SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પ્રબુદ્ધ જીવન એમ તમે ન જાણશેા. મોટા અને વિચારવાન અંગ્રેજો તેવા વિચાર કરે છે. એક મેમ્બરે તો એમ જ કહ્યું કે પાર્લામેન્ટ ધર્મિષ્ઠ માણસને લાયકની નથી રહી. બીજા મેમ્બરે કહ્યું કે પાર્લામેન્ટ તો ‘બેબી’ (બચ્ચું) છે. બચ્ચાંને કોઈ દહાડો તમે સદાય બચ્ચાં રહેલ જોયેલાં? આજ સાતસો વર્ષ પછી જો પાર્લામેન્ટ બચ્ચું હોય તે કયારે મોટી થશે ? વાચક : તમે મને વિચારમાં નાખ્યો. આ બધું મારે ચોકદમ માની લેવું એમ તો તમે નહીં જ કહો. તદ્દન જુદા વિચાર તમે મારા મનમાં પેદા કરો છે. તેને મારે પચાવવા જોઈશે. ઠીક છે; હવે ‘વેશ્યા ’ શબ્દનું વિવેચન કરો. કામો મુખ્ય પ્રધાન કરાવે છે એવા દાખલા જેઈએ તેટલા મળી આવે છે. આ બધું વિચારવાલાયક છે. વાચક: ત્યારે તમે તા, જેને આજલગી આપણે દેશાભિમાની અને પ્રામાણિક માણસા ગણતા આવ્યા છીએ, તેમની ઉપર પણ હુમલા કરો છો . આધપતિ : હા, એ ખરું છે. મારે કંઈ મુખ્ય પ્રધાન દૂધ નથી. પણ અનુભવે મેં જોયું કે તેઓ ખરા દેશાભિમાની ન ગણાય. તેઓ જાહેરમાં જેને લાંચ કહીએ છીએ તે લેતાદેતા નથી તેથી પ્રામાણિક ભલે ગણાય, પણ તેઓની પાસે વગ પહોંચી શકે છે. તેઓ બીજાની પાસેથી કામ લેવાને સારુ ઈલકાબા વગેરેની લાંચ પુષ્કળ આપે છે. શુદ્ધ ભાવ તેને શુદ્ધ પ્રામાણિકપણું આમાં નથી એમ હું હિંમતથી કહી શકું છું. અધિપતિ : તમારાથી મારા વિચાર એકદમ ન મનાય એ વાત બરાબર છે. તે વિષે તમારે જે વાંચવું ઘટે છે તે વાંચશે। તે તમને કંઈક ખ્યાલ આવશે. પાર્લામેન્ટને વેશ્યાનું નામ આપ્યું છે. એ પણ વિદ્યાર્થી આન્દોલનની મૂળભૂત નબળાઈ બરોબર છે. તેને કોઈ ધણી નથી. તેનો ધણી એક હાઈ ન શકે. પણ મારા કહેવાનો ભાવાર્થ એટલા જ નથી. જ્યારે તેના ધણી કોઈ બને છે - જેમ કે મુખ્ય પ્રધાન - ત્યારે પણ તેની ચાલ એકસરખી નથી રહેતી, જેવા બેહાલ વેશ્યાના હોય છે, તેવા જ પાર્લામેન્ટના સદાય રહે છે. મુખ્ય પ્રધાનને પાર્લામેન્ટની દાઝ થોડી જ રહે છે. તે તેની સત્તાના તારમાં ગુલતાન રહે છે. તેના પક્ષ કેમ જીતે એ જ તેને લગની રહે છે. પાર્લામેન્ટ કેમ ખરું કરે તે વિચાર તેને થોડો જ રહે છે. પેાતાના પક્ષને જોર આપવા પાર્લામેન્ટની પાસે ક'ઈ કઈ ૧૯૫૬ના મહાગુજ્જત આન્દોલનની જેમ આ રોટીરમખાણની આગની જામગરી બનવાનું કામ વિદ્યાર્થી આદોલને કર્યું હતું. છાત્રાલયોના ભાજન માટેનો વધતો જતો ખર્ચ એ મૂળભૂત રીતે સામાન્ય મોંઘવારીમાંથી ઊભા થયા હતા. હોસ્ટેલનાં રસેાડાં ઉપરાંત વિદ્યાર્થીઓાની અન્ય માગણીઓ પણ હતી. આ માગણીઓ પર રચાયેલા “જનતા કરફ્યુ ” અને ત્યાર પછીના “અમદાવાદ બંધ” પછી રાજ્યભરમાં રોટી – રમખાણ શરૂ થઈ ગયાં છે. વાચક: આમ તમારા વિચાર છે ત્યારે તે હવે અંગ્રેજ લોકો કે જેને નામે પાર્લામેન્ટ રાજ્ય કર્યું છે તેને વિષે પણ કઈક કહેા, એટલે તેઓના સ્વરાજનો પૂરો ખ્યાલ આવે. અધિપતિ : અંગ્રેજો જે ‘વાટર’ છે (ચૂંટણી કરે છે) તેઓનું ધર્મપુસ્તક (બાઈબલ) વર્તમાનપત્ર થઈ પડયાં છે, તેઓ તે પત્રમાંથી પોતાના વિચારો બાંધે છે. પત્રો અપ્રામાણિક છે; એક જ વાતને બે રૂપ આપે છે. એક પક્ષવાળા તે જ વાત મેટી કરી બતાવે છે, બીજા પક્ષવાળા તે જ વાત છેટી કરી નાખે છે. એક છાપાવાળા એક આગેવાન અંગ્રેજને પ્રામાણિક ગણશે, બીજો છાપાવાળા તેને અપ્રામાણિક ગણશે. આવાં જે દેશમાં છાપાં છે તે દેશના માણસાના કેવા બેહાલ હાવા જેઈએ? તા. ૧-૩-૭૪ વાચક : તે તમે જ બતાવેા. અધિપતિ : તે લેકો ઘડી ઘડીમાં વિચારો બદલાવે છે. રોમ તા એ લોકોમાં કહેણી છે કે સાત સાત વરસે રંગ બદલાય છે. ઘડિયાળના લેાલકની માફ્ક તે લોકો આમતેમ ફર્યા કરે છે; ઠેકાણાસર બેસી શકતા નથી. કોઈ માણસ જરા છટાદાર હોય ને વાતા ભારે કરી દે અથવા તેઓને મિજલસ વગેરે આપે તો નગારચીની માફક તેની ઢોલકી વગાડવા બેસી જાય છે. તેવા માણસેાની પાર્લામેન્ટ તેવી જ હાય. તેનામાં એક વસ્તુ છે ખરી. તે એ કે પોતાના દેશને જવા નહીં દે; ને જો કોઈ તેની ઉપર નજર કરે તો તેને ચીંધળાભીંત કરી મૂકશે. પણ તેથી કઈ તે પ્રજામાં બધા ગુણ આવી ગયા અથવા તે પ્રજાની નકલ કરવી, એમ કહી શકાય નહીં. જો હિન્દુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિન્દુસ્તાન પાયમાલ થઈ જાય એવા મારા તો ખાસ વિચાર છે. વાચક: અંગ્રેજી પ્રજા આવી થઈ ગઈ છે તેમાં શા કારણ માના છે? અધિપતિ : તેમાં અંગ્રેજોને ખાસ દોષ નથી, પણ તેઓનાબલ્કે યુરોપના ––આજકાલના સુધારાના દોષ છે. તે સુધારો, કુધારો છે અને તેથી યુરોપની પ્રજા પાયમાલ થતી ચાલી છે. –મહાત્મા ગાંધીજી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલી માગણીઓ ઉપરાંત રાજ્યવ્યાપી મેઘવારી તથા સરકારી તંત્રના ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો પણ વિદ્યાર્થીઓએ પાટાના આન્દોલનમાં વણી લીધાં છે. પરંતુ વિદ્યાર્થી નેતાઓએ એક ભૂલ એ કરી લાગે છે કે વર્તમાન સરકાર રાજીનામું આપીને નવી ચૂંટણી માટે માર્ગ મોકળા કરે નહિ ત્યાં સુધી શાળા – કોલેજો બંધ રાખવાનો નિર્ણય એમણે લીધા છે. આવી વ્યાપક માગણીઓ અંગે શાળા – કોલેજોને ચોક્કસ મુદત માટે બંધ રાખવાનું કેટલું વાજબી અથવા તો વ્યવહારુ ગણાય એ પ્રશ્નને વિદ્યાર્થી નેતાઓએ ગંભીરતાથી વિચાર્યો લાગતો નથી. વળી શિક્ષણક્ષેત્રની માગણીઓનો ઉકેલ એ શકયતાની મર્યાદામાં આવી જાય, પણ મોંઘવારી કે રાષ્ટ્રપતિશાસન જેવી કઠિન સમસ્યાઓ શાળા – કોલેજો બંધ રાખવાથી સરકાર પાસે ઉકેલાવી શકાય એમ માનવામાં કેટલું વ્યવહારુપણું ગણાય ? વિદ્યાર્થીઓના આવા ઉદ્દામવાદી આંદોલન સાથે “ ૧૪મી ઓગસ્ટ સમિતિ”ના મંચ પર ભેગાં થયેલાં કામદાર મંડળા જોડાયાં છે. પરંતુ આ કામદાર નેતાાએ પોતાના કાર્યક્ષેત્રમાં આવતાં કારખાનાંઓ કે કચેરીના અનિશ્ચિત મુદત માટે બંધ રાખવાનું ઠરાખું લાગતું નથી. એટલે પરિસ્થિતિ એવી છે કે જનતાની કઠિન સમસ્યા ઉકેલવા માટે વિદ્યાર્થીઓ કેળવણી અને વાલીઓના પૈસા બુન્દેની કુરબાની આપે, પણ કામદાર ભાઈઓ પાસે તા એક જ દિવસ માટેના ભાગ એમના નેતાઓ માગે છે પરિણામ એ આવ્યું જણાય છે કે આ ઉંદ્દામવાદી કામદાર રાગેવાના વિદ્યાર્થીઓને ભાગે જ પોતાનું ક્રાંતિકરી સ્વરૂપ બતાવશે. આમ બુનનું સ્વાભાવિક છે, કારણ કે મજૂર મહાજન સિવાયનાં મોટા ભાગનાં કામદાર મંડળોના આગેવાનો પોતાના અનુયાયીઓ પાસે અનિશ્ચિત મુદતની હડતાળ પડાવી શકવાની તાકાત ધરાવતા જ નથી. એમાંનાં સંખ્યાબંધ મંડળાતા ફક્ત કાગળના ઘોડા જેવા છે. આ પ્રમાણે વિદ્યાર્થીઓને જ હોળીનું નાળિયેર બનાવવાના પ્રયાસમાં રાજકીય ઉદ્દામવાદી પ્રામાણિકતા કેટલી ગણાય? ૧૭-૧-’૭૪ ( ‘ નિરીક્ષક ' માંથી સાંભાર } દેવેન્દ્ર ઓઝા h
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy