SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ L પ્રબુદ્ધ જીવન ઉદ્યોગોને ઉતેજન આપવાનું કહેવું! નહેરૂએ કયા સંજોગામાં મોટા ઉદ્યોગોને પ્રધાનતા આપી, વર્તમાન સંજોગો અને જરૂરિયાત શું છે તેના વિચાર કર્યા વિના, જનતા પક્ષે કર્યું તે ખોટું હતું અને માટે તેથી વિરોધી કરવું એવું વલણ દેખાય છે. જનતા પક્ષે પણ કેટલુંક એવું કર્યું હતું. ઈન્દિરા ગાંધીએ સમાચાર રાંસ્થા કરી માટે તેનું વિસર્જન કર્યું. ગુણદોષને વિચાર ન કરવા. હવે જસ્ટીસ ગૈા લીંગમના રિપોર્ટ આવ્યો છે. કાન્તિ દેસાઈ, તેમના પત્ની તથા ચરણસિંહના પત્ની સામે પ્રાથમિક પુરાવાઓ કેટલીક બાબતામાં છે અને વધુ તપાસની જરૂર છે એમ જણાવી મિશન નીમવાની ભલામણ કરી છે. જે બાબતોમાં પ્રાથમિક પુરાવા જણાવી, સત્તાના દુરૂપયોગની વાત કરી છે, તે એટલી સામાન્ય છે કે સાધારણ રીતે તેની ઉપેક્ષા થાત. કોઈને લાઈસન્સ અપાવ્યું કે, હોદ્દા અપાવ્યો કે, ઈન્કમટેક્ષમાં લાભ મેળવ્યો તે તે આ દેશના રોજના બનાવા છે. કોણે નથી કર્યું? છતાં ઈન્દિરા કોંગ્રેસના સભ્યો શેારકોર કરી કમિશનની માવશે તે। સંઘર્ષના એક વધુ પ્રસંગ ઊભા થશે.કમીશનની તપાસ બે વરસ ચાલશે. તેના રીપેર્ટઉપર એક વર્ષ વિચા૨ થશે. પછી કેસ થશે તે તે પાંચ વર્ષ ચાલે. કકિંમનાના શું હાલ થાય છે તે આપણે જોયું છે. ઈન્દિરા ગાંધી આવા આવા પ્રલાભનથી દૂર રહેશે એટલી આશા રાખીએ. રએક મહિનામાં બનેલા આ બનાવો એવી છાપ ઊભી કરે છે કે શાન્તિથી સ્થિર રાજતંત્ર થવાને બદલે સંઘર્ષનું વાતાવરણ ચાલુ રહે છે. જનતા પક્ષે ઘણી ભૂલો કરી છે તેનું પુનરાવર્તન ઈન્દિરા ગાંધી કરશે તે! લોકોએ ભાવિની જે આશાઓ રાખી છે તે નિષ્ફળ જશે. ભૂતકાળ ભૂલી જઈ, દેશની કઠિન સમશ્યાઓ પ્રત્યે લા આપવાને બદલે, જુના વેરઝેર તાજા રહેશે. લોકોની સમશ્યાઓ વધારે વિકટ થતી જાય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવા વધતા રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સ્ફોટક છે. કાયદો અને વ્યવસ્થા કથળેલા છે. લેક્સભામાં મોટી બહુમતી છે, તે ઈન્દિરા ગાંથી સ્થિરતાથી અને ઉદારતાથી કામ કરી શકે છે. રાજસભામાં બહુમતી નથી તે માટે રાજ્યોમાં સંઘર્ષ ઊભા કરવાની જરૂર નથી. આ એક મહિનામાં વાતાવરણ સુધર્યું નથી, એધાણ સારા નથી, આશા રાખીએ કે ઈન્દિરા ગાંધી અને ખાસ કરી તેમના સાથીદારો અને સલાહકારા ભવિષ્યને વિચાર કરશે અને પ્રજાની આશાએ સફળ બનાવશે. ૧૨-૨-૮૦ ચીમનલાલ ચકુભાઈ શાહ નોંધ: આ લખાણ પછી નવ રાજધાની વિધાનસભાઓનું વિસર્જન થયું છે. તે વિષે હવે પછી લખીશ. ચીમનલાલ વિશ્વાસ નામાન્યપણે આપણે ઘણાં લોકોને કહેતા સાંભળીએ છીએ, કે દુનિયામાં કોઈને વિશ્વાસ કરવા જેવું નથી. કેટલાય માણસે આ ધારણે વતૅ છે. હકીકતમાં આ ધારણ હાનિકારક છે; એટલું જ નહિ પણ અશક્ય છે. માનવસમાજ વિશ્વાસથી જ નભે છે. પરસ્પરને ' વિશ્વાસ ન હોય તો જીવનવ્યવહાર એક ક્ષણ ચાલી ન શકે. દરેક માણસ જુઠું જ બાલે છે એમ માની લઈએ તે આપણાથી કોઈ કામ થાય જ નહિ; બલ્કે દરેકે દરેક માણસ કહે છે તે સાચું કહે છે અને તે પ્રમાણે તે વર્તશે એમ માનીએ તો જ આપણા વ્યવહાર ચાલે. જીવનનાં દરેક ક્ષેત્રમાં આ ધારણ સ્વીકારવું જ પડે છે. કોઈ એમ કહે કે અમુક સમયે તે આપણને મળવા આવશે તો આપણે માનવું પડે છે કે તે પ્રમાણે વર્તશે. બીજા કહે છે તે વિશ્વાસપાત્ર નથી એમ માનીએ તો આપણે કહીએ તેનો પણ કોઈ વિશ્વાસ ન કરે. માનવજીવનને આધાર સત્ય છે. સત્ય ન હાય તે રેતીનાં કણકણ પેઠે જીવન વેરણછેરણ થઈ જાય, સત્ય જીવનનું સિમેન્ટ છે, જીવનની સુગંધ છે. એ વાત ખરી છે કે કેટલાક માણસા જૂઠું બોલે છે, કોઈ વખત જાણી જોઈને જૂઠ્ઠું બાલે છે અને છેતરે છે. જુદા જુદા ક્ષેત્રમાં આનું પ્રમાણ જદું જુદુ હાય છે. કૌટુમ્બિક વ્યવહારમાં જૂઠાનું પ્રમાણ ઓછામાં ઓછું હોય, હાવું જોઈએ. જયાં સ્વાર્થ નથી ત્યાં પણ જઠાનું પ્રમાણ ઓછું હોય છે. સ્વાર્થ આવે છે ત્યારે આ પ્રમાણ ઠીક ઠીક હોય છે છતાં ત્યાં પણ વધારે પડતું હોય તે વ્યવહાર અટકી પડે. વ્યાપારમાં પરસ્પરના વિશ્વાસ ન હોય તેા વ્યાપાર થાય જ નહિ, રાજકારણમાં જૂઠનું પ્રમાણ વધારે હોય છે એમ લાગે, છતાં ત્યાં પણ પરસ્પરના વિશ્વાસ ન રાખે તો આંતરરાષ્ટ્રીય વ્યવહાર પણ ૧૪-૨-૮૦ અશક્ય થઈ પડે. જુદાં જુદાં દેશો વચ્ચે સંધિ કે કરાર થાય છે તે વિશ્વાસનાં ધારણે થાય છે. બંન્ને દેશે તેનું પાલન કરશે એમ માનીને કરાર થાય છે. જો એમ માને કે તેનું પાલન થવાનું જ નથી તા કરાર કરવાનો કોઈ અર્થ નથી. દુનિયામાં અસત્ય છે ખર, પણ તેનું પ્રમાણ આપણે માનીએ છીએ તે કરતાં ઘણું ઓછું છે. છેવટ આપણે તેમાં ઉમેરો ન કરવા. અસત્ય એટલે અસ્તિત્વના અભાવ. સત્ય એટલે હોવું, છે તે નથી થઈ શકે નહિ. આ જગત સત્યથી જ નભે છે. દરેક વ્યકિતએ પેાતાના જીવનના અભિગમ નક્કી કરવાના રહે છે. કેટલાકના અભિગમ અણવિશ્વાસના જ હોય છે, પછી તેને પણ કોઈ વિશ્વાસ ન કરે. એવી વ્યકિતનું જીવન અસહ્ય થઈ પડે છે. કોઈ વ્યકિત વિશ્વાસપાત્ર નથી એવી છાપ પડે પછી તેને પોતાને માટે અને બીજાને માટે તેનું જીવન દુ:ખમય થઈ પડે છે. માણસે નક્કી કરવું જોઈએ કે પોતે જૂઠું નિહ બાલે, કોઈને છેતરશે નહિ, કોઈથી છેતરાવું નહિ એ પણ જરૂરનું છે, એક કળા છે. માણસને પારખી લેવા અને તે પ્રમાણે વર્તવું, છતાં માણસ ઈન્સાન છે એમ માની વિશ્વાસ મૂકવા એ વધારે ઈષ્ટ છે, સુખના માર્ગ છે. કદાચ છેતરાઈ જઈએ તો સહન કરવું, પણ છેતરાઈ જશું એવા ભયથી જીવનને અકાર્ ન બનાવવું. એક બે વખત કોઈ વ્યકિતથી છેતરાયા હોઈએ તે તેનાથી સાવચેત રહેવું ડહાપણ છે. પણ બધા એવા છે કે એમ માનવું ખાટી મુર્ખાઈ છે. વિશ્વાસ મૂકવાથી વિશ્વાસ પેદા થાય છે. એક વખત ન હતા બીજી વખત એમ થશે. જીવનનાં આવા અભિગમથી સમાજનું સ્વાસ્થ્ય સુધરે, પેાતાને અને બીજાને સુખ થાય, સદા અણવિશ્વાસમાં રહેવું મૃત્યુ કરતાં પણ વધારે કષ્ટમય છે. It is better to trust and run the risk of being deceived than to live in constant fear of being deceived. The ideal thing is neither to deceive nor to be deceived. But the important thing is never to deceive any body. This is the royal way to be happy. ચીમનલાલ ચકુભાઇ સળગતી કલમે લખતે ખુંખાર લેખક ઇવાન ઈલીચ આધુનિક તબીબી વિજ્ઞાને દવાઓ પેદા કરીને દવાઓ દ્વારા જ નવા રોગ પેદા કર્યા છે અને તે રીતે માનવીને કાયમ માટે ડૉક્ટરોના ગુલામ કરી નાખ્યો છે તેવા આક્રોશ ઉઠાવનારાં ઇન્ગ્લીશ લેખક શ્રી ઈવાન ઈલીચે આર્થિક અને સામાજિક જગત ઉપર કાતિલ પ્રહારો ચલાવનું એક નાનકડું પુસ્તક તાજેતરમાં લખ્યું છે. તેનું નામ છે “ધી રાઈટ ટુ યુઝફૂલ અને એમ્સ્કાયમેન્ટ", તબીબી શાસ્ર ઉપરથી આર્થિક સમસ્યા ઉપર ઉતરી પડેલા શ્રી ઈલીચને જુઓ તો જાણે બરટ્રાન્ડ રસેલના સીધા વારસદાર લાગે. પશ્ચિમમાં જન્મેલા શ્રી ઈલીચ ત્યાંના મૂલ્યોને ખૂબ વખાડે છે. ઈજિપ્તમાં રોયલ એકેડેમી ઓફ પર્થીયા ખાતે જઈને તેમણે ઈરાની લોકોને કહેલું “મહેરબાની કરીને તમે ટીસ્યુ પેપર વાપરીને અમારી વાનર નકલ ન કરો, અમે ટીસ્યુ પેપરથી છૂટવા માંગીએ છીએ ત્યાં તમે અમારી એંઠને આયાત કરવા માગા છે!” ઈવાન ઈલીચ ભાગ્યે જ પત્રકારોને મળે છે અને ટેલિવિઝન ઉપર જવાની તે ના જ પાડે છે. સ્કૂલમાં જવાની કોઈ જરૂર નથી એમ કહેનારા ઈલીચ જે વિચારો મૂકે છે તેનાથી શ્રાતા થરથરી જાય છે. તે જ્યારે આંકડા ટાંકે છે ત્યારે શ્રાતા તેનાથી પ્રભાવિત થઈ જાય છે. અમેરિકનોના ભાગવાદ અને વેડફાટના તે આમ દાખલા આપે છે. અમેરિકન પૂરુષ સરેરાશ દર વર્ષે તેની મેટરકાર પાછળ ૧૬૦૦ કલાક આપે છે અને તેમાં તે ૧૫૦૦ માઈલનો પ્રવાસ કરે છે, અમેરિકન ગમે તેટલા સમૃદ્ધ હોય છતાં તે ગરીબ છે. ૩૫ મે માળે લાસ એન્જલસમાં રહેનારો અમેરિકન તેને પગ વાપરી શકત નથી. તેના પગની યુઝ વેલ્યુ- (ચાલવાનું મૂલ્ય ) તે ગુમાવી બેસે છે.” \
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy