________________
તા. ૧-૭-૮૩
પ્રબુદ્ધ જીવન
(૪) પત્રકારત્વ અંગે પરિસંવાદ
સંધના ઉપક્રમે પ્રતિવર્ષ એક પરિસંવાદનું આયોજન કરવાનું શ્રી અમરભાઈ જરીવાલાએ સૂચન કરતાં (૧) શ્રી અમર જરીવાલા (૨) શ્રી સુબોધભાઈ એમ. શાહ (૩) શ્રી ગણપતભાઈ એમ. ઝવેરી (૪) ડે. ધનવંત ટી. શાહ (સંયોજક) અને (૫) શ્રી પન્નાલાલ ૨. શાહ (સંયોજક) એમ પાંચ સભ્યોની ઉપસમિતિની નિમણુક કરવામાં આવી હતી.
ઉપસમિતિના અહેવાલ અને તા. ૩૦-૫-૧૯૮૩ના રોજ મળેલી કાર્યવાહક સમિતિની સભાની બહાલી અનુસાર શુક્રવાર, શનિવાર અને રવિવાર, તા. ૩૦-૯-૧૯૮૩ અને તા. ૧ અને ૨, ઓકટોબર, ૧૯૮૩ના રોજ શ્રી ભારતીય વિદ્યા 'ભવનના (ચપટી, મુંબઈ ૪૦૦ ૮ ૮૭) સભાગૃહમાં આ વર્ષે પત્ર: કારત્વ અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવાર, તા. ૩૦-૮-૧૯૮૩ ના રોજ સાંજના ૬ -૦ કલાકે પરિસંવાદનું ‘ઉદ્ધાટન; શનિવાર તા. ૧-૧૦-૧૯૮૩ ના રોજ સવારના ૯-૩૦ કલાકે પત્રકારત્વ, સામાજિક પ્રતિબદ્ધતા અને મૂલ્ય એ વિષે પ્રથમ બેઠક; એ જ દિવસે બપોરના ૩-૦ કલાકે પરિવતનની પ્રક્રિયામાં પત્રકારત્વઃ આઝાદી પહેલાનું અને આઝાદી પછીનું” એ વિશે દ્વિતીય બેઠક અને રવિવાર, ‘તા. ૨-૧૦-૧૯૮૩ના રોજ સવારના ૯-૩૦ કલાકે “શું પત્રકાર સ્વતંત્ર છે?” એ વિષે તૃતીય બેઠક અને સમાપન એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. વ્યાખ્યાતાઓ આદિ વિગતે હવે પછી નકકી થશે. સમગ્ર પરિસંવાદના પ્રમુખસ્થાને સંધના અધ્યક્ષ છે. રમણલાલ ચી. શાહ બિરાજશે. (૫) કેસેટ લાયબ્રેરી
પુસ્તકાલય અને વાચનાલય એ સંઘની મહત્ત્વની પ્રવૃત્તિ છે. એમાં યુગાનુસાર થતાં વિકાસ અને જરૂરિયાત મુજબ એ પ્રવૃત્તિને વિસ્તારવી જોઇએ. આ બાબતને લક્ષમાં રાખી સંધના ઉપક્રમે કેસેટ લાયબ્રેરી શરુ કરવાને તા. ૩-૯-૧૯૮૨ ના રોજ મળેલ કાર્યવાહક સમિતિએ નિર્ણય કર્યો હતો. તદનુસાર જીવનને ઉન્નત બનાવે એવા પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રવચન ઉપરાંત પૂ. મુરારિબાપુની રામાયણની, શ્રી ઇન્દુબેન "ધાનક અને અન્ય કલાકારોના ભકિત સંગીતની કેસેટો વસાજવવામાં આવી છે. ડિપોઝીટ રૂ. ૫૦ અને રોજના રૂ. ૧ લેખે નિભાવ ખર્ચ લેવામાં આવે છે. સૌને આ કેસેટ લાયબ્રેરીને લાભ લેવા વિનંતી છે. (૬) મહાવીર જયંતી :
સંધના ઉપક્રમે પ્રથમવાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે રવિવાર, તા. ૨૪–-૧૯૮૩ ના રોજ સવારના ૮-૩૦ કલાકે બિરલા કીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ-૪૦૦ ૦૦૭ ખાતે (જન્મ જયંતીના આગળના દિવસે
રવિવાર હોવાથી એ દિવસે આજન કરવામાં આવ્યું જ હતું. શ્રમણ ભગવાન મહાવીરની જન્મ જયંતી સેમવાર, - તા. ૨૫-૪-૧૯૮૩ ના હતી.) એક દિવસની વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની વિગત નીચે મુજબ છે વ્યાખ્યાતા
વિષય ૧. પ્રા. તારાબેન શાહ ભગવાન મહાવીરને
- સંદેશ પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ આત્મશોધક પ્રભુ
મહાવીર ૩. પૂ. મહાસતીશ્રી પ્રીતિસુધા- ભગવાન મહાવીર:
શ્રીજી વતમાન સંદર્ભમાં ૪. શ્રી બંસીભાઇ ખંભાતવાળા ભકિત સંગીત (૭) સર્વોદય સંમેલન, થામણા
અખિલ ભારતીય ધરણે કે પ્રાદેશિક સ્તરે યોજાતા મહત્ત્વના પરિસંવાદ, કોન્ફરન્સ, અધિવેશન કે સંમેલનમાં સંધના બે પ્રતિનિધિઓને મોકલવાનો નિર્ણય વખતેવખત સંઘની કારોબારી સમિતિ કરે છે. થામણા ખાતે તા. ૨૮ અને ૨૯મી સપ્ટેમ્બર, ૧૯૮૨ના રોજ સર્વોદય સંમેલનનું આયેાજન થયું હતું. સંઘના પ્રતિનિધિ તરીકે કાર્યાલયમંત્રી શ્રી શાંતિલાલ ટી. શેઠને મોકલવામાં આવ્યા હતા. આ સંમેલનને અહેવાલ “પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૧૧-૧૯૮૨ના અંકમાં આપવામાં આવ્યા હતા. (૮) રાહત કાર્યો
કુદરતી કે માનવસર્જિત હોનારત કે આફતના સમયે માનવતાના દૃષ્ટિકોણથી યથાશય પ્રયત્નો દ્વારા માનવીને બેઠાં કરવા એ આપણી પરંપરા છે. તદનુસાર ગુજરાતસૌરાષ્ટ્રમાં ગત દીવાળીના તહેવારો દરમિયાન વાવાઝોડાથી થયેલી હોનારતમાં સપડાયેલા અને હતાશ થયેલાં આપણા બંધુઓને બેડાં કરવા સૌ કોઈએ કદમ ઉપડયા. એ પ્રમાણે સંધે પણ આ પ્રયત્ન કર્યો હતે. આપણી ટહેલના પ્રત્યુત્તરમાં ગુજરાત-સૌરાષ્ટ્ર વાવાઝોડા રાહત નિધિમાં રૂ. ૧૯,૫૩૧-૦૦ મળ્યા. તે પૈકી રૂ. ૧૭,૯૩૧-૦૦ ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને રાહત કાર્ય માટે આપવામાં આવ્યા. સણોસરાની શૈક્ષણિક સંસ્થા લેકભારતીને થયેલાં નુકસાન માટે રૂ. ૨,૫૦૦-૦૦ એ સંસ્થાના ટ્રસ્ટી અને ગુજતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી મનુભાઈ પંચોળીએ (શ્રી ઈશ્વર પેટલીકર, શ્રી રઘુવીર ચૌધરી, ડે. કુમારપાળ દેસાઈ આદિ સાથે) સંધની મુલાકાત લીધી ત્યારે આપવામાં આવ્યા હતા.
એ જ રીતે આસામ રાજ્યની વિધાન સભાની ચૂંટણી દરમિયાન હિંસક આદોલનને ભોગ બનેલાઓને પુનર્વસવાટ ન થાય ત્યાં સુધી આસામમાં ઠેર ઠેર છાવણીઓ ઊભી કરવામાં આવી હતી અને જાત દેખરેખ હેઠળ રાહતનું કાર્ય આસામ રાહત સમિતિએ હાથ ધયું હતું. ગુજરાત રાજ્યના એક વખતના મુખ્ય મંત્રીશ્રી બાબુભાઈ જશભાઈ પટેલ આસામની મુલાકાત લઈ સંધ તરફથી જાએલ વસંત વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે આવ્યા ત્યારે તેમણે ત્યાંની પરિસ્થિતિને “આંખે દેખે અહેવાલ આપ્યા હતા. આ રાહત કાર્ય માટે તે આસામમાં રહેવાના હતા અને રાહત કાર્ય માટે જરૂરી રકમની એમણે જાહેર ટહેલ નાંખી. આ પ્રસંગે સંધ તરફથી રૂ. ૧૦,૦૦૦ને બેન્ક ડ્રાફટ આસામ રાહત સમિતિને આપવા માટે શ્રી બાબુભાઈ જશભાઈ પટેલને આપવામાં આવ્યું હતું. કહેવાની ભાગ્યે જ જરૂર હશે કે આ બન્ને રાહત કાર્યો માટેની મોટા ભાગની રકમ સંધની કાર્યવાહક સમિતિના સભ્ય અને અંતરંગ વર્તુળમાંથી જ સંધને પ્રાપ્ત થઈ હતી. અમે આ તકે સૌ દાતાઓને ત્રણ સ્વીકાર કરીએ છીએ. (૯) ગ્રંથ પરિચય પ્રવૃત્તિ
જુદી જુદી ભાષામાં અને આપણી માતૃભાષામાં પણ ઉમદા પુસ્તક બહાર પડે તે પણ કેટલીક વખત એની જાણ આપણને થતી નથી. આવી માહિતી અવારનવાર મળતી રહે અને એવા પુસ્તકને વિગતે પરિચય થાય એ માટે અભ્યાસ વર્તુળના ઉપક્રમે ગ્રંથ પરિચયની પ્રવૃત્તિ શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય અને ઉત્તમ પુસ્તકો વસાવવા સભ્યને માર્ગદર્શન મળી રહે એ આ પ્રવૃત્તિને હેતુ છે. એમાંથી પુસ્તક બેન્કની પ્રવૃત્તિ પણ વિકસી શકે. ‘અભ્યાસ વતૃળ'ના સોજક શ્રી સુધભાઈને આ કાર્યમાં શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ અને શ્રી - પન્નાલાલ