SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પ્રબુદ્ધ જીવન તી. ૧-૮-૮૦ * મૂળ સે તાં ઉખડેલાં દi - પ્રમુખ શ્રીમાન ચીમનલાલ ચકુભાઈ શાહે ત્યાર બાદ ગંભીર સ્વરે બોલતાં કહ્યું કે ૧૯૪૭માં દેશના જે ભાગલા પડયા એ એક ધરતીકંપ હતો, ૫૦ લાખ જેટલાં સ્ત્રીપુરને વિભાજન નિમિત્તે સ્થળાંતર કરવું પડયું હોય તેવો ઈતિહાસમાં એ પહેલા પ્રસંગ હતેા. માણસ ક્યારે શું કરી બેસે એ કળવું અશક્ય છે. મનુષ્ય એકલો કંઈ કરે અને સમૂહમાં જે કરે એ ભિન્ન હોય છે. સમૂહમાં એ ઉત્તમ કામ પણ કરી શકે અને અધમમાં અધમ કૃત્ય પણ ચિરી શકે. આ Human Psycology છે. માણસની સહનશકિત પણ ગજબની હોય છે. સર્વસ્વ ૯ગૂંટાયા પછી પણ એ સ્થિર થઈ જીવી શકે છે. ગઈ ગુજરી ભૂલી જઈ શકે છે. એ, માનવીની એક આશ્ચર્યજનક માનસિક પ્રક્રિયા છે. કમળાબેને ખરેખર અદભુત કામ કર્યું છે. હું એમને ધન્યવાદ આપું છું. અંતે યુવક સંઘના મંત્રી શ્રી. કે. પી. શાહે શ્રીમતી કમળાબેન તથા સર્વેને આભાર માન્યો હતો, સંકલન : ગ. મ. ઝવેરી વિશ્વદર્શનનું ઓડેલ: “ઘર” ‘અભ્યાસ વર્તુળના ઉપક્રમે શનિવાર, તા. ૧૨-૭-૮૦ને દિને સાંજે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રીમતી કમળાબેન. પટેલને, એમની તાજેતરમાં જ પ્રકાશિત થયેલી પુસ્તિકા “મૂળ સેતાં ઉખડેલા” વિશે એક વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. આ વખતે હંમેશા કરતાં બહેનની હાજરી વધુ હતી. શ્રી સુબોધભાઈ શાહે સૌને આવકાર આપ્યો અને શ્રીમતી કમળાબેન પટેલને ટુંક પરિચય આપતાં કહ્યું કે “૧૯૪૭માં હિન્દુ સ્થાનના ભાગલા પડયા એ વખતે આદેશ મળતાં તેઓ દિલહી ગયા અને સ્વ. કુ. મૃદુલાબેન સારાભાઈના આદેશાનુસાર તેમને લાહાર જવું પડ્યું. આમ તો કમળાબેન વર્ષોથી ગાંધીવાદી અને કર્મઠ કાર્યકર્તા હતા જ, પરંતુ ભાગલા વખતના પંજાબના વાતાવરણ, ભાષા અને કાર્યવાહીથી તન અપરિચિત હોવા છતાં કમળાબેન, લાહોર, અમૃતસર જલંધર ઈ. કોમી આગથી બળતા શહેરમાં પાંચ પાંચ વર્ષ સુધી રહ્યા અને તે દરમિયાન તેમણે અન્ય સહકાર્યકરોની મદદથી લગભગ ૨૦-૨૨ હજાર અપહત સ્ત્રીઓ ને બાળકોની શોધખોળ કરીને તથા કેટલાંકને સમજાવી-પટાવીને એમનાં કુટુંબીજનને સુપ્રત કર્યા. આ ભગીરથ કાર્ય જેટલું માનવતાભર્યું હતું તેનાંથી વધારે સાહસપૂર્ણ હતું. એમની આ પુસ્તિકામાં એમણે આ કાર્યની જટિલતા, જોખમ અને ભયંકરતાને સંક્ષિપ્તમાં ખ્યાલ આપે છે. જે વાંચીને આપણું માથું નમી પડે છે. આવી એક બહાદુર બેનને આજે વકતા તરીકે મેળવીને આપણે ધન્ય બન્યા છીએ.” ત્યાર બાદ શ્રીમતી કમળાબેન એ. જે. યુ. સં.ને તથા સર્વેને હાર્દિક આભાર માનતાં કહ્યું છે કે મને આજે આપ સૌને મળવા તથા થેડીક વાત કહેવાની જે તક આપવામાં આવી છે તે માટે હું કાર્યકર ભાઈઓની ઋણી છું. હું કંઈ લેખિકા નથી, મને ભાષણ કરવાની ટેવ નથી. જીવનભર સામાજિક કાર્ય કરતી રહી છું. છતાં દેશના ભાગલા વખતે મને એક અસાધારણ કામ સોંપવામાં આવ્યું તે મારી બુદ્ધિ અને શક્તિ પ્રમાણે મેં પાર પાડવાને પ્રયત્ન કર્યો. એમાં જે કંઈ સફળતા મળી તેને મેટાભાગને ોય. સ્વ. મૃદુલાબેન સારાભાઈને જાય છે. પરમેશ્વરની કૃપા અને એમની પ્રેરણાથી જ આ શક્ય બન્યું છે.” ત્યાર બાદ એમણે કેટલાંયે ભયાનક, વિચિત્ર અને કરુણાભર્યા સ્વાનુભવના ઉદાહરણે તથા વિતકથાનો ઉલ્લેખ કર્યો. જે સાંભળીને શ્રોતાજને હેબતાઈ ગયાં એમણે કહાં કે યુદ્ધો કે આંતરવિગ્રહો થેપડાં સત્તાલાલ, આગેવાના સ્વાર્થ માટે ખેલાય છે પણ એમાંથી પણ સૌથી વધુ સહન કરવું પડે છે સ્ત્રીઓને આ વિક્ટ કર્ય હું કેમ કરી Fશકી એનો વિચાર કરતાં આજે મને પિતાને આશ્ચર્ય થાય છે. ત્યાર બાદ શ્રી ગણપતભાઈ ઝવેરી, જેમણે પણ આ પુસ્તક વાંચેલાં તેમણે બાલતાં કહયું કે “મળ સેતાં ઉખડેલા” એ પુસ્તક નથી પણ ઈતિહારા છે. હજારો-લાખે માનવેની ક્રૂણમ કથા છે. આ નાની પુસ્તિકામાં સેંકડે પાત્રો અને અનેક ઘટનાઓને ઉલ્લેખ આવે છે. સૂરમાં કૂર પાશવતાના ઘણા બધા દાખલાઓમાં મહેરતી માનવતાના પણ થોડાંક પ્રસંગો વર્ણવાયાં છે. શ્રીમતી ક્ષ્મળાબેને જેટલું જોયું, જાણ્યું અને અનુભવ્યું તેને દશમો ભાગ પણ આ પુસ્તિકમાં છપાયો નથી. અને જેટલું છપાયે છે તેના ભાગ્યે જ એક ટકા જેટલું તેઓ આજે બોલ્યા છે. પડછંદ. ખુલ્લી તલવારધારી પંજાબી પુરુષ અને કદાવર તથા બિહામણાં બંદૂકધારી અફઘાને વચ્ચે એકલા ને અટૂલા આ ખાદીધારી ગુજરાતી બહેને જે હિંમત અને કુનેહપૂર્વક કામ કર્યું છે, એ વાંચતા વાંચતાં હૃદય ધૂ જી ઊઠયું અને એમને મને મન સેંકડો વંદન થઈ ગયા. એ પુસ્તકની ભાષા શિષ્ટ છતાં સરળ છે અને શૈલી પ્રાસાદિક છે. આ પુસ્તકમાં શ્રીમતી કમળાબેનને અંજલિ આપતાં શ્રીમતી આલુબહેન દસ્તુરે કહ્યું છે કે “ભાગલાએ જગાડેલી આગમાં કૂદી પડનાર આપણા દેશની બહાદુ ૨ નારીઓ પૈકીના એક શ્રીમતી કમળાબેન પટેલ છે.” એમનાં અનેરો સાહસ, હયાસૂઝ, સમયસૂચકતા, ધીરજ અને કાર્યનિષ્ઠા માટે હું શ્રીમતી કમળાબેનને બિરદાવું છું ને વંદું છું. એમના નારી જીવનની સફળતાને.” ત્યારબાદ શ્રોતામાંથી એક ભાઈ શ્રી દોલતરાય ખુશાલદાસ ઝાંગલાએએ આ પુસ્તક વિશેનાં પોતાનાં પ્રતિભાવ રજ કર્યા અને શ્રીમતી કમળાબેનને એમની નિર્ભિકતા અને પિતાની સેવા માટે ખૂબ ધન્યવાદ આપ્યા, ત્યાર બાદ અમૂક પ્રશ્ન પૂછવામાં આવ્યાં જેનાં ગ્ય ઉત્તર કમળાબેને આપ્યા. એકબીજાના સહયોગથી ગોઠવેલા લાગણીઓના તણખલાનો સંબંધની ડાળી પર બાંધેલો હૂંફાળે માળા એટલે ધર. જેની દીવાલોમાં પ્રેમ, મમતા અને પોતિકાપણા-આત્મયને ભાવ ચણાયેલા-વણાયેલા છે. સુખ-દુ:ખના દ્વારની જયાં ઉઘાડવાસ છે, સ્વતંત્રતા અને સહજતાનું મિલન છે. ઘર, કાંઈ પૃથ્વીને છેડે નથી કિના વિશ્વફલક પરનું કેન્દ્રબિન્દુ છે, જયાંથી સબંધેના વર્તુળ રચાય છે, વ્યવહારની રેખા અંકાતી જાય છે, સહાનુભૂતિ ઘૂંટાતી જાય છે, વિશ્વ પરિયને આંબવા માટેની ત્રિજીયાનું ઉદગમ સ્થાન છે. આપણા વેદ અને ઉપનિષદોના આદર્શ પર રચાયેલ શ્રેષ્ઠ આશ્રમ છે. દીવાલથી બંધાયેલું-ઘેરાયેલાં ભૌતિક સ્થળ કે મિલકત નથી, વૈભવ કે વિલાસ દર્શાવનું પ્રદર્શન-કેન્દ્ર નથી, પરંતુ મનની આંતરિક અને શુદ્ધ શાંતિ મેળવવાનું મંગળમય-કલ્યાણકારી મંદિર છે. નિરાંતની એ મિરાત છે. ઘર એટલે દીવાલની જડતા નહીં, પત્થર કોંકરેટની આકઠોરતા નથી. ધબકતું, શ્વસનું ચેતના--તંત્ર છે. શુદ્ધ-વ્યવહાર-સદાચારની ક્રોડરજજ છે. લાગણી'ના ધબકારને અનુભવતું કોડિયાગ્રામ-નેત્ર છે. દિવ્ય ચેતનાનું સંચાલક કેન્દ્ર છે. સમગ્ર ભાવેનું વાહક છે. - દીવાલો પર ભૂતકાળ છબીઓમાં પૂજાય છે, જેના–અરમાનોનો વર્તમાન તેના પર ફૂલ ચઢાવે છે, વારસાનાં મૂલ્યને જાળવવાના સંકલ્પ લેવાય છે. વર્તમાન માથું નમાવે છે ભૂતકાળના ચરણોમાં, સંતોષ અને આશિષની પસળી સારાયે ઘરમાં મહેકી ઉઠે છે. ખાનદાનીનાં સ્તોત્ર આંતર જગતમાં ચૂંટાય છે. ઘરની દીવાલમાં ભૂતકાળ શ્વસે છે, જેના આંગણામાં વર્તમાન પ... પા પગલી માંડે છે, ભવિષ્ય મહેમાન બનીને ‘બારણે ટકોરા’ પાડે છે. ત્રણેય કાળના ત્રિવેણી સંગમ પર અક્ષય-તીર્થની સ્થાપના થાય છે. આદર, સત્કાર અને આવકારની ત્રિગુણી શકિતનું આ વાન થાય છે. જયાં વડીલોની આમન્યા, સમવયસ્ક સાથે છૂટછાટ, નાનેરાઓની મર્યાદાની સહજતા છે. દરેક તારાઓ પોતપોતાને પ્રકાશ અને અસ્તિત્વને માણે છે. જેના ઉપર વડીલો વાદળા બની છવાઈ જતા નથી, કોઈના મેં વ્યકિતત્વને રોકતા નથી. નિર્ભયતાનો ખુલ્લા અવકાશ છે. વર્તમાન ખેાળાને ખુદે છે, યુવાની મસ્તી માણે છે, સાહસ ખેડે છે, વૃદ્ધાવસ્થા વર્તમાનના ટેકે ટેકે (સહારે) ભવિષ્યને આવકારવા મૃત્યુના દ્વાર તરફ હળવું પ્રયાણ કરે છે. ઘર કે જયાંથી સંસ્કાર, શ્રદ્ધા અને સંસ્કૃતિનું ઉદ્ઘાટન થાય છે, વિશ્વ-યવહારનું અનુસંધાન સધાય છે, વ્યવહારને વિકાસ થાય છે. ઘર ભાવનાઓનું પ્રસારણ કેન્દ્ર છે, લાગણીઓને જ્યાં સહવાસ છે. ઘર એટલે ભાવાભાવને ભાતીગળ ચંદર-ચાકળે. વિવિધ રંગેની બૂટ્ટા ભાતની રંગોળી.. ઘર એટલે વિશ્વ-દર્શનનું મોડેલ. ભુપતરાય મો. ઠાકર-‘ઉપાસક”
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy