SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 6. પ્રત જીવન તા. ૧૬-૨-૮૬ શુક તરીકે એનું યુગ્મ કસેલેલ’ કુતરો છે(કલેલ'. જેવા વિચારનો ખ્યાલ આપે છે, જ્યારે વાઘ કેટલાક વધુ ઊંચા -અર્થ “યુગ્મ” અને “કુતર” થાય છે.) સૂર્ય તરીકે એનું જોડકું વિચારને ખ્યાલ આપે છે. માનવની ઊંડી લાગણીને કે જેને વાઘ (ઓકલેટ) છે. આમ છતાં પાતાલમાંથી સૂર્ય અને શુકને પાળવામાં કે પરિવર્તન કરવામાં ન આવે તે ઘણી મુશ્કેલીઓ માર્ગ વાઘથી સૂચિત થાય છે, કુતરાથી નહિ, વાઘ એ વધુ ઊભી કરે છે. તેથી આ ઊંચી લાગણીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા ઉમલ પશુ છે અને વધુ ઉચ્ચ સ્વરૂપનું પ્રતિનિધિત્વ આપે છે. વાઘને કન્ઝો આર્તની સાથે સંબંધમાં આવવા પાત્ર બને કન્ઝાલ્કોઆલ’ જ્યારે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે તેના એ પહેલા પાતાલમાંથી પસાર થવાનું રહે છે. કરતા પાતાલમાં પ્રવાસ કરતા શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે ઓછા ઉમદા છે. કૂતર દેહના નીચેના જરૂરી અને શુદ્ધ કરવા મૌન ૪ . દિલાવરસિંહ જાડેજા એક ભાગ છે. વ્યકિતએ દિવસના અમુક સમયગાળા માટે જાળવેલા મૌનને જ આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ. પરંતુ દિવસ દરમિયાન કાંઈ નહિ તે કેવળ એક કલાક માટે આપણે તદ્દત જરૂરી હોય તેટલા જ શબ્દ-નહિ વધુ કે ઓછા શબ્દોમજીએ, એ એક કલાક માટે આપણે બેલ્યા શું બોલ્યા, શું ન ખેલવા જેવું બોલી બેટા, એનું નિરીક્ષણ કરીએ તે પણ વાણી તેમ જ મૌનની તપસ્યાને એક ભાગ ગણાય. - શ્રી અરવિ દે એક સ્થળે કહ્યું છે? કેવળ મૌન અને એ-લગામ વાણી અને આત્યંતિક છેડાઓ છે. બન્ને હિતકર નથી. ખરી જરૂર આત્મપ્રભુત્વ કેળવવાની છે. આવું આત્મપ્રભુત્વ કેળવવા અર્થે, અંતર્મુખ બનવા માટે, પ્રભુનું શાંત અવસ્થામાં સમરણ કર વાસ્તે, વાણીને નવપલ્લવિત કરવા માટે મૌનની ઉપાસના આપણે જરૂર કરીએ. | મૌન અને વાણી રેખીતી રીતે એકબીજાને સામે છેડે ગોઠવાયેલાં જણાય. પણ મૌનની ઓળખ વાણીથી ક્યાં નથી અપતી ? ઝીણવટથી જોતાં, સભર મૌનમાંથી સજીવ વાણું પાંગરતી હોય છે. મૌનની ભૂમિમાંથી વાણુને છોડ વિકસે છે. મૌનને કિનારેથી વાણીની સરિતામાં છલાંગ મારવાની મજા કાંઈ -અનેરી હોય છે. આપણા કવિએ કહ્યું: “મારા આ મૌન સવારે કે' ન ફેંકશે શબ્દ કાંકરી. મૌનરૂપી સરેવરમાં શબ્દની કાંકરી ફેંકવાની કવિ આપણને ના પાડે છે. પણ જે મૌન આપણી આંતરિક ચેતનાને સ્વાભાવિક ભાગ બની ગયું હોય તે શબ્દના કંકરા એમાં ખલેલ પહોંચાડી શકતા નથી. + પરંતુ આ મૌન તે જડતાપૂર્વક, જાત ઉપર જોરાવરી કરી, લાદેલું મૌત નહિ. મૌન એ કેવળ મંગાવ્રત નથી. મૂંગાવ્રતમાં ન બેસવાનું પણ લીધું. પરંતુ એમાં બાહ્ય રીતે મૌન જાળવવાની વાત ઉપર ભાર લાગે છે. બહારથી હોઠ બંધ પરંતુ મનમાં અનેક વાત અને વિચારોને ગરબડગોટાળા તેમ જ ધાટ ચાલ્યા કરે. જેવું મંગાવ્રત પૂરું થયું કે માણસ ખાઉધરા પ્રાણીની માફક વાણી ઉપર તૂટી પડે છે. મૂગાવત દરમિયાન પણ પિતાની વાત કહેવાના એના ઉધામાં જોવા જેવા હોય છે. - વાણી એ મનુષ્યને કુદરત તરફથી મળેલી એક શકિતશાળી ભેટ છે. એવી પ્રાણવંત ભેટને, વાણીને, આપણે ઘણીવાર બગાડ કરીએ છીએ. વાણીને, એ દુવ્યય અટકાવવાના એક કારણે તે મૌન તરફ ગતિ થતી હોય છે. 'મૌનમાં ખરેખર તે. -અતિરિક શાંતિને સમાવેશ થાય છે. મૌનના માધ્યમ મારફત : અહીં તહીં દેડતા, અથડાતા, ફૂટતા વિચારોનું મારે નિયમન કરવાનું છે. મૌન અને ધ્યાન ત્યાં લગલગ આવી જાય છે. સનની શાંતિ માટે મૌન એક મહત્ત્વનું સાધન છે, જે મૌનને ઓળખતા અને એની સાથે મૈત્રી કેળવતા આવડે છે. ' 'મૌત એટલે આપણું પેલા બાવાજીનું મૂંગાવત નહિ. એક બાવાજી હતા. બાર વરસ મૌન રહ્યા, એટલે કે મૂંગા રહ્યા. એમને બોલવાનો સમય આવ્યે, લે કે તે એમની અમૃતવાણી માટે ચાતકના કઠે તરસી રહ્યા. ત્યારે બાર વરસે બાવાજી માલ્યાઃ “જા બચ્ચા, દુકાળ પડેગા? હવે આવું ભાખવા માટે રિસનું મૌન જાળવવાનું કષ્ટ લેવાની કોઈ જરૂર નહતી! : - ': ખરેખર તે બાહ્ય મૌન ચિત્તની અતિરિક પ્રસન્નતા -રે, અંતરમૌન તરફ આપણને દોરી જાય. આંતરિક મૌનના પ્રશમાં પ્રવેશવાનું દ્વાર તે બાઘ મૌન. પરંતુ મૌનનું આવું સ્વરૂપ સમજ્યા વિના જળવાતા ઘાંઘાટિયા બાહ્ય મૌન વિશેષ : અર્થ નથી, 5 વધારે ઝીણવટથી વિચારીએ. તે દિવસ દરમિયાન સિદ્ધ કરેલી વાણીની જરૂરી કરકસર એ પણ મૌનને મહિલા વકતૃત્વ તાલીમ વગર સંધ’ ના ઉપક્રમે શુક્રવાર, તા. ૨-૨-૧૯૮૬ થી વકતૃત્વશકિતની ખીલવણી કરવા બહેને માટે તાલીમ વગ શરૂ કરવામાં આવશે, જેની વિગત નીચે પ્રમાણે છે. (1) સમય દર શુક્રવારે બપોરના ૨-૩૦ થી ૪-૩૦. (૨) આઠ સપ્તાહનું એક સત્ર રહેશે. (૩) સત્ર ફી ૨. ૫૦/- રાખવામાં આવી છે. (૪) આ વર્ગનું માધ્યમ ગુજરાતી ભાષા રહેશે. (૫) સંઘના સભ્યને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ' (૬) વર્ગ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ તા ૨૦ બહેને લેવામાં આવશે. ' સ્થળ: મુંબઈ જેને યુવક સંધ, પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રેડ, રસધારા-કે-ઓપ. સોસાયટી, વનિતા વિશ્રામ સામે, પ્રાર્થનાસમાજ, મુંબઈ-૪૦૦૦૪ , - આ રીતે તાલીમ લેવા ઇચ્છનારે સંધના કાર્યાલયમાં L: સંપર્ક સાધવા વિનંતી. 1 - , , , , , લિ. વિદીયો ! " . . ! | મીરાબેન ૨ મહેતા , કે. પી. શાહ , 1. :સોજક : " ... . . પન્નાલાલ શાહ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy