SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧ ૮૬ જે આપણુ પિતાનું થતું નથી, આપણી અંદર (ભીતર) આકાર લેતું નથી તે બધું વ્યર્થ બની જાય છે.. ... - તમે કેટલા વહેલા જાગી જાઓ છો એ જ તમારી બુદ્ધિ, પ્રતિભાનું માપ છે. દુનિયાને તમે ભરમાવી શકશે પણ તેમ કરવા જતાં તમારી, જાતને બેઈ બેસશે. સાચે આનંદ છે બેસશે. ' : મહાવીરે સમ્યક જ્ઞાન કહ્યું શંકરાચાર્યે વિવેક કહ્યો. ' ધ્યાન ભાવથી રહિત ચિત્તમાં રાગ ઘૂસી જ જશે. રાગ એમ છોડ સહેલું નથી. બાન દ્વારા સમ્યક જ્ઞાન જામે તે જ રાગ છૂટે. વરસાદ આવ્યા પહેલા છાપરું બરાબર ચળવ્યું હશે તે વરસાદ ધૂમશે નહિ પરંતુ છાપરું ચળાવું નહિ તે વરસાદ ઘૂસી જ જવાને છે. રાગને થાન દ્વારા જ છોડી શકાશે. આ ક્રોધ એમને એમ નહિ જાય. કામ એમને એમ નહિ જાય. ન દ્વારા પાકી કિલ્લેબંધી થાય તે જ આત્મા વિકાસને પંથે આગળ વધી શકે છાપરું બરાબર ચળાવી લે. ધ્યાનમાં બરાબર પ્રવેશ કરે. - અંધારું ઉલેચવામાં સમય, શકિત ન ગુમાવે. પ્રચંડ પુરુષાર્થ અને જીવનની સાત્વિકતા સંસારને ઉજાળશે. સંસારમાં રહીને પણ સાધુ ચરિત જીવન જીવવાને બુદ્ધને આ ઉપદેશ છે. વિશ્વના તવ ઘણી મોટી વાત કરી ગયા છે. પરંતુ જીવનની યથાર્થ વાત છે. બુદ્ધો જ કરી છે. એમની વાત સત્યની પ્રતીતિ કરાવનારી અને વાસ્તવવાદી છે. આપણે માત્ર ઊંડાણુની વાત કરી ખોવાઈ જવું તે કરતાં તે.. બુદ્ધની વાસ્તવાદી વતે વધુ રસપ્રદ, કુચિકર અને કલ્યાણકારી છે. માટે જ બુદ્ધને મનુષ્યજાતિના કાણું મિત્ર’ કહ્યા છે. બુદ્ધ પૃથ્વી પર પ્રથમ એવા પુરુષ છે કે જેમણે પરમાત્માને સંડોવ્યા વિના ધ્યાનની ઉપકારક બાબતે બતાવી છે. એમણે કહ્યું છે કે ધ્યાન એ તે મનુષ્યનું સ્વાસ્થષ છે. બુદ્ધ ધર્મગુરુ નથી પણ માણસજાતિના ડોકટર છે. તેમનું કહેવું છે કે માનવીનું તન, મન તંદુરસ્ત હશે તે તે તેની સાધનામાં અવશ્ય આગળ વધી શકશે. આ માટે તેમણે તત્વ કરતાં તથ્ય પર વધારે ભાર મૂકે છે. બુદ્ધ મનુષ્યની તકલીફનું મૂળ શેધીને તેના નિરાકરણ માટે ચાર સત્ય કહે છે. (૧) માણસ દુઃખી છે. (૨) માણસના દુ:ખનું કારણ છે. (૭) દુઃખનું કારણ મટાડી શકાય તેવું હોય છે. (૪) પછી જીવનમાં દુઃખ રહેતું જ નથી. તે બુદ્ધના મતે ઈન્દ્રિય સુખના રસમાં જેમને આનંદ દેખાય છેતે ક્ષણિક આનંદ છે. આત્મામાંથી પરમાત્મા બનવા માટે તે દૈહિક સુખને ત્યાગ જ જરૂરી છે. તે જ અહંત સાધી શકાય. સમગ્ર યોગશાસ્ત્ર આ મુદ્દા પર જ ઊભું છે. બુદ્ધના મતે વિષયસુખ સાધકને માટે બાધક છે. જીવનયાત્રામાં રસ અને આનંદ રવયંમાંથી પ્રગટ થાય છે. માનવી પોતે જ સુખ અને દુઃખનું કારણ છે. માર શબ્દ બુદ્ધને છે. કામવાસનાના દેવતા માટે તેમણે માર શબ્દ પસંદ કર્યો છે ચિત્તની દશા કહ્યું તે મારાથી પ્રભાવિત સગર રામથી અલિત. ' 'ભીતર વરફ ચાલે તે રામ તરફ બહાર ચાલે તે માર તરફ ''અધી દુબલ વૃક્ષને જેમ ઉખેડીને ફેંકી દે છે તેમ માર વિષ ૨કમાં જ ડુબેલા ભેજનમાં અતિશય રાચેલા અને પ્રમાદી, મનુષ્યને માર ઉખેડીને ફેંકી દે છે. આંધી પર્વતને ડગાવી શકતી નથી તેમ જ ભોજનમાં સંયમી, વિષય રસમાં પણ સંયમી અને ઉદ્યમી પુરુષને ગાવી શકતી નથી. | પપ તમને કદી પકડી શકતું નથી, પાપને તમે પકડે છે. ઇકિને ઉપયોગ સંયમભ થઈ જશે તે સમ્યક દૃષ્ટિ અને સયક દર્શન એની મેળે રવરૂપ પામતા જશે. ' બુદ્ધના મતે વાસના એક પ્રકારની વિક્ષિપ્તતા છે. સંયમ, સંતોષ એ જ ઉન્નતિનાં દ્વાર છે. . કેશા ગૌતમીના અત્યંત આગ્રહથી બુદ્ધિ સ્ત્રીઓને પણ દીક્ષા આપવાને નિર્ણય કર્યો પછી ધણા નિયમો કર્યા. જે સારને અસાર સમજે છે એવા મિથ્યાં ! સંકલ્પવાળાને સાર મળશે નહિ, બુદ્ધિ વિપરીત થઈ જાય પછી સારને પ્રાપ્ત કરવાનું ઘણું જ મુશ્કેલ છે - ધન નહિ મળે ત્યાં સુધી એમ લાગ્યા જ કરે છે, ધન એ જ સાર છે. પણ ધનની પ્રાપ્તિ પછી ખ્યાલ આવી જાય છે કે આ ધને પણ અસાર છે. આ અનુભવ જીવનમાં તદ્દનું આવશ્યક છે. - સંઘ સમાચાર ગાંફમાં નેત્રયજ્ઞ ધંધૂકા તાલુકાના ગાંફ ગામે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને વિશ્વ વત્સલ ઔષધાલય, ગુંદીના સંયુક્ત ઉપક્રમે તા. ૩૦-૧૧-૮૫ અને તા. ૧-૧૨-૮૫ના રોજ એક નેત્રયજ્ઞનું આયેાજન કરવામાં આવ્યું હતું જેમાં મોતીયાદિનાં ૧૦૮ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યાં હતાં. નેત્રયજ્ઞમાં સહયોગ ટ્રસ્ટને પણ સાથ મળ્યા હતા. આ નેત્રયજ્ઞનું ઉદ્દઘાટન છે. રમણલાલ ચી. શાહે કહ્યું હતું. પ્રમુખસ્થાને જૈન સેશ્યલ ગ્રુપના મહારાતા રીજીઓનલ કમિટિના ચેરમેન શ્રી રસિકલાલ લહેરચંદશાહ બિરાજયા હતા. આ પ્રસંગે સહયોગ ટ્રસ્ટના ચેરમેન અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન શ્રી નવલભાઈ શાહ, સર્વોદય આશ્રમ, ગુદીના મંત્રી અને વિશ્વ વાત્સલ્યના તંત્રી શ્રી અંબુભાઈ શાહ, વિશ્વ વાત્સલ્ય ઔષધાલયના ભત્રી શ્રી કાશીબેન મહેતા, ડે. રમણભાઈ શાહ, શ્રી રસિકલાલ એલ. શાહ અને શ્રી પન્નાલાલ ર. શાહે પ્રાસંગિક પ્રવચને કર્યા હતાં. વાર્ષિક સ્નેહમિલન (આર્થિક સહયોગ શ્રીમતી વિદ્યાબેન મહાસુખભાઈ ખંભાતવાળા) ‘સંધના સવ સભ્યનું વાર્ષિક નેહમિલાં રવિવાર, તા. ૨ જી માર્ચના રોજ સવારે ૯/૦૦ વાગે તેજપાલ ઑડિ રિયમમાં રાખવામાં આવ્યું છે. “મહાવીર વંદનાના ભકિત સંગીતના કાર્યક્રમનું તથા બુફે લંચનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પાસ માટે સર્વ સભ્યને ફેબ્રુઆરી’ ૮૬ માં કડથી જાણું કરવામાં આવશે તથા “પ્રબુદ્ધ જીવન’ન અકમાં "પણ તેની જાડેરાત કરવામાં આવશે. .. * .*. S , - બના *
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy