SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત જીવન તા. ૧-૧-૮૫ સંઘમાં કલાઈને ધંધે, શસ્ત્રોત્પાદનને ધંધે, બુદ્ધના અનુયાયી માટે વર્યા હતા.” આ વાકય મૂકીને પછીથી, પૂર્ણચંદ્રજીના પાત્રના મેંમાં બૌદ્ધ સંઘનું અહીં ઉદાહરણ ઉચ્ચારણ ન હોય; સંસારદ્રવ્ય મલિન છે એટલે તે દાન કરવું પડે છે પણ આવા સવાલ થાય છે તે જમાનાની તાસીર છે.-આ જવાબ મૂકીને, “પૂર્ણચંદ્રજી જેવા જૈનાચાર્ય બૌદ્ધ કે ઈતર ધર્મ પ્રત્યે કેટલાં બધા અસહિષ્ણુ છે કે તેનું નામ પણ તે સહન કરી શકતા નથી ? એવું, તથા “સ્વરૂપચંદના દેશદ્રોહી ધંધા અંગે પિતે જાણ હોવા છતાં, પિતાની કીર્તિ કે પ્રતિષ્ઠાને ખાતર તેને થાબડે છે.—એવું દર્શાવવાનો જ લેખકે પ્રયત્ન નથી કર્યો? . જૈન ધર્મ પ્રમાણે, પાંચ કર્મ, પાંચ વાણિજય અને પાંચ સામાન્ય એસ પંદર કર્માદાન, જૈન શ્રાવકને માટે નિષિદ્ધ છે એવું જ લેખક જાણતા હોત તે, બૌદ્ધ ધર્મની પ્રણાલિકાની - વાત લાવીને તે પ્રત્યે જૈનાચાર્યની અસહિષ્ણુતા વ્યકત કરાવવાનું સહેજે ટાળી શકાય છે. વળી, પિતાના પૈસે ઉપધાન તપ (જૈન ધર્મની એક વિશિષ્ટ ક્રિયાત્મક સાધના) કરાવનાર શ્રાવકને, તે પત્યા પછી, જો તમે હવે ધંધો કરે તે જેટલો ખર્ચ થયો છે તેથી બમણું મેળવવા માટે કાળાધોળાં કર્યા વિના ન રહે, માટે બે વર્ષ સુધી તમારે ન કોઈ ધંધે જ નહિ કરવાનો એ નિયમ આપનાર જૈનાચાર્યોની વાતેથી લેખક પરિચિત હોત, તે સ્વરૂપચંદ દારૂગોળાને દેશદ્રોહી ધંધે કરી, પૈસા કમાઈને, તે પૈસે સંધ કાઢે, ને આચાર્ય તેને જાણવા છતાં બળ આપે, એવી નાલેશીભરી વાતો લેખકે ન લખી હત, અથવા લખવાથી બચી શકયા હોત. તેમાં કે આ પ્રસંગને આ ફકરે: “પણું શીલભદ્રજીની ઈચ્છા પ્રમાણે થયું નહિ. મેટા મહારાજે કહી દીધું કે સિદ્ધાચલના દર્શને નીકળેલ સંધપતિ કહે તેટલી જ વાત આ સંઘમાં ચચી શકાય; અમારો ધર્મ કાપાકાપીનું સમર્થન ન કરી શકે, પણ શ્રાવક અને સાધુના ધર્મો જુદા છે, સાધુ અનર્થમાં અનમેદન પણ ન આપી શકે, શ્રાવક માટે અનમેદનને બાધ છે પણ તે ક્ષમાપનાથી ટળી જાય. યુદ્ધો તે થતાં આવ્યાં છે કે જયાં સુધી રાગ-દોષ છે. ત્યાં સુધી થયા કરશે. એ વખતે અનાજ, પાણી, દવાદારૂ, શ્રાવકે પિતતાના વ્યવસાયે કરીને આપે, શસ્ત્રો પણ આત્મરક્ષણ માટે કેકવાર આપે; હા, પ્રાયશ્ચિત્ત તે કરવું પડેએટલે તે પ્રતિક્રમણ છે.-આમાં શ્રીપૂર્ણચંદ્રક જેવા એક જૈનાચાયનું માનસ કેટલું દંભી, ધીઠ નિકૃષ્ટ અને વિકૃત' નિરૂપ્યું છે? શું આ બધું લેખકના મનમાં પ્રવતતા પૂર્વગ્રહની નીપજ નથી ? . ૫. તા. ૨૫-૧૧-૮ ના હપ્તામાં (પ્ર. ૭) ઢોરોનાં મૃત્યુનાં કારણ મનાતાં હરિજનોને મારવા ગયેલા સવને રોકવા ગયેલી રેખા અને બે નવી સાજવીઓને ઠપકે આપતાં અને પ્રાયશ્ચિત કરાવતાં લતાશ્રીજનું પાત્ર અને આ આખીયે ઘટના દ્વારા, જૈન ધર્મનાં સાધુ-સાધ્વીઓ કેવા વ્યવહાર-બાહ્ય કે વ્યવહારજડ છે, તેમ જ તેમની અહિંસા કેવી પિકળ/પાંગળો છે કે કીડી-મકેડીને બચાવે ને માણસને મારવા દે-આવું દર્શાવવા સિવાય બીજો શે. આશય હોઈ શકે લેખકને ? જૈન સાધુ - સાધ્વીઓની આચાર-મર્યાદા અને તેને લગતા વિધિ - નિષેધ તથા કેવી પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું - તે બધાથી છેક જ અજ્ઞાન એવા લેખકે જૈન સાધ્વીઓનું. આવી મનઘડત અને વિકૃત અસર ઉપજાવનાર પાત્રચિત્રણ કે પ્રસંગોલેખન તે કયુહેત તો ચાલત, વસ્તુત: રેખાના મનને દીક્ષાથી ઉભરાવવા માટે લેખકે આવું આલેખન કર્યા વિના ચાલે તેમ ન હતું, એ જ આનું ફલિત છે. ૬. આ જ ઘટનાના અનુસંધાનમાં, તા. ૨–૧૨-૮૪ ના હપ્તામાં (પ્ર. ૮) રેખા અને આચાર્ય સમુદ્રવિજયજી વચ્ચે થયેલે સંવાદ છે. આમાં કરેલાં વિધાન : (૧) “તું ન ગઈ હોત અને માને કે ગામલોકોએ તેમને વાસ બાળી નાખ્યો હોત તે બધી સાધ્વીજીઓ લંકાકાંડ જોયા કરત. સમુદ્રવિજયજી). (૨) તેઓ માનત કે-કમના પ્રવાહમાં જે બનવાનું હોય તે બને જ છે. એમનાં કમ એમને નડયાં.” (રેખા). (૩) (રેખા: “સાવધ તે રહેવું જોઈએ ને, જીવ જંતુને ય ઈજા ન પહુંચે તેમ ચાલવા-બેસવાબોલવાની આજ્ઞા છે આપ ભગવંતની. એના જવાબમાં સમુદ્રવિજયજી: ) “હા, પણ જે જીવજંતુ હરિજન ન હોય તે, એમ માનવું ને? (૪) ‘વારુ ઉપાશ્રયમાં લેગના ઉંદરે હોય તે આગ લગાડવી જોઈએ કે નહિ ?” (સમુદ્રવિજયજી) – આ બધાં વિધાને જૈન ધર્મ અને જૈન સાધુઓ પ્રત્યે ગેરસમજ જમાવવા માટે જ, તે પણ જૈનધમી પાત્રોનાં મોમાં જ મૂકીને લેખકે શું હાંસલ કર્યું હશે ? વિડંબના તે એ છે કે ગાંધીજી કાંઈ ફરતું ફરતું બેલે છે? આ દુનિયા ફરતી બંધ થાય તે ય ગાંધીજી ફરતું ન બોલે” (સમુદ્રવિજ્યજી મ. ૭); આમ ગાંધીજી પર આવી અટલ આસ્થા દાખવનાર અને કર્મવાદના વિચાર વખતે ‘હેગલ જેવા જર્મન તત્ત્વજ્ઞાનીને હવાલે આપવા દ્વારા તેની વાતમાં વિશ્વાસ વ્યકત કરનારા આ જૈનાચાર્ય, મહાવીર સ્વામીના કર્મવાનું અર્થઘટન, તેમની ફિલસૂફી પ્રમાણે કરી શક્તા નથી, અને રેખાના મનનું ને પિતાનું પણ કદાચ સમાધાન સાધી શકતા નથી. હકીકતમાં તેઓ બન્ને પાત્રો--જેવો છે છે તેવો સાર મહાવીર સ્વામીની પદ્ધતિમાંથી પણ પામી શકયા હોત. અને એમ થયું હોત તે લેખકે મહાવીર સ્વામીના તત્ત્વજ્ઞાનને ન્યાય પણ આ ગણત. એને બદલે આ પ્રકરણમાંની કમવાદની ઢંગધડા વિનાની વાતે, તે પાત્રોના મેમાં મૂકીને, લેખક શું નિરૂપવા કે સિદ્ધ કરવા જાય છે તે સંદિગ્ધ બની રહે છે. ૭. તા. ૯-૧-૮૪ ના હપ્તામાં (પ્ર. ૯) મહારાજશ્રી અને અને ડે. અય્યતન સંવાદ, પ્રસ્તુત પ્રસંગમાં તદ્દન અપ્રાસગિક છે, એટલું જ નહિ, પણ “આવા પ્રસંગેય આવી ફિલસૂફી હાંકનારા જૈનાચાર્ય કેટલા જડ કેટલા અણધડ છે!' એવી છાપ પણ ઉપસાવે છે. જૈન સાધુ માટે લેખકને મનોગત પૂર્વગ્રહ અચુતના પાત્ર દ્વારા, એટલે કે અચુતના શબ્દો તથા વિચારો દ્વારા બરાબર પ્રગટતે જાય છે, અને એના જવાબમાં તથા પ્રત્યાઘાતમાં મહારાજશ્રીના મનમાં પ્રગટેલા વિચારે છે તેમણે ઉચ્ચારેલા શબ્દો થકી એ પૂર્વગ્રહ દૃઢ થતા જાય છે. વસ્તુત: અહી કેવળ તબિયત પૂરતું જ સંવાદ કરી શકાયો હોત, અને અચુતના મનમાં ઊગતી શંકાઓ પરત્વે કરવાની ચર્ચા અંગે ડોકટર અને મહારાજશ્રી વરચે અલગ મુલાકાત ગોઠવી શકાઈ હેત; એમાં મહારાજશ્રી નિખાલસ ચિતે પિતાની થીયરી વ્યક્ત કરે અને તેમ છતાં તે અચુતને ગળે ન ઊતરે, અને છતાં તેના મનમાં અનાદર કે પૂર્વગ્રહ તે ન જ જાગે કે ન જ વધે, આવી સ્થિતિ અહીં સજી શકાઈ હોત. ; -
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy