________________
૧૩ર
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૮૦.
માનવ-ચિતના મુકિતદાતા
યશીય કાષ્ઠ છે. ઉર વેદી છે, ઈછા ધી છે, રાગ પશુ છે, તપ અગ્નિ છે, દમરૂપી શતવૃત્તિ દક્ષિણી છે. મૃત્યુ યજ્ઞનું અવભૂથ છે. જરામ, સુધી ચાલનાર આ યજ્ઞ છે.”
વૈદેની કિલતમ અને કર્મકાંડયુકત યજ્ઞ પ્રતિયાઓમાંથી જ ઉપનિષદના જ્ઞાનકાંડના વિચારોનું મંડાણ થયું છે. તેમાંથી જ ભારતીય જીવનદષ્ટિની, યદષ્ટિની નિષ્કામ ચાકર્મની, યજ્ઞને આધ્યાત્મિક સ્વરૂપની અને જીવનયજ્ઞની કલ્પનાનો વિકાસ થયો છે. મહાભારત પાંચમે વેદ છે તો ગીતા એક ઉપનિષદ છે. મહાનારાયણ ઉપનિષદની જેમ મહાભારતમાં પણ કહ્યું છે કે જીવન સતત ચાલનાર યજ્ઞ છે. ભારતીય સંસ્કૃતિની જયોત જગવનાર વ્યાસજીએ ભારતીય સંસ્કૃતિ જે પાયા ઉપર ઊભી છે અને જેના થકી તેનો ચરમ વિકાસ થયો છે તે જ યા પ્રક્રિયાની પાર્વભૂમિ પર આધ્યાત્મિક વિચારોનું અને મહાભારતનું વસ્તુગૂંફન કર્યું છે.
– હેમાંગિની જાઈ
પંડિત સુખલાલજી જન્મશતાબ્દી સમારંભ
સ્વ. પંડિત સુખલાલજીની જન્મશતાબ્દી ડિસેઅરની ૮મી તારીખે આવે છે. આ પ્રસંગ યોગ્ય રીતે ઉજવવા માટે મુંબઈમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપદે પંડિત સુખલાલજી જન્મશતાબ્દી સમિતિ રચાઈ છે. શ્રી વાડીલાલ ડગલી સામતિના "ઉપ-પ્રમુખ છે અને શ્રી રમણલાલ ચી. શાહ, શ્રી
અજિત શેઠ અને શ્રી યશવંત દોશી મંત્રીઓ છે. - આ પ્રસંગે એક જાહેર સભા સોમવાર, ડિસેમ્બર ૮, ૧૯૮૦ ના રોજ સાંજે ૬-૦૦ વાગે ભારતીય વિદ્યા ભવનના સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપદે જવામાં આવી છે. આ સભામાં શ્રી ઉમાશંકર જોશી, પંડિત સુખલાલજી
સ્મારક વ્યાખ્યાનમાળાનું પહેલું વ્યાખ્યાન આપશે. - અન્ય વકતાઓ પણ પ્રવચન કરશે. સભાને પ્રારંભે
અને અંતે શ્રીમતી નિરુપમા શેઠ અને શ્રી અજિત શેઠ ભજન ગાશે.
સભાસ્થળે પંડિત સુખલાલજીનાં પુસ્તકે પણ પ્રદર્શિત કરાશે.
પંડિત સુખલાલજ વીસમી સદીના એક મૌલિક ફિલસૂફ હતા. એમણે એમના જીવનમાં વિદ્વતા, સાદાઈ અને મનુ ય પ્રેમને સંગમ સાધ્યો હતો. ભારતના વિવિધ ધર્મોમાં રહેલાં સમન્વય બીજ એમણે શોધ અને ધર્મને ક્રિયાકાંડ-મુકત . જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે એ વાત તેમણે તેમના અનેક ગ્રંથોમાં સમજાવી. ૧૬ વર્ષની ઉંમરે તેમણે આંખે ખાઈ. આ પછીનું એમનું જીવન માનવ ચેતનાને કોઈ અક૯ય પુરુષાર્થ જેવું હતું. જેણે નામને જ અભ્યાસ કર્યો હતે એ અસહાય જુવાન ભરતીયદર્શનને વિશ્વવિખ્યાત વિદ્રાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાતને સાચવી રાખવા જેને વારસો છે.
પંડિત સુખલાલજીનું જીવન ચાર તબક્કામાં વહેંચાયું હતું. ૧૮૮૦ના ડિસેમ્બરની ૮મી તારીખે સુરેન્દ્રનગર પાસે આવેલા લમલી નામના ગામડામાં જન્મ ૧૬ વર્ષની ઉંમરે શીતળા માં આંખે ગુમાવી. ત્યારથી પંડિતજીએ લખે છે તેમ તેમને “બીજે જન્મ” શરૂ થયો. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી તેમણે કાર્શમાં અને મિથિલામાં કમકમાં આવે એવી પરિસ્થિતિમાં ભારતીય દર્શનને અભ્યાસ કર્યો અને અધ્યાપનનુકાર્ય કર્યું. તેમના જીવનનો આ બીજો તબક્કો ત્રીજા તબક્કામાં ૧૯૨૧થી ૧૯૩૦ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન કર્યું. ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે ભારતીય દર્શનના સંદર્ભગ્રંથ જેવા “સન્માનિતર્ક”નું એવું વિદ્વત્તાપૂર્વક સંપાદન કર્યું કે તે પછી આવું સંપાદન કોઈએ કર્યું નથી એમ વિદ્વાને કહે છે. એક દસકા સુધી એમણે આ વિદ્યાતપ કર્યું એટલે ગાંધીજી જેવા કર્મવીરે પણ કહયું કે સુખલાલજએ થોડોક આરામ કરવો જોઈએ. “સન્મતિતર્ક”એ વિદ્યાપીઠના જોડણીકોશ જેવી જ અનન્ય સાંસ્કારિક ઘટના હતી.
પંડિતજીના જીવનને અને છેલ્લો તબક્કો ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા અને ત્યાર બાદ સતત. વિદ્યાપ્રવૃત્તિ કરતાં કરતાં ૯૭ વર્ષની ઉંમરે ૧૯૭૮ના માની રજી તારીખે મૃત્યુ પામ્યા ત્યાં સુધી હતો.
પ્રવૃત્તિના સમયમાં પણ તેમણે “અધ્યાત્મવિચારણ”, “ભારતીય તત્વવિદ્યા” અને “સમદશી આચાર્ય હરિભદ્ર” જેવા ભારતીય દર્શનશાસ્ત્રનાં પાયાનાં પુસ્તક્ષે આપ્યાં. પંડિતજીએ ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે પર જે અસંખ્ય લેખ લખ્યા તે ત્રણ ભાગમાં “દર્શન અને ચિતન” નામે પ્રગટ થયા છે. પંડિતજીએ લખેલી આત્મા “મારું જીવનવૃત્ત” ટૂંક સમયમાં પ્રગટ થશે.
સુખલાલજીએ ભારતીય તત્વજ્ઞાનને કાવાદમાંથી મુકત કર્યું અને જુદા જુદા ધર્મના ઉપદેશોના તાણાવાણાને ગુંથીને મુલાયમ અને ટકાઉ પિત બક્ષયું. પંડિતજી એમ માનતા કે વ્યક્તિની બધી શકિતઓ, વ્યકિતની બધી સિદ્ધિઓ અને વ્યકિતની બધી પ્રવૃત્તિઓ જયારે કેવળ સામાજિક કલ્યાણની દિશામાં વહે છે ત્યારે ધર્મ કે સંસ્કૃતિ ચરિતાર્થ થાય છે.
પંડિતજીના મનમાં કઈ લકિક તૃણાનું વળગણ ન હતું, આથી એમના જીવનમાં અને વિચારમાં નીડરતા સહજપણે પ્રગટતી. ધાર્મિક રૂઢિઓ અને ધાર્મિક વિધિઓ પાછળ દુર્ભય કરનારા ગૃહ અને સાધુઓ પ્રત્યે પંડિતજીને સૂગ હતી. બાહ્ય આચરને અનુકંપાશૂન્ય ક્રિયાકાંડ અને રૂઢિઓને પંડિતજ વ્યકિતના વિકાસ માટે તથા સમાજની તંદુરસ્તી માટે બાધક ગણતા હતા. * આમ આ મહામાનવ ચિત્તને મુકત રાખવામાં માનતા. આધુનિક ભારતના ઘડવૈયાઓમાં પંડિતજી એક એવા ઘડવૈયા હતા કે જેમણે પિતાના દેશવાસીઓના ચિત્તને મુકત રાખવામાં પ્રમાદ વિના સતત પુરષાર્થ કર્યો.
-વાડીલાલ ડગલી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત શ્રી મુંબઈ જેને યુવક સંઘ સંચાલિત
વિદ્યાસગ
[વર્ષ પાંચમું] વક્તા: ડો. ગુણવંત શાહ વિષય: “માનવને ઉગવા દઈએ
ઉપરના વિષય ઉપર ત્રણ વ્યાખ્યાને સમય: સોમ, મંગળ, બુધ, તા. ૫, ૬, ૭ જાન્યુઆરી - ૧૯૮૧ સાંજના ૬ વાગે સ્થળ: તાતા એડીટેરિયમ, બોમ્બે હાઉસ, '' ખૂ.સ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૧. પ્રમુખ: ૩. રમણલાલ ચી. શાહ સૌને સમયસર પધારવા પ્રેમભર્યું નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ
મંત્રીઓ
——