SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બીલ ભારતી, આરિબ્રહ્મા, તીર્થકર તેત્ર, નિયમસાર , રીવ્ર, સમયસાર ટીકા વગેરે આટલું વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ ગ્રનિર્માણ. ઈ જૈન શ્રમણીએ, અને તે પશુ દિગંબર પરંપરામાં ભાગ્યે જ કર્યું હોવું જોઈએ પંચનિમણની જેમ જ તેમણે આજુબાજુનાં સ્વજનું તેમજ સમાગમમાં આવતા જનસમાજનું વ્યસનમુકિત અને સાચાર ઘડતર દ્વારા) જીવનનિર્માણ પણ કર્યું છે. સંસારાવસ્થાના તેમનાં અનેક ભાઈ-બહેનને તેમણે સાધક વિદ્વાન, વિદુપીએ અને આયિકાઓ બતાવ્યાં છે. શ્રી મોતીચંદ્રજી ન્યાયતીર્થ શ્રી રવીન્દ્રકુમાર જૈન શાસ્ત્રી જેવા શાંત, પરિશ્રમસભર, કમઠ કાયંકર્યા વિના આર્થિક જિનમતી જેવી શ્રમણીએ અને કુ અધુરી શાસ્ત્રી-માલતી શાસ્ત્રી જેવી બ્રહ્મચારિણી વિદુષીએ તેમના આ જીવન નિર્માણનાં સાક્ષી છે ઉદાહરણ છે. આવા અનેક વિને વિદુષીઓનું એક સારું એવું વૃ૬ તેમણે તેમની આજુબાજુ ઊભું કર્યું છે. આ સોની સહાયથી તેમણે તેમના અધ્યન, ચિંતન અને કલ્પનાના લેકને વર્ષોની જહેમત પછી ભારે સફળતાપૂર્વક સાકાર કર્યો છે. હસ્તિનાપુરના “જબૂદીપ’ ના નિમણુ દ્વારા આ માટે તેમણે ઈ. સ. ૧૯૭૨ માં સર્વપ્રથમ હસ્તિનાપુર–મેરઠમાં ‘દિગંબર જૈન ત્રિલેક શેધ સંસ્થાન” ની સ્થાપના કરવા પ્રેરણા કરી. આ શોધ સંસ્થાને ઉદ્દેશ છે જૈનસાહિત્યના ગણિતાનુયેય (કરણનુયોગ) ની વૈજ્ઞાનિક આજુ પર વિશેષ સંશોધન કરી ને પ્રકાશ પાડો અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતને પાપક પ્રચાર કરવો. ઉદ્દે શને પાર પાડવા જૈન શન-ખગોળ ભૂગોળ -ગણિતની મનતાનુસાર તેમણે ત્રિકવિજ્ઞાનને સાકાર કરતી, શની ઉભાવનાઓને મૂત રૂપ આપતી, “જબુદ્ધ'પ' અને મેરુ પર્વત (મે) ની, થથાસંભવ સૂક્ષ્મતાઓ સાથે, કરોડ રૂપિયાના વ્યય અને વોના પરિશ્રમ પછી એક દર્શનીય સંરચના, લઘુકૃતિ (ડેલ) હસ્તિનાપુરમાં ઊભી કરાવી. શાસ્ત્રોના જ્ઞાનને વિશેષ ‘સંસાધન માટે પથ્થર પર કંપવાનાં તેમને સુદીર્ઘ પુસ્થાર્થ લઈને ‘ઉપાદેય’ લાગે કે ન લાગે, ‘ય’–જાણવા જે તે સર્વને તે માટે અવશ્ય છે. . આ સ્થળ નિર્માણ પછી તેના પરના સંશોધન, ચિંતન, - વિચારણા માટે તેમણે બૃહદ્દજગત અને વિદ્વત્ જગતનું ધ્યાન કેન્દ્રિત કરવા ઉપયોગી આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર યે જાગ્યા, નારતભરમાં જંબુદ્વીપ ‘ જ્ઞાતિનું ભ્રમણ કરાવ્યું, જે હમણાં જ હસ્તિનાપુરમાં આવી પૂર્ણ થયું. - સંઘના નવા ઉપપ્રમુખ અને મંત્રી . “સંઘના ઉપ-પ્રમુખ શ્રી રસિકલાલ મ. ઝવેરીનું અવસાન કરવાથી તેમની ખાલી પડેલી જગ્યા પર શ્રી ચીમનલાલ જે. શાહની ઉપપ્રમુખ તરીકે અને શ્રી ચીમનલા જે. શાહની શપ-પ્રમુખ તરીકે વરણી થતાં તેમની ખાલી પડેલી જગ્યાએ * શ્રી પન્નાલાલ. ૨. શાહની મંત્રી તરીકે શનિવાર, તા. ૨૨-૬: ૧૯૮૫ના રોજ મળેલી “સંધની કાર્યવાહક સમિતિની સભામાં - સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ડો. રમણલાલ ચી. શાહ, - શ્રી એ. પી. શાહ અને શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ અનુક્રમે ‘સંઘના * પ્રમુખ, મત્રી અને કોષાધ્યક્ષ તરીકે ચાલુ રહ્યા છે. . • એ જ રીતે શ્રી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય અને • રતકાલયના ટ્રસ્ટીઓ તરીકે શ્રી કે. પી. શાહ અને શ્રી •. • પરીણભાઈ મંગળદાસ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. લિ. મંત્રીઓ તા. ૧-૭-૩ નરરત્ન મુરબ્બી શ્રી રસિકલાલભાઈ ઝવેરી ૦ ગણપત મ. ઝવેરી કેટલીક વ્યકિતઓ પિતાનાં વિશિષ્ટ વકતવ્ય અથવા લેખનથી શોભે છે. જયારે કોઈ કોઈ વ્યકિત પિતાના મૌનથી દીપે છે. મુ. શ્રી રસિકલાલભાઈ ઝવેરી આ બીજી કેટના માણસ હતા. ઓછામાં ઓછા શબ્દોને વ્યવહાર કરનારા તેઓ અ૫ભાષી હતા. એમનું મૌન એ જ એમની પ્રતિભા હતી. ઝવેરાતના વેપાર નિમિતે એમની સાથે મારે સંબંધ છેલ્લાં લગભગ પચાસ વર્ષ અને જૈન યુવક સંધમાં જોડાયા પછી આશરે વીસેક વર્ષથી એમનાં ગાઢ સંપર્કમાં આવ્યું એટલે એમને મેં ખૂબ નજીકથી જોયા ને જાણ્યા છે: દુઃખીજને માટે એમનું હૃદય દ્રવી જતું. પિતે તે મેટી રકમનું દાન અવારનવાર આપતા. ઉપરાંત, બીજાઓ પાસે પણુ દાન અપાવતા એવા તેએા પરે૫કારી હતા પરોવાયાય તો વિમૂત: આ સૂત્રને એમણે સાર્થક કર્યું હતું. જેમની હાજરી માત્રથી સભાખંડની વ્યાસપીઠ શેભી ઉઠતી એવી તત કાંચનવર્ણવાળી એમની મુખાકૃતિ હતી. મિતાહાર, નિયમિતતા અને સ્કૂતિં એમનાં જીવનમાં વણાઈ ગયાં હતાં એ કારણે અપૂર્વ સ્વાસ્થ એમણે છેવટ સુધી જાળવ્યું હતું. એટલે જ ૮૩ ની વયે તેઓ ૬૩ ના લાગતા. પોતે કોઈને ત્યાં ભાગ્યે જ જમવા જાય પણ એમણે સેંકડે મિત્રો અને સ્નેહીજનોને સેંકડો વાર પિતાને ઘેરે જમવા આમંચ્યા હતા. એવા તેઓ-આતિથ્ય સત્કારના ભારે શોખીન હતા. . જીવનભર એમણે બીજાઓને ઘણી રીતે ઘણું આપ્યું. તે કશું લીધું નહીં. વાંચનના પણ ઊંડા “રસિયા’. ઉત્તમ પુસ્તકે એમનાં ટબલ પર હંમેશા પડ્યાં છે. પ્રશંસા અને પ્રસિદ્ધિથી હંમેશા વેગળા રહેતા. પિતાને ગમે તેને સ્વીકાર કરતાં પણ અણગમતાં કામ કે વાતને નિ:સંકેચપ વિરોધ કરનાર તેઓ સત્યવકતા અને સ્પષ્ટ વક્તા હતા. એમનું આખું જીવન પારર્શક અને નિર્મળ હતું અને મૃત્યુ પશુ કેવું સરળ અને ઉજજવળ બન્યું ? મૃત્યુશા પર જાણે ગાઢ સમાધિમાં પેઢયા હોય એ શાન્ત, સૌમ્ય અને વિવાહિત ચહેરે ! આને જ ‘સાધુમરણ” કહેવાય. છે. દોલતભાઈ દેસાઈના શબ્દોમાં કહીએ તે... જીવન અને મૃત્યુ એ એનું લાંબી યાત્રાના બે અંતિમોનું નામ. મૃત્યુ એ તે પ્રભુમિલનની વેળા છે. જે હર પળે મૃત્યુ માટે તૈયાર રહે એ જ જીવન પામે છે.” રત્નોના સાગર ઝવેરી શ્રી રસિકભાઈ પોતે જ એક નરરત્ન હતા. વાત્સલ્યમૂતિ પ્રેમાળ મુરબ્બી હતા. સહુદયી સજજન - હતા. એક ગુલાબી માણસ હતા. એમની ખોટ કદી નહી પુરાય. ખાદીની કડક કફનીમાં ઢંકાએલી એકવડી કયાવાળા, સા સ્મિત વેરતા અને સૌને આવકારતા, તેજસ્વી મુખમુદ્રા ધરાવતા પૂ. રસિકકાકાના દર્શન હવે કયારેય નહી થાય! પણ - એમની સુવાસ હંમેશાં કાયમ રહેશે. એવા નરરત્ન પુ. રસિકલાલભાઈ ઝવેરીના અમર આત્માને સંતશઃ પ્રણામ કરું છું. નજજન ,
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy