________________
૬૨
એણે કાગળમાં કહ્યું કે મને કિંમશનમાં છેતર્યો અને પુનાના રેસકોર્સમાં તે પબ્લિકને છેતરી છે. લે'ગલી બહુ મોટો કોટન મરચંટ હતા. એટલે · બદનક્ષીના ડારસીની સામે દાવા કર્યો. ડારસી તે ગરીબ માણસ હતો. તેનું કામ કોઈ લે એવું ન હતું. કામ મારી પાસે આવ્યું અને રેસકોર્સ પર પગ મૂકયા વિના એ કેસ મેં ચલાવ્યા. એક મહિના ચાલ્યો અને મોટાં મોટાં વકીલા, એક બાજુ સર ચીમનલાલ સેતલવડ, આ બાજુ સર ટોમસ, આ બાજુ ભુલાભાઈ દેસાઈ અને મારે એ બતાવવાનું કે આ ઘોડાની પેડીગ્રી શું છે? એના માબાપ કોણ હતાં. એને હેન્ડીકેપ કેટલા આપ્યો. એને ખોટી રેસમાં કેવી રીતે મૂકયા. સદભાગ્યે ડારસીએ કેટલાંક કાગળો લેગલીના લંડનથી લખેલા સાચવી રાખેલા અને એમાં ત્યાંથી લખેલું કે આ ઘોડો મે પંદરસો પાઉન્ડમાં લીધા છે પણ જો કેપ્ટન ફીંડલે એટલે કે હેડીકેપર તને જો પૂછે તો કહેજે કે પાંચ પાઉન્ડમાં લીધેા. એટલે જ્યારે લે*ગલીની ક્રોસ એકઝામીનેશન સર ટોમસૅ કરી ત્યારે એને ફાડી નાખે એવી ક્રોસ એકઝામીન થઈ. અને લેંગલી કેસ હારી ગયા. આવા તો બીજા પણ ઘણા અનુભવા છે. બીજો એક કેસ એવેટ હતા કે એક બહુ પૈસાવાળા માણસને ૩ દીકરા હતા અને પત્ની હતી અને તે ગુજરી ગયાં. એણે વીલ નહીં કરેલું ને એની પત્નીએ એના ભાઈઓના સહકારથી ખોટું વીલ ઊભું કર્યું એવા આક્ષેપ હતો. અને એના દીકરાઓએ એની સામે ક્રિમિનલ કંપ્લેન્ટ કરી. બહુ જ ચિંતાનો વિષય મને હતા કે આ કેસના નિકાલ કેવી રીતે લાવવા. સદભાગ્યે એવા મેટાં શાણાં વકીલા હતાં કે જેમાં એણે માર્ગ કાઢી આપ્યો. વકીલાનાં ધંધામાં ભાતભાતના પ્રકૃતિના માણસાના અનુભવ થાય છે અને આપણે સલાહ આપવામાં કેવી મર્યાદા જાળવવી જોઈએ. દા.ત. એને ઉપદેશ આપવા બેસીએ તો એ આપણી પાસે ઊભેટ જ ન રહે, પણ એક મર્યાદા જરૂર જાળવવી જોઈએ કે એને ખોટી સલાહ ન આપવી. કોઈ ખોટા સાક્ષી ઊભા કરવાનું એને કહેવું નહીં. જે કંઈ લઈને આપણી પાસે આવ્યો હાય એના આધારે એને કેસ સારામાં સારો કેવી રીતે ચલાવી શકાય એના આપણે પ્રયત્ન કરવા અને બને ત્યાં સુધી સમાધાન કરી આપવાનો પણ આપણે પ્રયત્ન કરવો. વકીલાત તરીકેની કારકિર્દીને મને ૫૪ વર્ષ થઈ ગયાં અને બહુ ભાતભાતનાં અનુભવા થયાં છે. એમાં મોટાં મેટાં બેરિસ્ટરો ઝીણા, ભૂલાભાઈ, સર ટોમસ, મેાતીલાલ, કાંગા દફતરી આવાં બધાં ય મોટાં વકીલોના પરિચયમાં આવવાની તક મળી છે.
પ્રખુબ જીવન
પ્ર. ૫: પણ તમારા પ્રશ્નમાંથી જ મને બીજો એક પ્રશ્ન સૂઝે છે કે સામાન્ય રીતે તમારી પાસે એક વ્યકિત આવે કે કાંઈક કોઈ સાથે ખટરાગ થયા હોય એટલે આવે તો મનુષ્યનાં સંબંધમાંથી શ્રાદ્ધા ન ઊઠી જાય, આ આટલું બધું જોઈએ તો ? જ, ૫: એવું છે કે ખટરાગ લઈને આવે છે ત્યારે એના મનને પાતાને પણ એનો રંજ હોય છે અને એને એમ થાય છે કે આ પતી જાય તો સારું, ખાસ કરીને જ્યારે ભાઈઓ—ભાઈઓ વચ્ચે કે કુટુંબીઓ વચ્ચે આવા ખટરાગ થયા હોય ત્યારે કોઈક વખતે મનને એમ થાય કે માણસના સ્વભાવ જ આવે છે તે એ સીધું કરતો જ નથી, પણ જ્યારે આપણે મહેનત કરીને સમાધાન કરાવી આપીએ છીએ ત્યારે સંતોષ થાય છે. કોઈ વખત એવું બને છે. કે કેસનું પરિણામ આપણા ધાર્યા કરતો અવળ આવ્યું હોય અને ખોટુ આવ્યું હોય ત્યારે મનને દુ:ખ થાય પણ એકંદરે મે જોયું છે કે ન્યાય મળે છે અથવા ન્યાય થાય છે.
પ્ર. ૬: ભૂતકાળમાં કયાંક તો ખોવાઈ જતા હશે। તો તમારી કઈ સ્મૃતિને મનમાં વાગોળ્યા કરો છે?
તા. ૧-૪-૮૨ વિશિષ્ટ સ્મૃતિને વાગેળવા કરતાં મારી પોતાની જાતને તપાસવી, જે કંઈ મેં કર્યું હોય તે વૈજ્ઞાનિક જેટલી ઝીણવટથી એના પદાર્થનું વિશ્લેષણ કરે એવી રીતે મારા મનની વૃત્તિઓનું વિશ્લેષણ કરીને, એના સાચા રીયલ માટીવ શું હતો, મેં જે કર્યું એના બહાર દેખાવનો નહિ, મારા મનમાં સમજી લેવા કે] ભાઈ મારો હેતુ તો આ હતો –લોકો એમ માને છે કે સેવા કરી છે. હવે એનો એક દાખલો આપું છું. હું ગવર્મેન્ટ સેાલિસીટર હતો. પહેલી ખેર મિનિસ્ટરી થઈ ત્યારે ૧૯૩૮માં અને ત્યાર પછી ૮મી ઓગસ્ટ, ૧૯૪૨ કવીંટ ઈન્ડિયા મુવમેન્ટ શરૂ થયું અને ૯મી તારીખે જઈને મેં રાજીનામું આપ્યું. હવે ઘણી વાહ વાહ થઈ. આટલા મોટા હાટ્ટાનું રાજીનામું આપ્યું અને કેટલી ત્યાગવૃત્તિ; મને તો આનંદ હતો કે આ જેલમાંથી છૂટયો. કારણ કે ખૈર અને મુનશી મને પરાણે લઈ ગયેલા ને મને છસેા રૂપિયા જ પગાર આપતા હતા. એટલે મને અહીંયા રહેવાની પણ ઈચ્છા નહાતી મારા મનને. એ વાતનું મેં જોયું કે લોકો વાહ વાહ બાલે છે. પણ મને તો એ આનંદ છે કે હું જેલમાંથી છૂટયો. આવા પ્રકારનું અંતરનિરીક્ષણ કરવું.
જ. ૬ : હું ફ્લિોસોફીના સ્ટુડન્ટ છું અને અંતર નિરીક્ષણ કરવું એ એક મારી પ્રકૃતિ છે. સારી પેઠે કરું છું અને હું કોઈ
પ્ર. ૭: જીવનના કયા પ્રસંગ એવા છે કે તમે અંદરથી હચમચી ઉઠ્યા હોવ.
જ. ૭: ૧૯૨૮મા એપ્રિલમાં હું સેલિસીટર થયા. દેવું કરીને આર્ટીકલ કરેલા ને એના ૮ મહિના પછી જ મને ક્ષયરોગ લાગુ પડેલા અને ડો. મુલગાવકરે ઓપરેશન કર્યું. ઓપરેશન કરીને એમણે મને કહ્યું: મુંબઈમાં રહેશે। તો જીવવાનાં નથી. તમારે મુંબઈ છોડવું જોઈએ. આ આબાહવા તમને માફક નહીં આવે. મે ડોકટરને કહ્યું, સાલિસીટરના ધંધા મુંબઈ સિવાય બીજે કર્યાંય ન થાય અને દેવું કરીને પાસ થયો છું તો આ મુંબઈ છોડવા સિવાય જે કંઈ કહેશો એ કરવા તૈયાર છું. બહુ જ મૂંઝવણ અનુભવી અને એ મારી માંદગી ૫ થી ૬ વર્ષ રહી અને મુંબઈ છેડવું એ માટે, સબ—જ્જ થવા માટે મેં અરજી કરી.
ચીફ જસ્ટિસે ઈન્ટરવ્યુ માટે બોલાવ્યો તો મને કહે, આટલી બ્રિલીયન્ટ કેરિયર તમારી છે તો આવી સામાન્ય નોકરી માટે શું કરવા જાવ છે? મેં કહ્યું સાહેબ આ સ્થિતિ છે, મારી શારીરિક, એટલા માટે જવું પડે છે. તો ભલે હું તમારી ભલામણ કરું જ છું, પણ સદ ભાગ્યે એ ૧૯૩૦માં હતું કે જ્યારે ગાંધીજીની લડત ચાલતી હતી ને મુંબઈ સરકારે નિર્ણય કર્યો હતો કે કોઈ ગુજરાતી સબ—જજ તરીકે નીમ નહીં અને હું બચી ગયો.
પ્ર. ૮ : તમે અહીંયા રહ્યા ને અમે બચી ગયાં.
જ. ૮ : એવા તો ઘણાં પ્રસંગા આવે છે:- ૧૯૪૦માં ગવમેન્ટ સોલિસીટર હતો ત્યારે મ્યુનિસિપાલિટીમાં કોંગ્રેસ પાર્ટી પહેલવહેલી સત્તામાં આવી અને એમની ઈચ્છા હતી કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પોસ્ટ ખાલી પડી હતી એમાં મારે અરજી કરવી. એટલે જેલમાંથી મને કહેવડાવેલું કે તમે અરજી કરો. મે અરજી કરી, પણ હું સરકારી નોકરી કરતે હતા એટલે ખાતાં મારફત અરજી જવી જોઈએ. એટલે એ વખતે અહીંયા ગવર્નર શાસન હતું કારણ કે ખેર મિનિસ્ટરીએ રાજીનામું આપેલું અને મિ. નાઈટ કરીને એના એડવાઈઝર હતાં. આખાય સેક્રેટરીએટમાં તે વખતે ખાદીનો વેશ પહેરીને જવાવાળા હું એકલા હતા અને આંખમાં કણાની પેઠે એને ખૂંચતા હતા. મને બાલાવીને એણે કહ્યું કે મિ. શાહ તમારે અરજી કરવી હોય તો તમે અહીંથી રાજીનામું આપી દો ને પછી ખુશીથી જાવ. એણે બીજા છ જણને એ રીતે રજા આપેલી. મને રજા નહોતી આપવી કારણ કે હું રાજીનામું આખું એમ ઈચ્છતા હતા અને એના મનને હતું કે આ પાસ્ટ બહુ સારી છે ઍટલે હું અહીંથી જઈશ. હું પણ ગુસ્સે થયો.