________________
२०७
(૨૦૦ પાનાથી ચાલુ )
ઉત્પત્તિ કરે છે તેમ તે સ્વયં માનવદેહ ગ્રહણુ કરે તેા તેથી તેમની પૂર્ણતામાં કાઈ વધારો કે ઘટાડો થતા નથી.
અવકાશમાં પેાતાની દિવ્ય સરજનહાર છે. તેમાંથી
ગીતા દર્શાવે છે કે અતળ ગહન આકૃતિને તરતી મૂકનારા કાઈ એક પ્રકૃતિ તેની કાચી સાધનસામગ્રી છે. વ્યવસ્થા ઉપજાવવાની છે. કાઇ એક ધનાંધકારમય રાત્રિને ઝળહળતી કરવાની છે. આ અને વચ્ચેના સંઘર્ષમાં જ્યારે મડાગાંઠ પડી જાય છે ત્યારે તે અશકય ગ્રંથિભેદનને શકય કરવા કાજે દૈવી દખલ આરભાય છે.
અવતારના સિદ્ધાંત આધ્યાત્મિક જગતના મુખરિત અવિર્ભાવ છે. જો ઇશ્વરને માનવીને તારણહાર ગણવામાં આવે તા પછી જયારે પાપનાં પરિબળ માનવી આદર્શી (મૂલ્યો) તે તાડવાફાડવાની કે તેનું અવમૂલ્યન કરવાની ધમકી આપે ત્યારે ત્યારે તેણે પ્રકટ થવું જ રહ્યું. અવતાર એટલે ઈશ્વરનું માનવમાં અવતરણ અને નહિ કે માનવનું'. ઇશ્વરમાં આરહણ. આવું આરહણુ તે મુકત બનેલા આત્મા માટે હાય છે.
કાક હેતુની સિદ્ધિ માટે દિવ્ય શકિત પોતાને અમુક મર્યાદામાં અદ્ કરી પછી પેાતાને અવની ઉપર ઉતારે છે. તેવી મર્યાદાકાળે પણ તેની જ્ઞાનશકિત પરિપૂર્ણ હોય છે.
પ્રબુદ્ધ જીવન
આ ખે દૃષ્ટિ છે. માનવમાં રહેલા ઇશ્વર ઉપર તથા માનવમાં સદૈવ વિદ્યમાન દિવ્ય ચૈતન્ય ઉપર પણ ગીતા ભાર મૂકે છે. અવતરણની અને ઉન્નયનની ખે દૃષ્ટિ દિવ્ય ચૈતન્યની સર્વાંતીત અને સર્વવ્યાપક એવી ખે બાજુ પ્રતિબિંબિત કરે છે. આ કારણે તેમને પરસ્પર અસ ંગત ગણાય નહિ.
જગતનું સ્થાન અને માયાની કલ્પના
જો પરબ્રહ્મનુ મૂળભૂત સ્વરૂપ નિશુ'ણુ અને અચિંત્ય હોય તો પછી જગત આભાસમાત્ર બની રહે છે તથા તેને અાની સાથે તાર્કિક દૃષ્ટિએ કઇ સબંધ રહેતા નથી. જો કે પરબ્રહ્મ કઈં સરંજાવતું નથી, કાર્યાન્વિત કરતું નથી કે સ ંકલ્પ સુધ્ધાં કરતુ નથી તેમ છતાં શાશ્વતતામાં જે કંઈ પણ ગતિમય કે વિકાસમય પ્રતીત થતું લાગે છે તે સવે તેમાં જ સ્થિત છે, તેમાં જ આધારિત છે. તે સર્વેની સત્તા બ્રહ્મા વડે છે અને બ્રહ્મ વિના તેમનુ અસ્તિત્વ અશકય છે. જગત બ્રહ્મને આધીન છે, બ્રહ્મ જગતને આધીન નથી. આ એકપક્ષી આધીનતા તેમ જ પરમ સત્યની અને જગતની વચ્ચેના સબંધની અચિંત્યતા માયા નામની સત્તા વડે દર્શાવાય છે. જગત ભ્રહ્મના જેવી મૂળભૂત સત્તા નથી તે જ રીતે તે માત્ર આભાસમય માયા પણ નથી. ધામ'ક અનુભૂતિ દ્વારા પરમ તત્ત્વની એકાએક મળેલી ભાળ આપણને કેટલીકવાર જગતને અનથ'કારક અવળચડાઈ કે ખાટી ગણતરી ગણવાને બદલે તેને માયારૂપ ગણતાં શિખવે છે. માયાના એવા અથ` નથી કે જગત સંપૂર્ણ તૈયા અસ્તિત્વરહિત વસ્તુશૂન્યતા છે. આ જગત અપરિમિત અને અપરિમયનુ, ખેહદ અને અનહદનું, મર્યાદાબદ્ધ પ્રાકટય છે, પરંતુ તે પછી આ મર્યાદાબદ્ધ આવિર્ભાવ જ શા માટે? જ્યાં સુધી આપણું પ્રયોગાત્મક ભૂમિકામાં ઊભા છીએ ત્યાં સુધી આ પ્રશ્નના ઉત્તર આપવા શક્ય નથી.
tr
તા. ૧૬-૨૨૪
દરેક ધર્મોંમાં પરમાત્મ તત્ત્વને આપણી સાદ્ય ત, ગતિમય અને ગતિભ’ગમય કાળગણનાથી અનંતગણું પર લેખવામાં આવ્યું છે. શાશ્વતતાના અથ કાળના કે ઇતિહાસને અસ્વીકાર કરવા એવા થતા નથી. શાશ્વતતા એટલે કાળનુ ઊથ્વી કરણ, કાળનું ઉદાત્તીકરણ, કાળ શાશ્વતતામાંથી કાચે માલ મેળવે છે અને તેમાં જ છેવટે પોતાની કૃતકૃત્યતા સમજે છે. ભગવદ્ગીતામાં શાશ્વતતા અને કાળતી ચ્ચે વાદ-પ્રતિવાદ નથી. શ્રીકૃષ્ણના સ્વરૂપ દ્વારા શાશ્વતતા તથા અતિહાસિકતાં વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવી છે. શ્રીકૃષ્ણુ દ્વારા સાંસારિક સંચલનેને, દુન્યવી દેમારને, શાશ્વતતાના અનલ ઊંડાણમાં સમાવવામાં આવ્યાં છે.
wri
ગીતા તત્ત્વજ્ઞાન વિષયક દ્વૈતવાદને માન્યતા આપતી નથી, કારણ કે માયાને સિદ્ધાંત સત્યના સિદ્ધાંતને આધીન છે. પરબ્રહ્મના પ્રાકટય માટે માયા અતિ આવશ્યક એવી એક પળ છે. જગત આજે જેવુ દેખાય છે. તેવુ જો તે છે તે તે સ་મય પરિબળાના પરિણામને કારણે છે, માનસિક તાણની અતિશયતાના કારણે છે. કાળપ્રધાન અને પરિવત નશીલ એવું આ જગત પરિપૂર્ણ થવા કાજે સતત મથે છે.. અપૂર્ણુતાને માટે પૂરેપૂરી જવાબદાર એવી માયા આ જગતનુ એક આવશ્યક તત્ત્વ છે; કારણ કે જેમાં ઇશ્વરના સકા સાકાર થતા હોય એવુ' એક માત્ર તે જ મૂળભૂત કલ્પ છે. પુરુષ અને પ્રકૃતિ અને એક આધ્યાત્મિક પૂર્ણતાને આધીન છે આ સમગ્ર જગત બધામાંથી મુકિત પામતાં, સપૂર્ણ પણે, જ્યોતિમય સરાતાં, પથ્રહ્મા સંકલ્પ સિદ્ધ થાય છે. અને પછી જગત સવે`ભેદોથી પર એવા તેના ાર્દિ શુદ્ધ, સત્સ્વરૂપ કારણમાં લય પામે છે.
પરમાત્માને જે નિર્જન નિરાકાર માને છે તેમ સ્વપ્રાકટય માટે સામર્થ્યવાન ઇશ્વરે અવિદ્યાનું પરિણામ માને છે. પરમાત્મા સાથે તુલના કરતાં જે સત્ત્પતિઃ ક્ષણભંગુર ભાસે છે તે સંકલ્પશક્તિ અવિઘા કહેવા છે. પરંતુ અવિદ્યા આ કે તે જીવાત્માને વળગેલુ હોય તેવું વિશેષ પ્રકારનું કાઇ વળગણ કે વળગાડ નથી, પરમા માનુ સ્વપ્રાકટયનું સામર્થ્ય તે જ અવિદ્યા છે.
કેટલીક વાર મેાહનું મૂળ માયા ગણાય છે. માયાના પ્રભાવને કારણે જ આપણે ભુલ હુલામણીમાં અટવાતી, સત્યના નથી વચિત રહેતી અને દૃશ્ય પ્રપંચમાં જ સદાય વસતી એવી અલ્પ, આંશિક બુદ્ધિ ધરાવીએ છીએ. પ્રકૃતિ તથા તેની વિવિધ ચેષ્ટાઓ વડે પરમાત્મારૂપી સત્ય ઢંકાયેલુ છે. સંસાર છેતરામણા કહેવાયા છે; કારણ કે ઇશ્વર પોતાના સજ્જન પાછળ સંતાયો છે. સસાર પોતે છેતરામણેા નથી પણ છેતરાવાના પ્રસંગો પૂરા પાડનારા છે. સત્યની શોધ માટે આપણે સર્વે' નામોનુ' વિસર્જન કરી નાખી પડદાની પાછળ પહેાંચવુ' જોઈએ.
સુધારો
તા. ૧ ફેબ્રુઆરીના અંકમાં ‘વિજય કાના યમને કે સાવિત્રીને ?” નામના લેખના લેખક તરીકે ડૉ. કાન્તિલાલ કામદાર એમ છપાયું છે તે ભૂલ છે. તેને બદલે ડૉ. કાન્તિલાલ શાહ એમ હેવુ જોઇએ. ભૂલ માટે ક્ષમાયાચના.
તંત્ર.