SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ - २४४ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૮૪ આઠ-દસ વર્ષનું દામ્પત્યજીવન તે થકવી નાખે એટલું લાંબુ તેમને લાગતું હોય છે. એક વખત હું સાન કાન્સિરથી રાતના બસમાં લેસ એન્જલસ જઇ રહ્યો હતો. તે વખતે મારી પાછળ બેઠેલી એક પ્રૌઢ મહિલા પિતાની કઈ બહેનપણી સાથે બહુ મોટેથી વાત કરતી હતી. તે પ્રૌઢ મહિલા ડી થોડી વારે એમ ખેલતી, 'Yes, my ex-husband also used to tell me like that.” અને બાજની મહિલા કોઈ કેઇ વખત એને પૂછતી, “Which number ?' જવાબમાં તે મહિલા કોઈ વખત ત્રણ નંબરના પતિને, કોઈ વખત ચાર નંબરના પતિને, તે કઈ વખત બે નંબરના પતિને ઉલ્લેખ કરતી. કહેનાર મહિલા પોતાના ભૂતપૂર્વ, પતિઓની વાત બહુ સ્વાભાવિકતાથી કરતી હતી. વિવિધ પતિઓ સાથેના દામ્પત્યને લીધે એનું જીવન કદાચ બહુ સુખી નહિ હોય, તો પણ ઘણું અનુભવસમૃદ્ધ બન્યું હશે એમ એની વાતે પરથી લાગતું હતું. લંડનમાં એક મિત્રને ત્યાં અમે ગયાં હતાં. પિતાના પાડોશીની વાત નીકળતાં એમણે કહ્યું, “આ યુવાન દંપતીએ હવે પિતાનાં માતા-પિતા સાથે સંબંધ કાપી નાખ્યો છે, કારણ કે વિધુર વેવાઈ અને ત્યકતા વેવાણુ બંને એકબીજા સાથે પરણી ગયાં છે. એક વાર્તા જેવી આ ઘટના અમને સાંભળવા મળી. આવી ઘટના આપણા દેશમાં બને તે ઘણી જાહેર, ચયાર થાય. પશ્ચિમના દેશોમાં પાડોશીઓ પણ એની ખાસ નેધ ન લે. સ્ત્રી કે પુરુષ ગમે તેટલામી વાર લગ્ન કરે તે પણ નવા લગ્નમાં ઉત્સાહપૂર્વક એક બીજાને અનુકૂળ થઈ જવાની અને એકબીજાને રાજી રાખવાની વૃત્તિ આરંભમાં તે અવશ્ય રહેતી હોય છે. કેટલાક સમય વીત્યા પછી પરસ્પરનું આકર્ષણ થોડુ ઘટવા લાગે છે, સ્થિતિસ્થાપકતા આવે છે, અને સમય જતાં જયારે પ્રત્યેકની સ્વભાવગત નબળાઈઓ પ્રગટ થવા લાગે છે, ત્યારે વિસંવાદ અને ઘર્ષણ ચાલુ થાય છે, અને એકબીજાથી છૂટા થવાની વાત થવા લાગે છે. અમેરિકામાં સહુથી વધુ સરળતાથી છૂટાછેડા આપનારું શહેર તે રિને ગણાય છે. પત્ની નસકોરાં બોલાવે છે,’ ‘પતિ જે લેશન મોઢે લગાડે છે તેની વાસ ગમતી નથી, પત્ની ટેલિફેન ઉપર લાંબી વાત કર્યા કરે છે, “પતિ મને પૂછ્યા વગર મારી ગાડી વાપરે છે,’ એવાં એવાં નજીવી બાલિશ કારણોસર પણ ત્યાં તતક્ષણ છૂટાછેડા આપી દેવાય છે. નજીવી બોલાચાલી થતાં લે તારાં બયાં અને આજથી તું મારા નાથાકાકા' એવું તુચ્છકાર વચન પિતાના પતિ નાથાલાલને સંભળાવીને તરત ફારગતિ લઈ આશ દર્શાવતી એ કહેવતવાળી કાઈક ગુજરાતણુને સમદુઃખી સખીઓ રિનેમાં ઘણી બધી મળી રહે. પશ્ચિમના દેશોમાં મા-બાપે ગોઠવેલાં લગ્ન કરતા યુવકયુવતીઓ પરસ્પર અનુરાગ અનુભવ્યા પછી પિતાની પસંદગીથી કરેલાં સ્નેહલગ્ન સવિશેષ હોય છે. તેમ છતાં ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધુ હોય છે. એને અર્થ એ થયો કે જેને પ્રેમ માનવામાં આવ્યું તે ક્ષણિક પ્રેમ હોત અથવા માત્ર યૌવન સહજ દેહાકર્ષણ હતું. પશ્ચિમના દેશોમાં એકબીજા પ્રત્યે આકર્ષણ થવા માટે યુવક અને યુવતીની કેટલીક સ્વભાવગત અસાધારણ ખાસિયત કારણરૂપ હોય છે, જે એકબીજાને બહુ ગમી જાય છે; પણ લગ્નજીવનને તરવરાટ શમી જતાં યુવાનીમાં ગમી ગયેલી એક બીજાની ખાસિયતો કયારેક પાછળથી અસહ્ય થઈ પડે છે અને જે ખાસિયતાએ લગ્નજીવન જોડી આપ્યું એ જ ખાસિયતો. છૂટાછેડાનું નિમિત્ત બને છે! સ્ત્રી જયારથી કમાતી થઈ અને પોતાની કમાણી ઉપર સ્વતંત્ર રીતે પગભર રહી શકતી થઈ ત્યારથી પશ્ચિમના દેશોમાં દામ્પત્યજીવનના બંધને શિથિલ થવા લાગ્યાં છે. વ્યક્તિનાં સુખ-ચેન અને વિકાસની દૃષ્ટિએ કેટલાકને આ પરિસ્થિતિ ઈષ્ટ લાગે છે, તે બીજી બાજુ સંતાનના વિકાસ અને પ્રેમની દૃષ્ટિએ કેટલાંકને આ પરિરિથતિ વિદ્યાતક લાગે છે. એશિયા અને આફ્રિકા કરતાં યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જ્યાં ગોરી પ્રજા વસે છે ત્યાં લગ્નવિચ્છેદઅને પુનર્લગ્નનું પ્રમાણ વધુ છે. સ્ત્રી કે પુરુષ એક કરતાં વધુ લગ્ન કરે એની આપણને જેટલી નવાઈ લાગે તેટલી નવાઈ ત્યાંની પ્રજાને લાગતી નથી. અલબત્ત, છૂટાછેડા લઈ, પુનર્લગ્ન કરી વધુ સુખી થયાં હોય એવાં દંપતીઓના દાખલા પણું ત્યાં પુષ્કળ જોવા મળે છે. જે લે કે માત્ર ભોગપભેગમય ઇન્દ્રિયાથું જીવન જીવવા ઇચ્છતા હોય છે, જેઓ પરહિતચિંતાથી નિવૃત્ત છે અને જેઓ અહ કેન્દ્રી છે તેઓ પુનર્લગ્ન કરીને નવી તાઝગી અને નો ઉલ્લાસ અનુભવતાં હોય છે. કયારેક કેટલાકને લગ્ન પણ બંધનરૂપ લાગતું હોય છે. પરિણામે પાશ્ચાત્ય દેશમાં સ્ત્રી-પુરુષ વચ્ચે લગ્નના બંધન વિનાને મુક્ત સહચાર વધતું જાય છે. અનેક દાખલાઓમાં દામ્પત્યજીવન માત્ર સપાટી પરનું જિવાય છે. પ્રસન્ન, મધુર દામ્પત્યજીવનનું ઊંડાણ કેવું અતલ હોય છે અને એનું મૂલ્ય કેટલું બધું હોય છે તેની કલ્પના, આવું સપાટી પરનું જીવન જીવનારાઓને કયારેય આવી શકતી નથી. દામ્પત્યજીવન અને ગૃહસ્થ જીવન ઉપર ધર્મનો પ્રભાવ . પણ ઘણે મેટા હોઈ શકે. ભારતની પ્રજા જન્મજન્માંતરમાં અને અણુનુબંધમાં માને છે. ભારતમાં લગ્ન-સંસ્થાના પાયામાં ધર્મની સ્થાપના બહુ પ્રાચીન સમયથી છે. વેદ, ઉપનિષદો, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કયરસૃતિ, ગુહ્યસૂત્ર, મહાભારત, રામાયણ. ઇત્યાદિ ગ્રંથમાં દામ્પત્યજીવનનો મહિમા સુપેરે ગવાય છે. પ્રીતિયુગ તરીકે એને બિરદાવવામાં આવ્યું છે. અગ્નિની. સાક્ષીએ થતાં લગ્નમાં બેલાતી સપ્તપદીમાં અનેરી. ભાવનાઓ પણ ગૂંથી લેવામાં આવી છે. બીજી બાજુ પાશ્ચાત્ય જીવનમાં સામાન્ય રીતે જન્મજમાં. તરની વાત નથી. પ્રાપ્ત થયેલા જીવન પૂરતી જ વાત ત્યાં હોય. છે. એ જીવનને સ્થલ દ્રષ્ટિએ વધુમાં વધુ સુખસગવડભયુ" અને. આનંદપ્રમોદમય કેમ બનાવી શકાય તેની વિચારણું રહેલી છે. ત્યાં કેટલાંયે દંપતી, સુખી દામ્પત્યજીવનનું ઉત્તમ ઉદાહરણ. પૂરું પાડે છે, તે પણ જયાં માત્ર ભૌતિકવાદી જીવન જિવાય છે ત્યાં કષ્ટમય દિવસે ન વીતાવતાં, છૂટાછેડા લઈ પિતાને રસ્તે. • પિતે કરી લઇને સુખમય દિવસે પસાર કરવા એવી વૃત્તિ વિશેષ રહેલી હોય છે. એવા સમાજમાં પણું શરીર જયારે ઉપભોગને લાયક રહેતું નથી ત્યારે વખતેવખત જીવનસાથી બદલનારની સ્થિતિ કરુણ બને છે. • આપણા શાસ્ત્રકારોએ લગ્નજીવનનાં ત્રણ હેતુ બતાવ્યા (અનુસંધાન પૃષ્ઠ ૨૫૨)
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy