SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ egd No. MH. By/South 84 cence No. 1 37 प्रजुद्ध भवन પ્રભુન સુઈ જૈન યુવક સંઘનુ' મુખપત્ર : પાક્ષિક છૂટક નકલ રૂા. ૧-૦૦ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણુ વર્ષ' : ૪૫ ક: ૧૪ invઇ, તા. ૧૬-૧૧-૮૩ વાર્ષિક લવાજમ રૂા. ૨૦ પરદેશ માટે શિલિગ ૬૦ તંત્રી : રમણલાલ ચી. શાહ કિ ત આ ત્રા મક રમણલાલ ચી. શાહુ સત્યનુ` સૌંપૂર્ણ' દર્શન અત્યંત દુર્લભ અને વિરલ છે. ઋત્યના આંશિક 'નને સ'પૂર્ણ દર્શન માનવાની ઉતાવળ ઘણીવાર થાય છે. કયારેક સત્યના દશનના કેવળ ભ્રમ હોય છે. જાષામાં વ્યકત થયેલા સત્યાભાસને પારખવાની શક્તિ બધાંની ભાસે હોતી નથી. સામાન્ય માનવ એથી કેટલીક વખત ખાટી રીતે દોરવાઇ જાય છે. સત્યના આંશિક દર્શનમાં અપેક્ષા-ભેદ એ ધણી મહત્ત્વની "ાબત છે. એક અપેક્ષાએ જે સત્ય હોય તે અન્ય અપેક્ષાએ “ન પણ હોય. અથવા અપૂણ પણ હોય. એક વ્યક્તિ માટે, એક સમાજ માટે, એક રાષ્ટ્ર માટે એક પ્રસંગ કે પરિસ્થિતિ માટે જે વાત સાચી હોય તે અન્ય વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે પરિસ્થિતિ માટે કદાચ સાચી ન પણ ુાય. કયારે વિભિન્ન પરિસ્થિતિ માટેનાં વિધાને પરસ્પર સંગત પણ હોઈ શકે. આપણી ઘણી કહેવતા, ઉકિતઓ, -કૃઢપ્રયોગો ઇત્યાદિમાં આવું જોઇ શકાય છે. ત માણ્યામાં “નવ ગુણ' અને ખાલે તેનાં ખેર વેચાય' જેવાં વાકયે `પરસ્પર વિરુદ્ધ છે, છતાં અમુક અપેક્ષાએ એમાં સત્ય પણ છે. પુરોગામી પ્રજાનાં અનુભવ અને ડહાપણુનું નવનીત “આપણને આવી ઉકિતમાં સાંપડે છે. જગતમાં સમયે સમયે નવા નવા ચિંતકા દારા નવી નવી ઉકિત સાંપડતી રહે છે. એમ કહેવાય છે કે અત્યાર `સુધીમાં જગતના મહાન ચિંતકાએ એટલા બધા વિચારો આપણને આપ્યા છે કે નવા વિચારોને કાઇ અવકાશ નથી, “નવી ભાષા અને નવી ગિના સ્વાંગ સજીને જે વિચાર અભિવ્યકત થાય છે તે નવા લાગે છે, પરંતુ તેનાં મૂળ આપણા પ્રાચીન ગ્રંથામાં કયાંક તે કયાંક મળી રહે છે. જીવન સતત પરિવત નશીલ છે, એટલે નવા સંદર્ભમાં “નવી ઉકિત વખતેાવખત પ્રચલિત બનતી રહેવાની. પર ંતુ ક્યારેક ભ્રામક ઉકિત પણ પ્રચલિત અને છે અને એવી ચબરાક ઉકિતઓ દ્વારા સમાજ કયારેક ગેરમાર્ગે દોરવાય છે. ઝુમણાં મુંબઈમાં એક જાહેર સ્થળ ઊપર બહુ મોટા અક્ષરે ખાયેલી આ પ્રમાણે ઉકિત વાંચવામાં આવી ‘A humble sinner is better than a proud saint.' એટલે કે -એક અભિમાની સત કરતાં એક વિનમ્ર પાપી વધુ સારા છે. મા ઉકિત જાણે કે પાપ અને પાપીનું ગૌરવ કરતી માહે તેવી ભાસે છે. એના વિશે ઊષ્મ વિચાર ન કરનાર માણુસ, વિનમ્ર બનીએ તો પાપ કરવામાં કશું ખોટું નથી, એવા ભ્રમ સેવવા લાગે છે. આ ઉકિતને ચબરાક બનાવવા માટે પરસ્પર વિરુદ્ધ એવા શબ્દો સામસામે મૂકીને એક પાસાને ચઢિયાતુ ખતાવવાના મિથ્યા પ્રયત્ન છે..એક પક્ષે સત અને ખીજે પક્ષે પાપી છે. પરંતુ સંતને પક્ષે અભિમાન અને પાપીને પક્ષે વિનમ્રતા મૂકીને તુલના કરવામાં આવી છે અને પાપીને ચઢિયાતા બતાવવામાં આવ્યા છે. અભિમાન કરતાં વિનમ્રતા એ ચડયાતા ગુણ છે, પરંતુ એટલા માત્રથી પાપી ચડિયાતા ખૂની નથી જતા. પ્રથમ દૃષ્ટિએ જોઇએ તો જે સંત હોય છે તે અભિમાની હાતા નથી અને જે અભિમાની હોય છે તે સંતની કાટિ સુધી પહોંચી શકતા નથી. કહેવાતા સાધુએ કે ઢોંગી સાધુઓ અને સંત વચ્ચે ફરક છે. તેવી રીતે સંત અને સંત વચ્ચે પણ ફરક હોય છે. કેટલાક સાધારણ ઉચ્ચ કાર્ટિના અને કેટલાક ઉચ્ચતમ કાટિના સંત હોય છે. સારા સાધુએ પણ કયારેક કાધ, અભિમાન, લાભ ઈત્યાદિ કરી બેસે છે. પરંતુ એમનામાં જો સાચું સાધુપણું હોય તો તે માટે તેમને તરત પશ્ચાત્તાપ થાય છે. તેઓ પોતાના એ દુર્ગુણુના તરત સક્ષમા એકરાર કરી લે છે અને ફરીથી એવા દુર્ગુણ પોતાનામાં ન આવી જાય તે માટે જાગૃત રહે છે. સાધુસ તેનુ એ લક્ષણ છે. તે આ લક્ષણ ન હોય તે તેમનામાં સાચુ સાધુપણું પ્રગટયુ નથી, માત્ર વેષથી જ તેઓ સાધુ છે એમ કહી શકાય. કેટલા બધા સદ્ગુણા હોય ત્યારે માણુસ સંતની કાટિએ પહેાંચે છે! અભિમાન જેવા એકાદ દુગુણુ બધા સદ્ગુણાને નાશ કરે છે એમ નહિ કહી શકાય. એક દુહુમાંથી ખીજા દુગુ ણા પ્રગટે છે અથવા સદ્ગુણા ઉપર એની અવળી અસર પડે છે તે સાચુ' છે, પરંતુ એ તે ક્રમે ક્રમે થતી ભવિષ્યની ઘટના છે. બધાંનાં જીવનમાં એ ન પણ બને. એક પાપી માણસ માત્ર નમ્ર ખતે એથી એ પાપી મટી જતા નથી. કયારેક પોતાનાં પાપાને છુપાવવા માટે માણુસ નમ્રતાના અંચળા ધારણ કરતા હાય છે.(નમન નમનમેં મેવ હૈ વહુત નમે નાયાન ।) પાપી ખરેખર વિનમ્રપ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy