________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૦
તપશ્ચર્યા : સૂર્યતાપકારિકા કે શાન્તિની ચન્દ્રિકા?
આ
કરવી અને જીવહિંસા ન કરવી તેમાં સમગ* તપનો સમાવેશ થાય છે. કામનાવાળાની સંખ્યા જગતમાં ઘણી છે, કારણ તેમ કરવાવાળા
જ છે. ભાગવતમાં પણ એ જ કહયું છે “કામત્યાગસ્તપ: ઋતમ’. જેમ. તપ્ત તવા ઉપર પાણીનાં બિંદુઓ બળી જાય તેમ તપને ' અગ્નિ સર્વ કામના અને પાપને બાળી નાંખે છે. કામના, વાસના કે ઈદ્રિયોને વિવેકહીને વ્યાપાર મનુષ્યના આધ્યાત્મિક, નૈતિક, સામાજિક પતનનું કારણ છે. માણસના માનસને આ પતનમાંથી જે બચાવે તેનું નામ તપ,
જીવન અને ધર્મના વિવિધ પાસાઓમાં – પછી તે કર્મયોગ હોય, ભકિતયોગ હોય, જ્ઞાન, ધ્યાન, યજ્ઞ, તપ કાંઈ પણ હોયગીતા- મૌલિક, વ્યાવહારિક અને માગવું પ્રદાન છે. ગીતાએ તપના કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકાર કહ્યાં છે. દેવ, દ્વિજ, ગુરુ કે બ્રાહ્મણની પૂજા, શુદ્ધિ ઝેજ ત્વ, બ્રહ્મચર્ય અને અહિંસાકાયિક તપ છે. ઉદ્ગ ને આણનાર વાણી, સત્ય અને પ્રિય વાણી ઉપરાંત સ્વાધ્યાય એ વાચિક તપ છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મીન, આત્મનિગ્રહ અને ભાવસંશુદ્ધિ માનસિક તપ છે. તે જ રીતે તપના ગુણભેદથી થતા સાત્ત્વિક, રાજસ અને તામારા એમ ત્રણ પ્રકાર ગીતાકારે વર્ણવ્યા છે. ફળની આશારહિત અને શ્રદ્ધાપૂર્વક કરેલું તપ તે સાત્ત્વિક સત્કાર, માનપાન ઈત્યાદી હેતુથી દાંભિકપણે કરેલું તપ તે રાજસ અને મૂર્ણપણાથી બીજાને ત્રાસ આપવા અને શરીર કૃશ કરવા કરેલું તપ તે તામસ.
ગીતામાં તપને યજ્ઞ કહ્યાં છે. (ગીતા ૪.૨૮) યજ્ઞમાં અગ્નિમાં આહુતિ આપવાની હોય. તપાયામાં સંયમાગ્નિમાં મન સહિત સેન્દ્રિય અને ઈદ્રિયવિષયોની ૨ાહુતિ આપવાની હોય.
કવિ કુલગુરૂ કાલિદારો તપોધન કિંવા તપસ્વીનું સુંદર વર્ણન
. ત્વજ્ઞાનનાં દર્શન અને વ્યાવહારિક જીવન વચ્ચે - Shઆસમાન-જમીનનું અંતર નહીં, જીવ અને શિવ જેવો અદત સંબંધ છે. ઘણી વાર તરવજ્ઞાનનાં ગહન રહસ્યોની ઉકેલ વ્યાવહારિક જીવન કે રસેઈ કરતાં કરતાં જ જડી જાય છે. એકવાર હું દહીંવડાં બનાવવા વડાં તળતી હતી. સરતચૂકથી તેલ તપ્યા વિના જ ખીરાને ગળી અંદર મૂકી દીધા. અને પરિણામ શું ચાલું? ખીરું છુટી ગયું અને તેલ તળવા લાયક ન રહ્યું. ર જઈને મારા મનમાં પ્રશ્ન ઉદભવ્યો, ‘તપ વિના, તપ્યા વિના કે તવાયા વિના જીવન પણ જીવવા લાયક કયાંથી બને?”
વડાને પરિપકવ થવા તપ્ત તેલમાં જ તળવું પડે, માટીના કાચા ઘડાને પરિપકવ કરવા અગ્નિમાં તપાવવો પડે, સુવર્ણ જેવા સુવર્ણને ય વિશુદ્ધ બનવા તપવું પડે તો જ તેનામાં ચળકાટ આવે. તો પછી માણસના માનસને પરિપકવ, વિશુદ્ધ અને મજબૂત બનાવવા તપ અને તિતિ ના અગ્નિમાં મૂકવું પડે કે નહીં ?
તપ એટલે શું? દેહ દંડનાત્મક અને કાયાકલેશરૂપ ક્રિયાઓ એટલે તપ? નહીં, નહીં. દેહ અનિત્ય, નાશવંત અને વિનાશી છે છતાં યે નિત્ય અવિનાશી ચાને અમર એવા આત્માને કે પછી ધર્મને પામવાનું એકમાત્ર સાધન છે. “શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમ', એ દેહનું દમન કરે છે અર્થ સરે? ભગવાન બુદ્ધ શરૂશરૂમ ઉગ્ર તપ કરી દેહને અસ્થિપંજર કરી નાંખ્યો. પછી તેમને પ્રતીતિ થઈ કે આવા આત્મકલેશથી જ્ઞાન પ્રાપ્ત થાય નહીં, માટે તેમણે શરીર સુસ્થિત કરી એકાંતમાં ચિતનો માર્ગ સ્વીકાર્યો, તેમાંથી જ તેઓ ‘બુદ્ધ થયા. તપને નિહાળવાન બુદ્ધને દષ્ટિકોણ એના પરથી સમજાશે.
ગીતામાં (૧૭.૬) પણ કહ્યું છે, દંભ, અહંકારથી યુકત, અશાસ્ત્રવિહિત ઘોર તપ કરીને શરીરને અને વિશેષત: અંતરાત્માને જે કૃશ કરે છે તેને તે અર્જુન, તું આસુરી બુદ્ધિવાળા જાણ” અન્યત્ર પણ કહે છે
પાપાનિ ન કુર્વનિત મનેવાકાયકર્મભ: તે તપત્તિ મહાત્માને ન શીરરય સેષણમ ”
–અર્થાત જેઓ મન-વચન-કર્મથી પાપ કરતાં નથી તે મહાત્માઓ જ તપસ્વી છે. શરીરનું રોપાણ કરવું તપ નથી. - તે પછી તપ શું છે? તપ એ ભારતીય સંસ્કૃતિને મેરુદંડ છે. મહાવીર, શુદ્ધ, શીવ, ભગીરથ વગેરેના જીવનમાં તપ અર્થાત જ્ઞાનાગ્નિનું સૌદર્ય છે, તપનું તેજવલય છે. તપથી જ ચિંતન શકિતમાન અને રસમય બને છે. જ્ઞાનની વૃદ્ધિ તપથી જ થાય છે. વિશ્વામિત્રએ કઠોર તપ કરીને અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરીને જ ક્ષત્રિયમાંથી બ્રહ્મર્ષિની ઉપાધિ પ્રાપ્ત કરી.
કહેવાય છે કે બ્રહ્માએ દિવ્યશતવર્ષ તપ કર્યું ત્યારે સૃષ્ટિનું સર્જન થયું. ભગીરથે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા (કેટલાકને મતે ગંગાને પ્રવાહ બદલવા) ઉગ્ર તપ કર્યું. વ્યાસે પ્રચંડ તપથી જ, આયુષ્યભરની સાધનાથી જ તત્કાલિન સર્વવડગમયનું સંપાદન કર્યું. બ્રહ્માએ, ભગીરથે વ્યાસમુનિએ તપ કર્યું એટલે કાયાને લેશ આપ્યો? નહીં, બિલકુલ નહીં. દેહને કે આત્માને કલેશ આપવાથી સૃષ્ટિનું સર્જન થાય? ભગરીથ કે મહાભારત કાર્યો પાર પડી શકે ?
આપણે ત્યાં શબ્દોગ છે, “તપ કરાવવું. એને અર્થ એ કે રાહ જોવડાવવી, લાંબા ગાળા સુધી મનને સંતોષ થાય ત્યાં સુધી પરિશ્રમ કરવો, પોતાનાં કાર્યો પાર પાડવાં, મનુસ્મૃતિમાં સારું જ કહ્યું છે કે બધી જાતની કળા, વિદ્યા, ચિકિત્સા તપથી જ સિદ્ધ થાય છે. પોતાના અસ્તિત્વ, જ્ઞાન તથા આનંદ માટે યતન કરવો તે જ તપ છે.
મારા મતે કાર્યમાં લગન, કરવી યાતનાઓને સહન, ઈન્દ્રિયનાથન, સ્વાધ્યાય અને પ્રવચન, ચિંતન અને મનની પ્રતિદિન પરિચર્યા તેનું નામ તપશ્ચર્ચા. * તપની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ ધર્મમાર્તડેએ આપી છે. મહાનારાયણ ઉપનિષદમાં છત, ચુત, સત્ય આદિને તપ કહ્યાં છે. તમિળવદ ‘કુરળમાં કહયું છે કે યાતનાઓને ધીરજપૂર્વક સહન
“શમપ્રધાનેષ તપેધપુ ગૂઢ હિ દાહાત્મક્સસ્તિ તેજ:
સ્પર્ધાનુકૂલા ઈવ સૂર્યકાનાસ્તદન્યતેજોડભિભવાદ વમત.”
એનો અર્થ એ કે જેમ સૂર્યકાંત મણિનો સ્પર્શ શીતલ હોય છે પણ જો એ સૂર્ય જેવા તેજસ્વી પદાર્થના સંસર્ગમાં આવે તો તેજ વમન કરે છે તેમ તપોધન એ શમપ્રધાન છે છતાંયે તેનામાં પહેલાં ગૂઢ તેજ દાહાત્મક હોય છે.
આ ક વાંચીને મને એક પ્રશ્ન ઉદ્ભવ્યો. શમપ્રધાને તપોધનેષુ એનો અર્થ શો ? આમ જોઈએ તો રામ અને તપ વિર . દ્ધાથી શબ્દો છે. તપ એટલે તાપ. સૂર્યના જેવો આકરો તાપ, આકરી સાધના તે તપ અને શમ એટલે શાંતિ-રાંદ્રની ચાંદની જેવી શીતલ. આ બે વિરુદ્ધાર્થી શબ્દો વચ્ચે સંવાદનું દર્શન કરવું કેવી રીતે?
આ પ્રશ્નનો ઉત્તર અને વૃક્ષ પાસેથી જડી ગયો. વિચાર કરતી હતી ઉનાળાના ધોમધખતા તાપમાં એ વૃક્ષ લીલુંછમ કેમ રહી શકે છે? કારણ એજ કે તે જેમ સૂર્યને તાપ સહન કરે છે તેમ ધરતીની અંદરથી રસ કે શીતલ જલ પણ ચૂસે છે. મનુષ્યના જીવનમાં પણ હરિયાળી ત્યારે જ છવાય જયારે એનો દેહ તપના સમાં આકરા તાપને, યાતનાઓને સહન કરે અને અંતરથી, અંદરથી, એના આત્મામાંથી ભકિતરસનું પાન કરે. અને તે જ શાન્તિ પ્રાપ્ત થાય. | વેદમાં તપને અગ્નિ કહાં છે. તપ અગ્નિ: ધૂપસળીને અગ્નિ સ્પર્શે તે જ તેમાંથી પરિમલ પ્રસરે, સૂર્યના તાપથી ધરણીતલ તપે ત્યાર પછી જ વર્ષાનાં શીતલ જલ વરસે. દિવસભર સૂર્યને ધમધખતે તાપ સહન કરીએ તો જ રાત્રિની રાંદ્રની શીતલ જયોત્સનાની અનુભૂતિ થાય તેમ આકરી તપસાધના પછી જ, જીવનમાં તવાયા પછી જ કાર્ય સિદ્ધિ અને જીવનની પરમશાંતિ પ્રાપ્ત થાય.
આમ તપશ્ચર્યા તે છેમન વિશુદ્ધિકારિકા પાપસકલ હારિકા ' દુ:ખ દારુણદારિકા સૂર્ય શી દાતામિકા છતાં યે શાંતિચંદ્રિકા.
– હેમાંગિની જાઈ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.