________________
૧૦૬
પ્રહ જીવન
તા૧ ૧૦-૮૫
હોય તે ખબર આપે. બીજે દિવસે મામા જાતે જ અમારું ઘરે ' ખેળતા આવી પહોંચ્યા. પણ અમને ભાઈ બાબુ વિશે કશી માહિતી ' નહતી. મેં આવા પ્રસંગે છાપામાં આવે છે એમ એક જાહેરખબર
આપી જે બીજે દિવસે છપાઈ. ભાઈ બાબુએ ઘર નહોતું છેડયું પણ કોઈને કહ્યા વિના તે અમદાવાદ આવ્યા હતા. એક દિવસ કોઈ પરિચિતને ત્યાં રહી બીજે દિવસે સવારે (છાપામાં જાહેરખબર આવી હતી તે વાંચ્યા વિના) હાથ હલાવતા અમારા ઘેર આવ્યા. પત્નીએ તેમને દૂરથી જોયા. એ પહેલાં એમણે કોઈ દિવસ એ મિત્રને જોયા નહોતા, પણ તેઓ સમજી ગયા કે આગલે દિવસ અંકલેશ્વરથી મામા જેમની તપાસ કરવા આવ્યા હતા તે આ જ ભાઈ બાબુ. હું ઉપર મેડા ઉપરબેઠે હતે. દાદર ઉપર ડાં પગથિયાં ચઢી તેમણે મને ખુશ. ખબર આપ્યા, અને ભાઈ બાબુને ઉપર મોકલી દાદરના બારણાની બહારની સાંકળ વાસી દીધી, રખે ને હાથમાં આવેલા ભાઈબાબુ ફરી નાસી જાય ! ભાઈ બાબુ પંદરેક દિવસ અમારે ત્યાં રહ્યા, અને મારા હતા તેવા જ, અથવા કહું તે તે કરતાંય વધુ, પત્નીના મિત્ર બની ગયા. હજુ પણ ભાઈ બાબુ કયારેક અમદાવાદ આવે છે ત્યારે તે, પત્ની ને પુત્રી, ત્રણ બાળકની જેમ એકબીજા સાથે વાત કરતાં આનંદ કરે છે. અને હું મૂંગે, મંગ મારી રૂમમાંથી તે સાંભળ્યું કરું છું, કયારેક ચિડાઉં છું ખરે. પણ ઢિળી ગુરથને !
લગ્નજીવનની સફળતાના આવા દુન્યવી લોભની સાથે મારક શરીરની નિર્બળતાએ મને આધ્યાત્મિક ગણી શકાય એ લાજ પણ કરાવ્યું છે. તેની વાત હવે પછીના હપ્તામાં લખીશ.
આગ્રહ કરે છે ત્યારે પાએક કલાક તેમની આનંદ-કિકિયારી
થી આખું ઘર ગાજી ઊઠે છે તે સાંભળી કોઈ આગંતુકને ઘરને વડીલ વર્ષોથી પીડા મટે ભાગે પથારીમાં સૂતે જીવે. છે એ માન્યામાં નહિ આવે. આને મેં મારી વૃદ્ધાવસ્થાનું મેટામાં મેટું સદભાગ્ય માન્યું છે. મારા શરીરની નિર્બળતાએ તે મને અપાવ્યું." , પત્નીને જીવનરસ વહેતો રહ્યો તેનું વ્યાવહારિક દષ્ટિએ એક બીજંપણ સુખદ પરિણામ આવ્યું છે. મને હમેશાં મિત્ર ને મહેમાને આવતાં જતાં રહે એ ગમ્યું છે અને હજય ગમે છે. આ બાબતમાં પત્ની મારાં સાચાં સહધર્મચારિણી રહ્યાં છે. મને ગમે છે તે કરતાંય તેમને મિત્ર ને મહેમાન–તેમનાં ને મારાં બંનેનાં- વધુ ગમે છે. અને જે કઈ દિવસ કે તને ગમે તે સમયે, આવે તેને ઉમળકથી સત્કાર કરે છે, અને આવનાર પીતાં હોય. તે આગ્રહ કરીને ચહા કે શરબત આપે છે. કોઈ મિત્ર કે મહેમાન અનિચ્છા બતાવે તે કહે, લે. તમારા નિમિત્તે મનેય મળશે. તમને ચાહાને સ્વાદ મેં લગાડે હ, પણ પછી તે મારા કરતાં આગળ વધી ગયાં.) આ બાબતમાં તેમના સહકારને એક પ્રસંગ મને બહુ યાત રહ્યો છે (એમને યાદ છે કે કેમ તે નથી જાણતે). હું ગુજરાત કોલેજમાં હતા તે વર્ષો દરમિયાન (૧૯૪૯ થી ૧૯૫૫ના ગાળામાં) એક દિવસ શિયાળાની રાત્રે એક મિત્ર બનનાં સુધી કોલેજમાં ઈતિહાસ ને અર્થશાસ્ત્રના અધ્યાપક ડી. એસ. નામજોગી, જેઓ હવે મુંબઈ (વાંદરા) રહે છે અને જેમને હું જ્યારે જ્યારે મુંબઈ જાઉં છું ત્યારે અચુક મળું છું:) દશ વાગે ફરવા નીકળ્યા. બે વાગ્યા સુધી કર્યાને ઠંડીથી થીજી ગયા. ટાં પડતાં પહેલાં મિત્રને હું ઘરમાં લઈ ગયો અને પત્નીને ઊંધમાંથી ઊઠાડી ચહા બનાવવાનું કહ્યું. મને આ ' તદ્ન પટેલશાહી આપખુદી લાગે, પણ હું પત્નીને સ્વભાવ હું જાણતો હતો અને મને વિશ્વાસ હતો કે એમને સહેજ પણ રંજ નહિ થાય. એ વર્ષોમાં ગેસ અમદાવાદ સુધી નહોતે આગે (તે આવ્યું તે પછીય અમારા ઘેર દશ વર્ષે આવ્ય). પનીએ રાજીખુશીથી કેસીન રુવે ઉપર ચા બનાવી આપી.
જાણતા નથી, પણ ચેકકસ માનું છું કે તેમણેય પીધી હશે. તેમનું આ સ્વભાવને કારણે મારા બધા મિત્ર (અથવા બધાં મિત્રો તેમનાથી ખુશ રહે છે. કોલેજમાંથી કઈ બહેને આવતી, અને હજુ કેઈ આવે છે, તેમની સાથે ભળી જવા તે આતુર રહે છે. કોલેજનાં વર્ષોમાં એવી ત્રણ બહેને સાથે એમણે જીવનભરનાં બહેનપણાં કરી દીધાં જે હજુ ચાલુ છે. થોડાં વર્ષ ઉપર ભાવનગરથી દક્ષા પટ્ટણી આવતાં થયાં તેમને સ્વજન બનાવી દીધો છે. ર મિત્રને આવકારવાને એક રમૂજી પ્રસંગ પત્ની, હું અને મિત્ર ત્રણે માટે કાયમની રકૃતિ બની રહ્યો છે. સને ૧૯૩૪૩૬નાં વર્ષોમાં હું પિતા સાથે અંકલેશ્વર રહ્યો (પિતા ત્યાં મામલતદાર હતા, તે દરમિયાન અમે ચારેક માસ એક મકાનમાં ભાડે રહ્યાં તેના માલિકના સુપુત્ર શ્રી કનૈયાલાલ જોશી મારા મિત્ર બની ગયા હતા. (અને હજ ય છે. અમે જયારે મુંબઈ જઈએ છીએ ત્યારે ગ્રાંટ રોડ સ્ટેશન પાસે ગણેશ પ્રાસાદમાં તેમના . ફલેટમાં ઊતરીએ છીએ.) ૧૯૪૧ની સાલમાં અમે મારા વતન અસારવામાં રહેતાં હતાં ત્યારે એક દિવસ રાત્રે મિત્રના મામાને તાર આવ્ય, બાબુ ઘર છેડીને જતો રહ્યો છે, તમારે ત્યાં આવ્યા
અધ્યાત્મ વર્ગ
સંઘ' તરફથી શનિવાર, તા. ૫ મી ઓકટોબર ૧૯૮૫ થી અધ્યાત્મ વગ શરૂ કરવામાં આવનાર છે. અધ્યાપ. તરીકે તત્ત્વચિંતક શ્રી પન્નાલાલ જગજીવન ગાંધી માના સેવા આપનાર છે. વગ નીચે પ્રમાણે રહેશે. આ * દર શનિવારે બપોરે ૪-૦૦ થી ૫ સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગ્રહ
૩૮૫, સરદાર વી. પી. રેડ, રસધારા કે. એ. હાઉસીંગ સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની
સામે, મુંબઈ ૪૦૦ ૦૦૪. * દર ગુરુવારે રાતના ૮-૦૦ થી ૯-૦૦ સ્થળ: શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધીના
નિવાસસ્થાને ૩૦૬, શ્રીપાળનગર, જે. મહેતા રોડ,
મુંબઈ-૪૦૦૦૦ ૬. વિષય : દ્રવ્યાનુગ
જે સભ્ય આ અધ્યાત્મ વર્ગમાં જોડાવા ઈચ્છતા હોય તેમને પિતાનું નામ તથા કયા વગ'માં તેઓ જોડાવા ઈચ્છે છે તે વિષે “સંધ’ના કાર્યાલયમાં તા. ૪થી ઓકટોબર સુધીમાં લેખિત જણાવવા વિનંતી છે.
લિ. ભવદીય, તસણાબેન બિપિનભાઈ શાહ કે. પી. શાહ સંયોજક
- પન્નાલાલ ૨. શાહ
- મંત્રીઓ