SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૭૩ પ્રદેશ - સિનાઈ - ઈઝરાયલે કબજે કર્યો છે. આ પ્રદેશ ઈજિપ્તને પાછા સં૫વાના સલામતી સમિતિના ઠરાવને ઈઝરાયલે ઠુકરાવ્યો છે. છ વર્ષથી કબજો કરી બેઠા છે. હવે ત્યાં વસવાટ શરૂ કર્યો છે ૨ાને આ કબજે કાયમ થઈ જાય તેવા સંજોગો ઊભા થયા છે. સીરિયાને રશિયાની સહાય છે, ઈઝરાયલને અમેરિકાની. રશિયાઅમેરિકા વચ્ચે સંબંધ સુધર્યા છે. એટલે કટોકટી ઊભી કરવામાં ચાવે તે બન્ને મોટા દેશો મળી કાંઈક સમાધાનને માર્ગ કરે એવી ગણતરી હશે. ઈજિપ્તની પ્રજા પણ ધીરી બની છે. સાદતને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે પણ આ સાહસ અનિવાર્ય હતું. ઈઝરાયલ અમેરિકાને પણ કેટલી દાદ આપે તે જોવાનું છે. આરબ રાજ્યો તેલના પ્રશ્ન અમેરિકા ઉપર દબાણ લાવવા પ્રયત્ન કરે છે. આવું દબાણ તાત્કાલિક બહુ અસરકારક થવાને સંભવ નથી. ઈજિપ્તની ગણતરી એવી હોય કે ગુમાવેલ પ્રદેશ છેડે પણ પાછા મળવીએ અને પછી સલામતી સમિતિ દબાણ લાવી યુદ્ધવિરામ જાહેર કરવાની ફરજ પાડે તો રાબ૩ રહે અને સુએઝની બીજી પાર પગદડે થાય, જે તે સમાધાનમાં મદદરૂપ થાય. ઈઝરાયલ આવા દબાણને વશ થાય એવા સંજોગે દેખાતા નથી. સલામતી સમિતિમાં અમેરિકાએ બે દિવસ પહેલાં ઠરાવ રજૂ કર્યો કે યુદ્ધપૂર્વેની સ્થિતિ કાયમ રાખવી ૨ાને બન્ને પક્ષનાં લશ્કરી દળાએ હઠી જવું. ઈજિપ્તને આ માન્ય ન જ હોય. તેના ટેકેદારોએ આ ઠરાવને વિરોધ કર્યો અને તે પસાર ન થયો. હકીકતમાં, યુદ્ધ થોડા દિવસ ચાલશે અને કેણ સરસાઈ મેળવે છે તેના ઉપર પરિણામને આધાર છે. ઈઝરાયલના જન્મ પછી આરબ રાજ્યોએ જેથી વખત આ આક્રમણ કર્યું છે. પહેલાં કોઈ વખત સફળ થયા નથી. ઈઝરાયલને પોતાની લશ્કરી તાકાતમાં પૂરી શ્રદ્ધા છે. તેને માટે જીવનમરણને પ્રશ્ન છે. પિતાનું અસ્તિત્વ અથવા સલામતી જોખમાય એવું કોઈ સમાધાન ઈઝરાયલ ન સ્વીકારે તે દેખીતું છે. પરિણામ કોઈના હાથની વાત નથી. બન્ને પક્ષે ઈરાદાપૂર્વક સાહસ ખેડયું છે અને જોખમ સ્વીકાર્યું છે. વિયેટનામ યુદ્ધને, છેવટ થાકીને ૨૫ વર્ષે અંત આવ્યો અને હજી કાયમી અંત આવ્યો છે એમ ન કહેવાય. મધ્યપૂર્વને આ મામલે પણ ૨૫ વર્ષથી સળગતો છે, ઈઝરાયલનું કાયમી અસ્તિત્વ અને સલામતી આરબ રાજ્યો સ્વીકારવા તૈયાર થાય તો સમાધાનની શકયતા છે, અન્યથા સળગતું રહેશે. યુદ્ધ શરૂ થયાના બીજે દિવસે જ આપણી સરકાર તરફથી ઈઝરાયલને માથે દોષને ટેપલે ઢળવા પ્રયત્ન થયો. શાળ રાજ્યની મૈત્રી મેળવવા આટલી બધી શું તાલાવેલી? પાકિસ્તાન સાથેનાં બંને યુદ્ધ વખતે કોઈ આરબ રાયે આપણી પ્રત્યે સહાનુભૂતિ પણ બતાવી છે? ૧૧-૧૦-૭૩ –ચીમનલાલ ચકુભાઈ સુઅવસરને ઓળખો વ્યવસાયરૂપી સેનાની ખાણ બહાર સફળતાનાં નાનાં ઢેફાં નથી વિખરાયેલાં પડ્યાં. પરિશ્રમ કરે-કઠોર, દમ, પરસેવો પડે તે પરિશ્રમ. જીવનની મહાનતમ સિદ્ધઓ પરિશ્રમનાં જ ફળે છે. -અવસરોની ઉપરછલ્લી માટી ખોતરતા રહેવામાં કંઈ ફાયદો નથી. વ્યવસાયિક શકયતાઓને કિનારે વેરાયેલાં સેનાનાં કણો એકઠાં કરતા રહેવાથી કંઈ વળશે નહિ! દરેક સુયોગ સેનાનું ઢેકું છે, પણ એ મેળવવા માટે તમારે ઊંડું ખોદવું પડશે. અને ધ્યેય કે ઢંગધડા વિના ખેદતા જ ન રહે. જેમ કુશળ ખાણ-માલિક ખાદકામ પહેલાં સારી એવી માહિતી મેળવે છે, તેવી જ રીતે કોઈ પણ વેપારી શકયતા પર મંડી પડતાં પહેલાં એ જોઈ લે કે તમે એમાંથી કેટલે નફો મેળવી શકશે. . પહેલાં એ જાણી લો કે ખાણમાં સોનું કયાં છે–એટલે કે પોતાના સાચા સુ-અવસરને ઓળખે અને તે પછી કાર્ય-જના બનાવો. પછી બસ, કમર કસે, બાંયો ચડાવે અને ખોદવાનું શરૂ કરી દો. (‘હાઉ ટુ બી પર્સનલી એફિશિયેન્ટ’માંથી) - શિક્ષણની વ્યાખ્યા મેં મારા અનુભવોમાંથી મારે માટે શિક્ષણની એક વ્યાખ્યા કરી રાખી છે. વિદ્યાર્થીઓને જલદીમાં જલદી સ્વાવલંબી બનાવવા. સ્વાવલંબી ત્રણ અર્થમાં: ઉદરનિર્વાહ માટે બીજા પર આધાર ન રાખવો પડે એ પહેલા ૨ાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાની સ્વતંત્ર શકિત જાગૃત થાય એ બીજો અર્થ, અને પોતાના પર કાબૂ રાખવાની શકિત આવવી જોઈએ. ઈન્દ્રિય અને મનને વશ કરવાની શકિત મેળવવી જોઈએ એ એનો ત્રીજો અર્થ છે. -વિનોબા - શ્રી મોટાનાં પુસ્તક હરિ ૐ આશ્રમવાળા પૂ. શ્રી મેટાનાં પુસ્તકો વેચાણ માટે સંઘના કાર્યાલય પર મોકલવામાં આવ્યાં છે, તો જેમને તે વાંચવામાં રસ હોય તેમને રવિવાર અને રજાના દિવસે સિવાય સવારના ૧૧-૩૦ થી સાંજના પ-૩૦ વાગ્યા સુધીના સમયમાં કાર્યાલયમાંથી વેચાતાં મળી શકશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ આ ગુજરાત-રાજસ્થાન રેલરાહત ફંડ રૂ. ૧૨૦૦૦ ની રકમના નામે ર૧૧ શ્રી દિનેશ ટ્રેડિંગ કે. ૫૧ શ્રી શાન્તિલાલ અમરચંદ ઝવેરી આગળના અંકમાં પ્રગટ કર્યા છે, ત્યાર બાદ ૧૫૧ શ્રી બ્રાઈટ સ્ટીલ એન્ડ ૫૧ શ્રી પોપટલાલ પ્રેમજી દેઢીયા આવેલી રકમ નીચે પ્રમાણે છે: ૫૧ શ્રી ભવાનજી રવજી. ૧૨૦૦૦ આગળ પ્રગટ થયા તે. એલોય કેપેરેશન. ૧૧ શ્રી કે. સી. મહેતા - ૧,૦૦૧ શ્રી સાકળચંદ જેઠાલાલ શાહ ૧૫૦ શ્રી ઈન્દુમતીબહેન કે. મુન્સીફ ૫૦૧ શ્રી અરજણ અને દેવજી ૨૫૧ અગિલા લિસ્ટમાં પ્રગટ ૧૭૩૫૮ ખીમજી સાર્વજનિક ટ્રસ્ટ થયા છે. બીજા ૧૫૦ આપ્યા- સંધના આજીવન સભ્યો ૫૦૧ શ્ર આત્માનંદ જૈન સભા દિલહી. ૪૦૦ શ્રી મણિલાલ લલુભાઈ (૪૧) એક મકાન માટે સંઘના આજીવન સભ્યોનાં ૨૨૯ ચેરીટેબલ ટ્રસ્ટ, એક મકાન માટે) ૧૦૧ શ્રી રમણિકલાલ રંબકલાલ શાહ નામે અગાઉ પ્રગટ થઈ ગયાં છે. નવાં ૪૦૧ શ્રી પટલાલ જેસીંગલાલ ૧૦૧ શ્રી શાંતિલાલ બી. શાહ નામે નીચે મુજબ છે: (એક મકાન માટે ૨૩૦ શ્રી રમણીકલાલ મૂળજી પાસડ ૧૦૧ શ્રી ઠાકોરલાલ મોતીલાલ ગાંધી ૨૩૧ શ્રી જે. કે. કોઠારી ૪૦૦ શ્રી ડાહ્યાભાઈ ભોળાઈ ઝવેરી ૧૦૧ શ્રી ગજરાબહેન ચીમનભાઈ ૨૩૨ શ્રી ખુશાલભાઈ સાકરચંદ (એક મકાન માટે) મહેતા. ૨૩૩ ll મૂળચંદ નાનાલાલ ' ૪૦૦ શ્રી નિર્મળાબહેન ગણપતલાલ તથા ૨૩૪ શ્રી મનસુખલાલ સી. શાહ ૧૦૧ ડો. ધીમંત શાહ ગણપતલાલ મગનલાલ ઝવેરી ૨૩૫ શ્રી તારાચંદ ધનજીભાઈ મહેતા (એક મકાન માટે) ૧૦૧ શ્રી મહાવીર મેટલ્સ ૨૩૬ શ્રી ન્યાલચંદ જે. મહેતા ૨૫૧ શ્રી. બી.એમ.ભેજાણી એન્ડ ૧૦૧ મિત્રો તરફથી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy