________________
તા. ૧-૧૨-૮૭
પ્રબુદ્ધ જીવન
- ૧૫૧
રહેવું તે મને
પલાંઠી વાળ
અવસ્થા છે
તે
તે મારા પરિચયમાં એક માનસશાસ્ત્રી ડોકટર એમનાં વૃદ્ધ દાદીને સાંજે દવાખાનેથી આવી પંદરેક મિનિટ દાદીના કરચલીવાળા હાથ પંપાળે ને દાદીના મુખ પર સંતેષની લહેરે દેખાય."
માતાપિતા પિતાના ભરપૂર યૌવનના દિવસે માં કેવળ સંતાનોની ચિંતામાં જીવનને મેટ હિરસે વિતાવે છે. ત્યારે મેટાં થયેલાં સંતાને પિતાનું બધું જ સાચવીને પણ તેમને માનસિક રાહત મળે એમ વર્તે તે ખોટું નથી. પણ પુરુષને બધો આધાર પરણ્યા પછી આવનાર વ્યકિત ઉપર હોય છે. જે પુરુષ, સ્ત્રી અને માતાપિતા વચ્ચે સેતુ બની શકે તે બેય પક્ષ સંતુષ્ટ રહે. પણ એ શિરસ્તો તુરત જ સ્થાપી શકાય તે, આવનાર જરાક નબળાઈ જોઈ જાય તે બધું વ્યર્થ. કેટલાંક કુટુંબમાં દાદા-દાદીને ચહોવાનું સ્વાભાવિક બની રહે છે. જ્યારે કેટલાંક કુટુંબમાં વડીલો અસ્પૃશ્ય હોય એવું વર્તન કેળવાય છે. જેમાં બન્ને પક્ષ ભણેલા, કેળવાયેલા, સંસ્કારી હોવા છતાં એક જ સંતાનનાં માતાપિતા હોય ત્યારે એને દીકરાનાં નાનાં સંતાનો સાથે વાત્સલ્યભર્યું જીવન જીવવાની ઝંખના હોય એ તડપનની હદે પહોંચી જાય, છતાં બાળકોને વહુથી છાનાં બેલાવવા મળે તે મળે. ત્યારે સાચેસાચ તે બન્ને પક્ષ માટી ખેટ ખમે છે. આ સમાજના વૃદ્ધત્વનાં થોડાં ઉદાહરણ જોયાં, જે સંપૂર્ણ સત્ય છે.
અવાવરુ ખૂણુ જેવા જીવનમાં પ્રકૃતિએ રસ જાગૃત કર્યો. બે પ્રસંગમાં કાને સારે કહેવો ? મન ગુનાહિત ભાવ અનુભવે છે. માતા મૃત્યુ પામી ન હોત તે વાલોડની ગ્રામપ્રકૃતિને લાભ ન મળત; ને માતા જીવિત હોત તે કદાચ આટલી વેદના ન હેત, જેણે મને સજક બળ આપ્યું. સડસઠ વર્ષની ઉંમરે પણું પ્રેમકાવ્ય સજાવે છે કારણ એને વય સાથે કે સંબંધ નથી. પ્રેમતત્વ સનાતન છે, એનું વ્યકિતગત નિરૂપણ કલ્પવાની આપણને આદત પડી ગઈ છે.
જીવનભર લાગણીની એ છપમાંથી કોઈ અપ્રગટ સંસ્કારે એક એવી સભરતા પણ આપી છે કે જે આપણી પાસે ન હોય; એ બીજા પાસે હોય તે આપણી પાસે જ તે છે એ આનંદ અનુભવું છું. એ જીવનનું જમા પાસું, મનની શાંતિમાં ભાગ ભજવે છે, તે બીજી બાજુ, લાગણીની તરસ રણમાંના મૃગ જેવી છે. અને એ કેવળ પામીને જ નહિ, આપીને પણ તૃપ્ત થવું હોય છે એ કાતિલ ઉનાળો આજીવન અનુભવું છું. એનું કારણ શોધ્યું છે કે નાની વયે માતા ગુમાવી એ પ્રેમની અધુરપ વ્યાજ સાથે બદલે માગે. છે. પણ મૂરખને ખબર નથી કે એકને દંડ બીજુ શા માટે ભેગવે?
સાહિત્યની દ્રષ્ટિએ સામાન્ય કુટુંબમાં જન્મી અસામાન્યપણું પ્રાપ્ત કરવા હવાતિયાં માર્યા. એ પણ પિલા પ્રેમની અધુરપને જ એક ભાગ હશે. એક માન્યતા હતી કે, ભણેલા તે બધું જ સમજે એથી એમની પાસેથી કશુંક મેળઆવવા અધીરી થતી ને એમની મર્યાદા જાણી નિરાશ થતી. પછી સમજાયું કે ભણેલા માત્ર પાસે સર્જન વિશેની સંપૂર્ણ સમજની, અપેક્ષા રાખી શકાય નહિ. મારામાં રહેલું દૈવત પ્રગટ થવા મથતું હતું. આ વાત બુદ્ધિના સ્તરની નહિ, મારી અંદરની 'કઈ અદીઠ ઝંખના હતી. એથી આગળ કહું તે આ આંતરિક અવસ્થા હતી. અને મારો અભ્યાસ જાણી, મુખ જોઈ પ્રતીતિ ન
અનુભવતા સજ ને મારી શકિતની જાણ કરવા માટે મથવું પડ્યું છે એથી ક્યારેક ગેરસમજને પણ અવકાશ મળ્યું હશે અને એને ફાયદે એ થશે કે કેટલાંક સંકલનમાં મારી જાણ બહાર મારી કૃતિ સ્થાન પામી છે.
ઔપચારિક્તા સંબંધની ક્યારેય માફક નથી આવી. સંબંધમાં નિષ્ઠાનું તત્ત્વ અપરિસીમિત રહ્યું. નિષ્ઠાહીનતાથી
મન દુભાવ્યું છે, ને નિષ્ઠા જોઈ મસ્તક નમી પડ્યું છે. સુખ , દુ:ખની લાગણીથી મને સાવ વિરકત નથી બની શકયું પણ
વૈચારિક ઉચાઇથી તે સહ્ય બનાવી શકાય છે. હવે મન સ્વીકારતું થયું છે કે બીજા પાસે આપણું જ વિચારની અપેક્ષા રાખી શકાય નહિ.
આધ્યાત્મિકતા તરફને મારો ઝોક-અભિગમ જીવન વિશે ચિંતન કરવું, અને એ પ્રાર્થના-ભજનમાં વ્યક્ત કરવું. જીવન પ્રવૃત્તિ દરમ્યાન સાચાખેટાનું મૂલ્યાંકન પિતાને માટે કરતાં રહેવું ને મન સાથે કબૂલતા રહેવું. આમેય મણકાની તકલીફને , લઈ કલાક સુધી પલાંઠી વાળી બેસી રહેવું સુગમ નથી છતાં ધ્યાન લાગી જાય એવી આંતરિક અવસ્થા પ્રાપ્ત થાય એ કલ્પના રમ્ય લાગે છે, છતાં એ માગ હાલ બુદ્ધિ ને . હૃદયની વચ્ચે છે. '
બહુ બચપણથી સંસારની જવાબદારીઓ ઉપાડી હતી. હવે એમાંથી મુકત છું. કેવળ વાંચવું – લખવું ને મનગમતી પ્રવૃત્તિ કરવી એની સુગમતા અભિજાત પુત્રવધુઓએ અને પુત્રએ કરી આપી છે એટલે સમય મળે એમાં વાંચવું, લખવું માનવસ્વભાવના વિધવિધ પાસા આત્મસાત કરવા. અમુક પ્રકારના માણસને મળવું મને ગમે છે." શાળાની અધુરપ સાહિત્યના કાર્યક્રમમાંથી જાણે પરિતૃપ્ત કરું છું. અમુક માણસેના અમુક રીતે ખેલાયેલાં વાકય મારું જ્ઞાન બની જાય છે અથવા તેમની મર્યાદા જાણી શકું છું. ભજનમાં આeણાત્મિકતા બે પ્રકારે ગુંથાઈ છે. એક જે મેળવવું છે એ વાત અને બીજી સ્વભાવગત ક્ષતિ-માનવમનની. - મિત્રોની ખોટ ખૂબ અનુભવેલી. દસ વર્ષે શાળા છૂટી પછી મિત્ર હતા જ નહિ. પરણ્યા પછી પણ અવકાશ નહોતે. કારણ ઘર ચલાવવા સિવાયને સમય પતિ સાથે ફરવા, નાટક-સિનેમા જોવામાં વીતતે.. ઘરેલુ સ્ત્રીઓ સાથે ફાવતું નહિ પણ ૧૯૬૨ પછી જે મિત્ર મેળવ્યા એ જીવનાધાર બની શક્યા છે. જેમના કુટુંબની એક સભ્ય તરીકે તેઓએ મને સ્વીકારી છે. - છતાંય મારે તે મારા જેવા થડા ગાંડા મિત્રની જરૂર હતી. આ જે ઉછળતા દરિયા-કિનારે બેસી મને મજા જોવામાં સાથ આપે. એક બાળક જેમ રફૂલેથી આવી પિતાની બધી વાત કહે એમ મારા મનમાં સજન વિશે ને સજક વિશેના પ્રતિભાવ જાણી શકે, માણી શકે ને વિચાર-વિનિમય કરી શકે, સ્ત્રીએ . માટે એ દુર્લભ છે ને તેમાં અભણ સ્ત્રી માટે ખાસ એની પાસે શિક્ષકે કે અધ્યાપકેનું વર્તુળ હેતું નથી.' મારે એ માટે ખૂબ ઝઝુમવું પડ્યું છે પણ એ નિષ્ફળ * નથી ગયું એમ જરૂર કહી શકું.
બીજાને સુખી કરી નાખવાની, ઝટ દુઃખ દૂર કરી નાખવાની વૃત્તિ ઘેલછાની હદે રહી છે, ગુરુ શબ્દને મહિમા