SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૮૪ પ્રમુદ્ધ જીવન માનવીય સમધા મડાલર વસાવડા મહુવાના એક યુવાન ડા. વસત દેશી અમેરિકામાં સ્થાયી થયા છે. એકવાર તેમની સાથે મારી મુલાકાત થઇ. મે... તેમને પૂછ્યું: અમેરિકામાં આટલી સમૃદ્ધિ હોવા છતાં ત્યાં ખૂનામરકી જેવા ગંભીર ગુનાએ વધુ પ્રમાણમાં ક્રમ અને છે ?' એમણે પ્રત્યુત્તરમાં કહ્યું: અમેરિકામાં સામાજિક અને આર્થિક વ્યવહારા જે રીતે ગોઠવાય છે. તેથી એક માસ ખીજા માણસને માત્ર માનવી તરીકે મળે તેવુ' બહુ જ આછું અને છે. ટિકિટ લેવી, વર્તમાનપત્ર ખરીદ્યું, છૂટપાલિશ કરાવવા વગેરે દૈનિક જીવનના નાનાં – મોટાં કામે માટે સ્વયંસ ચાલિત યંત્રવ્યવસ્થા હોય છે. તેથી માત્ર ામ પ્રસંગે જ માણુસ ખીજા અજાણ્યા માણસને મળે છે. પરિણામે પ્રત્યેક માણસ બીજા માણસને વસ્તુ તરીકે જ જુએ છે. એટલે માનવીય સવેદના અને અન્ય પ્રત્યેની સહજ અનુક ંપા સાતી જાય છે. પોતાના કૃત્યની બીજા માનવી પર શું અસર થશે તેવા વિચાર પણ તેમને આવતા નથી.' આ મુલાકાત પછી મને સતત વિચાર આવે છે કે આપણા સમાજમાં-ખાસ કરીને શહેરી સમાજમાં શું સ્થિતિ છે અથવા થતી જાય છે. શહેશની ગીચતા વધતી જાય છે પણ શહેરમાં વસતા માનવીએ વધારે એકલતા અનુભવતા હોય તેવું નથી લાગતુ’? આપણે ત્યાં જે જાતની સમાજવ્યવસ્થા હતી તેમાં ત્રણ સંસ્થા અગત્યની હતી. (૧) સંયુક્ત કુટુંબ (૨) જ્ઞાતિ પ્રયા અને (૩) મહાજન પ્રથા સંયુકત કુટુ માં કુટુ ખનેા કાઇ પણ સભ્ય-પછી તે અપંગ, અજ્ઞાન કે કાઇ પણ રીતે નખળે! હાય તા તે સચવાઇ જતા. જ્ઞાતિ પ્રથામાં સારા-નરસા પ્રસંગે તમામ સભ્યો એક જ સ્તરના હાય તે રીતે કાઇ પણ જાતના ભેદભાવ વિના મળતા, જેથી એક જાતનુ સખ્ય સાતું. મહાજન પ્રથામાં નાનાં મોટાં કુટુ ખેાની સારા-માઠા પ્રસંગોએ સારસભાળ લેવાતી. અને મુશ્કેલીમાં તેમને સહાય મળી રહેતી. પરિણામે માનવી નિ:સહાયતાની લાગણી ન અનુભવતે. માજે આ ત્રણેય પ્રથાએ લુપ્ત થઇ છે, થતી જાય છે. આજના યુગમાં ઊભી થયેલી નવી સંસ્થાએ એનું સ્થાન લઇ શકી નથી, અલબત્ત, એવી સંસ્થાઓનું સ્વરૂપ અને કાયક્ષેત્ર તદ્દન જુદું છે. જ્ઞાતિપ્રથા અને સ’યુકત કુટુંબની વ્યવસ્થામાં ત્રુટિઓ ન હતી અને તે ચાલુ રહે એવુ હું કહેવા માગતા નથી. માત્ર આ સસ્થાઓથી માનવીને સંબંધોની ઉષ્મા મળતી એ ખાબત પ્રત્યે અગુલિનિર્દેશ કરું છું. માનવીય સંબધાની ઉષ્માતા અભાવે માણાના જીવનમાં નિરાશા, હતાશા, નરત અને વિદ્રોહની ભાવના જાગે છે. સાહત્ય, એ સમાજની આરસી છે. આપણા આધુનિક સાહિત્યમાં પણ વત માન સ્થિતિનું પ્રતિબિમ્બ પડે છે. પ્રિયકાન્ત મણિયાર, રમેશ પારેખ, નિરંજન ભગત, મનહર ત્રિવેદી કલાસ પંડિત, ચંદ્રકાંત શેટ્ટ, ઉશનસ, સ્નેહરશ્મિ આદિ કવિઓની કૃતિમાં આવી સવેદના વ્યકત થઇ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૨ મા અધિવેશતના પ્રમુખસ્થાનેથી શ્રી યશવંત શુકલએ કહ્યુ’: ‘જે શ્રદ્ધા અને જે ભાષા મનુષ્યને સાંધતી હતી તેના વિજ્ઞાન યુગના ૧૪૭ માધાતે રીતે ચૂરા થયા છે. નવી શ્રદ્ધાઓએ હજુ તેમનુ સ્થાન લીધું નથી. એ માટેની નવી ભાષા હજી ઘડાઇ નથી. પ્રત્યેક વ્યકિત જીવનના મહાસાગરમાં તરતા રહેલા અલાયદા ટાપુ જેવી છે.' શહેરમાં રહેતા આપણા સૌની પરિસ્થિતિ કેક આવી છેઃ ધરમાં વર્ષાં સુધી સાથે રહેવા છતાં પતિ – પત્ની, માબાપ અને સતાના વચ્ચે જોઇએ તેવા સંવાદ અને સંબધ જણાતા નથી. એટલે જ ‘પેળામાં ફરતાં કરતાં' પુસ્તકમાં શ્રી ફાધર વાલેસ કહ્યું છે કે કુટુમ્બમાં સાથે રહેતા કુટુમ્બીએ વચ્ચે પણ સવાદ નથી હતે.' તેમણે કુટુમ્બમાં જઇ તેમની સાથે રહીને આ અનુભવ કર્યાં છે. પત્ની પતિની તમામ જરૂરિયાત અને કુટુમ્બની તમામ જવાબદારીઓ પૂરી કરે, પણ પત્નીને મળવી જોઇતી પ્રતિષ્ઠા અને ગૌરવ આપણે આપતાં નથી. આવી સ્થિતિ માબાપ અને સતાના વચ્ચે પશુ પ્રવર્તે છે. માબાપ પોતાનાં સતાના પ્રત્યે લાગણીવિહીન થઇ ગયાં હોય એવી સ્થિતિ સદ્ભાગ્યે હજુ આપણે.” ત્યાં ભાવી નથી. પરંતુ જે રીતે સ ંતાને તે સમજવા, તેના જીવનમાં રસ લેવાના માબાપે પ્રયાસ કરવા જોઇએ તેવા પ્રયાસ થતા હોય એવું જણાતું નથી. સમાજમાં દહેજનું દૂષણ વધતુ જાય છે, અને તેના કારણુરૂપ માખાપ પેાતાનાં સંતાનને પૈસા પ્રાપ્ત કરવાનું આ નિમિત્તે એક સાધન સમજે છે. પરિણામે કૌટુબિક જીવનમાં કેટલીય વિસયાદિતા સર્જાય છે. એના પરિપાકરૂપે પત્નીને સળગાવી દેવાના કે યુવતીના આપધાતના કિસ્સા રાજિંદી ઘટના હોય તે રીતે વધતા જાય છે. એ સાહજિક ઘટના હોય એ રીતે આપણે જોઇએ છીએ. બીજા છેડેથી જોઇએ તે માબાપ વૃદ્ધ થાય. પછી તેમના વિચારે, તેમની સ ંવેદના સમજવાની કે મૂલવવાની ફુરસદ નથી. ચેડા સમય પહેલાં દૂરદર્શનના દિલ્હી કેન્દ્ર પરથી શમા ઝૈદીનું નાટક સંધ્યા છાયા' રજુ થયું હતું. તેમાં વૃદ્ધ માબાપની સંવેદનાને વાચા આપવામાં આવી હતી. દીકરી, માબાપને પૈસા માકલી આપે એટલુ જ પર્યાપ્ત છે? માનવી પોતાના સુખદુઃખને કાઈ સમજે અને વહેચે (Share) તેમ ઝ ંખે છે. આ થઇ કૌટુ'બિક સબંધેની વાત. અન્ય કૌટુંબિક સંબ'ધા જેવી સ્થિતિ સમાજના માનવી સાથેના સંબંધમાં પશુ પ્રવર્તે છે. વર્ષોથી દુધવાળા આપણને દુધ આપતા હાય, ધરના તાર હાય, આપણી પેઢીમાં કામ કરતા ક્રમ'યારી હોય : આ અધાં જીવતા માનવીએ છે. તેમના પેાતાના આગવા પ્રશ્નો હાય છે. તેમને સમજવા તેમના જીવનમાં ડેડકિયું કરવાની આપણને ફુરસદ નથી. તેમની સાથેને આપણા વ સુધીના વ્યવહાર યંત્રવત્ રહે છે. એવીનાલ ‘ફ્યુચર શાક’ માં કહ્યું છે તેમ સમાજની ભૌતિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે અતિ ઝડપથી કાયાપલટ થઈ રહી છે અને જાણે આપણે સચાના ભાગે હોઇએ તેમ
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy