________________
તા. ૧૬-૫-૮૭
પ્રબુદ્ધ જીવન
ખરા વિજય માટેની જીવન સાધના
જી ડૉ. ગુણવંત શાહુ
એક માણુસ ખીજા માણસ સાથે સુજનતાભર્યાં વ્યવહાર રાખે એટલી અપેક્ષા રાખનારા આ દુનિયા પર મેાટી સખ્યામાં જીવે છે. કદાચ દુનિયા આટલી સાદીસીધી મૂળભૂત અપેક્ષા રાખીને જીવતા બહુસખ્ય માસાને કારણે જ હજી રકી રહી છે. પ્રશ્ન એ થાય કેઃ મા વચ્ચેની સુજનતાના પાયામાં કઈ બાબત હોઈ આવી સુજનતાના પાયામાં હિંસા હેાઇ શકે ખરી ? સુજનતાની આધારશિલા વેર હોઇ શકે ? પરિગ્રહવૃત્તિ સુજનતાનું આધરબિંદુ ખની શકે ખરું? ઘડીભર બધા જ ધર્માંને બાજુએ મૂકીએ તે ય એટલું કહેવુ પડશે કે માણસમાણસ વચ્ચેના સુજનતાભર્યા સુમેળ માટે અહિંસા, અવેર અને અપરિગ્રહને જીવનમાં યોગ્ય સ્થાન આપવું રહ્યું .
આવી
મે માણસા વચ્ચેની તકરારના ઉકેલ બળપ્રયોગથી જ આણવાની વાત હોય તે સમજી લઇએ કે પશુઓમાં પણ એ રીત પ્રચલિત છે. જો વેર ભૂલવાનુ કે વેરવૃત્તિને ઠંડી રાખવાનું કાઈ મૂલ્ય ન હોય તા એટલુ સ્વીકારી લઇએ કે એવી વૃત્તિ માનવ માનવ વચ્ચેના સુમેળને પોષનારી નથી. જો ભેગુ' કરી કરીને સઘળું પચાવી પાડવાના છૂટી દોર મળે તે સમાજમાં સુમેળ ટકી રહે એ શકય નથી જણાતું. જે સમાજમાં હિંસા, વેર અને પરિગ્રહની જ ખાલબાલા હોય એ સમાજના સભ્યો વચ્ચે મારામારી, ક્રૂષ અને ઝુંટાઝુટને જ વ્યવહાર હાઈ શક; સુજનતાના નહી. આવા સમાજમાં ન ગમતા કે પછી ન જોઇતા માણસને ઢાળી દેવાના કે ધાયલ કરવાના રિવાજ હોઇ શકે. આવા સમાજમાં કાઇ મને નુકસાન પહોંચાડે તે એને નુકસાન પહોંચાડયા સિવાય હિસાબ ચુકતે કરવાના ખીજો કાઇ માગ ન રહે, આવા સમાજમાં દસ કરી ખાવા માટે પંદર માણસા હોય તે પ્રત્યેક માણસ વધુમાં વધુ કરી પડાવી લેવાની જ કાશિશ કરે અને કયારેક એકાદ પરિગ્રહ-સમ્રાટ પંદરે પંદર કરીએ પડાવી લે એમ પણ બને. કહેવાતું એટલું જ કે અહિંસા, અવેર અને અપરિગ્રહના આદર્શને પૂરી સમગ્રતાપૂર્વક અમલમાં ન મૂકનારા સમાજે પણ મૂલ્ય તરીકે તો એ જ આદર્શોને આદરભર્યુ સ્થાન આપવું રહ્યું. મૂલ્ય હિંસાનુ, વેરનું કે પરિગ્રહનું હોઈ ન શકે. મૂલ્ય મારામારી, કાંપાકાપી, અદેખાઇ, દ્વેષ, ખલા લેવાની વૃત્તિ કે મારીખથાટીને પડાવી લેવાનું કે ભેગું કરવાનુ ન હોઈ શકે. આજથી લગભગ અઢી હજાર વર્ષો પહેલાં ભગવાન મહાવીર સ્વામીએ અહિંસાને, અવેરને અને અપરિગ્રહને પાયાનાં મૂલ્યો તરીકેની પ્રતિષ્ઠા આપીને લેાકકેળવણીતુ, લાકક્રાંતિનુ અને મૂલ્યપરિવનનું મહાન કામ કર્યુ
માણસ
શકે ?
આવી
થોડા વખત પર એક નવલકથા બહાર પડી, જેનું નામ છે: 'Worldy Goods' અને લેખક છે, માઈકલ કારા. નવલકથા, હિટલરના જીવન પર આધારિત છે અને એમાં હિટલરને શાકાહારના હિમાયતી બતાવવામાં આવ્યો છે. એ નવલક્થામાં પોલ ાસ્ટરના પાત્રના મેાંમાં લેખકે બે સુંદર વાકયા મૂકયાં છેઃ
(૧) વેરની વાનગી તો ઠંડી પડે પછી જ આરોગેલી સારી, (The dish of revenge is best eaten cold).
(૨) સુંદર રીતે જીવવું એ વેર લેવાને ઉત્તમ માગ છે. (Living well is the best revenge ).
કાઈ મહાત્માના મેમાં જ શોભે એવાં આ વાકયેા હવે આજની દુનિયાની વાસ્તવિકતામાં સામાન્ય માણસે પણ સમજીને આત્મસાત્ કરવાં પડશે.,
૧૩
ભગવાન મહાવીરની એક મૌલિક દેણુગીનું સ્મરણ કરી લઈએ. ‘વિજય' શબ્દ સાથે હંમેશાં ખીજે માણસ (The other person), ખીજો પક્ષ, બીજો સમાંજ, `ખીજુ રાજ્ય આપે.આપ જોડાઇ જાય. કશુંક અવર ન હોય તે વિજય માટે કાઇ જ ગૂંજાઈશ રહેતી નથી. કાઇક વિજેતા અને તે માટે બીજે કાઇક પરાજિત, અને એ અનિવાય ગણાય. કાઈ જ હારે નહી, ત્યાં સુધી કાઇ જીતે શી રીતે? ટૂંકમાં વિજય પણ પરાજયના આશિયાળા જ ગણાય! જ્યાં વિજય-પરાજયનું દ્વન્દ્વ (Dichotomy) હોય ત્યાં હિંસા, વેર, રાગ, દ્વેષ, પરિગ્રહ, પૂર્વગ્રહ, દુશ્મનાવટ અને અસૂયા જેવાં દૂષણા આપમેળે ચાલ્યાં જ આવે. મહાવીર સ્વામીએ ‘વિજય’ શબ્દને એક નવા જ આયામ (ડાઇમેન્શન) આપ્યા. જીતવી જાતને સારી, અન્યને જીતવા થકી,' આ પતિમાં વિજય અવરપા (Otherness) માંથી છૂટકારા પામતા જણાય છે. વિજય કાઇક પર નહીં, પેાતાની પર મેળવવાના છે. વિજય પોતાની જ વૃત્તિ અપર્યાપ્તતાએ પર અને ઇન્દ્રિયો પર મેળવવાની મહાવીરસ્વામીએ કરી. સિકંદરના વિજય ’માં અને મહાવીરના વિજય' માં પાયાના કુરક છે. ખા ‘વિજય’ બીજાં રાજ્ય કે દેશ કે સમાજ પર મેળવવાના નથી. આવેા વિજય તો કયારેક હિટલર જેવા આદુંમી ય મેળવી શકે. પેાતાની વૃત્તિએ પર વિજય પ્રાપ્ત કરવાનું શત્રુને પરાજિત કરવા કરતાં અનેકગણુ મુશ્કેલ છે એ વાત મહાવીરે આપણને સમજાવી. આપણા જીવનમાં અને છે એવું કે આપણે ધણુંખરું ઇન્દ્રિયાના તાબામાં હોઇએ છીએ; ઇન્દ્રિયા આપણા કહ્યામાં નથી હોતી. આ અમાં આપણે ઇન્દ્રિયાનાં ગુલામ હોઇએ છીએ. આવા ગુલામ માણસ કાઇ બીજા માણુસ કે વિસ્તાર પર કબજો જમાવે તે ય અંદરથી તા ગુલામ જ રહી જવા પામે છે. કહેવાતા સમ્રાટ પણ આ અથ માં સમૃદ્ધ ગુલામેા' જ હતા તે! મહાવીરે આવી અંદરની ગુલામી'માંથી છૂટવાનો માર્ગ બતાવ્યા.
જાત
પર,
વાત
કાઈ મને ગાળ દઇ જાય અને હું કલાકા સુધી વિહવળ બની રહું તે, હું સ્વતંત્ર ગણાઉ ખરી ? એક ટક ખાવાનુ ન મળે એટલામાં માણસાને ઊંચાનીચા થઈ જતા આપણે નથી જોતા ? એકાદ અણગમતી બાબત આપણા આખા દિવસ ખારા બનાવી મૂકે છે. આ બધુ એટલું જ સૂચવે છે કે આપણે અંદરથી ગુલામ છીએ. માનવીને આવી તે કઈ કેટલી ખાખતા પજવે છે. આવી પજવણી એ જીવનભર સહન કરતા રહે છે, ગુલામની માક. આવી પજવણીમાંથી છૂટવા એ સતત ઝ ંખે છે. આ ઝંખના એ સ્વરાજ્યની ઝ ંખના છે; સાચા વિજયની ઝંખના છે. આવા ખરા વિજય માટે મથવુ' એ જ જીવનસાધના. આ એવા વિજય છે, જેમાં બીજા કાને પરાજય હોતા નથી.
આવી વનસાધનાના મમાં સમજનારા ભગવાન મહાવીરે જગતને અહિંસાને સદેશ આપ્યા. અણુયુદ્ધના આથાર નીચે જીવતી આજની ત્રસ્ત, ગ્રસ્ત, અસ્વસ્થ પ્રજા માટે મહાવીર પ્રભુના આ સ ંદેશની પ્રસ્તુતતા ધણી છે. એમના અહિંસાના દેશની અવગણના આપણે સવનાશ નેતરીને જ કરી શકીએ.
વિગ્રહ અને પરિગ્રહ વચ્ચેનુ સગપણ સદીઓ જૂનુ છે. જે સ્વામીત્વ છેડે તે જ ખરી સ્વામી. આ અર્થમાં મહાવીર પ્રભુ ઔદાય'ના સ્વામી હતા.
અહિંસા પરમેા ધમ” એ સૂત્ર કેવળ ખાલવાનું સૂત્ર નહી, પરંતુ વિશ્વશાંતિની ઝંખના ધરાવતી પ્રજાનું જીવન સૂત્ર બની રહે એવી પરિસ્થિતિ વિજ્ઞાને સજ છે.
આપણે હવે આપણી રસમ અલ્પે જ છૂટકા છે.