SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પ્રબુદ્ધ જીવન નવીન કવિતાના સફળ અગ્રયાધી–કવિ ઉશનસ વીનતમ ગુજરાતી કવિતાના એક અગ્રયાયી અને ધણા ન * સફ્ળ કવિ ઉશનસ–શ્રી નટવરલાલ કુબેરભાઇ પડયાને અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૭૨ ની સાલને રણજિતરામ' સુવણુ ચન્દ્રક અપણુ કરવાના નિ'' કર્યાં છે, તે સર રીતે પ્રા'સનીય અને ઉચિત છે. ઉશનસની કારયિત્રી અને ભામિત્રી પ્રતિભાનું અર્થાત સજ્જક પ્રતિભાનું અને વિવેચકપ્રતિભાનું આ સન્માન તેમની અક્ષરજગતની અવિરામપણે અને ઉત્કટતાથી ચાલુ રહેતી યાત્રાના મધ્યાહનકાળે થાય છે તેની એક વિશિષ્ટતા પણ ધ્યાનમાં આવે છે, તે એ કે, ઉશનસને પ્રથમ કુમાર્ ચન્દ્રક, પુછી ન૬ ચન્દ્રક અને તેને પગલે હવે રણજિતરામ સુવણુ* ચન્દ્રક પ્રાપ્ત થાય છે. તે આરોહણ માત્મક સન્માન, સર્જન ને વિવેચન ક્ષેત્રે તેમને ઉત્તરાત્તર પ્રાપ્ત થતી જતી અધિકાશ્વિક સધન અને સત્ત્વવન્તી સ’સિદ્ધિનુ ઘોતક છે. પ્રતિભાના ઉન્મેષ જે અધિકાધિક ઉજ્જવલ રીતે અને સફળતા પૂર્વક તેઓ દાખવી રહ્યા છે તથા સર્જન અને વિવેચન ક્ષેત્રે વિકાસ લક્ષી સાતત્ય જે રીતે તે જાળવી રહ્યા છે તેના સંદર્ભમાં ઉશનસ પાસે સ્વાભાવિક રીતે જ શ્રેણી માટી અપેક્ષા રહે છે. તેમના આ સન્માન માટે તેમને અભિનદન આપીને ઇચ્છીએ કે એ અપેક્ષા તેએ પૂરી કરે. તેઓ તે પૂરી કરશે જ એવા વિશ્વાસ સહેજે અનુભવાય છે. 服 ૧ ૯૨૦ ના સપ્ટેમ્બરની ૨૮ મી તારીખે વડોદરા જિલ્લાના સાવલી શ્રીમનાં, શ્રીગૌડ બ્રાહ્મણ જ્ઞાતિમાંજન્મીને, મામ મિક શિક્ષણુ ભાઇની હાઇસ્કૂલમાં અને સ્નાતક સુધીનું શિક્ષગુ બરાડા કાલેજમાં પામીને, મુખ્ય વિષય તરીકે ગુજરાતી લને મુંબઇ યુનિવસિટીની એમ. એની ઉપાધિ પ્રાપ્ત કરનાર કવિ ઉશનસે કેટલાંક વર્ષો સુધી નવસારીની કૅલેજમાં અધ્યાપક તરીકેની *ામગીરી બજાવીને હાલ તેઓ તે કામગીરી વલસાડની કોલેજમાં અજાવી રહ્યા છે. કવિ, વિવેચક અને વિચારક ઉપરાંત તેઓ એક સફળ વિદ્યાથી પ્રિય અધ્યાપક પણ છે. 街 પેાતાની અક્ષરાપાસનાના સર્જક તરીકેના સ્મારંભ ઉશનસે પ્રેમાનન્દની અસર દાખવતુ' પ્રહલાદ આખ્યાન રચીનેકર્યાં હતા. તે પછી તેમણે ભજના ઉપર પેાતાને હાય અજમાળ્યા હતા. ભજનેા પછી તેણે છ ંદોબદ્ધ કાવ્ય રચત્રા શરૂ કર્યાં હતાં. અદ્યયાવત ચાલુ રહેલી તેમની એકાવ્યયાત્રા દર મિયાન તેમની પાસેથી ‘પ્રસૂન' ‘નેપચ્ચે', મનેામુદ્રા', શ્મા', ‘તૃણની ગ્રહ' તથા *૫* અને છંદ એમ છ કાવ્ય સંગ્રહા મળ્યા છે; તા વિવેચનપ્રવૃત્તિને પરિણામે યાર અમનેા” તથા “રૂપ અને રસ” એમ મૌલિક અને તેમની પરિશીલનજનિત પરિપકવ વિવેકબુદ્ધિના સુલરૂપ એ વિવેચન સંગ્રહે! સાંપડમા છે. આ સમ્પ્રાપ્તિ પશુ આપણી ઉત્તમ વિવેચન સપત્તિના એક મહ-ત્વના અને મૂલ્યવાન અશરૂપ છે. તેમનું કાવ્યસર્જન વિષયગત અને કાવ્ય પ્રકારગત એમ ઉભયગત વૈવિધ્યથી સમૃદ્ધ છે. તેમણે પ્રકૃતિ કાવ્યો, જાનપદી સંસ્કૃતિ અને નગર સ ંસ્કૃતિને વિષય કરતાં કાવ્યા, જાગતિઃ બટનાના પ્રત્યાધાત ઝીલતાં કાવ્યે, પ્રય કાવ્યા, ઋતુવણુનનાં અને ઋતુની વિધવિધ લીલાને તેમણે મનભર માણેલા આનન્દ અભિવ્યકત કરતાં કાવ્યા, અંજલિ કાવ્યા. માનવ હૃદયના ભાવવિશ્વને અનેક સ્તરે સ્પર્શ'તાં કાવ્યેા, પૌરાણિક કથા વસ્તુ અને પ્રસ ંગાને આલેખતાં સંવાદ કાવ્યો, સંસારની વાસ્તવિકતાઓનાં ચિત્રા ઉપસાવતાં કાવ્યેા તથા ઉદાત્ત ભાવનાઓને અનુલક્ષતાં કાવ્યા, એમ અનેક અનેક વિયેાનાં કાવ્યા. રચ્યાં છે. સેનેટ, છાંદસ અને અછાંદસ રચનાઓ, ગીતા તથા હાઇકુ એમ પ્રકારનૈવિધ્ય પણુ તેમના ક્રાવ્પસર્જનમાં આપ્યું નથી. તા. ૧-૬-૭૩ પ્શનસના સમગ્ર કાવ્યરાશિ નિરપવાદ રીતે એક સરખા તેજસ્વી અને સમૃદ્ધ નથી એ સાચુ, તથાપિ તેમના સકલ કાવ્ય સર્જનમાંથી એક ઉત્તમ અને આપણી મૂલ્યવાન કાવ્યસંપત્તિના મહત્ત્વના 'શરૂપ નીવડે એવા કવિતા સંગ્રહ જરૂર તારવી શકાય. ઉશનસન કાવ્યસર્જન નિજાનન્દલક્ષી છે. કાનિર્માણુ એ તેમને પ્રકૃતિગત સહજ છન્દ છે; તે અનાયાસ છે. આત્મસ વેનને તીવ્ર કરી મુકતા સ્વાનુભવાને, અપૂર્વ રમણીયતાની ચિરસ્મરણીય અનુભૂતિને, સૌન્દ્રય લસિત કલ્પના વૈભવને કે ઉદાત્ત એવી ભાવના સૃષ્ટિને કામાભિવ્યકિત અપતાં ઉશનસમાંને કાવ્યપુરુષ જે સહજ આનન્દ અને સંતૃપ્તિ અનુભવે છે તે તેમની સાત્ત્વિક આનન્દની મૃગમાના લબ્ધિવિશેષ છે. સંવેદનાત્મક સ્વાનુભૂતિના અને તજન્ય ચિ ંતનના પ્રાકટયમાં આત્મસત્ત્વિના વિકાસ અને ચેતનાની સાથેાસાય ચેતા વિસ્તાર અનુભવતા તેમનામાં કાવ્યપુરુષ કાવ્યસર્જન દ્વારા બૃહદ વિશ્વ સાથે એકરૂપ થયાને તથા દેવદત્ત પ્રતિભાના સફળ વિનિયોગને આનન્દ અનુભવે છે. પ્રતિભાના સફળ વિનિયેાગમાં ઉશનસની સ્વકીય દૃષ્ટિની કાય્વિભાવના દૂત' અલબત્ત થઇ જ છે કિન્તુ તે વિભાવના તાગાર, રાખટ ફ્રોસ્ટ, એલિયટ, આસ્મેરકાનૢ કે આપણાં આચામ આાનન્દા કર, ડાર્કાર, શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તથા શ્રી ઉમાશ કર જેવા પ્રતિભાવાન કવિ અને વિવેચકાની દૃષ્ટિથી અનતિ નથી. પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય કવિતા તથા કાવ્ય શાસ્ત્રનું પણ ઉશનસની કાવ્યવિભાવનાને ધાર આપવામાં કંઈકને કઈંક અપ છે જ, તેમનું કાવ્ય સન કવિતા વિશેની તેમની જે આત્મપ્રતીત સમજના કુલરૂપ છે તે આ મુજબ છે. તે માને છે કે કાવ્યસર્જન એ શુદ્ધ પ્રેરણાત્ય તથા, ગહનતમ–જેતે આત્મા એવુ નામ આાપી શકાય એવાસ્થળના એકાન્તને પ્રશાન્તિમાંથી લયાન્વિત આનંદમય શબ્દ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છે. કાવ્યાનંદ એ બ્રહ્માનન્દ સહાદર ખરા. કિન્તુ અ ંતે વચ્ચે અદ્વૈત હેાવાનુ ઉશનસ સ્વીકારતા નથી. તેનું જે કારણ તેઓ રજુ કરે છે તેમાં પણ ભારાભાર તથ્ય છે. તેઓ કહે છેઃ કાવ્યના આનન્દ અને બ્રહ્મના સાક્ષાત્કારથી થતા આનન્દ એ અને આનન્દની સમ્પ્રાપ્તિની પદ્ધતિ ભિન્નભિન્ન છે. બ્રહ્માનુભવ તે કલાનુભવ નથી અને બ્રહ્માનન્દની સ'ક્રાન્તિ એ કાર ઉપાદાન કે ઇન્દ્રિયના માધ્યમ દ્વારા થતી નથી. ત્યારે કાન્માનની અથવા કલાનુભવ માત્રની પ્રવૃત્તિ કાષ્ઠને કાઇ ઉપાદાન અને ઇન્દ્રિયના માધ્યમની અપેક્ષા રાખે છે. ઉશનસનું વિવેચન પણુ કેટલીકવાર કારયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભાના સંપુટ જેવું હેાય છે. તેએ વિવેચન ક્ષેત્રે કી આત્મપ્રતીતિ વિના આગળ વધતા નથી, તેમના વિવેચનમાં કનિરપેક્ષ કૃતિ પ્રત્યેની વિચારની પરિપકવતા, નિષ્ઠા, સહાનુભૂતિ અથવા સમસવેદન હૃદયની ઉષ્મા, ભાવાવેગ, અભિગમની મૌલિકતા, શૈલીની વિવિધતા, અભિવ્યકિતની નિરનિરાળી છટા અને કૃતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમ, ઉચ્ચ વિવેચનાને અપેક્ષિત લગભગ સર્વ શેાની ઉપસ્થિતિ હોય છે. એમની વિવેચના ક્યારેક પાંડિત્યના ભારથી ઝુકી પડતી લાગે છે પરન્તુ તે તેમની એક મદા છે. એટલું ખરુ કે ભાષાને વૈભવ વિલાસિતા સુધી પહેાંચી જ વવા નથી અનતા. ઉશનસના વિવેચનમાં ભાષાના એજસ ઉપરાંત વિચારનું તેજ અને અભિવ્યકિતની ધાર અને અનુભવાય છે. ઉશનસ આપણા એક શ્રદ્દાવાન કવિ છે. તેમને આજની નવી કવિતા પ્રત્યે વિરાગ નથી. આકિત હશે કે નહીં તે કહેવુ મુશ્કેલ છે. પરન્તુ તેને તે ધિકકારતા નથી. માનવી ઘણુંબધે અંશે અપૂણુ હોવા છતાં તેના પ્રત્યે ઉશસને ચાહના છે. અપૂર્ણ' માનવી પુણ્ત્વ પ્રાપ્ત કરી શકો એવી તેમને પાકી શ્રા છે. તેમ ક્ષણિક સૌન્દ્રય પણ શાશ્વત સૌન્દની ખેાજમાં પ્રસ્થાનબિન્દુ બની શકે એવી એમની શ્રદ્ધા છે. —કૃષ્ણવીર દીક્ષિત માલિક શ્રી સુખ જૈન યુવક સૌંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે, યાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રાડ, મુંબઇ-૪, ટે. ન. ૩૫૦૨૯૬ મુદ્રગુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ ૧. 粥 10 O
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy