________________
(90)
૧૮
*
ભાવિસકત કવિતાને
‘પૂર્વી’ના અનુગામી સંગ્રહ ‘ભીનાશ’ની ભાવસિકત કવિતાનું નજરાણું લઈને શ્રી ગીતાબહેન પરીખ ફરી એક વાર સારસ્વત - દરબારમાં ઉપસ્થિત થાય છે.
‘ભીનાશ’નાં કાવ્યોમાં ‘સ્વરૂપ’ને પામવા માટેની એક ‘ખોજનાં દર્શન થાય છે. ગીતાબહેન જે જે અવલાકે છે, અનુભવે છેહર્ષ—શાક, જન્મ-મૃત્યુ, શાંતિ-અજંપા, ભાર-હળવાશ, પ્રકાશ-પમરાટ, વાટ-ઘાટ, સવાર-સાંજ- એ સૌની સપાટી ભેદીને એના મૂળ ‘સ્વ-રૂપને પામવાની મથામણમાંથી એમની ૪-મંજુ કવિતામાં ‘તાત્ત્વિકતા’ના ગુણ ઉમેરાય છે. આમ છતાં એ ભારેખમ કે શુષ્ક લાગતી નથી. એનું રસતત્ત્વ નંદવાનું નથી. ભજનના સૂરને માણવામાં અને એમાં રહેલા ભાવને પામવામાં એકતારાના ગુંજારવ અને મંજીરાના રણકાર, જેમ એક મધુર માધ્યમ બની રહે છે-એમ ગીતાબહેનની કવિતાની ઋજુતા અને મંજુલતા – આ તાત્ત્વિકતા સુધી પહોંચવાના એક ઝૂલતા પુલ બની રહે છે.
‘રસ્તા” કાવ્યમાં રસ્તાના વિવિધ સ્વરૂપપલટા દર્શાવી, છેલ્લે
કહે છે:
આ પલટે પલ પલ રસ્તા, વિધ વિધ રૂપે વાટ ભૂલેલો ‘સ્વ-રૂપ’ કાજ તલસતા.
‘ સ્વરૂપ”ના આ તલસાટ કાવ્યના સ્વરૂપને પણ ઊંચા સ્તરે મૂકી આપે છે.
પુત્રી પ્રેયસી, પત્ની, માતા-એમ વિવિધ રૂપે નારીહૃદયની ભાવસંવેદનાને વાચા આપતાં કેટલાંક કાવ્યો આ સંગ્રહનું એક વિશેષ પ્રદાન છે. એમાંય માતૃહૃદયની વાત્સલ્યધારાનાં કાવ્યો સવિશેષ ધ્યાન ખેંચે છે. એક પત્ની અને માતાનું ઘર, એ અહીં કેવળ ચાર દીવાલા વચ્ચે, પતિ અને સંતાનો પૂરતું જ સીમિત બનીરહેતું નથી. એનું એક ‘વિશ્વ' બને છે. નારીહૃદય કુટુંબ-પરિવાર સાથે ઓતપ્રોત થઈને વિશ્વપરિવાર સુધી વિસ્તરે છે. ઘરમાં જ રહીને, બારી બહારની- દિગદિગંતની- હવા શ્વસે છે. બધામાં પોતે અને પાતામાં સૌ હાવાની અનુભૂતિ કરે છે. આવા ભાવવિશેષના નમૂનારૂપે ‘ગયાં, સહુ ગયાં...' કાવ્ય, તપાસવા જેવું છે—બલ્કે માણવા જેવું છે.
ઘરનાં સૌ ગયાં. ઘરે ગૃહિણી જ માત્ર એકલી રહી, ઘડીભર તે ખાલી ઘરની શૂન્યતા ભીંસી રહી;
ગયાં, સહુ ગયાં, રહી બસ ઘરે હું તો એકલી! થયું ઘર બધુંય ખાલી, અવ છે અહીં શૂન્યતા - પરંતુ આ એકાકીપણું ઝાઝું ટકતું નથી. ક્ષણાર્ધમાં તે નાનકડી બારીમાંથી આખું જગત ઊમટી આવે છે. ઘરનાં ભીડેલાં કમાડ ખાલી નાખતાં, ઘર આગળની લઘુક શેરી એક રાજમાર્ગશી વિશાળ બની રહે છે, અને દૃષ્ટિની લેણદેણ સર્વ સૃષ્ટિ સાથે અનુબંધ રચી રહે છે.
!
રહી ઘર મહીં, છતાં ઘર બન્યું હે વિશ્વ ન હું ઘર મહીં, ન બ્હાર ઘરની, હવે હું બધે ! બધું હું મહીં ...! આ ઉપરાંત, ‘ફૂલ,’‘યમ નીંદ આવે?’ ‘કન્યાવિદાયે,’ ‘તમારે કારખાને આ’, ‘નવજાત શિશુને' વગેરે કાવ્યા માતૃ-હૃદયની ભિન્ન ભિન્ન ભાવધારાઓથી ભાવકને ભીંજવી રહે છે.
ફૂલ તમે પારણિયે પેઠેલું વ્હાલ છે. ફૂલ તમે અંતરિયે ઊડયું ગુલાલ છે!
આ સુકુમાર ઉદગાર નારીદેહ ધર્યા વિના કોઈ કવિ કાઢી શકે માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મદ્રક અને પ્રકાશ્ચક : મી મુંબઈ-૪૦૦ ૦૦૪ કે, મૈં, ૩૫૦૨૧૬
વ જીવન
તા. ૧૨૮૦
સંગ્રહ
: ‘ભીનાશ’
ખરા? જેની મુઠ્ઠીઆયે હજી પૂરી ખૂલી નથી એવા નવજાત શિશુને માતા પૂછે છે:
આ મુઠ્ઠી જે હજીય પૂરી ખૂલી શકે ના તે માંહ્ય મારું ઉર શી રીત ગોપી દે?
અને પ્રસૂતિની કપરી પીડા સહ્યા પછી જન્મેલું શિશુ કેવુંક લાગે છે?
વર્ષાની ફંડ હેલીની બાદ ઈન્દ્રધનુ સમું.
સંગ્રહમાં આવતા પ્રસન્ન દામ્પત્યના ઉદગારો પણ આવાઘ છે.
ગીતાબહેનની સંગીતજ્ઞતાને કારણે, એમનાં ગીતો શબ્દ અને સૂરનો સહજ સમન્વય સાધે છે. આથી ગીતાનાં લયહિલ્લાલ અને શ્રુતિમધુરતા નવા ઓપ ધારણ કરે છે. એમનાં કેટલાંક ગીતામાં પ્રકૃતિદર્શનનું અતિ રમણીય પ્રતિબિબ પડે છે. ‘ટહુકો,’‘વાયરા’, ‘વાયરો,’ ‘રાત્રિ’–ન્દ્રય’, ‘રોજ,’ ‘પમરાટ’ વગેરેમાં પ્રકૃતિની મનેહર
ભાત ઉપસી આવે છે.
આ ઉપરાંત, એમણે પ્રાસંગિક અને સામાજિક કાવ્યો, હાઈકુ અને અછાંદરસ રચનાઓ પર પણ હાથ અજમાવ્યા છે. ‘ખરખરો’ માં કેવળ રૂઢિ અને રિવાજ ખાતર કરાતા કેટલાક સામાજિક વ્યવહારોમાં છતી થતી લાગણીશૂન્યતા અને દાંભિકતાને “બસ, આ સાડલા બદલું એટલું જ વાર!” – એમ ક્દીને ઉઘાડી પાડી છે. આ પછી તર્ત જ પૂછે છે: ‘સડલા બદલું એટલી જ વાર?” આ આશ્ચર્ય અને પ્રશ્નાર્થચિહ્ન વચ્ચે ઘણું બધું કહેવાઈ જાય છે. ‘પપ્પાનું નામ’ એ કાવ્યમાં નિર્દોષ બાળકી ભાળાભાવે પોતાના સદ્ગત પિતાનું નામ છાપામાં વસાન નોંધમાં જઈને કહે છે કે, 'આજે તો મારા પપ્પાનું નામ છાપામાં આવ્યું છે., છાપામાં!” ત્યારે એનો વેધક કરુણ ભાવ મનને ઘેરી લે છે.
પિતાના મૃત્યુ પર લખેલા કાવ્યપંચક ‘મૃત્યુમંગલ’ ના ચેાથા કાવ્યને અંતે, એ કારમે ઘા ધૃતિપૂર્વક ખમી જઈ, વિષાદવૃતિનું કેવું ઊર્વીકરણ કરે છે. !
પ્રસન્ન ઉર – જે શરીરમહીં બદ્ધ ને સીમિત હતું, અવ પ્રસાર્યું સૂક્ષ્મ થઈ ભવ્ય નિ:સીમમાં 1
ખર્યું કુસુમ ? ના, ખેર વિલાઈ ગઈ જ્યા? ના,
અવ સુગંધમાં વ્યાપ કિરણ - તેજમાં દ્યોતક
આમ, ‘ભીનાશ' કાવ્યસંગ્રહ, ‘પૂર્વીના પ્રકાશન પછીના ગાળામાં, સર્જકતાની કેડીએ ગીતાબહેને સાધેલી પ્રગતિની ઊજળી સાખ પૂરે છે. પળની ભીતર શાશ્વતીની જડીબુટીની ખોજ ચલાવનાર, ક્ષણેક્ષણમાં જીવનની અખિલાઈ માણવાની કળા હાથ કરી લીધી છે. (જુઓ સંગ્રહનું પ્રથમ કાવ્ય ‘વળા.) પરિણામે, એમની કવિતામાં પ્રતિબિંબિત થતી કુટુંબજીવન અને સમાજજીવનની નાની નાની ઘટનાઓ પણ, એક વ્યાપક પરિમણ ધારણ કરે છે. કાવ્યમાં ગૂંથેલી અંગત ઘટના પણ બિનંગત બની રહી, ભાવકને એમાં નિજનિજની ભાવસંવેદનાની અનુભૂતિ કરાવે છે.
‘ભીનાશ’માં પ્રગટ થતું ‘સ્વ-રૂપ’હવે પછીના - અનુગામીસંગ્રહમાં પૂર્ણ રૂપને પામે,
આલમુકુંદ દવે
[“ભીનાશ” - લેખક અને પ્રકાશક : ગીતા પરીખ, એ/૨, મનાલી એપાર્ટમેન્ટસ, ડો. વિક્રમ સારાભાઈ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫ પૃષ્ઠ ૯૬, મૂલ્ય – જ્ઞ. ૭. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાંથી એના આજીવન સભ્યોને રૂા. ૬માં મળશે
ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેમ, સેટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧
10