SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત જીવન દુર્ગણે જન્મે છે અને માણસ વ્યસને તરફ ઘસાય છે. ઠેઠ પ્રાચીનકાળથી માનવજાત એક યા અન્ય પ્રકારના વ્યસનમાં સપડાયેલી અને દુ ને ભેગ બનેલી જોવા મળે છે. આપણા શાસ્ત્રકારોએ અને ધર્માચાર્યોએ 2 પ્રાચીન સમયથી સાત પ્રકારની વ્યસનથી મુકત રહેવાનો ખેધ આપ્યા द्यूतं च मांस च सुरा च वेश्या, વાર્દૂિ- Fantવા | एतानि सप्त ध्यसनानि लोके, घोरातिधारं नरकं नयन्ति ॥ જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રીગમન આ સાત પ્રકારનાં વ્યસને માણસને ઐહિક જીવનમાં પાયમાલ કરે છે અને એના આત્માને દુર્ગતિમાં ધકેલે છે. જુગાર રમતાં પાંડવોએ અને નળ રાજાએ રાજ્ય ખયું હતું મધ પાનથી ભગવાન કૃષ્ણના યાદવવંશને નાશ થશે. શિકારથી દશરથ રાજા દુષિત થયા હતા. માંસલુપતાને કારણે શ્રેણિક રાજાની નરક ગતિ થઈ પરસ્ત્રીગમનને કારણે રાવણનું મૃત્યુ થયું વેશ્યાને લીધે ક્યવની શેઠ નિધન થઈ ગયા હતા. ચેરીથી વિનષ્ટ થયેલાનાં તે અનેક ઉદાહરણ છે. વ્યસનથી ધન, કીતિ', પ્રીતિ, દયા, કુલ. વગેરેને નાશ થાય છે. ' " આવૃત્તિ-આવર્તન-Repeation-ફરી ફરીને કરવું તે વ્યસનનું મુખ્ય લક્ષ છે. શરૂઆતમાં વ્યસનના સેવનથી માણસને ઘણે આનંદ આવે છે; તાજગી અનુભવાય છે; -ઉલ્લાસ પ્રગટ થાય છે; ચહેરા પર તેજ પ્રગટે છે ચબરાક દેખાવાય છે; વાચાળ થવાય છે; મગજ માં જાણે નવા નવા સરસ તરંગે ઉત્પન્ન થતાં અનુભવાય છે; શરમાળપણું ચાલ્યું જાય છે; ત ગદિલી નીકળી જાય છે. માણસનું જાણે કે વ્યકિતત્વ જ વધુ તેજસ્વી અને રૂપાળું થાય છે. વ્યસન માણસને ગમી જાય છે. પણ પછી એ વ્યસન શરીરમાં બંધારણમાં એવા ફેરફાર કરી નાખે છે કે જેથી સમય થતાં માણસને એ વ્યસન તરફ ગયા વગર ચાલતું નથી. ન જવા મળે તે બેચેની અનુભવોય છે. મિત્રેની બતમાં વ્યસન અને વ્યસની વધુ ખીલે છે પણ ચડસાચડસીમાં ભાન ભૂલાય છે. પછી અનેક માઠાં પરિણામોને ભેગ બનાય છે. ' * દ્રાક્ષ, કાજ મહુડા, ચેખા, ગોળ વગેરે મીકાશવાળા પદાથે “સાડવા લાગે છે ત્યારે એની દુગન્ધ અસહ્ય થઈ પડે છે. પરંતુ વારંવાર એ દુગંધ લેવાથી માણસ એનાથી ટેવાઈ જાય છે. " પછીથી તે એ દુર્ગ એને એટલી બધી ગમે છે કે વારંવાર લેવાનું એને મન થયા કરે છે. આસવ, અથવા દારૂ બનાવવાની ‘પદ્ધતિ હજાર વર્ષથી ચાલી આવે છે. આસવને ઔષધોપચાર જાણીતા છે. પરંતુ મદ્યપાન માણસને ભાન ભૂલાવે છે, સેમરસ, સુરા, વારુણીનું પાન કરનારાં ઉલ્લેખ છે. વૈદિક સાહિત્યમાં પણ મળે છે. ભગવાન બુદ્ધની સભામાં આવતી મહિલાઓમાંથી એક વખત પાંચસે જેટલી મહિલાઓ કઈક મહેફીલમાં વધુ પડતું મદ્યપાન કરીને આવી હતી અને ભગવાનની ધર્મસભામાં બીલભત્સ ચેનચાળા કરવા લાગી હતી. તે વખતે ભગવાન બુદ્ધ પેતાની યોગવિદ્યાથી તેમને નો ઉતારી નાખ્યો હતે એ ઉલ્લેખ બૌદ્ધ સાહિત્યમાં મળે છે. ભગવાન બુધે પંચશીલમાં એક તે મદ્યપાન ન કરવા વિષે ફરમાવ્યું છે. ' વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સમૃદ્ધ દેશમાં દવા બનાવનારી ક પનીએ મગજ ઉપર અસર કરનારા પદાર્થોની નવી નવી શોધ કરી. તેનાં જાતજાતનાં મિશ્રણ કરી, તેમાંથી વિવિધ ઔવધે બનાવવા લાગી છે. દુઃખનું વિમરણ થાય, ચિંતા દૂર થાય, એકના એક વિચારોનું પુનરાવર્તન અટકે, સારી ઊંઘ આવે, મનની નબળાઈ (Nervousness, Depression વગેરે) નીકળી જાય ઇત્યાદિ માનસિક દર્દો એ માટેના કેટલાંક ઔષધ માનવજાતને માટે ઉપકારક નીવયાં છે, પરંતુ વૈજ્ઞાનિકાએ એથી પણ આગળ જઈને માનવ જાતને બહેકાવે એવા વિવિધ ઔષધો, પદાર્થો પણ શોધ્યા છે. માણસ તરંગી બની જાય, જાત જાતના રંગબેરંગી દ્રશ્યો નિહાળે, પિતે હવામાં ઊડતું હોય કે પાણીમાં તરતા હોય તેવા કાલ્પનિક અનુમો થવા લાગે, અલૌકિક સૃષ્ટિનું દર્શન થાય, એવા જાત જાતના અનુભવો આવાં ઔષઘોથી થાય છે. યુવાને એના પ્રયોગ તરફ આકર્ષાય છે અને પછી તેમને એનું વ્યસન થઈ જાય છે. એ લીધા વગર ચેન પડતું નથી. પરંતુ એવાં ખર્ચાળ ઔષધો પાછળ પુષ્કળ નાણું વેડફાઈ જાય છે. યુવાને, માબાપ પાસેથી ધાકધમકીથી પૈસા કઢાવે છે, કે ચારી લૂંટ કરે છે, કારણ કે ઔદ્યોનું તન કર્યા વિના રહી શકતું નથી. દિવસે દિવસે ઔષધેનું પ્રમાણ વધારતા. જવું પડે છે, તે જ સંતોષ થાય છે. એમ કરતાં એ ચક્ર એવું ચાલે છે કે થોડા વખતમાં યુવાન શારીરિક રીતે પાયમાલ થઇ જાય છે તથા મગજની સમતુલા ગુમાવે છે. ખૂન, ચેરી, બળાત્કાર વગેરે અનેક અપકૃત્ય કરે છે કુટુંબ અને સમાજમાંથી હડધૂત થાય છે. વ્યસનીમાંથી ગંભીર દરદી બની જાય છે. કેટલાક અકાળ મૃત્યુને વરે છે, કેટલાક આપઘાત કરે છે. વ્યસનમાંથી મુક્ત કરાવવાની તબીબી સારવાર ઘણી એવી હોય છે. એવી સારવાર પછી સાજો થયેલ માણસ પહેલાં જે રહેતો નથી. એની બુધિ મંદ થઈ જાય છે. એની સ્મૃતિમાં અને તાજગી ઓછી થઈ જાય છે. એક સરસ - કારકિદી દવાનાં વ્યસનને લીધે વેડફાઈ જાય છે. હેરોઈન, કોકેન વગેરેના બંધાણી થઈ ગયેલા માણસને જ્યારે એ પદાર્થો મળતા નથી ત્યારે તેમનું શરીર તૂટવા લાગે છે; અસહ્ય વેદના થતાં તેઓ માથું પછાડ્વા લાગે છે. ચિત્તભ્રમ થયું હોય તેવા બેબાકળા બની જાય છે; વાતે વાતે ઉશ્કેરાઈ જાય છે. પશુ જેવા હિંસક બની જાય છે; માણસનાં લક્ષણો * જાણે કે ગુમાવી દે છે. આવી સ્થિતિ વધુ સમય ચાલતાં આપધાત કરી બેસે છે અથવા શરીર લથડી જતાં અકાળે મૃત્યુ પામે છે. નશ કરવા ન મળતાં જ્યારે હાથ પગ તૂટતા હોય ત્યારે, અથવા મન લાચાર થઈ ગયું હોય ત્યારે પિતાનાં ઘરબાર વેચતાં, પત્નીનાં ઘરેણું વેચતાં કે ખુદ પત્નીને પણ બીજાને ઉપભોગ માટે વેચી દેતાં આવા વ્યસનીઓ અચકાતા. નથી. ચીનમાં કે ભારતમાં અફીણના બંધાણીઓના આવા ઘણું પ્રસંગે ભૂતકાળમાં ઇતિહાસના પડે લખાયેલા છે. - કેટલાક ઔષધો જાતીય ક્તિને પ્રબળ કરનારાં, ઉશ્કેરનારાં હોય છે. કેટલાક યુવાનોને આરંભમાં એથી ફાયદે જણય છે, પરંતુ થોડા સમયમાં જ તેઓ એના ગુલામ થઈ જાય છે. અને થોડાં વર્ષોમાં જ કામભાગના અતિસેવનથી નિ:સત્વ બની જાય છે. - અકાળે વૃદ્ધ થઈ જાય છે. .' ' ભારતની કેટલીય યુનિવર્સિટીઓમાં માદક ઔવધે એ મેટ " (અનુસંધાન પૃષ્ઠ ૧૧૮) A
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy