________________
G
૨૦૪
પ્રભુના જીવન
潔
દુ: ખ ની
મારું નામ છે લૂકાસ્ટેલા, બડ એબટ સાથે દસ દસ વર્ષ સુધી કેટલી મહેનત કર્યા પછી મારામાં અભિનય કરવાની અને લોકોનું મનોરંજન કરવાની થાડીઘણી શકિત આવી છે, એ શકિતના આધારે જ જનતાના લાભાથે, સંસ્થાઓના લાભાર્થે મે કેટલાયે ચેરીટી શો કર્યા, સ્વાર્થ ખાતર, ધન કમાવા ખાતર નહિ પરંતુ મેળવેલી કળાના ઉપયોગ પરમાર્થે કર્યા છતાં આ દંડ, આ શિક્ષા !
પ્રભા! તું તે ન્યાયી છે, ધર્મનું કાર્ય કરનારને આ રોગ, આ સંધીવાને કારણે તે હું બીછાનાવશ થઈ ગયા છું, હવેથી હું જનસેવા નહિ જ કરી શકું! મેળવેલી શકિતના પરાર્થે ઉપયોગ નહિ જ કરી શકું? ઈશ્વર શું તાી એ જ ઈચ્છા છે ?
હું બીછાનામાં જ હતો પીડાઈ રહ્યો હતો ત્યાં એક દિવસ મારી પત્ની એક છાપુ મારી પાસે લાવી, મારી નજર એક ખબર પર પડી, તે ખબર હતી કે એક છોકરી છે, છ મહિનાથી વધુ જીવી શકે એમ છે જ નહિ, એનું નામ હતું ગાલ્હી, અને એકદમ હજી તે બાળક જ હતી, અર્થાત્ જીન્દગી તે હજી જાણી પણ નહાતી તે પહેલાં જ મૃત્યુની કાળી છાયા એના પર પડી ચૂકી હતી. આ બાળાના વિચારે હું તે આખો દિવસ ખૂબ જ દુ:ખી રહ્યો. ખૂબ જ ઉદાસ રહ્યો, વિચારમાં ડૂબેલા જ રહ્યો, અને અંતે મારાથી ન હેવાયું, ફૂલ ખીલ્યા પહેલાં જ કળી કરમાઈ જાય તે ન સંખાયુ તેથી મારા પોતાના ડોકટરને ફોન કર્યો અને પેલી બાળાને સારવાર માટે વિશ્વવિખ્યાત ક્લીનીકમાં મે મારા ખર્ચે જ દાખલ કરવાને કહ્યું અને સદ્ભાગ્યે બાળા બચી ગઈ.
એ બાળાને મદદ કરવા માટે ઘણાએ મને ધન્યવાદ આપ્યા, બધાને મે' જવાબમાં એ જ કહ્યું કે એને મદદ કરવા જેટલી શકિત મારામાં હતી, કરી શકયો, એણે મારી મદદ સ્વીકારી તે માટે ખરેખર હું કૃતજ્ઞ છું, ઈશ્વરે એવી તક આપી તે ખાતર ઈશ્વરનો આભાર માનું છું.
અને આ આભાર, કૃતાતા, એ શબ્દોએ મારી આંખો ખાલી નાંખી. આપણું પોતાનું દુ:ખ મટાડવા માટે, આ તે એક સુંદર અલૌકિક દવા છે, બીજાના દુ:ખમાં તમારું દુ:ખ ભૂલી જાઓ, એના જેવા કોઈ સરસ ઉપાય નથી, ઉપરાંત આપણી પાસે શું નથી તે જ વિચાર કરવા કરતાં આપણી પાસે શું શું છે, અને તેને ઉપયોગ પરમાર્થે, બીજાના દુ:ખ ઘટાડવામાં, બીજાને મદદરૂપ થવામાં કેટલા કરી શકીએ છીએ એ વિચારીએ તે દુ:ખની જગ્યાએ સુખ જ આવીને વસી જાય.
મારે એક બાળક થયા, સુંદર છોકરો, નામ એનું રાખ્યું લૂ જૂનિયર, હું લૂસીનીયર, એ જૂનીયર, એને પામીને હું ધન્ય બની ગયો હતો, અને ગમે તે કારણે હાય, લૂ જન્મ્યાની ખુશાલી, કે પેલી બાળાને મદદ કરી તેને ઈશ્વરી બદલો, કે માનસિક પરિવર્તનને કારણે પોતાના દુ:ખને ભૂલીને બીજાના દુ:ખના વિચાર કરવાની ટેવ, ગમે તે કારણે પણ મારો રોગ ગયા, અને ફરી હું રેડિયો પર પ્રોગ્રામ આપવાને લાયક બની ગયો.
એક દિવસ બપારે હું રેડિયો સ્ટેશન ગયો, અને જતાં જતાં મારી પત્નીને કહ્યું લૂને તું મારા ધ્રાગ્રામ જરૂર સંભળાવજે, જો તે ખરી એ મારો અવાજ ોળખે છેકે નહિ? હું રેડિયા સ્ટેશન પહોંચ્યા, કાર્યક્રમ હાસ્યસભર હતા, રીહર્સલ ચાલુ હતી ત્યાં આધાતજનક ખબર આવ્યા, મારો વ્હાલા લૂ, મારું બાળક મૃત્યુ પામ્યો છે, માગ દુ:ખનો પાર ન રહ્યો, કેમ બને ! હજી હમણાં જ તો હું એને રમતા મૂકીને આવ્યો છું, હજી હમણાં જ મારી સાથે ખીલખીલાટ કરતા રમતા હતા તે મૃત્યુ કઈ રીતે પામે? પરંતુ એ ઘટના બની હતી, નાહવાના હાજમાં પડીને એ મૃત્યુ પામ્યો હતો, એમાં કોઈ શંકાને સ્થાન નહોતું, હું માથું પકડીને બેસી ગયા, મારામાંથી બધી જ શકિત જાણે કે હણાઈ ગઈ હતી. છતાં ફરજનો સાદ સંભળાતા હતા, રેડિયો પ્રોગ્રામ તા કરવા જ રહ્યો, પરંતુ આટલા દુ:ખમાં હું હાસ્યના કાર્યક્રમ કેમ આપી શકીશ? રડતા હ્રદય કેમ હસાવી શકીશ, હાસ્યને ચીરીને રૂદન બહાર નહિ નીકળી આવે? પ્રોગામ કરવા જ રહ્યો અને મેં કર્યા, પેલા વિચારે નહિ કે “શે! મસ્ટ ગૈા ઓન” પરંતુ જ્યાં પણ મારો લૂ હશે ત્યાં એ જરુર એના આ પિતાનો અવાજ સાંભળશે જ, આ દુ:ખદ ઘટના પછી મન એવું થઈ ગયું કે અમારી પાસે શું શું છે! જીવનમાં કેટલું પામ્યા છીએ, કેટલું પામવાનું છે એ બધી ગણતરીને અભ્યાસ જ છુટી ગયે, આવા અનહદ ઘાથી અચેતન બનેલું મન એ કરી પણ કેમ શકે!
દવા
પરંતુ એક વિચાર આવ્યો, એકદમ નવા જ વિચાર અને તે એ કે મારા બાળક માટે હું જે કરવા ઈચ્છતા હતા જે જે એની જરૂરિયાત હતી, તેવી જ જરૂરિયાત બીજા બાળકોને પણ હશે ને? બીજે જવાની શી જરૂર હતી અમારા પાડોશમાં જ એવા ઘણા બાળકો હતા જેના માટે જરૂર હું કઈક કરી શકું એમ છું અને એ વિચાર આવતાં જ બડએબટની સાથે મળીને મારા બાળકના નામ પર એક સાંસ્થા સ્થાપી દીધી જેના ઉદ્દેશ્ય જરૂરિયાતવાળા બાળકોને મદદ કરવાના જ હતા.
ધીરે ધીરે આ સંસ્થાએ અનેક અનાથ, નોંધારા, અને ગરીબ બાળકો માટે પુસ્તકાલય, ઔષધાલય, વ્યાયામશાળા વગેરે સ્થાપના કરી, અને આજે એ સંસ્થા ખૂબ જ સફળતાપૂર્વક એ કાર્ય કરી રહી છે. અને તેમાં લાભ લેતા દરેક બાળક અને અમારા પોતાના બાળક જેવા જ લાગે છે.
તા. ૧-૩-૮૦
મારા જન્મસ્થાન પર દેવળ હતું, જુનું થયું હતું, નવું બનાવવું હતું. મેં મદદ કરવાની તૈયારી બતાવી, ફાધર કહ્યું તું જ પૈસા આપે એમાં બધાને રાંતોષ ન મળે, માટે એવું કરીએ કે સૌ એમની સ્થિતિ અનુસાર આપે એમાં મદદ કરે, સક્રિય સહયોગ દેતા એમને એ દેવળ એમ જ લાગે.
અમે એ માટે ચેરીટી શે! કર્યો ને સૌ ટીકીટ વેચવામાં, લેવામાં મદદ કરી, અર્થાત દરેક વ્યકિત એના નિર્માણમાં ભાગ લઈ રહી હતી, અને આજે એ સહયોગ દ્વારા જ ત્યાં નવું જ ગીરજાઘર હૈયાતી ધરાવે છે.
મારી મા એક લૂલા બાળકનું પાષણ કરી રહી હતી, એનું દુનિયામાં કોઈ નહોતું, મારી માંએ એને માના પ્યાર દીધા હતા અને જેમ જેમ અમારી સ્થિતિ સુધરતી ગઈ તેમ તેમ એના ઈલાજની વ્યવસ્થા પણ સુધરતી ગઈ. હું તેવખતે હોલીવુડમાં મારી પેાતાની ફિલ્માના કામમાં ડુબેલા હતા તેથી ઘણા વર્ષોથી એ છારાને જોઈ શક્યો નહોતો, એક વાર કામમાંથી જરા નિવૃતિ લઈને ઘેર ગયા, તે। માં મને એ છોકરા પાસે લઈ ગઈ, મારા આનંદની સીમા ન રહી એ દોડતા દોડતા મારી પાસે આવ્યો, એના પગ સારા થઈ ગયા હતા, એ હવે લૂલા રહ્યો નહાતા.
હું તો એટલા ખુશ થઈ ગયો એને જોઈને કે તુરત બાલ, તારા માટે હવે શું કરું? તું કહે તે કરવા, કહે તેટલી મદદ કરવા તું તૈયાર છું, તે આપવા તૈયાર છું. માંગ દીકરા માંગ, પરતુ એ બાળકમાં સ્વાભિમાન હતું, લાચારી નહાતી, એણે એટલું જ માંગ્યું કે મને બે જોડ સારા કપડા લઈ આપો, જેથી હું બહાર જઈ શકું, અને કંઈક કમાઈ શકું, અર્થાત મને મારા પગ પર ઉભા રહેવા માટે જરા ટેકો આપ્ય
મેં પૂછ્યું તું શું કરવા માંગે છે?
“પહેલાં તો છાપા વેચીશ.'
તું કહે તે! તને એક દુકાન લઈ આપું, જ્યાં બેસીને તુ છાપા વેચી શકે, ફરવું ન પડે.
ના, મારે એમ નથી કરવું, અને સારા કપડાં એટલા માટે માંગું છું કે જે હોસ્પિટલમાં હું સાજો થયો છું ત્યાં જ એક લીટમેનની જગ્યા છે, પરંતુ આવી સ્થિતિમાં કેમ જાઉ માટે જ...
મેં એને કપડાં લઈ આપ્યા અને એણે લીફ્ટમેનની નેરી લઈ લીધી અને આજે એ છોકરો એવી નોકરી કરતાં કરતાં છાપા વેચતાં વેચતાં ડોકટરનું ભણ્યો, ને આજે એ જ હોસ્પિટલમાં એ એક ડોકટર છે, માનસશાસ્ત્રનો. તે દાડે.
વિપત્તિમાં પડીને માણસ કાં તો દુ:ખથી ડૂબી જાય છે, અને પોતાનું તેમજ અન્યના જીવન પણ ખારા કરી મૂકે છે, ગર બીજાના દુ:ખ સામે આપણું દુ:ખ તો કઈ જ નથી એ વિચારે દુ:ખને હળવું બનાવે છે. હું તો મારા દુ:ખ માટે પણ ઈશ્વરન
ભાર માનું છું. દુ:ખ ન પડયું હોત તેને હું આજે છું તેવા માનવ જ ન બની શક્યા હાત, અને હવે જ્યારે જ્યારે રેડિયા કે ટી.વી. પર હસાવવાના કાર્યક્રમ આપું છું ત્યારે એ જ વિચાર આવે છે કે મારી જેમ બીજા કોઈને કોઈ દુ:ખથી, વ્યાધિથી, વેદનાથી પિડાતા હશે, મારાં અભિનય દ્વારા હસાવાને થોડી ક્ષણા પણ એમના દુ:ખ ભૂલાવી શકું, તે સમજીશ કે મારું જીવ્યું પણ સાર્થક થયું છે.
રભાએન ગાંધી
ક શ્રી મુંબઈ જન ખુવક સાંઘ, મુદ્રક અને પ્રકાશક : મૌ ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર. - ૪૦૦ ૦૦૪ ટે. નં. ૩૫૦૨૯૬ પ્રધાન : શ્રી સ્ટેટ્સ પીપલ પ્રેસ, એટ, મુંબઈ
વી. પી. રોડ, ૪૦૦ ૦૦૧
8