાતિ ગુણ સાધુય પ્રાપ્તાતિ શમાન્વિતઃ [કાજી જ્ઞાની, ધ્યાની, તપસ્વી, શીલવંત અને સમકિતવાળા સાધુ હોય તે છતાં તેને, જેટલા લાભ સમતાવત પ્રાપ્ત કરે છે તેટલા લાભ મળતા નથી.] આન ધનજીના એક ‘શાંતિનાથ સ્તવન’માંથી લેખક નીચેની પદ્મિત ટાંક છે : સવ' જગજ તુને સમ ગણે, સમ ગણે તૃણુ–મણુ ભાવ રે, મુક્તિ-સંસાર ખેઉ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે. હું અને એક પ્રાકૃત શ્લોક પણ ટાંકે છેઃ જો સમે સવ્વ ભૂએસુ, તસેસ્ થાવરેસ્સુ ય, તસ્સ સામાયિ હોઈ, ષિ કૅવલિ ભાસિય [સવ પ્રાણીમાત્ર જે ત્રસ તથા સ્થાવર જીવે છે તેને વિશે જે સમતા પરિણામ રાખે તેનુ સામાયિક છે એમ કવલી ભગવાને કહ્યું છે.. આમ મેહનલાલે તત્ત્વજ્ઞાન જેવા વિષયને વિવિધભાષી શાસ્ત્રોના આધાર લઇ, દ્રષ્ટાંતા દ્વારા વિનંદ, રસાળ અને સરળ બતાવ્યા છે જેમાં લેખકની અભ્યાસશીલતા, સાહિત્યરુચિ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy