________________
w
ત, ૧૬-૭-૮૨.
પ્રબુદ્ધ જીવન
||s
«
"
ભગવાન મહાવીરની અનેકાન્ત-દષ્ટિ
0 ડે. નિજામઉદ્દીન ] અનુ.: ગુલાબ દેઢિયા
ભગવાન મહાવીર સ્વામીએ એમની પ્રથમ દેશનામાં કહ્યું- ઉપૂeઈ વા વિણસેઈ વા યુવેઈ એટલે કે દરેક વસ્તુમાં ત્રણ ગુણ હોય છે: ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ વસ્તુનાં ત્રણ લક્ષણ છે. મહાવીર સ્વામીનું આ વસ્તુ-સ્વરૂપ જૈન આગમાં સ્પષ્ટ અને વિશદ રૂપથી રજૂ થયેલું છે. એમણે સંસારને
સ્વયમેવ (પોતાની મેળે નિમાર્ણ થયેલું માની એની રચનામાં છ મુખ્ય દ્રવ્યોની વાત કરી છે – જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આમાં જીવ સિવાયના બીજાં બધાં દ્રવ્ય અજીવ અથવા જડ છે. ઈશ્વરને એમણે સંસારનો કર્તા નથી માન્યો. અહીં મનુષ્ય કર્તવ્યપરાયણ અને સ્વાવલંબી બની જાતે ઈશ્વર બની શકે છે. એમનો કર્મવાદનો સિદ્ધાંત વ્યકિતના કત્વ (કાર્યો માટે શ્રદ્ધા જગાડે છે, તે પોતે જ પોતાનાં કર્મોને કર્તા અને ભાગ્યને નિર્માતા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વડે વ્યકિત મેક્ષા પ્રાપ્ત કરી શકે છે. સમ્યગ્દર્શનશાનચારિત્રાણી મોક્ષમાર્ગ: (તસ્વાર્થ સૂત્ર ૧,૧). એને ‘રત્નત્રયી' કહે છે. બીજા શબ્દોમાં ભકિત, જ્ઞાન અને કર્મ પણ કહી શકાય છે.
મહાવીર સ્વામીએ વસ્તુમાં અનેક ગુણ-પર્યાય જોયા છે. વરતુના સમ્યક જ્ઞાન માટે અનેકાન્ત દષ્ટિ જરૂરી છે. એક વખતે અથવા એક સાથે વસ્તુના બધા ગુણો અને એના બધા પર્યાયોનું વર્ણન થઈ શકતું નથી. વસ્તુના કોઈ એક અંશ કે એક રૂપને પૂર્ણ ન માની શકાય. જે કોઈ પોતાના મતને જ પૂર્ણ કે સાચી માની લે છે તે મતાગ્રહી છે અને મતાગ્રહ સંઘર્ષ ઉત્પન્ન કરે છે.અનેકાન્ત દષ્ટિ બધા પ્રકારના સંઘર્ષો અને દ્રોને વિનાશ કરનાર છે. મધ્યસ્થભાવ, સમતા અથવા સર્વધર્મ સમભાવ અનેકાન્તવાદ છે.
વિનોબાજી કહે છે કે ભગવાન બુદ્ધ મધ્યમ માર્ગને નિર્દેશ કર્યો. અને ભગવાન મહાવીરે અનેકાન્તને નિર્દેશ કર્યો.
અનેકાન્ત એટલે અંતરની ઉદારતા. “આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્ત’ એ જ જૈન ધર્મ અને જૈનદર્શનનો સાર છે. આજે આપણે જોઈએ છીએ કે, ચારે બાજુએ અશાતિ, હિંસા અને લૂંટફાટ છે. સંસાર આયુદ્ધની તરફ-સર્વનાશની તરફ આગળ વધી રહ્યો છે. લોકોના વિચારોમાં, મતમાં, દષ્ટિકોણમાં અંતર છે, તેથી સંઘર્ષ છે. હિંસા અને અત્યાચાર છે. આવા અશાત અને સંઘર્ષમય સંસારને શાંતિ તરફ લઈ જવામાં મહાવીર સ્વામીને અનેકાન્તવાદ બહુ સહાયક બની શકે છે. આ અજ્ઞાનજન્ય મતાગ્રહના અંધકારને ચીરી નાખી સાપેક્ષાભાવ અથવા સમાનતાના વિચાર પ્રકાશ આપી શકે છે. આપણને નવું જ્ઞાન અને નવી દૃષ્ટિ પ્રદાન કરી શકે છે. | ‘અનેકાન્તવાદ’માં ત્રણ શબ્દ છે; અનેક, અંત અને વાદ. અનેક= ઘણા બધા; સંત =ગુણ, ધર્મ, વાદ=અભિવ્યકિત, વર્ણન; એટલે કે વસ્તુના અનેક ગુણધર્મોનું વર્ણન. સત્ય અનેકધમ હોય છે; વસ્તુમાં અનેક ગુણ હોય છે. “અનન્તધર્માત્મક વસ્તુ વસ્તુતત્ત્વ અનેક ધર્માત્મક કે ગુણાત્મક છે. વસ્તુના સ્વભાવ ગુણને “ધર્મ’ કહેવામાં આવ્યું છેધર્મો વધુ સહાવો.” પ્રત્યેક વસ્તુમાં ઘણા બધા ગુણધર્મ હોય છે, દરેક વસ્તુ, ગુણોને આકર (ખાણ) છે.
મહાવીર સ્વામીના આ સિદ્ધાંતને અનેક દષ્ટાંતે દ્વારા સમજી શકાય છે. હાથી અને આંધળા માણસોની વાત જાણીતી છે. એક વખત પાંચ આંધળા માણસો હાથી જોવા ગયા. એક જણે હાથીની સુંઢને પકડી. તેને હાથી અજગર જેવો લાગ્યો. બીજાએ પગને સ્પર્શ કર્યો. તેને હાથી થાંભલા જેવો લાગ્યો. ત્રીજા આંધળ એ હાથીના કાનને સ્પર્શ કર્યો. તેને હાથી સૂપડા જેવો લાગ્યો. ચેાથાએ પૂંછડી પકડતાં તેને દોરડા જેવો લાગ્યો. પાંચમાએ પેટ પર હાથ ફેરવતાં તેને
હાથી દીવાલ જેવો લાગે; પરંતુ એક દેખતો માણસ આ આંધળા
ની વાતો અને વ્યવહારને જોઈ-સાંભળી રહ્યો હતો. તે બોલ્યો, “તમે બધા જ હાથીના એક એક અંગને પકડી તેને જ હાથી સમજી રહ્યા છો. હાથી તો એ બધાથી બન્યો છે.”
એવી રીતે બીજા એક ઉદાહરણ દ્વારા આ વાત સમજાવી શકાય.
કરમચંદ એક વ્યકિત છે, તે કોઈને પિતા, કોઈને દીકરો, કોઈને પતિ, કોઈને દાદા તે કોઈને કાકા છે. આ રીતે એક કરમચંદનાં ઘણાં રૂપ છે. આ બધા વિરોધી દેખાતા હોવા છતાં સાચા છે.
એવી રીતે જે અગ્નિ બધું બાળી નાખે છે, તે જ અગ્નિ ગરમી પણ આપે છે, પ્રકાશ પણ આપે છે અને એના વડે રોઈ પણ થઈ શકે છે.
દરેક વસ્તુ અનન્ત ધર્માત્મક છે. એના ધર્મો, ગુણો અને સ્વરૂપને વ્યકત કરવા માટે વ્યાપક અને ઉદાર દષ્ટિની જરૂર છે. વસ્તુના આ અનો ગુણ સાપેક્ષ ભાવે હાજર હોય છે. અહીં વિરોધ શમી જાય છે. મહાવીર સ્વામીએ પોતાના અનેકાન્તવાદને બાળપણમાં સાબિત કરી દીધો હતો. જયારે એમના મિત્રો એમને બોલાવવા ઘરે આવ્યા ત્યારે માતાએ કહ્યું કે વર્ધમાન ઉપર છે, મિત્રોએ ઉપર જઈને પિતાને પૂછ્યું તો તેમણે કહ્યું કે વર્ધમાન નીચે છે. જ્યારે મિત્રોને વર્ધમાન ઉપર નીચે ન દેખાય ત્યારે ફરી વર્ધમાને વચલે માળેથી આવીને કહ્યું કે માતા-પિતા બનેનું કહેવું સાચું છે. હું બન્નેની દષ્ટિએ—સાપેક્ષ દષ્ટિએ-ઉપર-નીચે હતા.
મહાવીર સ્વામીને અનેકાન્તવાદ વિચારોમાં વિરોધ નહીં, સમતા પ્રકટ કરે છે. આ સિદ્ધાંતને સ્યાદવાદ ની ભાષામાં વ્યકત કરવામાં આવે છે. જે એ ભાષા-શૈલીને અપનાવવામાં ન આવે તો વસ્તુનું
સ્વરૂપ-નિરૂપણ એકાન્તિક-આગ્રહયુકત થઈ જશે. જયારે વસ્તુના કોઈ એક પકા અથવા સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે ત્યારે તે
સ્વરૂપને નજર સામે રાખવું જોઈએ. એક સ્ત્રી દહીં વલોવે છે, બન્ને હાથમાં પકડેલી દોરીને વારાફરતી આગળ પાછળ ખેંચીને તે વાવવાનું ચાલુ રાખે છે. એક હાથની દોરીને ખેંચતા બીજા હાથની દોરીને તે ઢીલી છોડે છે. આ સાપેક્ષતા છે.
ઘણીવાર સ્યાદ્વાદને સંશય અને અનિશ્ચિતની નજરે ભૂલથી જોવામાં આવે છે. ખરેખર તો અનેકાન્ત દષ્ટિ બધા પ્રકારના વિરોધને નાબૂદ કરી સમદષ્ટિનું પ્રતિપાદન કરે છે.
જૈન દર્શન અનુસાર સત્યની અભિવ્યકિતને નિરપેક્ષ ન માની સાપેક્ષ માનવામાં આવી છે. સત્ય તે વખતે અસત્ય બને છે જયારે આપણે, જેના વડે કહેવામાં આવ્યું છે તેને ભૂલી જઈએ છીએ. આધુનિક વિજ્ઞાન અનેકાન્ત દર્શનને સ્વીકારે છે. આજે કોઈ વૌજ્ઞાનિક એવો દાવો નથી કરતો કે એણે વસ્તુતત્ત્વનું પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, અથવા એણે સૃષ્ટિના બધા રહોની જાણકારી મેળવી લીધી છે. આલ્બર્ટ આઈન્સ્ટીનએ અનેકાન વાદને એમ કહીને રવીકાર કર્યો હતો કે આપણે માત્ર સાપેક્ષિક સત્ય (રિલેટીવ હૃથ)ને જાણી શકીએ છીએ, નિરપેક્ષ સત્ય(એબ્સોલ્યુટ ટ્રંથ) કોઈ વિરલ પૂર્ણ દષ્ટા, પૂર્ણ જ્ઞાની જ જાણી શકે છે. એટલે કે આપણી જાણકારી સાપેક્ષિત સત્ય સુધી મર્યાદિત હોય છે. અનેકાન્ત વિચાર દષ્ટિથી પરસ્પર વિરોધી દેખાતા બે સાપેક્ષ સત્વ અપેક્ષાભેદે સત્ય હશે. અહીં બધા વિચારભેદ અને મતમતાંતર નષ્ટ પામે છે.
આધુનિક સંદર્ભમાં મહાવીર સ્વામીની દષ્ટિ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી છે. આજના સંઘર્ષ અને વિવાદના. તાંડવને રોકવા અનેકા