________________
Ang3. No. MH. By/South 54 Elanre No. : 37
‘પ્રબુદ્ધ જૈન'નું નવસ કરજ વજ્ર' : ૪૫
૨૪
પબુ भुवन
સુ‘ખઇ જૈન યુવક સ’ઘનું મુખપત્ર : પાક્ષિક છૂટક નકલ રૂા. ૧–૦૦
મુબઇ તા. ૧-૫-૮૪
ગાર્ષિક લવાજમ રૂા. ૨૦ પ્રદેશ માટે શિલગ ૬૦
તંત્રી : રમણલાલ ચી. શાહ અલવાન ઈન્દ્રિયગ્રામ
મૈં રમણલાલ ચી. શાહુ તાજેતરમાં ઈંગ્લેંડમાં એક પ્રધાનને પાતાની સેક્રેટરી સાથેના પ્રણયસંબંધને કારણે રાજીનામુ આપવુ પડ્યું હતું.. એવી જ રીતે આપણા ભારતમાં પણ એક રાજ્યના ઉચ્ચ ક્ષાના પ્રધાને વિદેશમાં અટિત વતન કરવા માટે રાજીનામુ આપવાની ફરજ પડી હતી. આવી ઘટના વિશે જ્યારે સાંભળીએ છીએ ત્યારે એક સંસ્કૃત લેકની પતિ યાદ “આવી જાય છે बलवान् इन्द्रियग्रामो विद्वांसमपि कर्षति ।
ગ્રામ શબ્દના એક અથ થાય છે સમૂહ અથવા ‘સમુદાય’. બધી ઇન્દ્રિયાના સમૂહ કયારેક એટલા બધા બળવાન ની જાય છે કે મનુષ્ય તેના ઉપરના સંયમ ગુમાવી બેસે “.... સુભાષિતકાર કહે છે કે એને વખતે ડાહ્યા કે વિદ્વાન ગણાતા માણસાને પણ તે પછાડે છે. એટલા માટે સમજુ પુરુષે પોતાની માતા, બહેન કે પુત્રી સાથે પણ એક આસન કે શય્યામાં મેસવુ નહિં, એવી ભલામણ કરી છે.
આંખ, નાક, જીભ વગેરે એકેક ઇન્દ્રિયમાં અતિશય લુબ્ધ અનેલ મનુષ્ય કે પશુની કેવી અવનતિ થાય છે તેનાં દૃષ્ટાંતા થાઅય થામાં મળે છે. જો એક ઇન્દ્રિયને વશ થતાં ભયકર પરિણામ આવે, તે બધી જ ઇન્દ્રિયાને વશ થનારની દુ'તિ કેટલી ભયંકર હા શકે ! સ્થૂળ ઇન્દ્રિયને પરાધીન અનેલે મનુષ્ય પોતાના જાતીય જીવનમાં પણ કયારેક પતિત બને છે. કામવાસનાના આવેગ દુષ્કર હાય છે, અને કામાતુર લેકા લજજા અને ભયની વ્યવહારરેખા ઘડીકમાં ઓળગે છે. જાહેર જીવનમાં પડેલા પ્રતિષ્ઠિત માણસો એવા પ્રસગે અપમાનિત થાય છે કે અપકીતિ' પામે છે. કયારેક એથી પોતાના કુટુંબમાં જ, પત્ની, સતાના અને માતા-પિતા વચ્ચે તે અળખામણા થઇ જાય છે. સમાજ તેનાથી દૂર રહેવાના પ્રયત્ન કરે છે. કેટલીક વખત એક નાની ભૂલનું પરિણામ માખી જિંદગી માણસને બેાગવવુ પડે છે. વર્ષો સુધી લે આંગળી ચીધે છે અને બધી જ બાઋતમાં એવી વ્યકિત અવિશ્વસનીય અની જાય છે.
@
ઔ પ્રકૃતિએ ચંચલ કહેવાય છે, તેમ પુરુષ પણ એક કરતાં વધુ સ્ત્રીઓ તરફ આકર્ષાવાને પાત્ર હાય છે એમ "અનાય છે. A man by nature is polygamist–એવી ઉક્તિ પાશ્ચાત્ય જગતમાં જાણીતી છે. પાંત્રીસની ઉંમર પછી તાજી સબંધે કે પરાકણુની વૃત્તિ વધુ સતેજ થાય છે.
સંપત્તિ, સત્તા કીતિ વગેરે એવી વસ્તુઓ છે કે જેની પાસે એ પુષ્કળ હોય તેના તરફ ઘણી વ્યકિતઓ આકર્ષાય. એમાં સ્ત્રીઓ પણ હોય છે. કયારેક કશુક મેળવવાની લાલચથી, તેા કયારેક એવી વ્યકિત પણ પોતાને વશ છે એવી વૃત્તિથી ચંચળ સ્ત્રી એવા પુરુષને આકષવાના પ્રયત્ન કરે છે અને અસાવધ પુરુષ ઘડીકમાં પતિત થઈ જાય છે. વારંવાર એકાંતમાં મળવું, મજાકમશ્કરી, નમ' વચને, અડપલાંમાંથી આગળ વધતાં વધતાં જાતીય જીવન સુધી તે ધસડાય છે. માહદા એવી ફેરી અની જાય છે કે માણસને એ સિવાય બીજું કશું સૂઝતું નથી. કૌટુંબિક સ્થિરતા, સતાનાનું ભાવિ, પ્રતિષ્ઠા, સામાજિ ભય, કાયદાની ખીક વગેરેને વિચાર પણ તેને અટકાવી શકતા નથી. ઘણા બધા દૃઢ આવેગ તેના શરીર અને મનમાં તે વખતે પેદા થાય છે. પુરુષે એક વખત ચટકો ચાખ્યા. એટલે પછી એની લત લાગે છે અને બહાવરા ખનીને, વિવેક મર્યાદા ચૂકીને ફાંફાં મારે છે. સત્તાના કે ધનના ઉચ્ચ સ્થાને બેઠેલાઓને પછી તેા એવા મળતિયા મળી જાય છે કે જે તેમને પંપાળે છે અને તેમની નખળાઇએ જાણી લઇને તેમને બધી સગવડ પૂરી પાડે છે. પરંતુ વાત જેમ વધતી જાય છે તેમ એક દિવસ એવા આવે છે કે જ્યારે તેનું પરિણામ ભય કર હોય છે. એવુ ભયંકર અધ:પતન થાય છે; શતમુખ વિનિપાત થાય છે. રાજકારણ, શિક્ષણુ, સમાજસેવા કે ખુદ ધર્માંના ક્ષેત્રમાં પણુ આવી ઘટના બને છે. રશિયાના રાસ્કુટીન તેની આવી નબળાઈ માટે જાણીતા હતે. નજીકના ભૂતકાળમાં ઈંગ્લેંડના પ્રોક્યુમેા, ઇન્ડોનેશિયાના સુકણું, પાકિસ્તાનના અયુબખાન ... અને યાહ્યાખાન વગેરેનાં પતન આવી નબળાઇના કારણે જ થયાં હોવાનુ મનાય છે. સાહિત્યના ક્ષેત્રે પ્રખર પતિ લેખક મણિલાલ દ્વિવેદી, કોચ કવિ મેલેર, અંગ્રેજ નાટકકાર ઓસ્કર વાઇલ્ડ ( સાતીય સંબધા પણ ખરા), કવિ બાયરન વગેરેના એવા ઘણા દાખલા જાણવા મળે છે. મેનકાને વશ થનાર વિશ્વામિત્રના અનુગામી એવા કેટલાક સાધુસન્યાસીએ! ધર્મના ક્ષેત્રે પણ વારંવાર જોવા-સાંભળવા મળશે.
પ્રકૃતિની દૃષ્ટિએ સ્ત્રી-પુરુષ દુનિયામાં બધે સમાન છે, પણ્તુ સામાજિક રીતરિવાજો, નીતિ વિષયક ખ્યાલે, લાકાચાર વગેરે જુદા જુદા દેશમાં જુદાં જુદાં હોઇ શકે છે, ઠંડા અને ગરમ પ્રદેશમાં રહેનારા લેકમાં ત્યાંનું