SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ તુ સમુદ્ર જીવન અને આડખીલીઓ આવતી હેય તે તત્કાળ દૂર કરવી પડશે. (૪) એ પણ અત્યંત જરૂરી છે કે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ પોતાની સામાજિક જવાબદારીઓના સ્વીકાર કરતા થાય અને સ્વયં - શિશ્નન પાળીને વ્યવહારશુદ્ધિ માટે સુકારક ... પગલા ભરે. માફકસર ભાવે તેનું વાજબી વિતરણ થતું રહે તે જોવા માટે બધાએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે, સરકાર તથા ખેતી, વેપાર અને ઉદ્યોગના ધૃતનિધિઓએ પરસ્પર વિશ્વાસ તેમજ ખેલ દિલીના વાતાવરણમાં વાટાઘાટ કરીને આ અંગે જે કાંઈ મુશ્કેલીઓ જેટલી ખાનગી મિલકતની છૂટ આપે તે સિવાય ખાનગી માલિકીના (૫) ખાસકરીને ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને દવાઓ જેવી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળના વ્યાપક અનિષ્ટને સખત હાથે ડામી દેવું જોઈએ. આ ચાનિટ નાબૂદ કરવામાં વેપારી સમાજે સરકારને પૂરેપૂરો સહકાર આપવા જોઈએ. ભેળસેળ વિરુદ્ધના ફાયદા હજીયે વધારે સખત અને આકરી સજા ફટકારનારા બનાવવા જોઈએ.' ક ; (૬) ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તરમાં સમાજસેવાના અને વિકાસના કાર્યક્રમામાં સક્રિય ભાગ લેવાનું ઔદ્યોગિક એકમે માટે એમની સામાજિક જવાબદારીના. એક અનિવાર્ય અંગરૂપ મનાવું જોઈ.. 1. (૭) ઉપરના યો પાર પાડવા માટે ગાષ્ટ્રીએ એક સમિતિ રચી છે. ગાંધીજીઃ જીવનના છેલ્લા ' દિવસમાં ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને કાંઇક. 'શેાક્કમ સ્વરૂપ આપવા મથી રહ્યાં હતા. તેની વ્યવહારુ વ્યાખ્યાના એક મુદ્દો નરહરિભાઇ, પ્યારેલાલ, કિશારલાલભાઈ, પ્રો.'દાંતવાલાએ 'મળીને તૈયાર કર્યો હતા, જેમાં ગાંધીજીએ થોડા ફેસ્ફાર કરી છેવટ મંજૂર કર્યો હતો, તે આ પ્રમાણે છે : ....ટ્રસ્ટીપણાની વ્યવહારું વ્યાખ્યા ,, ૧. ટ્રસ્ટીપણાના સિદ્ધાંત આજની મૂડીવાદી સમાજવ્યવસ્થાને સમાનતાવાળી સમાજવ્યવસ્થામાં પલટી, નાખવા માટેનું સાધન છે. મૂડીવાદને તે આશ્રય આપતા નથી પણ આજના ડીદાર વર્ગને સુધરવાની તક આપે છે. માનવસ્વભાવની સુધારણા માટે સદાયે અવકાશ હોય છે એ શ્રદ્ધા પર એનું માણ છે. ૨: પોતાના જ હિત માટે સમાજ જેટલી ખાનગી મિલકતની છૂટ આપે તે સિવાય ખાનગી માલિકીના હક તે માન્ય રાખતા નથી, ૩. માલિકીહક તથા સંપત્તિના ઉપયોગનું કાયદાથી નિયમન કરવાનો તેમાં નિષેધ નથી. હું ૪. આમ રાજ્યદ્રારા સંચાલિત ટ્રસ્ટીપણાની વ્યવસ્થામાં વ્યકિતને પોતાના સ્વાર્થને સંતોષવા માટેઅથવા સમાજના હિતની અવગણના થાય એ રીતે સંપત્તિ ધરાવવાની કે તેનો ઉપયોગ કરવાની છૂટ નહીં હોય. * પં. નિર્વાહ માટે મજૂરીનું લઘુત્તમ ધોરણ નક્કી કરવામાં આવ્યું. છે. તે જ રીતે સમાજમાં એક વ્યકિતને વધુમાં વધુ કેટલી આવકની છૂટ રાખવી તે પણ નક્કી કરવું જોઈએ. આવી લઘુમ તેમ જ ગુરુત્તમ આવક વચ્ચેના તફાવત સમજપૂર્વકનો, ન્યાયપ્ર:સરના તથા છેવટે 'એ' નાબૂદ થાય એ રીતના તેમાં વખત વખત ફેરફાર થતા રહે એ જાતના હાવાં જોઈએ. ૬. ગાંધીવાદી આર્થિક વ્યવસ્થામાં, ઉત્પાદનનું સ્વરૂપ સમાજની જરૂરિયાત પ્રમાણે નક્કી કરવામાં આવશે, વ્યકિતના મનમાં આવે તે પ્રમાણે અથવા તેને લાભ સંતોષાય તે પ્રમાણે નહિ (હરિજનબંધુ, ૨૫-૧૦-૫૨: પાન ૩૦૧): ગાંધીજીએ કરેલ ટ્રસ્ટીશિપની વ્યાખ્યા અને પવનાર પરિષદે બહાર પાડેલ નિવેદનમાં કેટલું મેટ અંતર છે' તે. વિવેકી' વાચક જોઇ શકશે. પવનાર સંમેલનનો ધ્વનિ માલકા અને મજૂરી, ઉત્પાદકો અને ગ્રાહકો, શેરહાલ્ડરો અને સમાજ, વેપારી અને જનતા, આ બધા વચ્ચેના સંબંધા સુધારવા અને વિશ્વાસ પેદા કરવાના છે. તેમાં કાંઇ પાયાની ક્રાન્તિ નથી. બલકે, ખાનગી મીત્રને તેમાં અસ્તિત્વ અને યોગ્ય સ્થાન માટે હૈયાધારણ આપવામાં આવે છે. તેમાં મિલકતની માલિકીની ભાવના કાયમ રહે છે. વ્યવહારશુદ્ધિ કરવી, ભેળસેળ ન કર્વી એવા સુધારા થાય તો વર્તમાન માળખું કાયમ રહે. ગાંધી : 1 ', T: ** J કર્યું, x, H તા. ૧-૧૧-૩૩ `જીની ટ્રસ્ટસિપની વ્યાખ્યામાં માલિકીની ભાવનાનું વિસર્જન છે. તેમાં મિલકત અને આવકની મર્યાદા બાંધે છે. પેાતાના હિત માટે સમાજ હક માન્ય નથી. તેમ જ એક વ્યકિતને વધુમાં વધુ : આવકની કેટલી છૂટ રાખવી તે પણ નક્કી કરવું અને લઘુતમ અને ગુરુતમ આવક વચ્ચેના તફાવત ન્યાયપુર:સરનો અને છેવટ નાબૂદ,ઘાસથી વ્યવસ્થા કરવી. 2 , ગાંધીજીની ટ્રસ્ટીશિપની વ્યાખ્યામાં કાયદાદ્વારા વાલીપણાની જવાબદારીઓનું પાલન કરાવવાની હિંમાયત છે. આ રાજ્યસંચાલિત ટ્રસ્ટીપણાની વ્યવસ્થા માટે ફેરફાર છે.ગાંધીજીએ પહેલાં હૃદયપરિવર્તન દ્વારા સ્વૈચ્છિક વાલીપણાની હિમાયત કરી હતી. પણ મનુષ્યને લાભ જોતાં હૃદયપરિવર્તનને મર્યાદા છે અને કાયદાથી તેના અમલ કરવે પડે તેના સ્વીકાર છે. જેમ દારૂબંધી કે અસ્પૃશ્યતા નિવારણ માટે ભાગે, હૃદયપરિવર્તનથી કર્યું ફળદાયી છે છતાં સમાજમાં અમુક વર્ગ અને દરેક મનુષ્યમાં અમુક તત્વ એવું હેાય છે કે જેને માટે દબાણ આવશ્યક છે. તે દબાણ કાયદાથી લાવવું પડે તે લાવવું એમ આ વ્યાખ્યામાં સ્વીકાર છે. પશ્ચિમનાં શૅકશાહી સમાજવાદ અને ગાંધીજીના ટ્રસ્ટીશિપમાં પાયાના ફેર એ છે કે ત્યાં મનુષ્યના વિશ્વાસ નથી તેથી મિલકત સરકાર લઇ લે અને સમાજહિતમાં વાપરે. ગાંધીજીની વ્યાખ્યામાં મિલકતની, કાયદા પ્રમાણેની માલિકી વ્યકિતની રહે છે, પણ નક્કી કરેલ મર્યાદાથી વિશેષ મિલક્ત અને આવકને તે ટ્રસ્ટી બને છે અને કાયદાથી તેની ટ્રસ્ટી તરીકેની જવાબદારીના અમલ થાય અને હિસાબ લેવાય, વધારાની મિલકત અને આવકની દુક વ્યકિતએ લોકહિતમાં કેવી રીતે ઉપયોગ કરવા તેને પણ કદાચ કાય દામાં પ્રબંધ કરવામાં આવે. ગાંધીજી સરકારીકરણના રાખત વિરોધી હતા. તેથી ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મૂકયા,આ બધું ગાંધીજી કેવી રીતે કરત. અથવા કરાવત તે કહેવું મુશ્કેલ છે. બંધારણમાં દારૂબંધી છે અને અસ્પૃશ્યતા નાબૂદી છે, પણ બન્ને અભરાઇએ ચડાવ્યા. પવનાર પરિષદ' ચાલતી હતી ત્યારે વિનેબાજીનું માર્ગદર્શન લેવામાં આવ્યું. વિનોબાજીએ ગીતાના શ્લોક ટાંકી, પાંચ તત્ત્વા બતાવ્યાં. ચાધિષ્ઠાન એટલે કંપની, કર્તા એટલે ચલાવવાવાળી મુખ્ય વ્યકિત, કરણ એટલે મૅનેજમેન્ટ, ચેષ્ટા એટલે મજદૂર અને દેવ એટલે સમજ, પ્રા બધાના હિસ્સા નક્કી કરવા– મજૂરોને વહીવટમાં ભાગીદાર બનાવવા. વ્યવહારશુદ્ધિ કરવી. વિનોબાજીએ કહ્યું, ટ્રસ્ટીશિપ એટલે પાલકવૃત્તિ–પિતાની પુત્ર પ્રત્યે હાય તેવી બીજી વખત પાંચ3 શકિતએ બતાવી જનશકિત, સુજનશકિત, વિદ્રુજનશકિત, મહા i 3 જનશકિત અને સરકારી શકિત છેલ્લી ઓછામાં ઓછી જોઈએ. ચર્ચા દરમિયાન કહ્યું છે. વેપારી અને જનતા વચ્ચે વિશ્વાસ પેદા થવા જોઈએ. વેપારીમાં પ્રમાણિકતા જોઈએ. નાના ઉદ્યોગને ઉત્તજન આપવું જોઈએ. ગામની પેદાશે ને ઉપયોગ ગામમાં જ થવા જોઈએ. હેરાને છઠ્ઠો હિસ્સા આપવા, પણી જરૂરિયાત પૂરી - ન પડે ત્યાં સુધી નિકસ ન કરવી, જૈકે કેળા, કેરી, કાજુ વિગેરે, પ્રજાને પૌષ્ટિક ખોરાક માટે રાખવા જોઈએ, 'વિદેશથી આયાત રોકવી જોઇએ વિગેરે. J 7 સરકાર કે પ્રજા ગાંધીચીંધ્યા માર્ગથી બહુ દૂર છે અને વધારે દૂર જતા જઈએ છીએ. વનારનિવેદનમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુરૂપ સમાજવાદની વાત કરી છે. ગાંધીજીના ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત તે દિશાના હતે. આપણે તેથી ઘણા જોજન - દૂર છીએ. ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિંદ્ધાંતનો અમલ કરવાના કોઇ પ્રમાણિક પ્રયત્ન કરીએ છીએ એવી ભ્રમણામાં ન રહીએ. ૨૧૧૦–૭૩] ચીમનલાલ ચકુભાઈ F " વિનોબાજીએ તેા સૂક્ષ્મમાં પ્રવેશ કર્યાં છે. વિચારોના સામર્થ્યમાં તેમને ખૂબ શ્રાદ્ધા છે એટલે વિચાર–પ્રચાર મુખ્ય લક્ષ્ય છે. તેમના અનુયાયીઓ, તેમણે કહ્યું છે તેના પ્રચાર કરે છે. ગાંધીજી વર્તમાન પરિસ્થિતિમાં શું કરત તેકોઇ કહીશકે નહિ. સંભવ છે કે સરકાર વેપારી, ઉં-ગપતિ, મેાટા ખેડૂત, રાજદ્વારી : વ્યકિતઓ, મજૂર આગેવાને, આ બધાની સામે, અસહકાર અને સત્યાગ્રહના શસ્રો ચલાવ્યા હાત–ઉપદેશથી બેસી ન રહેત
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy