________________
૨૦૪
પ્રઢ વન
તા. ૧-૩-૮૯
જે દેરોમાં સરમુખત્યારશાહી છે, વાણી-સ્વાતંત્રય નથી અને જસસી ઘણું છે એ દેશની પ્રજા પોતાનું જીવન ભયમાં વિતાવે છે. અજાણ્યાની સાથે વાત કરતાં કરે છે. એટલું જ નહિ, ઘરનાં રવજનો સાથે પણ આ વાત કરતાં ગભરાય છે. દીવાલને પણ કાન છે એ રૂઢ
પ્રયોગથી આગળ વધીને હવાને પણ શાન છે ત્યાં સુધી દુનિયા પહેાંચી છે. '
રાજકીય અત્યાચારને ભોગ બનેલા માણસે આવાં સરમુખત્યારશાહીવાળાં રાષ્ટ્રોમાંથી જાન બચાવીને ભાગી છૂટે છે ત્યારે તે પિતાને આશ્રય આપનાર રાષ્ટ્રને ઘણી બધી ગુપ્ત માહિતી પૂરી પાડે છે.'
ગુપ્તચરે દ્વારા મેળવેલી માહિતી હમેશાં, સાચી હોય એવું નથી. કેટલીક વખત તે ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરવનારી માહિતી પૂરી પડાય છે. અને એવી માહિતી પ્રમાણભૂત માનનારા માણસો ગોથું ખાઈ જાય છે, સપડાઈ ૫૭ જાય છે.
ગુપ્ત માહિતી મેળવવા માટે સારા માણસને પણ વશ કરનારી જે બાબતે છે તેમાં ધનપ્રાપ્તિ, વ્યસન અનુસાર મોટા મોજશેખ, રૂપાળી સ્ત્રીઓ સાથેના ભોગવિલાસ વગેરેને ગણાવી શકાય. શરૂઆત એકદમ મોટી બાબતથી " થતી નથી. આરંભમાં માત્ર દસ્તી કેળવાય છે, ભેટસોગાદ
અપાય છે, પાટીઓ થાય છે અને બદલામાં માત્ર નકામી શુદ્ર માહિતી મેળવવા અંગે વાતચીત થાય છે. પછી માણસ જે લપટાય છે, ફસાય છે તે મોટી ગુપ્ત માહિતી 'કમે ક્રમે ગણતરીપૂર્વક મેળવાય છે. મોટા ગુપ્તચર એટલા . હેશિયાર છે કે તમે એના પાંજરામાં કયારે પુરાઈ ગયા છે તેની ઘણુ લાંબા વખત સુધી તમને ખબર પડતી નથી અને
ખબર પડે છે ત્યારે તેમાંથી બહાર નીકળવા માટે કે તે * માર્ગ હેતે નથી, કાં તો હિંમત હોતી નથી. તરત હત્યા કરી નાખવા સુધીની નિંદયતા દાખવતાં ગુપ્તચરે જરા પણ અચકાતા નથી.
કેટલાક બદમાશ માણસે જેમ ધમ આચરતા હોવાને * વધુ પડતા દેખાવ કરે છે તેમ જાસુસીનું કામ કરનાર કેટલાક
માણસે રાષ્ટ્રભકત હવાને વધુ પડતે દેખાવ કરે છે. એમ કહેવાય છે કે થોડા સમય પહેલાં સેવિયેટ યુર્નિયનને માહિતી પૂરી પાડવા માટે પકડાયેલા કેટલાક અમેરિકન એ પિતાપિતાના વિસ્તારના લોકોમાં સૌથી મોટા વફાદાર રાષ્ટ્રભકત હવાની છાપ ઉભી કરી હતી.
પિતાના રાજ્યમાં અન્યાય પામેલી કે સત્તાધીશો દ્વારા . જાહેરમાં અપમાનિત થયેલી વ્યકિતની પિતાના રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી ઘટી જાય છે. એવા માણસે વેરને બદલો લેવા મોટું અપકૃત્ય કરતાં પણ અચકાતા નથી. દુઃખમાં દાઝેલા
માણસને આશ્રય આપવા પાડોશી રાષ્ટ્રો હમેશાં તત્પર હોય ;' છે અને આવી પરિસ્થિતિમાં સૌથી વધુ લાભ ઉઠાવાય છે.
ભારત બહાર વસતા કેટલાક શીખોને ત્યાંની સરકારે . એટલા જ માટે પંપાળે છે. " પિતાના રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ અને વફાદારી જેટલે અંશે
વધુ કેળવી શકાય એટલે અંશે ગુપ્ત માહિતી બહાર જવાને ' ભય ઓછો. જે રાષ્ટ્રના તમામ નાગરિકે પૂરેપૂરા વફાદાર
હોય એ રાષ્ટ્રમાં ગમે તેટલા જાસૂસો આવે તે પણ ફાવી શકે પરંતુ આવી સ્થિતિ સામાન્ય રીતે ઓછી સંભવિત છે,
કારણ કે મનુષ્યનું મન ચંચલ છે અને કયા પ્રલોભનથી તે ખેંચાઈ જશે તે પહેલેથી કહી શકાય નહીં.
કોઈ પણ દેશમાં સરકારી અમલદારો દ્વારા કે અન્ય ઉચ્ચ સત્તાધીશો દ્વારા પ્રજાની કનડગત વધુ પડતી થવા લાગે ત્યારે લેકેને પ્રથમ સરકારી વર્ગ પ્રત્યે અભાવ થવા લાગે.
એવી પરિંરથતિમાં કંઇક તક મળતાં દેશદ્રોહનાં બીજ વવાય છે. વિરોધી સત્તાઓ આવી સ્થતિમાં લાભ ઉઠાવે છે. તેઓ સરકારથી ત્રાસેલી વ્યકિતઓનાં હૃદય ધન દ્વારા કે આએ આપવાનું વચન દ્વારા જીતી લે છે. તેમની એ મોહજાળમાં આવા દાઝેલા નાગરિકે ફસાય છે.
જૂના વખતમાં જાસુસીની પ્રવૃત્તિ ઘણું ખરું પડેશી રાજ્ય પુરતી મર્યાદિત રહેતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી ઝડપી વિમાની વ્યવહારને કારણે એક દેશમાંથી બીજા દેશમાં માણસની અવરજવર પુષ્કળ વધી જતાં આવી પ્રવૃત્તિને વ્યાપ વધી રહ્યો છે. વિદ્યાભ્યાસ, વેપાર, આરોગ્ય, પ્રવાસ, નેકરી વગેરેને કારણે પોતાના દેશની બહાર જવાની, સરહદ ઓળંગવાની પ્રવૃત્તિ પ્રતિદિન વધતી ચાલી છે , સરકારી કે મટિનેશનલ કંપનીઓની નોકરી, વેપાર-ઉદ્યમ કે અન્ય કારણે બીજું રાષ્ટ્રમાં લાંબા વર્ષને વસવાટ પહ પુષ્કળ વધી ગયા છે. એવા વસવાટને કારણે પણ પિતાની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ કેમે કમે ઓસરે જાય એવધા સંભાવના રહે છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, જપાન, આર્દિક અથવા યુરોપમાં જઈને ઘણું ભારતીય લોકો વસેલા છે. સમય જતાં કેટલાકે ત્યાંનું નાગરિકત્વ પણ સ્વીકાર્યું છે: આવા લેકેની વફાદારી બે રાષ્ટ્રો વચ્ચે વહેંચાઈ જાય છે. કેટલાક કિંસાઓમાં તે કોઈના ય પ્રત્યે વફાદારીને ભાવ તેમનામાં જણાતું નથી. ભારતની જેમ બીજા દેશના નાગરિકોની બાબતમાં પણ બની રહ્યું છે. પિતાને જન્મભૂમિ-માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને વફાદારીનું પ્રમાણ દુનિયાના આવા ઘણા લોકોમાં પહેલાંના જેવું રહ્યું નથી.
રાષ્ટ્રની સર્વોચ્ચ વ્યકિતઓ વચ્ચે સત્તા માટે જ્યારે મોટું ઘર્ષણ જન્મે છે ત્યારે ન ફાવેલી વ્યકિતને પિતાના જાનને. ભય રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વિરોધી વ્યકિતને ખતમ કરી નાખવાની કુટિલ રાજનીર્તિ દુનિયાના ઘણા દેશમાં, વિશેષતઃ સરમુખત્યારી દેશમાં પ્રવર્તે છે. આથી એક વખત સર્વોચ્ચ સ્થાને બેલી પરંતુ પછીથી પરાજિત થયેલી વ્યક્તિઓ પિતાને દેશ છોડી બીજ કોઈ દેશનો આશ્રય લઈ ત્યાં કાયમને વસવાટ કરે છે. પિતાના મોભા અનુસાર વસવાટ કરવા માટે પુષ્કળ નાણું જોઈએ એટલે દુનિયાના ઘણા સત્તાધીશ એની પહેલેથી જોગવાઈ કરી રાખે છે. આ એક પ્રકારની રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ છે.
કેટલીક બેન્ક અને સરકાર તરફથી બીજા દેશોની આવી, રાષ્ટ્રદ્રોહી પ્રવૃતિને પ્રોત્સાહન મળતું હોવાનું કહેવાય છે.
સ્વાર્થી બનેલો માણસ પોતાના રાષ્ટ્રને કેટલું નુકસાન પહોંચે છે તેનું નહીં પરંતુ પિતાને અંગત રીતે કેટલું લાભ થાય છે. તેને જ વિચાર કરે છે. વેપારધંધામાં આવી’ મનવૃત્તિ ઘણા દેશોમાં સામાન્ય બનતી જાય છે. આ એક પ્રચારને રાષ્ટ્રદ્રોહ છે.
(અનુસંધાન પૃષ્ઠ ૨૧૧ ઉપર).