SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૭૪ પ્રબુદ્ધ જીવન પંથડો નિહાળું રે.... પંથડો નિહાળું રે બીજા જિનતા રે અજિત અજિત ગુણધામ, જે તે જિત્યારે તેણે હું જિલીયો રે, પુરુષ કિરૂં મુજ નામ ! પંથડે નિહાળું રે બીજા જિનતણો રે વાટડી નિહાળું રે બીજા જિનતણી રે ! ઉપર લખેલ મથાળું ઉત્તમોત્તમ સાધક, સતત જાગરૂક અને લક્ષ્યદર્શી મહાત્મા ગીરાજ આનંદઘનજી મુનિપુંગવના વચનરૂપ છે. તેમણે આ વાકય વીતરાગ ભગવાન શ્રી અજિતનાથજીનાં સ્તવનમાં કહેલ છે. સ્તવનની શરૂઆત કરતાં તેઓ કહે છે કે “પંથડો નિહાળું રે બીજા જિનતણો રે.' બીજા વીતરાગ મહાત્મા શ્રી અજિતનાથને માર્ગ મારે જે છે – સમજવો છે અને આત્મસાત કરવી છે. એ દષ્ટિએ બીજા ફીની અનુભવી પુરુ શ્રી અજિતનાથજીને માર્ગ નિહાળવા તત્પર થાઉં છું. આ કહેવા સાથે માત્ર બે જ શબ્દમાં શ્રી અજિતનાથજી અને માર્ગ નિહાળવાની તત્પરતા દાખવનાર પેતા વચ્ચે કેટલું બધું અંતર છે તે પ્રારંભમાં જ જણાવી દે છે. કહે છે કે, તે એટલે શ્રી અજિતનાથજીએ જે ભયંકર રાગદ્વેષ, હોધ, માન, માયા, લોભ, મત્સર અને કામ, મોહ વગેરેની વાસનાઓને પોતાને તાબે કરેલ છે એટલે એ બધી શાંતિ જગવનારી વાસનાઓ ઉપર તે જે અસાધારણ કાબૂ મેળવેલ છે જેથી એ બૂરા સંસ્કારો હવે તને પછાડી શકતા નથી ત્યારે પંથ નિહાળનાર એવી મારી સ્થિતિ તે એ કરતાં તદ્દન ઊલટી છે—ઊંધી છે. એટલે હું તો એ અશાંતિના અસાધારણ કારણરૂપ વિવિધ બૂરી વાસનાઓથી જિતાઈ ગયેલ છું. એ વાસનારનું - એ બૂરા સંસ્કારોનું વર્ચસ્વ મારા ઉપર જામેલ છે, એ વસ્વને ભેદવા સારુ, એ વર્ચસ્વની પક્કડમાંથી નીકળી જવા સારુ તે મેં આ તારે માર્ગ નિહાળવાનું પણ લીધેલ છે. આ સાથે કવિ પોતે એકરાર કરે છે કે હું પુણ્ય છું, મારામાં પુત્વનું અભિમાન છે અને મારી જાતને પુસ્માતનવાળા માનતા અાવેલ છું, પણ હે ગુરુ, તેં જેમના ઉપર ભારે પરિશ્રમ કરીને જીત મેળવેલ છે તે જ બૂરા ક્રોધાદિકના દઢ સંસ્કારો દ્વારા હું જકડાઈ ગયેલ છું, તે મને મારી જાતને પુરુષ હોવાની ભોંઠપ ગાવે છે. એટલે હું એક એવું પુસ્માતની છું કે મારું તમામ પુસ્માતન દટાઈ ગયેલ છે. એટલે મારી જાતને હું શી રીતે પુપાતનવાળી માનું? મને સમજાઈ ગયેલ છે કે પોતાની જાતને પુરુષ કહેવડાવવી એ કેવું અને કેટલું કપરું છે. હા, કપાયને આધીન રહીને પુણ્યાતન બતાવવું હોય તે જરૂર બતાવી શકું છું અને એ અખાડામાં મને કઈ જીતી શકે એમ નથી. પણ એ મારે પોતાના પુરુષાર્થ નથી, એ તે મને તાબે કરનાર મહાસુભટ કપાયોને પુરૂાર્થ છે, અર્થાત બીજાના બળને વશ થઈને હું જરૂર પુરુષ હોવાનું અભિમાન કરી શકું છું. પણ મેં જોયું - અનુભવ્યું કે આ બીજાને બળ પ્રાપ્ત કરેલું પુસ્માતન તે ભારે અશાંતિકર છે, અનેક દુ:ખનું મૂળ છે અને આ બીજાના બાવડાથી મળેલ પુરાતન મને ઊંધે માર્ગે લઈ જાય છે-ભકિતમાર્ગથી યુત કરી નાખે છે. એવું પરબળે મળેલ પુરુષાતન ગુણોને દ્રોહ કરાવે છે અને ભકિતમાર્ગના પ્રથમ પગથિયારૂપ માતાપિતાની ભકિતથી વિમુખ કરે છે, ન્યાયમાર્ગથી દૂર રાખે છે, સજજના સમાગમથી છેટે રાખે છે, અને વાત્સલ્ય, કરુણા, આપભોગ અને જાણપણું વગેરે જીવનવિકાસના પાયાનાં સાધને છોડાવી દે છે. પરિસ્થિતિથી ભારે અકળામણ થવાથી હવે હું હે ગુરુ! તારે માર્ગ જોવા તત્પર થયેલ છું. કવિ શરૂઆતમાં જ પોતાની જાતને તપાસવાને, બરાબર રાળખ લેવાને જે એકરાર તદ્દન સ્પષ્ટ રીતે કરે છે તેનું કારણ વિશેષ સમજવા જેવું છે. કોઈ પણ સાધક જે નવી સાધના માટે તત્પર થાય છે તેને કવિ ચેતવણી આપે છે કે ભાઈ ! તું નવી સાધના માટે તત્પર તો થયેલ છે, પણ તે પહેલાં તું તારું ઘર સંભાળી જો–નું કેવું છે અને આ નવી સાધના માટે તને શા માટે તમન્ના થયેલ છે? તારી પરિસ્થિતિ આ નવી સાધનાને કોઈ રીતે અનુરૂપ છે ખરી ? વર્તમાનમાં તારી જે દશા છે તે તને અકળાવે છે ખરી? વર્તમાનમાં જે તારી સ્થિતિ પ્રવર્તે છે તેમાંથી છૂટી જવાને તે વિચાર કરેલ છે ખરો? એવું છૂટી જવું તને ગમે છે ખરું? ટૂંકામાં વર્તમાનમાં તું પોતે ખાઈપીને તાજામાજો રહે છે અને એમ રહેવા માટે ભરચક પ્રયત્ન કરે છે અને સામે રહેનારાં લાંઘણ ઉપર લાંઘણા ખેંચી રહ્યાં છે, ટાઢને લીધે થરથરે છે, તાપને લીધે બળી રહ્યાં છે અને વરસાદને લીધે સતત પલળી રહ્યાં છે, એ બધું હું જોઈ રહ્યો છે એટલું જ નહીં, કશાય જાણપણા વિના એ સામે રહેલા જ્ઞાનમાં સબડી રહ્યાં છે અને સદા રોગગ્રસ્ત રહેતાં આવેલ છે એટલું જ નહીં પણ તેના રોગગ્રસ્ત સ્થિતિને પોતાનો સ્વભાવ સમજી બેઠાં છે. આ બધું તારે નવી સાધનાના પ્રારંભમાં જ જોવું પડશે અને ભારે સાવધાનીથી વિચારવું પડશે એટલું જ નહીં, નવી સાધનાના પ્રથમ પગથિયારૂપ અપભેગની પ્રક્રિયાને તારે આશરો લેવે પડશે. એટલે અત્યાર સુધી તે જે ખા-ખા જ કરેલ છે તેને પડતું મૂકીને હવે તારે ખા-ખાની વૃત્તિ છોડીને સામાં નાગભૂખ્યાં માંદલાને ખવરાવવું પડશે, તારે ભૂખ્યા રહેવું પડશે અને એ મુડદાંમાં તારું બળ પૂરવું પડશે, અને રોકવાર તે તારે તેમની દશાનો અનુભવ લેવો પડશે. તારી આ તૈયારી હોય તે નવી સાધના તરફનું તારું પ્રયાણ શોભશે, પણ તું પોતે જ ખા-ખા કરીને નવી સાધના તરફ વળતે હો તે તું ભીં, ભૂલે છે. આ જાતની ચેતવણી કવિ 'પુરુષ કિશું મુજ નામ’ કહીને આપણને સાવચેત કરે છે. જે લોકો પોતે જ સુખ માણે છે, ભાતભાતની મજા માણે છે, મો માણવા સારુ ન્યાય - અન્યાયનો તેમને વિચારસર આવતા નથી, અનેક કાળાંધળાં કરે છે, દવાઓમાં એવી ભેળસેળ કરે છે જેથી દવા ખાનાર દરદી મોતને પણ શરણે થાય તેની એ. મેજીલાને પરવા નથી. અરે ! બનાવટી બિયારણ બનાવીને પૈસા બનાવતાં એ બિયારણથી જમીનમાં કાંઈ ઊગશે કે કેમ એને પણ વિચારસરખે નથી, ખાવાની ચીજોમાં ભેળસેળ કરીને માલામાલ થનારા લોકોને આમપ્રજાના જીવનમરણની કશી પડી નથી. આમ અનેક પ્રકારે માણસ પોતે પોતાને જ રાતે માતે કરવાના પ્રયાસમાં ગળાબૂડ છે તેને માટે નવી સાધના દેવદર્શન, દેવપૂજન, કથાવાર્તા, વ્યાખ્યાનવાણીનું શ્રવણ વગેરે છે. હવે એ દેવદર્શન કે દેવપૂજન કરતાં રોજ બોલે છે કે પ્રભુદરશન સુખસંપદા પ્રભુદરશન નવનિ ધ "પ્રભુદરશનથી પામીએ સકળ પદારથ સિધ બેલનાર સાધક ને સાર્થ જો એમ સમજતે હોય કે પ્રભુના દરશનથી હું તે માલામાલ થઈ રહ્યો છું તો તે તદ્દન ગલતે વાત છે અને એમ માનનારી નવી સાધનાને એકડે પણ સમજેલ નથી. ઉપરની પ્રભુદરશનના મહિમાની કડી બોલનાર એ કડીઓમાં જે પામીએ ક્રિયાપદ આવેલ છે તેના ઉપર ધ્યાન આપ્યા વિના જ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy