SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 10 પ્રબુદ્ધ જીવન તા. ૧૬-પ-૭ (પૃષ્ઠ ૧૪ થી ચાલુ) ગઈ. એથી અને અન્ય બીજા કારણોને લીધે કેટલાય સમર્થ શ્રેષ્ઠીઓએ અન્ય વ્યવસાયમાં ઝંપલાવ્યું. આજે મુંબઈમાં હવે પુસ્તક પ્રકાશન, મકાન બાંધકામ, સ્ટેનલેસ સ્ટીલ, દવા, કાગળ, કાપડ, મોટા સ્ટાર્સ વગેરે ઘણા વ્યવસાયમાં કચ્છી પ્રજાએ સારું વર્ચસ્વ જમાવી લીધું છે અને સારું ધન કમાયા છે. સંપ અને ઉદારતા તેમના સ્વભાવમાં હોવાથી કમાયેલું ધન ઠીક ઠીક વાપરવા પશુ લાગ્યા છે. ભલે વતનમાં ઓછું રહે તે પણ વતનમ પિતાનું સારું ઘર બધિવા તરફનું એમનું વલણ રહ્યું છે. કરછમાં જાહેર સેવાકાર્યો, ધાર્મિક ઉત્સવો, સામાજિક પ્રસંગો વગેરેમાં તેઓ સક્રિય ભાગ લેવા લાગ્યા છે. વતનનું આકર્ષણ ગુજરાત-સૌરાષ્ટ્રની અપેક્ષાએ કચ્છીઓમાં હજુ વધુ ૨હ્યું છે. એથી કચ્છનાં ગામમાં ઠીક ઠીક પ્રગતિ જોવા મળે છે. છેલા બે-ત્રણ દાયકામાં કરઠની રોનક ઘણી બદલાઈ ગઈ છે. કછ દિવસે દિવસે વધુ અને વધુ સમૃદ્ધ થતું ગયું છે. કચ્છમાં આજે પણ એવાં જૈન સાધુ-સાદરીઓ છે જે જૈન ધર્મનું અત્યંત સૂક્ષ્મ અને ચુસ્ત પાલન કરે છે. કારાવા નામના ગામમાં સ્થાનકવાસી આઠ કાટિ નાની પક્ષના પ. પૂ. રાધવજીવામી તથા ૫ પૂ. ભૂલચંદજીરવામીને વંદન કરવાની અમને તક મળી. માત્ર સુવણું જ નહિ, અન્ય ધાતુઓને પણ પિતાને પરિગ્રહ ન હોવો જોઈએ. એ માટે પ્લાસ્ટિકની ફ્રેમના ચશ્મામાંથી હુ અને દાંડી કાઢી નાખી દેરો પરેવી કઈ ચશ્મા વહોરાવે તેવાં જ ચશ્મા પહેરવા જેટલું પિતાના સંયમધર્મનું ચુસ્ત પાલન તેઓ કરે છે. ગામડાંઓમાં જ વિચરવું, કછ બહાર જવું નહિ અને આચારનું ચુસ્ત પાલન કરવું–આવા સાધુમહામાઓનું જીવન વંદનીય અને અનેકને માટે પ્રેરણારૂપ છે. નાની ખાખરનું મને પહેલેથી જ વિશેષ આકર્ષણ રહ્યું છે. નાનું પણ રળિયામણું ગામ છે. કચ્છના પેરીસ તરીકે તે ઓળખાય છે. જાણે અમેરિકાની પદ્ધતિએ ટાઉન પ્લાનિંગ કરીને ગામ વસાવ્યું હોય તેવી છાપ પ્રથમ દષ્ટિએ પડે છે. ત્યાં સ્વછતા પણ એટલી જ છે. મચ્છર ન મળે. કચ્છના બધાં જ ગામડાઓમાં આ એક ગામડું જુદું પડે છે. સીધા મોટા રસ્તાઓ, હારબંધ વ્યવસ્થિત મકાને, ચારે બાજ લીલીછમ વાડીઓ, કેટલાય બંગલાઓમાં તરવા માટેના હેજ-આ બધાને કારણે નાની ખાખરનું હવામાન જાણે જદું જ અનુભવાય છે. શેઠ પ્રેમજી લધાભાઈએ આ ગામનું દષ્ટિપૂર્વકનું આયોજન કરેલું. એમના બંગલામાં કચછના રેહા રાજયની કુંવરીને પરણેલા યુવાન કવિ કલાપીને બીજા મહારાવ સાથે ફેટે છે એ શ્રી બિપિનભાઈ જૈને મને બતાવ્યું. આ વિરલ ફેટા વિષે ભાગ્યે જ કોઈ સાહિત્યકારને જાણ હશે. નષ્ટ થાય એ પહેલા એ ફેટાની નકલ કરાવી લેવાનું કાર્ય કેાઈ સાહિસિક સંસ્થા કે કિતએ કરાવી લેવા જેવું છે. ' નાની ખાખરમાં પ. પૂ. ભુવનચંદ્રવિજયજી ઉપરાંત અચલ ગછાધિપતિ પ. પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ અને એમના શિષ્યના તથા પ. પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજી અને એમની સાદરીઓનાં દર્શનને લાભ મળે. કેટલાંય સાધુ-સ, કરી એવાં છે કે જે કચ્છની બહાર વિહાર કરવા ઈચછતાં નથી, કારણ કે તેઓ પિતાના સંયમના આચારનું અત્યંત બહુ કડક પાલન કરવા છે છે ( કચ્છના અબડાસાની પંચતીથીન અમે દર્શન કર્યા. સુથરી, નલિયા, તેરા, કોઠારા, જખૌનાં દેરાસરે ત્રણ દાયકા પહેલાં જયાં હતાં તેના કરતાં આજે એની રોનક વધી છે. એનાં શિલ્પસ્થાપત્યમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા સાથે વિદેશી સંસ્કૃતિને સમન્વય જોવા મળે છે. કેડારાના દેરાસરની ઊંચાઈ માટે રાજાએ વધે લીધે તે જૈન સંઘે પિતાના ખર્ચે રાજમહેલની દીવાલ ઊંચી કરાવી આપી હતી, જેથી દેરાસરમાંથી કેદની રાજમહેલમાં નજર ન પડે રતાડિયા ગામમાં કર્નલ જીલુભા જાડેજા અને એમના સાથી મિ દ્વારા ચાલતું સમાજસેવાનું કાર્ય જેવાની પણ તક સાંપડી. બિદડામાં અખિની હોસ્પિટલમાં નેત્રયજ્ઞ જાય છે. ત્યાં ગરીબ દર્દીઓ માટે ઘણું સરસ કાર્ય થઈ રહ્યું છે. કચ્છમાં ખનીજ સંપત્તિ ઘણી છે, વિસાઇટની ખાણો છે. વેપાર-ઉદ્યોગ વૃદ્ધિ પામી રહ્યા છે. નવાં નવાં સુંદર મકાને બંધાતાં કેટલાંક ગામેની રોનક વધવા લાગી છે. નર્મદાની નહેરનાં પાણી જ્યારે કચ્છને મળશે ત્યારે તે કચ્છની ધરતી ફરી લીલીછમ બનશે અને સમૃદ્ધિ વધશે. સ્વતંત્રતા મળ્યા પછી એકાદ-બે રાજ્ય સિવાય ઘણું માં ભૌતિક દષ્ટિએ ઠીક ઠીક પ્રગતિ થઈ છે. કરવા જેવી અનેક કાર્યો હજુ બાકી છે. ભારતમાં ગરીબી, બેકારી, ગંદકી, કેમવાદ, ભાષાવાદ, ભ્રષ્ટાચાર જેવી અનેક સમસ્યાઓ છે. એમાં કચ્છ અને કચ્છીએ પણ અપવાદ નથી. પરંતુ પ્રેમ, ઉદારતા અને સહકારથી પ્રજાને ઉત્કર્ષ થયેલો જોવા મળે છે તે આનંદની વાત છે. એવો આનંદ કચ્છમાં અમને અનુભવા મળે.. -રમણલાલ ચી. શાહ સંઘના ઉપક્રમે શરૂ થયેલ ભકિતસંગીતને વર્ગો સંધના ઉપક્રમે બુધવાર, તા. ૬-૫-૮૭ના બપોરના ૩-૩૦ વાગે શ્રી પરમાનંદ કાપડિયા હાલમાં શ્રી ચીમનલાલ જે. શાહના પ્રમુખપદે ભકિતસંગીતના વર્ગના ઉદ્દઘાટનને કાર્યક્રમ જવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં શ્રીમતી વસંતીબહેન દાણીએ પ્રાર્થના કરી દીપ પ્રગટાવ્યું હતું. આ વર્ગના સંજક શ્રી ઉષાબહેન મહેતાએ સૌનું સ્વાગત કર્યું હતું. વર્ગના અધ્યાપક શ્રી બંસીમાઇ ખંભાતવાલાએ બહેન માટેના સંગીતના વર્ગો શરૂ કરવાના નિર્ણય બદલ સંઘના કાર્યવાહકને અભિનંદન આપ્યાં હતાં. શ્રી ચીમનલાલ જે શાઇ, શ્રી ગણુપતભાઈ ઝવેરી, પ્રા. રમેશભાઈ ભોજક વગેરેના પ્રાસંગિક વકતવ્ય બાદ મંત્રી શ્રી પન્નાલાલ ર. શાહે સૌને આભાર માન્ય હતા. (વર્ગ વિશે માહિતી માટે કાયમયને સંપર્ક સાધો.) -મંત્રીઓ શ્રાવિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, ખૂબઈ ૪૦૦ ૦૦૪. 2 નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : કેન પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠે રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪,
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy