________________
તા. ૧-૯-૮૪
પ્રબુદ્ધ જીવન
૮૭:
તેલ ઈત્યાદિ ન હોય તે દીપક-જાતની પરંપરા યા ધારા શરૂ થતી નથી, પરંતુ તે એકવાર શરૂ થાય કે પછી તે સહકારી કારણેમાંથી એક યા અનેક પાછી ખેંચી લેવામાં ન આવે ત્યાં સુધી તે ધારા અખંડપણે વહ્યા કરે છે. આ નિયમ સાર્વભૌમ છે, સાર્વત્રિક છે.
દીપકની બે જોત જુદી જુદી ક્ષણોએ બળે છે, અને અને જુદી જુદી પરિસ્થિતિઓ પર આધાર રાખે છે, છતાં ભિન્ન ભિન્ન જતે એક પછી એક ક્રમશઃ આવે છે અને તેની પરંપરા અખંડ રહે છે.
ફ્રેન્ચ ફિલસુફ બગસ બતાવે છે કે જીવનને બાહ્ય આવિષ્કાર એ આકરિમક નથી, પણ તેની પાછળ (Elanwitl) જીવન-ઊજાનું ચાલાક બળ રહેલું છે. મનુષ્યને જન્મ થાય છે, તે ગર્ભ ધારણ કરે છે. તેની પાછળ અતિરિક પૂર્વ-પ્રેરિત કારણે અને વલા હોય છે એમ બૌદ્ધો માને છે. દરેક વસ્તુને ઉત્પન્ન કરનારી કોઈ પરિસ્થિતિ કે કારણ હોય છે. જયારે એ પરિસ્થિતિ કે કારણ અંત આવે છે ત્યારે એનાથી સજાયેલી વરતુ પણ નામશેષ થાય છે.
માનવ-દેવ ભિન્ન ભિન્ન અવરથાઓથી પસાર થાય છે, પણ એ અવસ્થાએ અનિત્ય છે, ક્ષણભંગુર છે, અને તેની પાછળ સતત હાજર રહેતું કોઈ કાયમી, ચિરંતન તત્વ હતું નથી. પરિવર્તન જ છે, અને બીજું કશું નથી. અવસ્થાઓની ધારાનું સાતત્ય હોય છે.
' જાય છે ત્યારે જન્મ મરણને અંત આવે છે. કૃ અને
વિચાર શકિતને ઊજાને ઉત્પન્ન કરે છે અને સમરત ઊજા ' એક છે. આપણાં વિચારો અને કાર્યો મરણ પછી પણ કે છે. પછી સમાનધમી ત સંગના પ્રયોજન માટે એકમેકને ખેંચે છે, અને એમાંથી નવું રૂ૫ ઉદ્દભૂત થાય છે.
એક મીણબત્તીથી બીજી મીણબત્તી ત મોકલાય છે. જોત જાય છે, પણ મીણબત્તીઓ જુદી જુદી છે. એ પ્રકારે જન્માંતર થાય છે.
શરીર કામ કરતું અટકી જાય, તે પણ માનસિક અને અપાર્થિવ શકિતઓ અને પરિબળે તો એમનું કામ કર્યા જ કરે છે. બૌદ્ધ મીમાંસા કહે છે કે, ઇચછા શકિત, તૃષ્ણા, જિજીવિષા, ભવત (becoming)ની પ્રક્રિયા એ પ્રબળ શકિત છે, જે અખિલ અસ્તિત્વને ગતિ આપે છે. એ પ્રચંડ શકિત મૃત્યુ પછી જુદા સ્વરૂપે જારી રહે છે, જે પુનર્જન્મને કાચગભૂત થાય છે. જે નિયમથી ચાલુ જીવન ચાલે છે તે જ નિયમથી મૃત્યુ પછીનું જીવન પણ ચાલે છે. બન્નેમાં પ્રક્રિયા એક જ પ્રકારની છે. દરેક પળે આપણે જન્મીએ છીએ અને મરીએ છીએ, છતાં આપણે ચાલુ રહીએ છીએ. વિજ્ઞાન (Consciousness)ની ધારા તૂટતી નથી. જીવન દરમ્યાન આ, આખી પ્રક્રિયાનું આ કલન થાય તે આત્મા વિના, જીવન કેમ ચાલે છે તે સમજી શકાશે કાયાનું વિસર્જન થાય છે, એને અર્થ એ નહીં કે એની સાથે ઊજાનું-શકિતનું પણ વિસર્જન થાય છે. શકિત તે ટકી રહે છે. તે શકિતને લીધે જ પુનર્જન્મ શકય બને છે. સાઠ વર્ષ વૃદ્ધ પચાસ વર્ષ પહેલાંના બાળક જેવો નથી, અને છતાં તે તેનાથી જુદી વ્યકિત પણ નથી એ રીતે, જે માણસ અહીં મરે છે અને બીજી જગ્યાએ ફરીથી જન્મે છે, તે તે જ માણસ નથી, અને બીજો માણસ પણ નથી. એક જ પ્રક્રિયાના કમનું એ સાતત્ય છે. જ્યાં સુધી આ સાતત્યની, સંસારની-ક્રિયાને ટકાવનાર તૃણું, જિજીવિષા, અને પૂર્વ-પ્રેરણાઓ (pre-dispositions) છે ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે; જ્ઞાનથી એ બધાનું ઉમૂલ્ફન થાય તે માનવી ' એણુને પ્રાપ્ત કરી શકે છે. પુનર્જન્મને ઉત્પન્ન કરનારા બીજ જે ભસ્મિભૂત થઈ ગયાં, પછી શેષ શું રહે?
મૃત્યુ પછીની અહતની રિયતિ ઇ ધન-લાકડાના પુરવઠાના અભાવે હેલવાઈ ગયેલા અગ્નિ જેવી છે.
જીવન સતત વહેતી ભિન્ન ભિન્ન અવરથાઓની પરંપરા છે–પ્રવાહ છે. દરેક અવસ્થા તેની પૂર્વની અવસ્થા પર આધાર રાખે છે, અને તેની પછીની અવસ્થાને સજે છે. કાર્ય–કાચગને સિદ્ધાંત અહીં કાર્યાન્વિત થયો છે. કર્મના નિયમના આધારે શિશુ કિશોર બને છે, કિશોર યુવાન બને છે, યુવાન પ્રૌઢ બને છે અને પ્રૌઢ વૃદ્ધ થાય છે આંતર પ્રેરણાઓ, તૃષ્ણાઓ સંક૯પે જિજીવિષા જેવાં ભવ-પ્રેરક પરિબળો ચાલુ જીવનમાં જે રીતે કામ કરે છે તે જ રીતે મૃત્યુ-ટાણે અને મૃત્યુ પછી પણ કામ કરે છે. વિલિયમ જેમ્સ વિજ્ઞાનના અતૂટ પ્રવાહ (an unbroken stream of consciousners) ની જે વાત કરે છે તે લગભગ ઉપરોકત પ્રક્રિયાને મળતી છે.
વિના ક.
સારી
જ
છે,
જે સ્ત વિના કમ થઈ શકે, તે પુનર્જન્મ પામનાર . વ્યકિત વિના પુનર્જન્મ પણ સારી રીતે થઈ શકે. બૌદ્ધ દર્શનમાં અને પુનર્જન્મ તે સ્વીકાર્યું જ છે, પણ તે ઉપરાંત પ્રત્યેક પંખે પુનર્જન્મ થતે માન્ય છે. કેઈ યુકિતના કમનું સંક્રમણ કે સંચરણ જેમ તેના જીવન દરમ્યાન થાય છે, તે રીતે તેના મરણ વખતે પણ થાય એ સંભવિત છે.' જીવન વહેલું નથી; જીવન સ્વયં ગતી છે. તેને આદિ નથી, અંત નથી. સારા-માઠા સકામ કર્મોની અસરે મૃત્યુ પછીના જીવનમાં પણ પડે છે
શુભ, વિચાર કે કાર્યને દરેક તરંગ દુનિયાભરમાં તેને પ્રભાવ, તેને આધાત પહેચાડે છે. પણ એ ન ભૂલવું , એ. તરંગ આખી સૃષ્ટિ કરીને તે જયાંથી ઉદ્દભવ્યા હતા ત્યાં પાછો આવી પર્યાવસાન પામે છે અધધ કમેં ખપી
- સાભાર સ્વીકાર * હણાનુબંધ : કિ. રૂ. ૧-૫૦, લેખક ભેગીલાલ ગીરધરલાલ શેઠ પ્રક. શ્રેયસ પ્રચારક સભા. પ્રાપ્તિસ્થાન મે. એ. એમ મહેતા એન્ડ કુાં, શરાફ મેન્શન, બીજે માળે, ૩૨, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ ૪૦૦૦૦૨
* આધ્યાત્મિક નિબંધ:કિ. રૂ. ૭-૦૦, લે. ઉપર મુજબ.
* શ્રીમદની સિદ્ધપદ ભાવના : લે. સરયુબેન આર. મહેતા, પ્રકાશ અને પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ. :
* શ્રીમદ રાજચંદ્ર અધ્યાત્મ જ્ઞાનકોષ : કિ. રૂ. ૩-૦૦ પ્રકા. શ્રી કે. કે. સંધવી લેખક અને પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ
ઉપરનાં દરેક પુસ્તકની જે કિંમત જણાવી છે તે મૂળ કિંમત કરતાં ઓછી, એટલે કે કન્સેશનલ રેટ દાવેલ છે.