________________
V
મુખપૃષ્ઠ-૪
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
નીડર વિચારકનું નેતૃત્વ
પ્રસ્થાન’માં, લગભગ ૧૯૩૫ આસપાસ, એક તરુણ સૉલિસિટરના ઐતિહાસિક નવલકથા ઉપર લેખો આવતા હતા. એક વાર ગિરગામ રોડ ઉપર ચાલતો જતો હતો અને એક મકાન ઉપરથી મિત્ર ઘીવાલાએ તાળી પાડીને મને ખોલાવ્યો. એસ. એન. ડી. ટી. કૉલેજમાં દિવસનો થોડોક વખત એ સમાજશાસ્ત્ર ભણાવવા જતા. એમણે અંગ્રેજીના અધ્યાપક ઉમેદભાઈ મણિયારની અને થોડોક સમય માનસશાસ્ત્ર ભણાવવા જતા એક સૉલિસિટરની ઓળખાણ કરાવી. આ બીજા સજ્જનની પહેલી ખાસિયત તો એ કે સોલિસિટર અને પાટલૂન નહીં! (ધોતિયું, ધોળો લાંબો કોટ અને ધોળી ટોપી એમની ગૌર, પાતળી, ઊંચી દેહયષ્ટિને સારાં શોભતાં.) બીજી ખાસિયત, સામાન્ય રીતે કાયદામાજી અંગે જોડાયેલી કોઈ વસ્તુ ચહેરા પર કે અદામાં ન મળે. મળે સામેથી હસતું મોં અને નરમાઈ. હા, આંખમાં બુદ્ધિની ચમક છૂપી ન રહેતી અને એનો પહેલી પાંચ મિનિટમાં જ પૂરો પ્રભાવ છાઈ રહેતો. ત્રીજી ખાસિયત, ખોલતાં સહેજ જીભ અટકે તે. (હું માનતો નથી કે એટલા માટે એમણે કોર્ટમાં કેસ લડવાને બદલે સૉલિસિટરની કામગીરી પસંદ કરી. ઘણીવાર એમને જાહેરમાં ખોલતા સાંભળ્યા છે, જીભે જરીકે દગો દીધો નથી.)
સૉલિસિટર ચીમનલાલ ચકુભાઈ શાહ સાથે સહેજે આત્મીય સંબંધ થઇ ગયો, એ ઘનિષ્ઠ અન્યો અમદાવાદમાં ગાંધીજીને પ્રમુખપદે સાહિત્ય પરિષદ મળી ત્યારે. પરિષદના પ્રમુખ ગાંધીજી અને અને બલવંતરાય આદિ ઝંખતા હતા તે ‘પરિષદ્ર મુક્તિ” સિદ્ધ ન થાય એ ઠીક નહીં. અમે ઘણા બધા એ માટે પ્રયત્ન કરતા હતા. ગાંધીજીએ મુલાકાતનો સમય આપ્યો. શ્રી હંસાબેન મહેતા, સ્નેહરશ્મિ, સુંદરમ્, રામપ્રસાદ શુક્લ, ચીમનલાલ ચકુભાઈ અને હું મુલાકાતે ગયા. પરિણામ એ આવ્યું કે બંધારણને નવું રૂપ આપવા પરિસ્થિતિ સમજી જઈને, મુનશી જ ઠરાવ મૂકવા આગળ આવ્યા. ગાંધીજી તો ગાંધીજી. એમણે કહ્યું, ઠરાવ પ્રમુખસ્થાનેથી મૂકાશે. નાની એક સમિતિ ગાંધીજીને પ્રમુખપદે નિમાઈ, તેમાં સંસ્થા તરફથી મુનશી અને ફેરવિચાર માગનારાઓમાંથી સ્નેહરશ્મિ, ચીમનલાલભાઈ અને હું સભ્યો તરીકે હતા. જૂન ૧૯૩૭માં ગાંધીજીએ વર્ધામાં એક આખો દિવસ આ કામ માટે ફાજલ રાખ્યો. મુનશીજીસીધા, હિમાલયમાં ક્યાંક આરામ માટે ગયેલા ત્યાંથી, વર્ધા આવે અને અમે મુંબઈથી જઈએ એમ ર્યું, અમે ત્રણ ઊપડ્યા પણ ગાડીમાંથી સવારે જાગ્યા ત્યાં ઇચલકરંજી આગળ ગાડી અટકી ગયેલી જોઈ, તાજા આવેલા વરસાદે કરેલા ધોવાણના કારણે અમે પાછા ફર્યાં. સમિતિ કદી મળી નહી. પછીના વરસે સમિતિએ કાંઈ કામ કર્યું નથી કહી શ્રી મુનશીએ તે વિખેરી નાખી.
દેશના પ્રાંતોમાં લોકપ્રિય સરકારો સ્થપાઈ. મુનશીજી મુંબઈમાં ગૃહપ્રધાન થયા. ચીમનલાલભાઈ પણ સરકારને કાયદાની મદદ આપવામાં રોકાયા એવું સ્મરણ છે, પરિષદ અંગે મુનશીજીની નજીક એ સર્યાં, પરિષદના મંત્રી અન્યા. પણ ૧૯૪૩માં ‘હિંદ છોડોની લડત ચાલતી હતી ત્યારે વડોદરાના સાહિત્ય પરિષદ સંમેલનમાં અમે પરિષદના એક
તા. ૧-૧-૧૯૮૩
ડૉ, ઉમાશંકર જોશી
માજી પ્રમુખ ગાંધીજી અને અન્ય સાહિત્યકારો જેલમાં હતા તે અંગે ઠરાવ લાવ્યા, ત્યારે શ્રી મુનશીએ ભાવનગરના દીવાન અનંતરાય પટ્ટણી જેવાઓને ખ્યાલમાં રાખી કહ્યું કે કેટલાકને ઠરાવ ગમશે નહીં, તે વખતે તેમની સાથે મંચ પર બેઠેલા શ્રી ચીમનલાલભાઈએ ઊભા થઈને દૃઢપણે કહ્યું કે આ ઠરાવ પસાર નહીં થાય તો અહીં કેટલા બધાને નહીં ગમે તે વિચારવું જોઈએ. રાવ પસાર થયો, ગૌરવપૂર્વક, એનો યશ ચીમનલાલભાઈને હતો.
ચીમનલાલભાઈની સૉલિસિટર તરીકેની કામગીરી તો તેજસ્વી હતી જ. એમની મેધા એવી કામહુધા જેવી હતી કે એઓ બંધારણ સભાના સભ્ય તરીકે નિમાયા, અને પહેલી પાર્લામેન્ટના સભ્ય તરીકે ગયા. સંસદસભ્યોની પ્રથમ પહેલી કામગીરીમાં ચીમનલાલભાઇનો ફાળો ઝળહળતો હતો. બીજીવાર એમને, મને એવું લાગ્યાં કર્યું છે કે, આપણી નેતાગીરીએ ટાળ્યા. મહુ તેજ ન ખપે, અને બીજી બાજુ એ પણ છે કે તેજસ્વી મૌદ્ધિકોને રાજકારણમાં અનિવાર્યપણે જરૂરી એવી ભૂમિકા (બેઇઝ) ઘણુંખરું ન મળે,
સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ખાસ કરીને પરમાનંદભાઈ કાપડિયાના સાથમાં, તેઓ કરતા. પરમાનંદભાઈના મૃત્યુ પછી 'પ્રબુદ્ધ જીવનનો ભાર એમને શિરે આવ્યો. ઉચ્ચ વૈચારિક ભૂમિકાએથી લખાતી એમની નોંધો ગુજરાતીભાષી સમાજનો અભિપ્રાય ઘડવામાં કીમતી ફાળો આપવા લાગી, કટોકટી વખતે એની ઉપર શગ ચઢી.
એક વખત ડૉ. રમણલાલ શાહને ત્યાં હું ઊતરેલો અને અમે જમવામાં ભેગા થયા. તેઓ લાંબા સમય સુધી ઇન્દિરા ગાંધી તરફી વલણ ધરાવતા હતા. કજિયા ખાતર કજિયો કરવો એવું વલણ ન ધારણ કરવા અંગે તેઓ સાવધ રહેનારા હો, પણ પાયાના સિદ્ધાંતની વાત આવે ત્યાં જરીકે માંડવાળ કે ઢીલાશ એમને ન ચાલે. એમણે મને પોતે કઈ ક્ષણે વિચારથી બદલાયા તેની વાત કરી, અખારી સ્વાતંત્ર્ય પર તરાપ આવી અને તેઓ ચોંક્યા. એક લેખ શાસક તરફી લખેલો તે રઢ કર્યો અને નિર્ભયપણે સરમુખત્યારશાહી વલણની સામે ઊભા. (મારી સ્મૃતિમાં ૧૯૪૩ની પરિષદ્મની એમની સેવા ચમકી ગઈ.)
ટોકટીમાં ચીમનલાલભાઈ ફ્રેશને પડખે અડીખમ ઊભા. પ્રમુખીય પદ્ધતિ અને એવા વિષયો પર અંગ્રેજીમાં એમણે મુંબઈમાં વ્યાખ્યાનમાળા યોજેલી, તેઓ, વ્યાખ્યાતાઓ સમેત પકડાયા નહીં તે જ નવાઈ હતી.
જનતા શાસન દરમિયાન પણ શાસકોને ચાનક આપવા એ સતત પ્રયત્નશીલ રહ્યા અને તે પછીના ઇન્દિરાજીના શાસન દરમિયાન પણ દુનિયાના મોટા બનાવો અંગે પણ તેઓ ઊંડાણ અને સમજદારીથી ચર્ચાઓ કરતા. છેલ્લે છેલ્લે તેઓ એમના સહૃદય ધર્મચિંતનથી સૌના દિલમાં વસ્યા હતા. એમનાં લખાણો થોડાંક ગ્રંથસ્થ થયાં છે, પણ હજી ઘણાં, ખાસ તો કાયદા અને બંધારણવિષયક પ્રશ્નોની ચર્ચાનાં અને એમના ઊંડા રસના વિષય ધર્મનાં, લખાણો વેળાસર ગ્રંથસ્થ કરવાની એમના તમામ ચાહકોની ફરજ છે, તે તેઓ અદા કરશે જ એવી આશા રાખીએ. આવા નીડર વિચારકોના નેતૃત્વની સમાજને કદી ખોટ ન પડો !
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર, વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪ ફોન : ૩૫૦૨૯૬ મુદ્રણથ!ન : ધી ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ ૪૦૦ ૦૦૧.
60