SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૮૫ સુદામાના તાંદુળ અને વિદુરજીની ભાજી ખાઇ શકે છે, ગામ બહાર મોકલાતા માખણુ પર દાણુ માગે છે, કારણ કે ગામના લાકા તેનાથી વંચિત રહે તે તેમને મંજૂર . નથી. ગરીમાને પાષાતી ચીજોને કૃષ્ણે આમ પુરસ્કાર કર્યાં છે. શ્રી રામ મર્યાદાપુરુષોત્તમ હતા તે સિદ્ધાંતને અનુસરતા; જ્યારે શ્રીકૃષ્ણ પણ પુરુષોત્તમ હતા. તેઓ જે આચરે તે તે સિદ્ધાંત બની જતા. પ્રયુદ્ધ જીવન છઠ્ઠા દિવસના પહેલા વ્યાખ્યાન ધમ : માનવતા કે વિકાસકા સાધન વિશે ખાલતાં વકતા ડૅ. શેખરચદ્ર જેતે જણાવ્યું હતું કે ધર્મ હમેશાં માનવતા સાથે જોડાયેલા છે. સ્થૂળ તે જડપણે ક્રિયાકાંડ આચરવા એ ધમ નથી- ક્રિયાના મને સમજીને આચરવાથી જ આચરણ સાથે થાય. ક્ષમા, નિરાભિમાન, નિષ્ફળતા, સત્ય વચનની ભાવના, વ્રતનિયમ, તપ-ત્યાગ વગેરે મળીને ધમ બન્યા છે. ખીજા વકતા હતા ડૉ. ચી. ના. પટેલ ધર્મશ્રદ્ધાની કટાકટી' વિષય પર ખેાલતાં એમણે જણાવ્યું હતું કે ધમ શ્રધ્ધાની કટોકટી આજે તીવ્રપણે અનુભવાઇ રહી છે. સેક હજારો વર્ષ પૂર્વે ધમ માં જે આસ્થા હતી તેનાં દર્શન આજે ઉત્તરશત્તર દુર્લભ બની રહ્યાં છે. ટી. એસ. એલિયટે વેસ્ટ લેન્ડ' (મરુભૂમિ) નામક કાવ્યમાં લખ્યા મુજબ આજે શૂન્યતા, નિવે*, વેરઝેર, પ્રેમના અભાવ વગેરે વ્યાપી રહ્યાની લાગણી અનુભવાય છે. અમેરિકાએ સામ્યવાદના વિધમાં સૂત્ર આપ્યું હતું કે મેટર ડેડ ધેન રેડ (સામ્યવાદી થવા કરતાં મરી જવું સારું) પરંતુ ઇતિહાસકાર અîલ્ડ ટાયન્સીએ કહ્યુ હતુ કે ખેટર રેડ પેન ડેડ. જીવતા નર ભદ્રા પામે–જો જીવતા રહીશુ તે શય છે કે સામ્યવાદનાં દૂષણે આગળ જતાં નાબૂદ્ર પણ થાય. સાતમા દિવસે પ્રથમ વ્યાખ્યાતા શ્રી વસતભાઇ ખાખાણીએ ધાર્મિક જીવનનું અધિષ્ઠાન ત્યાગ અને વૈરાગ્ય ઉપર ખેાલતાં કહ્યું હતુ` કે ભતૃહરિએ કહ્યું છે કે સંસારમાં બધી જ વસ્તુઓ ગુમાવવાનો ભય હોય છે, જીવનને મૃત્યુને ભય હોય છે પણ એક વૈરાગ્ય જ અભય છે. ભારતની આર્થિક સંસ્કૃતિ કૃષિપ્રધાન છે તે આત્મિક સંસ્કૃતિ ઋષિ પ્રધાન છે. ભારતભૂમિમાં ત્યાગને જીવનના આદશ ગણવામાં આવ્યા છે. ચાણકયે પોતાનું સાદું નિવાસસ્થાન ગંગાના કિનારે વસાવ્યું હતું. સ્વાતન્ય પ્રાપ્તિ પછી ગાંધીજીએ" રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાને ખલે દિલ્હીની હરિજન કાલાનીમાં રહેવું પ્રસ યુ" હતુ. ત્યાગ એ સંસ્કૃતિનું પ્રાણતત્ત્વ છે; ધમ ના ધારીમાળ છે વસ્તુ પ્રત્યે વિધેયાત્મક રીતે ઉદાસીન અના, ઉપલબ્ધિ છતાં તેના પ્રત્યે મેહભાવ ન રાખેા એ જ સાયા ત્યાગ. ખીજા વકતા હતા પૂ. મુનિશ્રી નિત્યાનવિજયજી, ‘સાધ નાકા માયાડ સમતા' એ વિષય પર ખેાલતાં તેમણે જણાવ્યું હતું કે માન-અપમાન, નિંદા-સ્તુતિ, ઉપાસના—ઉપહાસ જેવા દો' વચ્ચે સમતા, સમભાવ કેળવવાથી જ આપણી માનવતા સાક બને છે. ચિત્તને સમતલ રાખવાથી કમ'થી આબદ્ધ નથી બનાતું. સમતા છેડી, મમતા અને વિષમતા ગ્રહણ કરીએ તે આપણે સાધનામાગમાં પાછળ પડીએ છીએ. વ્યાખ્યાનમાળાના છેલ્લા દિવસે પ્રથમ વ્યાખ્યાન ધર્મનુ મૂળ વિનય' એ વિષય ઉપર ખોલતાં વ્યાખ્યાતા પ્રા. તારાબહેન ૨. શાહે જણાવ્યું હતું કે જેમાં કમ'નુ' વિનયન એટલે ૐ શુદ્ધિકરણ થાય તે વિનય. વિનય એક પ્રકારનું તપ છે. ૧૫ વિનયથી જાગૃતિ આવે, જ્ઞાન મળે અને ચારિત્ર્યશુદ્ધિ થતાં ક્રમે ક્રમે મેક્ષ મળે છે. કૂવામાંથી પાણી કાઢવા માટે ઉતારવામાં આવતા બ્રા જો સીધા રાખશુ. તે તેમાં પાણી દાખલ નહીં થાય પણ જો તેને સહેજ વાળવામાં આવશે તે જ તેમાં પાણી ભરાશે. પગરખાં ક્રમ સીવવાં તે એક મેચી પાસેથી શીખતી વેળા ગાંધીજી પોતે નીચે ખેસીને માચાને શેડા ઊંચા આસને ખેસાડયા હતા. અત્યારે આ મેચી મારા ગુરુ છે.' એવા બાપુના જ્વાબમાં તેમની નમ્રતા, તેમના વિનય જણાય છે. વિનયથી વિદ્યા આવે છે, શોભે છે અને સાક થાય છે, લકે તેમાં વૃદ્ધિ થાય છે. નમે તે પ્રભુને ગમે એ ન્યાયે જીવનમાં વિનયનુ સ્થાન અનેર' છે. ખીજા વકતા હતા પૂ. મોરારીબાપુ, તેમના વિષય હતા. રામાયણમાં ભક્તિના મહિમા' તેમણે કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઇ શકે છે. પણ ભક્તિ કદી વૃદ્ધ થતી નથી. શખરી, મીરાં, રાધા-ભકિતનાં આ સૌ પ્રતીકા નિત્ય યુવાન જ જોવા મળે છે. ભકિત હશે ત્યાં મન અને નયન દેવ જાગૃત રહેશે. ભકિતના શુદ્ધ આચરણ સારુ પાસેનું ધન બને તેટલુ" ઘટાડતા જાઓ, તન મધ્યમ રાખા, પણ મનને હંમેશાં મેહુ એટલે કે ખૂલ્લું' રાખે.. વ્યાખ્યાનમાળાના અંડેય દિવસ પ્રમુખપદની વામદારી ડૉ. રમણભાઇ શાહે સભાળ હતી. સમગ્ર વ્યાખ્યાનમાળા દરમિયાન દરરોજ પહેલા વ્યાખ્યાનના પ્રારભ થતાં પહેલાં આમત્રિત વિવિધ ભજનિક બહેને એ પાતાના ભાવવાહી રવાથી શ્રેતાઓને ભકિતરસના સત્સંગ કરાવ્યા હતા. શ્રીમતી ખેરાજ ચેટરજી, ગે પીબહેન ઉપાધ્યાય, વીણાબહેન મહેતા, કાકીલાખહેન વકાણી, શૅભાખહેન સંધવી, ચંદ્રાખહેન ગ્રાડારી, શ્રીમતી આરતીબહેન તથા નિમ ળભાઇ, સાનાલીબહેન જાલેટા, આ સૌ ભજનિકાએ ભક્તિસંગીત પીરસ્યુ હતું. 9 સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ વ્યાખ્યાન સંધ'ના ઉપક્રમે સરદાર વલ્લભભાઇ પંટેલની ૧૨૧ મી જન્મ જયંતી નિમિત્તે નીચે મુજબના કાયક્રમ રાખવામાં આવ્યો છે. વિષય : સરદાર વલ્લભભાઇ પટેલ ભારતની એકતાના વિધાતા વ્યાખ્યાતા : શ્રી અટલ બિહારી બાજપાઈ પ્રમુખ : શ્રી અમર જરીવાલા સ્થળ : વાલ હીરાચંદ સભાગૃહ, ઇન્ડિયન મરચન્ટ ચેમ્બસ', ચર્ચગેટ, મુંબઈ-૪૦૦ ૦૨૦ સમય : ગુરુવાર, તા. ૩૧-૧૦-૮૫ સાંજના ૬-૦૦ કલાક ક્રાંતિવીશના ચિત્રનું પ્રદેશન તા. ૩૧ મી ઓકટાબર અને તા. ૧, ૨ અને ૩જી નવેમ્બર, ૧૯૮૫ના રોજ ઇન્ડિયન મરચન્ટ ચેમ્બસના બીજે માળે ભારતના ક્રાંતિવીશનુ એક ચિત્ર પ્રક્શન જરા યાદ કરા કુરબાની' યોજવામાં આવ્યું છે, જેનું ઉદ્ધાટન શ્રી અટલ બિહારી બાજપાઈ કરશે. આ ચિત્ર-પ્રદર્શનના સમય દરરાજ સાંજના ૪-૦૦ થી ૮-૦૦ સુધીને રહેશે. રસ ધરાવતાં ભાઈબહેનને તેના લાભ લેવા વિનંતી. રમણલાલ ચી. શાહ પ્રમુખ ચીમનલાલ જે. શાહે ઉપપ્રમુખ .. કે. પી. શાહ પન્નાલાલ-૨. શાહુ મ મત્રી ન
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy