________________
દ
પાત્ર જીવન
“તમે વળી કયારે મને બેધ આપ્યો?”
“ક્ર્મ ! તું જ્યારે ચાના પ્યાલો લઈને આવ્યો છે ત્યારે મે કોઈ દિવસ એને પાછે ઠેલ્યો છે? તે મને પ્રણામ કર્યા છે ત્યારે માથું નમાવ્યા વિના હું રહ્યો છું? કહે, મેં તને કયારે ધર્મના ઉપદેશ નથી આપ્યો?'
શિષ્ય કયાંય સુધી ચુપચાપ ઊભા રહ્યો.
ગુરુએ કહ્યું : “તારે જોવું હશે તા સીધું ને પલકારામાં જોઈ લેંબું પડશે, પણ સત્યના સાક્ષાત્કાર વિષે માનસિક ગડમથલમાં પડયા તે ધ્યેયથી ઘણા દૂર જઈ પડીશ.”
સત્ય જ્યાં વિચારના કે વાણીના પરિવેશે। ઉતારીને સીધું જીવનની ભૂમિકા પર ઊતરી આવે છે ત્યાંની આ વાત છે. અને ત્યારે એને સીધું જીવનથી જ ઝીલવું રહ્યું. સિંદ્ધ તિલ્લાપાદે માત્ર બે જ પંકિતમાં આ સ્થિતિ અને ગતિની ગાથા આલેખી આપો છે.
“ચિાચિત્ત વિવજજહુ નિા, સહજ સરૂએ કરહુ રે થિન્ન” “ચિત્ત અને અચિત્તને સદાને માટે તજી દે, સહજ સ્વરૂપમાં સ્થિત થઈ જા.”
મકરન્દ દવે
* સાનુ અને ધૂળ *
સૈકાઓ જૂની આ વાત છે. દક્ષિણમાં સંત નામદેવની ઘણી ખ્યાતિ હતી. તેમના અસંખ્ય શિષ્યા અને તા હતા. એ ભકતામાં એક ગરીબ કઠિયારા હતા તેનું નામ ‘રાંકા’ હતું. તેની પત્ની ‘બાંકા’ પણ મતાણી હતી. ‘રાંકા’ જંગલમાં જઈને સૂકાં લાકડાં કાપતા અને તેની બે ગાંસડી બાંધતા, એક પાતે ઉપાડતા અને બીજી તેની પત્ની ઉપાડતી. એ લાકડાના ભારાની જે કિંમત ઊપજતી હતી, તેમાંથી તે પાતાનું ગુજરાન ચલાવતા હતા અને પતિ - પત્ની ઇશ્વરભજન કરીને જીવન વ્યતિત કરતાં હતાં. ચામાસાના સમયમાં કયારેક કયારૅક જંગલમાં સુકાં લાકડાં નહિ મળવાને કારણે એદમ્પતિને સાવ ભૂખ્યા રહેવું પડતું હતું. આમ છતાં તે કયારેય કોઇની સમા હાથ લાંબો કરીને યાચના કરતા નહે કે આવા કઠણ જીવન માટે ભગવાનને કે નસીબને પણ દોષ દેતો નહોતો.
પોતાના ભકતૅ, રાંકા અને બાંકાની ગરીબીથી સંત નામદૈવ શાંત હતા. એની સ્થિતિ સુધરે એ માટે તેમણે પેાતાના એક શ્રાીમંત ભકતને સૂચના કરી. શ્રીમંત ભકતે સેાનામહારા ભરેલી એક થેલી એ રસ્તા પર મૂકી, જે રસ્તેથીરાંકા અને બાંકા લાકડાં કાપવા માટે જતાં હતાં. રાંકાએ સેાનામહારા ભરેલી થેલી રસ્તામાં પડેલી જોઇ, અનેં એ એના પર ધૂળ નાંખવા માંડયાં, ત્યાં તેની શ્રી બાંકા આવીપહોંચી. એણે પૂછ્યું, ‘તમે શેને ધૂળથી ઢાંકી રહ્યા છે?” રાંકાએ કહ્યું, ‘અહિંસાનામહારાથી ભરેલી એક થેલી પડી છે, મેં વિચાર્યું કે તું પાછળ આવે છે અને આ સેનામહારા જોઇને તારૂં મન લલચાઈ ન જાય એ માટે હું એને મૂળથી ઢાંકી દેવા માગતા હતા.
તા. ૧૬-૮-૭૩
જ્યાં ત્યાં સુકા લાકડાનાં ભારા બાંધેલાં પડયા છે, તે તેમણે વિચાર્યું કે, આ કાઇએ મારા બાંધીને રાખ્યા હશે, એટલે તેઓ એકેય ભારાને અડકયા પણ નહીં. અને તે દિવસે આખા જંગલમાં તેમને સુકાં લાકડાં મળ્યાં નહિ. એટલે બને ખાલી હાથે પાછાં ફર્યાં. રાત્રે ભગવાન નું કીર્તન કરી બન્ને જણ ભૂખ્યાપેટે સૂઇ ગયા.
આ વાત સંત નામદેવથી જાણી નહેાતી. એક દિવસ અંત નામદેવ પાતે રાંકા-બાંકાની ઝૂંપડીએ પધાર્યાં અને તેમણે આ બન્નેને પરમભકત કહીને શાનવાણી સંભળાવી. અને ગુરુના આશીર્વાદના કારણે, રાંકા - બાંકાના જીવન ધન્ય બની ગયાં. તેમનું જીવન નખશીખ નવા પ્રકાશથી ઉજજવલ બની ગયું. તેઓ નિર્ધન હોવાછતાં બીજી રીતે સમૃદ્ધ થઇ ગયાં. અને અંતિમ શ્વાસ સુધી સંતે ષપ્રદ અને સમર્પણમુકત જીવન તેએ જીવ્યાં અને અમર બની ગયા. મૂળ હિંદો અનુવાદક: નેમીચન્દ્ર પટોરિયા શાન્તિલાલ ટી. શેઠ
વૈરાગ્યશીલ બાંકાએ કહ્યું, “સેાના અને ધૂળમાં ફરક શું છે? આપ તે ધૂળથી ધૂળને ઢાંકી રહ્યા છે.” અને ાનામારા ભરેલી થેલી ત્યાંજ છેડીને એ બન્ને આગળ ચાલ્યાં. શ્રીમંત ભકત છૂપી રીતે આ બધું જોતા હતા.
બીજા દિવસે તેણે રાંકાને મદદ કરવા માટે, જંગલમાં પોતાના નોકરોને મોકલ્યા, જંગલમાંથી જેટલાં સુકાં લાકડાં મળ્યાં તે બધાં કાપી કાપીને તેના ભારા બનાવીને ઠેકાણે ઠેકાણે રાખી દીધા, જેથી રાંકાને લાકડાં કાપવાના અને ભારા બાંધવાના કામ ન કરવા પડે, પરંતુ જ્યારે રાંકાંદ પતી જગલમાં પહોંચે છે અને જુએ છે કે
કાંટા અને ગુલામ
જીવનમાં જે કાંઈક કરવું હોય તે સૌ પ્રથમ તો આપણેઆપણી દષ્ટિ બદલવી જોઈએ. આ પરિવર્તન લાવવા માટે સૌ પ્રથમ તો આપણી આસપાસ જે કંઈ સારું હોય, સુંદર હાય, આનંદદાયક હાય, આપણી શ્રાદ્ધા વધારે એવું હોય એ તરફ દષ્ટિ માંડતાં શીખવું જોઈએ. આપણે જો પ્રયત્નપૂર્વક આ રીતે જોવાની દૃષ્ટિ કેળવીશું તે આપણને સમજાયા વિના નહિ રહે કે જીવનમાં દષ્ટિ છે, દરદ છે, રોગ છે, મુસીબતો છે, મુશ્કેલીઓ છે અનેનિષ્ફળતાઓ પણ છે; પણ એની સાથેાસાથ આપણને આનંદ આપે, આપણામાં શ્રદ્ધા પ્રેરે, જીવન પ્રત્યે આપણામાં વિશ્વાસ જાગે અને આપણને ઉત્સાહપૂર્વક આગળ વધવા માટે પ્રેરે એવું પણ ઘણુ' હાય છે.
જે લેાકાની જીવન પ્રત્યેની દષ્ટિ સારું જોવાની હોય છે એમને જે કંઈ ખરાબ, વેદનામય હાય છે એ નથી દેખાતું એવું નથી, પણ તેમણે સ્વીકારેલું હાય છે કે, જીવનમાં દુ:ખ અને આનંદબન્ને સાથેાસાથ ચાલ્યા આવતાં હોય છે. જીવનમાં સુખની અપેક્ષા હશે તો દુ:ખ માટે પણ તૈયાર રહેવું પડશે. સફળતાની અપેક્ષા હશે તેા નિષ્ફળતા પણ કયારેક આવવાની જ છે. પણ આવનારા દુ:ખ કે આવનારી નિષ્ફળતાનો વિચાર કરીને આજનાં સુખ, આજની સફળતાને પણ રોળીટાળી નાખવાનો અર્થ નથી, એ વાત તેઓ બરાબર સમજી ચૂકયા હાય છે. એટલે આવા લોકો દુ:ખ કે મુશ્કેલી આવતાં ભાંગીપડતાં નથી. તે એવા વિશ્વાસ ધરાવે છે કે મુશ્કેલીઓ તે। આવે છે, પણ મુશ્કેલીએના પોતાના લાભમાં કેવી રીતે ઉપયોગ કરવા એ તેઓ જાણતા હોય છે, એટલે મુશ્કેલીઓને પણ તેઓ આગળ વધવાના સાધનરૂપ ગણે છે. તેઓ મુશ્કેલીઓથી, દુ:ખથી ભાંગીપડતા નથી.
આવા લાકો જીવનમાં તે નક્કી કરેલા ધ્યેયને પાર પાડી શકે છે. જીવનમાં આનંદ, ઉત્સાહ અને કર્તવ્યનિષ્ઠાને ગુમાવતા નથી. તેઓ તે જીવનમાં જે કઈ સારું હોય તેના પર જ દૃષ્ટિ રાખે છે. એટલે મુખ્ય વાત તો તમારી દષ્ટિ કેવી છે, તમારા જીવન પ્રત્યે અભિગમ કેવા છે એના પર, તમે જીવનમાં આનંદ પામી કશે! કે નહિ, જીવનમાં તમને સુખને સુખ · શાંતિ મળશે કે નહિ એને આધાર છે.
એટલે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હાય, જીવનમાં ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ આંતરિક સ્વસ્થતા જાળવી રાખવા માગતા હાય એમણે જીવનમાં પેાતાની આસપાસ કેવળ કાંટા જ છે, અંધકાર છે એવી દષ્ટિ નહિ રાખવી જોઈએ. જીવનમાં કંઈક સિદ્ધિ મેળવવા માટે સૌપ્રથમ આપણે કાંટા નહિ પણ ગુલાબની સુગંધને પામવા તૈયાર થવું જોઈએ. અંધકાર નહિ, પ્રકાશની ઉપાસના કરવી જોઈએ.
-શિવમ ્
L