________________
૧૩૦
પૃખા જીવન
અફઘાનિસ્તાનથી માંડીને તુર્કી સુધીનાં મુસ્લિમ રાજ્યોમાં કદી લોકશાહી હતી નહીં અને છે નહીં. અફઘાનિસ્તાન રાજાશાહીમાંથી સરકતાં સરકતાં રશિયાના લશ્કરી કબજા નીચે ગયું છે. ઈરાનમાં અતિ વિકાસલક્ષી, છતાં અતિ જુલ્મી રાજાશાહીંનો નાશ થયા છે અને એથી પણ ખરાબ મુલ્લાશાહીનો ઉદય થયા છે. આરબ દેશા અરેબિયન નાઈટસના જમાનામાં હજી જીવે છે. આયાતાલ્લાહ ખામૈનીને રાજાશાહી માન્ય નથી. તેઓ કહે છે કે કુરાનમાં કયાંય રાજાશાહી નથી, ત્યારે આરબ રાજાઓ એવા દાવા કરે છે કે અમે પ્રજાના સીધા સંપર્કમાં રહીને અદના માણસોને પણ અદલ ઈન્સાફ
આપીએ છીએ!
આ અદલ ઈન્સાનો એક નમૂના જોવા હોય તે સાઉદી રાજક ટુંબની એકશાહજાદી, રાજકુટુંબના ન હોય એવા એક યુવાનના પ્રેમમાં પડી તેથી તે બંનેને મોતની સજા કરવામાં આવી. શાહજાદીન સાનાની મૂઠવાળી શમશેર વડે શિરચ્છેદ અને તેના પ્રેમીને પથ્થરા વડે મારીને મોતની રાજા.
આ વિહંગાવલાકન બતાવે છે કે વિવિધ પ્રકારના અને ઘણાં તે વિકરાળ શાસકોના જંગલમાં બિચારી લેાકશાહી ઘણાં જોખમ વચ્ચે જીવે છે.
વિજયગુપ્ત મૌ
આચાય શ્રી તુલસીદ્વારા નવા પ્રત્યેાગ : મુમુક્ષુ અને શ્રમણી સંઘની સ્થાપના
જૈન સમાજમાં ઘણા વર્ષથી વિચારણા ચાલી રહી છે કે શ્રાવક અને સાધુ વચ્ચેની કડીરૂપ વીરસંઘ કે એવા કોઈપણ સંઘની સ્થાપના થવી જોઈએ પણ હજી સુધી એ વિષ્યમાં કોઈ પ્રગતિ કે પ્રારંભ થયો ન હતા પણ નૂતન વર્ષ ૨૦૩૭નાભાઈ બીજ એટલે કે કાર્તિક સુદી બીજના દિવસે ૩૦ હજાર જેટલા શ્રાવક-સાધુના સમુદાય સમક્ષા આચાર્ય શ્રી તુલસીએ આ બાબતમાં લાડનૂ નગરમાં જૈન વિશ્વભારતીમાં આ પ્રયોગનો પ્રારંભ કર્યો છે. તે બદલ તેમને જેટલાં ધન્યવાદ આપીએ તે ઓછાં જ પડશે.
ઘાટકોપરમાં જેમ શ્રમણી વિદ્યાપીડ શરૂ થઈ છે તેમ તે પૂર્વે તેરાપંથ સમાજે પારમાર્થિક શિક્ષણ સંસ્થાનો પ્રારંભ કર્યો હતો અને તેમાં સાધ્વી થનાર બહેનને અધ્યયન અને ચારની શિક્ષા મળી રહે તેવા પ્રબંધ કર્યો હતો. અને તેનું આજે તેરાપંથ સમાજમાં સુંદર પરિણામ દેખાય છે. કે જે નવી સાધ્વીઓ બને છે તે અધ્યયન અને આચારની દષ્ટિએ સાધ્વી થવાની પૂરી ગ્યતા ધરાવે છે એટલું જ નહિ પણ તેરાપંથ સાધ્વી સમાજ આજે વિદ્યા અને આચાર બન્ને ક્ષેત્રે સુંદર સેવા આપવા સમર્થ થ છે.
હવે એ સંસ્થામાં રહી જે બહેના અભ્યાસ કરી રહી છે. તેમને આ ભાઈબીજના દિવસે આચર્યશ્રી તુલસીએ મુમુક્ષુ દીક્ષા આપી. દીક્ષા પૂર્વે તેમણે તેઓ અમુક નિયમો પાળશે તેવી સ્પષ્ટ સ્વીકૃતિ તેમની પાસેથી મેળવી અને પછી જ દીક્ષા આપી. હવેથી તે સંસ્થામાં રહી ભણનાર બહેનો મુમુક્ષુ કહેવાશે અને તેમને સંઘ મુમુક્ષુસંઘ કહેવાશે.
૬. આ સંસ્થામાં રહી ભણનાર બહેના અત્યાર સુધી લગભગ બધી જ સાધ્વીઓ બનતી હતી પણ હવે સમાજની આવશ્યકતાના વિચાર કરીને ભણનાર બહેને માટે બે વિકલ્પ કર્યા છે, તેમાંથી જે બહેનેાને સાધ્વીની દીક્ષા લેવી હોય તેઓ પોતાની ઈચ્છા મુજબ સાધ્વીની દીક્ષા લઈ શકશે અને મુનિસંઘમાં શામિલ ગણાશે. અર્થાત તેઓએ સાધ્વીઓના જે કઠોર આચાર છે તેનું આચાર્યની આજ્ઞામાં રહી પાલન કરવું પડશે. પરંતુ આધુનિક પરિસ્થિતિના પૂરા વિચાર કરીને આચાર્યશ્રીએ બીજો વિકલ્પ એ આપ્યો કે જેમને મુનિસંઘ અથવા તે સાર્દી સંઘમાં પ્રવેશ ન કરશે હોય તેમને માટે નવા ભ્રામણીગંઘની સ્થાપના કરી અને તે શ્રમણી -સંઘની સ્થાપનાના પ્રારભ કરી છ હેંનેને શ્રમણી દીક્ષા આપી. આમ હવે તેરાપંથી સમાજમાં ચતુર્વિધધને બદલે વિવિધ પ્રાગ આચાર્યશ્રીએ શરૂ કર્યો છે. શ્રાવક, શ્રાવિકા, મુમુક્ષુ, શ્રામણી સાધુ અને સાધ્વી આ પ્રકારે આ ષડવિસિંઘ થયો. હજી સંભાવના એવી છે કે આચાર્યશ્રી શ્રમણ ાંઘની પણ સ્થાપના કરે. જો કોઈ
સમર્થ પુરૂષા એવા મળી રહે– જેઓ આ નવા પ્રકારના શ્રમણ સંઘમાં પ્રવેશ માટે ઉત્સુક હાય.
તા. ૧-૧૨-૨૦
આ નવા શ્રમણી સંઘમાં દ્રવિષ્ટ બહેનને પાંચ વ્રતની દીક્ષા આચાર્યશ્રીએ આપી. તે પાંચ વ્રતને મહાવ્રતની સંજ્ઞા આપી નથી. પણ પ્રસિદ્ધ પાંચ વ્રતનું પાલન કરવાનું રહેશે. નવા દીક્ષિતે પોતાના વસ્રો વિના કશા જ પરિગ્રહ રાખી શકશે નહીં. લગ્નજીવન ભોગવી શકશે નહીં. હિંસા, અસત્ય, ચૅરીનું આચરણ કરશે નહી. હાલમાં તેમનું સંરક્ષણ પારમાર્થિક સંસ્થા જ કરશે, તેઓને માટે સાધુ-સાધ્વીની જેમ જ પાદવિહાર અનિવાર્ય રહેશે પરંતુ આચાર્યના નિર્દેશ હશે તો જ વાહનવ્યવહાર અપવાદ રૂપે કરશે. આ નવા પ્રયોગની પ્રારંભિક મર્યાદાઓ છે. અનુભવને આધારે તેમાં સંશોધન કરવા આચાર્યશ્રીની પૂરી તૈયારી છે એટલે તેમણે સમાજ પાસેથી સૂચના સ્વીકારવા તત્પરતા દાખવી છે.
આ દીક્ષા પ્રસંગે હું હાજર હતા અને મેં નવી શ્રમણીઓના વેશ વિષે આચાર્યશ્રી સાથે કેટલીક ચર્ચાઓ કરી છે. અત્યારે જે વેશ તેમણે સ્વીકાર્ય છે તેમાં ઘાઘરા-સાડી અને ઉપર એક કોટજે લગભગ ખ્રિસ્તી સાધ્વી જેવા છે અથવા તો કહો કે નર્સના કોટને મળતા છે. એક વાતને સ્વીકાર આચાર્યશ્રીએ કર્યો જ છે કે આ તે! પ્રારંભ છે તેમાં જે સંશોધનની સૂચનાઓ મળશે તેના વિચાર કરી તેઓ પરિવર્તન કરવા તૈયાર જ છે. એટલું તેા નિશ્ચિત છે કે તેમના વેશ શ્રાવિકા અને સાધ્વીથી કાંઈક જૂદી પડવા જોઈએ જેને આધારે તેમને પૃથક કહી શકાય.
સાધ્વીઓ તેમના સંઘમાં સ્થાનકવાસીની જેમ જ મુહપતી માઢે બાંધી રાખે છે તેને બદલે ામણી બંઘની બહેને મુહપતી હાથમાં રાખશે અને તે રીતે જ તેમને દીઠા' આપવામાં આવી છે. દીક્ષા પૂર્વે તેમના સંબંધીઓની સભા સમક્ષ સંમતિ પણ મેળવવામાં આવી હતી.
સાધ્વીને પાળવાના નિયમા અને આ નવી ભ્રામણીને પાળવાના નિયમોની ભેદરેખા પણ હજી પૂરી અંકાઈ નથી. હાલ તુરત તે આ શ્રામણીઓ પારમાર્થિક સંસ્થામાં સંરક્ષણ પામશે એટલે કે તેમના ભાજન અને વાદિની વ્યવસ્થા પણ પારમાર્થિક સંસ્થા જ કરશે. તેમણે પોતાની કોઈપણ સામગ્રી પોતાના નાતીલા કે સગાસંબંધી પાસેથી મેળવવાનો નિષેધ કરવામાં આવ્યો છે. આમ અત્યારે આ નવા સંઘની સ્થાપના આચાર્યશ્રીએ કરી છે અને હવે સમાજ પાસેથી આ સંઘની વ્યવસ્થા-નિયમમાં વ. ઈત્યાદિ વિષે સૂચન માંગ્યા છે. તેના વિચાર કરી યોગ્યતા પ્રમાણે અમલ કરવા પણ આચાર્યનું મન ખુલ્લુ જ છે. તે સમાજના વિચારકોએ આમાં પોતાના સૂચના આચાર્યશ્રીને માકલી આપવા જોઈએ જેથી આ નવા સંઘ સમાજના ઉપયોગી કાર્યો જે આજના સાધુસમાજના નિયમાનું ક્પક રીતે પાલન કરવામાં આવે તે સાધુ-સાધ્વીઓ કરી શકતા નથી—તેવા કાર્યો આ નવા સંઘ દ્વારા સંપન્ન થઈ શકશે અને વીરસંઘ વિષેની સમાજની ધારણાને પુષ્ટિ પણ મળશે.
-
- દલસુખ માલવિયા
શ્રી મુબઈ જૈન યુવક સધ
અભ્યાસ વર્તુળ આગામી કાર્યક્રમ
-
વક્તા : શ્રી તુલસીદાસ વિશ્રામ
વિષયઃ ભગવાન શ્રીકૃષ્ણ-એક પ્રેમીની દૃષ્ટિએ સમય: તા. ૧૮-૧૨-૮૦ બુધવાર સાંજે ૬-૧૫ વાગ્યે સ્થળ: પ્રેમાનંદ કાપડિયા સભાગૃહ સૌ મિત્રને સમયસર ઉપસ્થિત
થવા આમંત્રણ લિ.
સુબોધભાઈ એમ. શાહ
કન્વીનર