________________
૧૪
પ્રમુખ જીવન
આત્માની ભાજ ગ્રેસ દાઇન ગાટ”નું છેલ્લું પ્રકરણ]
✩ વિશ્વરૂપ [વિદેશ-પ્રવાસના પુસ્તક
જર્મની, ઈંગ્લેન્ડ અને કેનેડામાં મને કામ કરવા નિમંત્રણ મળ્યું હતું. બેથી અઢી હજાર ડોલર એટલે લગભગ એકવીસ હજાર રૂપિયા મહિનાના દરમાય થાય. ‘માસ્તર’ની લહેરથી વાપરો તોય પાંચેક હજાર રૂપિયા મહિને બચાવી શકાય. ઉત્સુકતાથી ઓફર સાંભળી પણ મન ન થયું. ત્યાંની થીજાવી નાખે એવી ભૂખરી એકલતા ન જિરવાય. કામ તો અહીં આપણા બેંક ભારતમાં ઢગલા ભરીને પડયું છે, ને એમાંય શિક્ષકને માટે તો આ દેશ છેાડી જવા તે પાપ જ ગણાય, આત્મદ્રોહ ગણાય !
કયારેક યક્ષપ્રશ્નત્તર મનમાં ચાલે છે. પૂછે છે કે બંધુ, આ દેશ, એટલે ક્યા દેશમાં રહેવા માગે છે? ક્લકત્તામાં સાયકલના પેડલ પર ઊંચો થઈ જઈ રિક્ષાવાળા શ્વાસની ધમણ પર પરસેવાની ધાર ઢાળતા-ઢોળતા એક ઘવાયેલી સંસ્કૃતિને ઊંચકીને લઈ જઈ રહ્યો છે એ દેશમાં? દિલ્હીમાં ખખડતી શરાબની પ્યાલીએ વચ્ચે જે લોકો પક્ષાંતરની શતરંજ રમી રહ્યા છે તે દેશમાં? સ્વર્ગમાં વણાયેલી ઝળાંઝળાં સાડી પહેરીને મુંબઈની દરેક મહિલા એક ભિખારણને નગ્ન જોતી અવિહ્વળ ચાલી જાય છે તે દેશમાં? પાંવ-ઉસળને ભેળપુરીના ઊડતા કાગળના ડૂચાએ જે દેશના રસ્તેરસ્તાને ગંદકીની કચરાપેટીથી ભરી દીધા છે તે દેશમાં? ઘેાડાગાડીવાળાઓ, રીક્ષા-ટેકસીવાળાઓ અને ભારખાનાંવાળાઓના સતત ભેાં ભાં, કારખાનાનાં ભૂંગળાંઓના ધૂમાડાનાં પ્રદુષણા, ઉકરડા પર ઊભા ઊભા ગાળગલેાચી ને મારામારી કરતા લોકોથી ખરડાતા દેશમાં? બેઈમાનીને બ્રહ્મસૂત્ર ગણાવવા ઊંચા કરેલા હાથેામાં પાટિયાં ઝાલી સૂત્રેાચ્ચાર કરતી સરઘસાકારે ચાલી જતી પ્રજાના દેશમાં? દરેક સરકારી ટેબલ પર લાંચરુશ્વતની નેટ પર દબાતા કેન્સરની ગાંઠ જેવાં પેપરવેઈટાના દેશમાં? સત્ય અને પ્રેમના ચહેરાને મુકિત-પ્રયુકિત અને દાવપેચના ડામરથી-ખરડાવામાં આવે છે એ દેશમાં?
હા, એ જ દેશમાં. હું જાણુ` છું કે આ અભાગી દેશની યાત નાના કોઈ અંત નથી. હું જાણું છું કે એના બુદ્ધિમાન અને સુખી દીકરા-દીકરીઓ મમતાપૂર્વક એની ધૂળને માથે ચઢાવી નથી. દીન, હીન, અછૂત એની બરતીને ફરી ગાંધીની જેમ કોઈએ પસવારી નથી. બુટપાલીશ કરતા કે, હોટેલનાં કપ-બસી ખખડાવતા નાદાન હેરી છે.કરાઓને કોઈએ નિશાળે મેાકલ્યા નથી. ભીખ માગતા દુર્ભાગીઓને માટે કોઈએ માનું કે બાપનું ઘર ખાલી આપ્યું નથી. કોઈ રવિન્દ્રનાથ, કોઈ વ્હિટમાનની જેમ એની પ્રજાનું ગીત ગાવા, એની પ્રજાની રાહ જોવા આજે કોઈ કવિ ઊભા નથી. કયાંક દૂર ઊભા ઊભા નિર્મમ ભાવે કવિ બેહાલ થતી જિંદગીને જોઈ રહ્યો છે પણ બેાલતે નથી. વૈજ્ઞાનિક, મેટા દરમાયો લેવા એના સંશાધનાને વેચે છે. દિલ્હીના ચાંદની ચોકમાં તા કેટલાક લોકો માં ભારતીને જ છડેચેક વેચે છે. લીધા-દીધાના શેરબકોરમાં અહીં દરેક જણ હવે એકબીજાને ખરીદે છે અને વેચે છે. ક્યારેક નિરુદ્યમી બાવાઓના જંગલી સૂડો આ ભાળી પ્રજાને મેલડી માતાની માનતા બંધાવે છે. ક્યારેક ઊંઠા ભણેલા મૂર્ખ જ્યોતિષી ચકલી પાસે આખી પ્રજાનું ભાગ્ય ભખાવે છે. સવા રૂપિયાના ગૌદાનમાં પુરોહિતા હજીયે આ દેશમાં વૈતરણી તરાવે છે.
એટલે તો આ દેશમાં રહેવું છે, એના પાંચ-પચ્ચીસ છેકરાછેકરીઓને સત્ય કહેવું છે, પ્રેમ સમજાવવા છે. પ્રજાને કવિતામાં ઘૂંટાતા રસના બે ઘૂંટડા પિવડાવવા છે ને પીવા છે. કો'ક નાનક ને કો'ક છગના ભણતા ઊઠી જવાના હોય તો એને નિશાળે મૂક્વા છે. બીજાને પગની આંટી મારવાનું શીખતા જુવાનડાને પગ ઉઠાવી લેવા વિનવવાનો છે. એના હાથ ને પગ તો પ્રભુએ કોઈ આંધળાને ને લૂલાને દોરીને લઈ જવા આપ્યા છે એમ એને કહેવાનું છે. કોઈ ઉછાંછળી છાકરીને કૃષ્ણ કે ઈશુના જન્મની કથા હેવાની છે. આખી પ્રજાની વચ્ચે પલાંઠીવાળીને માણ-ભટ્ટની જેમ હરિક્શા કરવાની છે. આ વનની પેલી મેર નીકળી જવા પહેલાં તે થોડાંક ધૂરાં રહી ગયેલાં સપનાંને ઝટઝટ દાબડીમાં ભરી લેવાં છે. બધું ઝટઝટ આટોપી લેવું છે. ગીતાના અઢારેં ચુ અધ્યાય પૂરાં થતામાં તે સુદૂર આકાશના મંદિરમાં બજી ઊઠતા ઘાંટનાદામાં તલ્લીન થઈ જવાનું છે ને પેાતાના જ કાનમાં કહેવાનું છે કે બંધુ, ચાલ સામે કાંઠેના ઉત્સવમાં... હવે પ્રેમને પ્રેમ સિવાય કોઈ અનુભવ નથી.
થાય છે કે ક્યારેક દટાઈ ગયેલી નગરીની ધૂળ ખંખેરીને કોણાકેના અવેાના હાહણાટ સંભળાશે. કોઈ રાજકુમારીના સ્વપ્ન જેવા
તા. ૧-૬-૮૦
રથ આવશે. કોઈ પાલખીમાં પ્રભુને પધરાવીને આગળ ચાલતાં ચૈતન્ય કે મીરાંનાં પદ સંભળાશે. દૂરના આકાશમાં મહાવીર, બુદ્ધ અને શંકરના બુદ્ધવચના સંભળાશે. તાશીલા અને નાલંદાના સ્થાવરો વિચરતા દેખાશે. ઋષિમુનિઓ નદીતટે ચાઓ બેાલતા હશે તેના અવાજ આપણી શેરીઓમાં સંભળાશે. રામપાદુકા પાસે યુગેાથી ઊભેલા ભરત સ્મિત કરતા ઊભા હશે. રામરાયના નકશા લઈ ઊભેલા જાનકી વગરના કરુણ-આ રાઘવ વસિષ્ઠ સાથે આખરી વિષ્ટિમાં બેઠા હશે. વિશ્વરૂપદર્શન કરતા અર્જુનની સન્મુખ ત્રિભુવન મનમોહન પરમ સખા શ્રીકૃષ્ણ પાર્થને શિરે પ્રેમસ્પર્શ કરતા હશે.
હું માનું છું કે બધું સારુ થશે. સારુ નહિ થાય તો તેા હવે મંત્રવિજ્ઞાનયુગમાં મનુષ્યજાતિ બચવાની જ નથી. એટલે તો હું વધુ આશાવાદી છું. પૂર્વજોની પેઢીઓએ વેઠેલાં દુ:ખાનાં ચિહ્નો સમુદ્રો અને જવાળામુખીના ડાઘમાં નવી પેઢી નહિ જોઈ શકે? બીજા વિશ્વયુદ્ધમાં તૂટેલાં ડુસેલડોર્ફ અને બલિનનાં દેવળે! અને બર્લિનની દીવાલને પીડાના અધ્યાય લેખે નહિ વાંચે? યુદ્ધ કરવું તે આકાશની ચામડી ચીરીને એના જોડા સીવવા જેવું દુષ્ટ કાર્ય છે, એ હવે કહેવું જરૂરી છે? શાષણ, ગુલામી અને રકતપાતનાં પૃથ્વી પર પડેલા કાંકાને એ લોકો વરસાદની ધારામાં હવે નહિ ધોઈ નાખે? તાજા વરસાદ તો દરેક વર્ષા ઋતુએ વરસે છે. એમની એટલી સંવેદનાની માત્રા હવે નહીં વધે કે કોઈ પણને ભીખ માગતું જુએ તે પોતે માગે છે એવી ઘવાયેલી લાગણી અનુભવે? પીળી, કાળી કે ગોરી કોઈ પણ સ્ત્રી પર અત્યાચાર થાય તો એને મા યાદ આવવા જેટલી ય અનુભૂતિ નહિ થાય? દરેંક પ્રસૂતિગૃહા પર હવેથી એ લોકો નહિ લખી રાખે કે અહીં હમણાં કૃષ્ણજન્મ થશે? એક નાન" કડા પરિવર્તનની જેમ નવી પેઢી નહિ ઊઘડે? નવું વિશ્વ હરક્ષણે આપણી સન્મુખ ઉઘડી જ રહ્યું છે. પૃથ્વીને પ્રિયતમાની જેમ અનુભવવા જેવી છે. હરણે એ પર્ણની જેમ પ્રકટ થઈ રહી છે, હરક્ષણે એની મર્મરથી આપણા આત્માને મુદિત કરી રહી છે.
એક પગ જ ભારતમાં રાખવા છે; બીજા પગ તો મૂકવે છે સમગ્ર પરિબ્રહ્મના પરિઘ ઉપર. મારી યાત્રાનો માર્ગ જ અયનવૃત્ત છે. અનેક સૂર્યપ્રદેશાની સફરે ઊપડવાનું છે. દરેક ગ્રહ-નક્ષત્રાનાં નવાં નવાં સત્યો જાણવાં છે. કૂમળા ણાંકુરોનું સત્ય જાણવું છે, તુઓનું સત્ય જાણવું છે; ને જાણવું છે સત્ય વેદનાનું. પૃથ્વીના કોઈ અંશ મારાથી ભિન્ન નથી—મારાથી વંચિત નથી. ભૂત, વર્તમાન કે અનાગત મારે કોઈ ખંડ નથી; હું અખંડ કાળ છું. એમને હાય તા મેં જોયેલું ડેલ્ફીનું દેવદ્ગાર મેં નહાતું જોયું? ‘બધું સપ્રમાણતામાં જ શાભે વધુ ન ઓછું”—એ મેં જ દેવદ્રાર પર નહાતું લખ્યું? આકારના દેવતા એપેાલા તે હું જ નહિ? ને પ્રબળ લાગણીનો— ઉર્દૂ કનો દેવતા ડાયોનિસસ પણ હું જ નહિ? રોમમાં મા મરી અમના ખોળામાં સૂતેલા ઈશુ હું નથી તો કોણ છે બીજું? દેવળેદેવળે અને ચિત્ર-વિથિકાઓમાં હું જ મેડોના અને હું જ પીએટા નથી? વિશ્વકરુણતા તે ય હું છું. એના પ્રેમ-શૃગાર પણ હું છું. હું જ દેવી ડીઓના કે હું જ વીનસ છું. પ્રેમ કરું છું તેમ હું છું; બળાત્કાર કરું છું તે ય હું છું અને બળાત્કારના ભાગ બનું છું તેય હું છું. જ માયૉનિયન બુરખા છું. હું જ રાજાનો લહિયો છું. હું જ યહૂદી પ્રજાને આશાલેખ છું. હું મોઝઝના હાથ છું. મે જોયેલી બિઝેન્ટાઈન, માઙેઈક કે ગાથિક શૈલીઓ પણ હું છું. રુબેન્સ કે રેમ્બ્રાંનાં ચિત્રાની, માઈકેલેન્જેલા કે રોદાનાં શિલ્પાની હું જ સંવેદના છું. મારાથી ભિન્ન અને અપરિચિત કશું નથી. અરે, શાનબૂ ન બગીચાનું એક નાનકડું ગુલાબ પણ નહિ ! પશ્ચિમમાં ગય તા લાગ્યું કે તે કંઈ માત્ર પશ્ચિમ નથી; પૂર્વમાં પાછા આવ્યા તો લાગ્યું છે ક હવે તે માત્ર પૂર્વ જ રહ્યું નથી. બધું એકરસ થઈ ગયું છે. અખંડત્ત્વ અને પાવનત્ત્વની પ્રક્રિયા એ જ તો યાત્રાની ફલશ્રુતિ છે.
ખાબાચિયાનું કે બાલદીનું પાણી ગંધાઈ જાય છે, પણ નદીસરોવરનાં હેલારા મારતાં પાણી તાજા રહે છે. વળી જે પણ પર્વતની ટોચ પર પ્રભુના મુગટમાં બરફનું મેાતી બની જાય તે તાજું રહે છે અને ધૂસરલક્ષ્મીનું વરદાન પામે છે. આલ્પ્સની પર્વતમાળા પરના કે મેબ્લોના શ્વેતબૂસર બરફની પ્રસન્નતા અનુભવી છે. શ્યામ ખડકોના કરાળ બિહામણા સૌંદર્યની પડછે તાજી ફૂટેલી વનશ્રીના