SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૧-૯ -૭૪ પ્રબુદ્ધ જીવન ૮૫ આ દુ:સાહસને કારણે લશ્કરી અમલને અંત આવ્યો. એ એક શુભ- પરિણામ આવ્યું. પણ ગ્રીસમાં આ રાજ૫લ થયો. તેથી ગ્રીસ ટકનો સામને કરવા અસમર્થ રહ્યું અને ટર્કીએ સાયપ્રસને ટર્કી વિભાગને કબજો કરી લગભગ ટીપુના ભાગલા કર્યા.હજારે કુટુંબને સ્થળાન્તર કરવું પડશે. બ્રિટન અને અમેરિકાને બન્ને પ્રજાને સાથે રાખવાના પ્રયત્નમાં નિષ્ફળતા મળી. ટીંએ લાંબાણ મંત્રણાની રાહ જોયા વિના પોતાનું ધાર્યું કર્યું. બન્ને દેશે નટૅના સભ્ય છે. અને પરસ્પર ક્રિમણ ન થાય તેથી વિરોધ રૂપે ગ્રીસે નાટોનો ત્યાગ કર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી દેશના ભાગલા થવા એક ક્રમ થઈ પડયો છે. ભારતવર્ષ, જર્મની, કોરિયા, વિયેટનામ અને હવે સાયપ્રસ બધે આ ક્રિયા ચાલે છે. ઉત્તર આઈલેન્ડમાં પણ કદાચ એમ જ થાય. એક જ ધર્મના હોય, એક જ પ્રા હોય તે પણ ભાગલા પડે, માનવજાત સહિષ્ણુતા ગુમાવી બેઠી છે. મારે તેનું જોર. તેમાં મહાસત્તાએ પોતાના સ્વાર્થે એક અથવા બીજા પક્ષે રહે છે અથવા બન્ને શસ્ત્રસામગ્રી પૂરી પાડી લડાવે છે. અમેરિકાને બેધપાઠ * અમેરિકાની પ્રજા એક ભયંકર દુ:સ્વપ્નમાંથી પસાર થઈ. નવા પ્રમુખે કહ્યું. The night mare is over, નવા પ્રમુખ પ્રતિભાશાળી વ્યકિત તરીકે જાણીતા નથી. તે પ્રજાના ચૂંટાયેલા પ્રમુખ નથી. ચૂંટાયેલા ઉપપ્રમુખ પણ ન હતા. પ્રમુખપદને મોટું લાંછન લાગ્યું છે. દેશમાં અને દુનિયામાં હવે તેની ફરી પ્રતિષ્ઠા , કરવી પ્રજા કટિબદ્ધ થઈ છે. વર્તમાનપત્રો, આગેવાનો, સેનેટરો, બધા પ્રમુખનાં ન ધારેલા ગુણ જોઈ તેમને આદર અને સન્માન કરવામાં પડ્યાં છે. આ પ્રમુખ સાદા છે. પ્રમાણિક છે, નિખાલસ છે, પ્રજાના માણસ છે. એવા તેમના અનેક ગુણાની મુકતકંઠે પ્રશંસા થઈ રહી છે. વ્હાઈટ હાઉસ - રાજભવન - માં જાણે હવે નવી હવાને સંચાર થયું છે એમ કહેવામાં આવે છે. ફોર્ડ ઉપ-પ્રમુખ થયા ત્યારે જાહેર કર્યું હતું કે ૧૯૭૬ માં પ્રમુખપદ માટે ઉમેદવારી નહિ કરે. હવે હિંમત આવી છે અને કહ્યું છે કે ૧૯૭૬ માં ઉમેદવારી કરશે. ડ્રોકફેલરની ઉપ-પ્રમુખ તરીકે પસંદગી કરી, પ્રમુખે પિતા માટે અને રીપબ્લિકન પક્ષ માટે સારે ટેકો મેળવ્યો છે. ભગીરથ પ્રયને પ્રજા નવચેતન લાવે છે. સાચી લોકશાહીનું એક લક્ષણ છે. અનિષ્ટ હોય ત્યાં સામનો કરે અને જરૂર હોય ત્યારે સત્તાસ્થાને બેઠેલાને આદર કરે. બન્ને વસ્તુ પ્રજાહિત માટે જ. એકાન્ત તેડી પાડવાની વૃત્તિ નહિ. એકાન્ત તાબે થઈ નિરાધારતા અનુભવે નહિ. લોકશકિત બન્ને દિશામાં ગ્ય રીતે અને યોગ્ય સમયે વહે - આ બોધપાઠ લેવા જેવું છે. ૨૬-૮-૭૪ ચીમનલાલ ચકુભાઈ ચરમ નયણુ કરી મારગ જેવો રે ભૂલ સયલ સંસાર (માર્ગાનુસારિતાના માર્ગ ઉપર ચાલતા કે તે માર્ગના ખરા ઉમેદવાર ભાઈબહેને માટે આ લખાણ છે.) ચરમ નયણ કરી મારગ જેવટે રે ભૂલ સયલ સંસાર (શ્રી અજિતનાથજીના સ્તવનની બીજી કડીનું પ્રથમ ચરણ) - જેમને એકેએક આત્મપ્રદેશ અહિંસામય શ્રી જિનશાસનની ભકિતથી રંગાયેલ છે એવા યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજે પિતાની સાધના કરતાં કરતાં જિન ભગવાનના શાસનને માર્ગ નિહાળવાને સંકલ્પ કર્યો અને સાથે જ પોતે કઈ ભૂમિકા ઉપર છે. એ તેમને બરાબર ધ્યાનમાં આવ્યું, એ હકીકતને તેમણે પુરુષ કિ મુજ નામ” એમ કહીને સ્તવનની પહેલી જ કડીમાં સ્પષ્ટ કરેલ છે.'અને સાથે જ શી જિનશાસનના પ્રત્યેક રિાધક સાધકને પૂરેપૂરા જાગૃત પણ કરી દીધેલ છે. યોગીરાજ પિતે તે શી જિનશાસનના મર્મ ભકત સાધક છે એથી તેઓ પોતાની ચાલુ ભૂમિકાને વિશેષ ઉચ્ચ, ઉચ્ચતર, ઉચતમ બનાવવાની કોશિશ કરતા રહ્યા છે, તે દરમિયાન તેમની તીણ નજર પિતાના સમયના જૈન મુનિસંઘ તથા શાવક સંઘ ઉપર ગઈ અને તે ગીરાજે તે ઘાને સ્થલ ધામિક કર્મકાંડની અવનિને “ખરે મારગ માનીને તેમાં રાચતા જોયા તેથી જ તેઓ કહી ઊઠયા કે ભૂલ્યો સયલ સંસાર, આ ઉપરાંત તેમણે વૈદિક બ્રાહ્મણધર્મના અનુયાયીઓ સંધાને પણ તેવી જ વેધક નજરે દીઠા તે તેમને ‘માલૂમ પડયું કે એ સંધે પણ ધર્મને નામે ચાલતી સ્થૂલ, સ્થૂલતર અને સ્કૂલતમ પ્રવૃત્તિઓના પ્રવાહમાં તણાયે જાય છે, તે જ રીતે તેમના સમયના ઈસ્લામી સંઘને પણ તેઓએ પૂર્વોકત સંધેની જે જ જો એથી પણ એમને ભૂલ્ય સયલ સંસારને ઉદ્ગાર ખરા અર્થમાં સરી પડયે. - જૈન સંઘે માટે તે રોમણે સ્પષ્ટ જાહેર કરી દીધું કે-' “ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાદિ નિજકાજ કરતાં થકી મેહ નડિયાં કલિકાલ રાજે” “વચન નિરપેક્ષા વ્યવહાર જૂઠો કહો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે, વચનનિરપેક્ષ વ્યવહાર સંસારફલ સાંભળી આદી કાંઈ રાચે” “દેવગુરુ ધર્મની શુદ્ધિ કહા કિમ રહે.” ઈત્યાદિ-કડી ૩-૪-૫ (શ્રી આનંદઘનજીનું શ્રી અનંતનાથનું સ્તવન) " અને વૈદિક બ્રાહ્મણ માર્ગાનુસારી સંધાને તથા ઈસ્લામિક સંઘને તેમણે “રામ કહે રહેમાન કહે, કોઉ કાન કહે મહાદેવરી” આ ભજનદ્રારા જ ઘણા સંક્ષેપથી પણ સ્પષ્ટ વાત સુણાવી દીધેલ છે. જૈન સંઘેને પણ આ ભજન ખરી હકીકતને અનુસરવાની ભલામણ કરે જ છે. ઉપર જણાવેલા જૈન-જૈન તમામ સંદેની એની કઈ રીતભાતે શ્રી યોગીરાજના ધ્યાન ઉપર આવી જેથી તેમને સમગ્ર સંસારને ભુલાવા પડયાની જલદ ઘોષણા કરવી પડી તે બાબત -હવે આ નીચે કમથી જોઈએ શ્રી અનંતનાથજીના સ્તવનમાં તેમણે કહેલ છે કે સંઘની અખંડતાને બાધ કરનારા એવા ઘણા ગરછો ઊભા થયા છે, એટલું . ' જ નહીં, દરેક ગચ્છ પોતાની માન્યતા માટે ખેંચાતાણી કરી રહ્યો છે તથા પારમાર્થિક દષ્ટિએ અનુપયોગી એવી નવી નવી પ્રરૂપણા બતાવી રહ્યા છે એટલું જ નહીં, પોતપોતાની માન્યતાને સાચી ઠરાવવા સારું આગમવચનથી નિરપેક્ષ વ્યવહાર ચલાવી રહ્યો છે. વળી, એવી એવી ધર્મક્રિયાઓ બતાવી રહ્યા છે કે તે ક્રિયાઓ જોનારાને એમ સ્પષ્ટ લાગે કે આ પ્રવૃત્તિઓ તે પેટ ભરવાની કેમ જાણે જુદી જુદી યુકિતઓ ન હોય. પેટ ભરવાની એટલે પ્રતિષ્ઠા મેળવવાની, સ્વછંદને પોષવાની તથા પુસ્તક વગેરેને લખાવવા સારુ ધનને મેળવવાની પ્રવૃત્તિઓ તથા વરઘોડાની, સામૈયાની અને પગલાં કરાવવાની વિશેષ આડંબરવાળી ધામધૂમે, વળી, પ્રતિષ્ઠાની વિધિઓ કે જેમાં પ્રધાનપણે દેખાવ અને આડંબર જ પ્રધાન હોય છે તેમાં કોઈ ઈંદ્ર બને છે, કોઈ ઈંદ્રાણી બને છે, કોઈ ભગવાનને પિતા બને છે, તો કોઈ ભગવાનની માતા બને છે તે કોઈ દિકકુમારિકાઓને સ્વાંગ સજે છે. આ નાટક પૂરું થયા પછી ભગવાનના પિતા બનેલા ગૃહસ્થને અન્યાયયુકત વ્યવહાર જોઈને લોકો ભગવાનના પિતાની હાંસી પણ ઉડાવે છે તથા ભગવાનની માતાની પોતાની પુત્રવધૂઓ તરફ કષાય ભરેલી કટુ પ્રવૃત્તિઓ જોઈને લોકો તેમના તરફ આંગળી ચીંધીને કહે છે કે જુએ, આ તમારી ભગવાનની માતા. આ સ્તવનમાં શ્રી યોગીરાજ આ ધામધૂમપ્રિય મુનિજનોને તથા શ્રાવકસંઘને પૂછે છે કે ભાઈઓ! તમે જ કહો કે આ રીતે દેવની, ગુરુની ચાને ધર્મની શુદ્ધિ કઈ રીતે રહી શકશે? વર્તમાનકાળમાં પણ આ અંગે કોઈ સુધારે થયે જણાતું નથી, જે સ્થિતિ તેમના સમયમાં હતી તેની તે સ્થિતિ ઘણે ભાગે યથાવત ચાલી રહેલ છે. ગુરુઓ પિતાની પૂજા અને આરતીમાં પડયા છે. આ સિવાય એવી જ બીજી પ્રવૃત્તિઓ પણ ચાલી રહેલ છે, જેમને જીવનની શુદ્ધિ તથા શુદ્ધ વ્યવહાર સાથે નહીં જેવો રાંબંધ છે. જેમકે (૧) મૂતિઓ તેમ જ શાવક તથા સાધ્વીજીએ અને શ્રાવિકોએ પોતે પોતાની રાજિક તથા પોતપોતાની દૈનિક પાપકરણીઓ માટે પ્રાયશ્ચિત સારું રોજ રાઈપડિક્કમણું કરે છે અને તિએ તેમ જ પાતપિતાની દૈનિક
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy