________________
Regd. No. MH. By/South 84 lounce No. : 37
પ્રબુદ્ધ જૈન'નું નવસ'સ્કરણુ વર્ષ' : ૪૫ કઃ ૧૧
प्रजुद्ध भवन
સુઈ જૈન યુવક સલનુ' મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ રૂા. ૧-૦૦
આબઇ, તા. ૧૬–૧૦-૮૩ ગાર્ષિક લવાજમ રૂા. ૨૦ પ્રદેશ માટે શિલિ`ગ ૬૦
તંત્રી : રમણલાલ ચી. શાહુ વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા
ૐ રમણલાલ ચી. શાહુ
એક ચીની ફિલસૂફે કહેલુ કે હું છાપુ' કયારેય વાંચતા નથી. દુનિયાની જે કાઇ સારી બાબતે હશે તેના સમાચાર ક્રૂરતા કરતા આજે નહિ તો કાલે, કે ભવિષ્યમાં કયારેક મારી પાસે આવ્યા વગર રહેશે નહિ. જે સમાચાર મારી પાસે નહિ આવે તે જાણવા જેવા નહિ હોય અને એથી મારે કશું ગુમાવવાનું નથી એમ હું માનીશ.'
ઉદત (સમાચાર) પત્રામાં જાણવા જેવી અને ન જાણવા એવી એવી ઘણી બધી વાતા છપાતી હોય છે. દુનિયામાં પ્રતિ ક્ષણ અવનવી ઘટનાઓ બનતી રહે છે અને આધુનિક સાધનો દ્વારા એના સમાચાર આખી દુનિયામાં પ્રસરી જાય છે. રેડિયા, ટી. વી. અને ઉપગ્રહેાની મદદ દ્વારા ધરમાં બેઠાં ખેઠાં કેટલીયે ઘટના નજરે નિહાળી શકાય છે. એમ છતાં છાપાંઓનુ` મહત્ત્વ ધટશે નહિ, કારણ કે તે ગમે ત્યારે નિરાંતે વાંચી શકાય છે. એમાં સમાચાર સવિગત હાય છે, અને રેડિયા તથા ટી. વી. દ્વારા ન આવી શકાય એવા દુનિયાભરના વિવિધ પ્રકાણુ` સમાચાર પણ હોય છે.
સવારનું છાપુ બપોર પછીથી વાસી થઈ જાય છે, કારણ કે સમાચારોની દૃષ્ટિએ દુનિયા થાડા કલાકામાં જ શ્રેણી આગળ નીકળી ગઈ હોય છે. એટલે થાડા સમયમાં જ છાપું ભૂતકાળની એક ધટના કે ઇતિહાસનું એક પાનુ ખની જાય છે. છાપામાં છપાતા સમાચારમાં તત્કાલીન કે તક્ષ્ણુનુ સત્ય વિશેષપણે રહેલું હોય છે. રમતગમતના આંકડા હાય ક યુદ્ધની ખુવારીના આંકડા હોય, તે સમય માટે જ એ સાચા હોય છે. એટલે કે વર્તમાનપત્રના સમાચારાનુ સત્ય એ બહુધા સાપેક્ષ સત્ય હોય છે. વિશિષ્ટ કાલસ ંદર્ભ'ની દૃષ્ટિએ જે વાત સત્ય જણાઇ છે એ જ વાત અન્ય અપેક્ષાએ અન્ય - કાલસંદર્ભ માં એટલી સાચી ન પણ લાગે, છાપાંઓમાં કેટલીક વાર પહેલા અને વચલા પાનામાં એકની એક ખાબત વિશે
પરસ્પર વિરુદ્ધ સમાચાર છપાઈ જાય છે. તેનુ કારણ આ જ છે.
વર્તમાનપત્રના પત્રકારોએ બહુ ઓછા સમયમાં ઘણી બધી માહિતી એકઠી કરી લેવાની હોય છે. વ માનપત્રો ખારે માસ સમયની કટોકટીમાંથી પસાર થતા હોય છે. એટલે કયારેક ઉતાવળે અધૂરા સમાચાર પણ છપાઈ જતા હોય છે. અજાણતાં પણ કેટલીક વખત અધ સત્ય રજૂ થઇ જતું હોય છે.
ઘટના એક હોય, પરંતુ જોનારનાં દષ્ટિકાણુ જુદા જુદા ડાય તો એકની એક ઘટનાની રજૂઆત જુદા જુદા માણસે
દ્વારા જુદી જુદી દષ્ટિથી થાય કે જે પરસ્પર વિરૂદ્ધ પશુ હોઇ શકે. યુરોપના એક ઇતિહાસકાર માટે એમ કહેવાય છે કે એમણે રસ્તામાં એક અકસ્માત નજરે બનતા જોયા. એ જ અકસ્માત વિશે એમણે ત્યાં ઊભેલાં કેટલાક માણુસે સાથે વાતચીત કરી તા જણાયુ કે અકસ્માતને નજરે જોનાર માણસાનાં વૃત્તાંતેમાં ક્રક પડી જતા હતા. એમાં પણ અકસ્માતમાં સડાવાયેલા જુદા જુદા માણુસેાના સ્વજનાની રજુઆત પરસ્પર વિરૂદ્ધ હતી. ઇતિહાસકારને થયું કે જે અકસ્માત પાતે નજરે જોયા છે તેના નિવેદનમાં પણ જે આટલા બધા ફરક પડી જતા હોય તે ભૂતકાળમાં ખસે પાંચસે. વર્ષ પહેલાં બનેલી ધટના વિશે જે માહિતી પોતાની પાસે આવી છે તેમાં પૂર્ણ સત્ય કેવી રીતે હોઇ શકે? એમ વિચારતાં ઇતિહાસલેખનમાંથી એમના રસ ઉડી ગયા હતા. જેમ ઇતિહાસમાં તેમ વતમાનપત્રોના વૃતાંત નિવેદનમાં પણ જે તાટસ્થ્યની ઊણપ હાય તા કેટલીકવાર માત્ર એક કિાણુનું જ સત્ય તે પ્રગટ કરે છે, એમ કહી શકાય.
સત્યને પ્રકાશિત કરવામાં વતમાનપત્રાના ધણા મોટા કાળા હોય છે. પત્રકાર પાસે કાઈ પણ વાતને જાહેરમાં મૂકવાનું એક સબળ શસ્ત્ર હોય છે. એથી જાહેર જીવનમાં પડેલા કેટલાક માણસા પોતાની નિ`ળતા પ્રગટ ન થઇ જાય એ માટે પત્રકારથી ડરે છે. કયારેક તે પત્રકારને લાલચ આપી પેાતાની નબળી વાત પ્રગટ થતી અટકાવે છે. પત્રકાર દ્વારા કેટલીકવાર આમ સત્ય ઢંકાઈ જતુ હોય છે તે કેટલાક પત્રકારો કશી પણ લાલચને વશ થયા વગર નિભીક રીતે, કયારેક તા જાનના જોખમે પણુ, સત્ય પ્રગટ કરતા હોય છે. પત્રકારની સત્યનિષ્ઠા આવે વખતે એને માટુ' ગૌરવ અપાવે છે. આવે પ્રસંગે એવા બાહોશ પત્રકારો દ્વારા સમાજસેવા કે રાષ્ટ્રસેવાનાં મોટા કાર્યો થાય છે. વેટરગેટ કૌભાંડ હોય કે અતુલ પ્રકરણ હાય, એને પ્રગટ કરવામાં પત્રકારોના ધણા મોટા હિસ્સા હોય છે. ઉચ્ચાસને બેઠેલા દંભી અને કંપડી માણસાના તરકટાની વાત નીડર અને સત્યનિષ્ઠ પત્રકાર દ્વારા જાહેર જનતા સુધી પહોંચી શકે છે.
વતમાનપત્રની કચેરીમાં પ્રતિક્ષણ ચારેબાજુથી વાતાલ વાતી હોય છે. જે સમાચાર સમાજમાં એક રીતે પ્રચલિત હાય એ સમાચારોની પાછળ કેવાં કેવાં વહેણુ અને વમળે કામ કરતાં હોય છે તેની સાચીખેાટી વાતા પત્રકાર સુધી