________________
તા. ૧૬-૬-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
* પુરુષ-નિરપેક્ષ સ્રીજીવન
[પુરુષ–નિરપેક્ષ સ્ત્રી-જીવન વિશેની ચર્ચા દરમિયાન અત્યાર સુધીમાં જુદા જુદા લેખકોએ પોતાનાં મંતવ્યો વ્યકત કર્યા છે. અહીં એક વધુ મંતવ્ય રજૂ કરાયું છે: તંત્રી]
પૂ. દાદાસાહેબના ઉપરોકત વિષય અંગેનો લેખ જ્યારે તંત્રીની નોંધ સાથે વાંચ્યો ત્યારે જ એ વિશે કંઇક લખવાનું મન થયેલું.
મારી સમજ પ્રમાણે બંને મંતવ્યોમાં કોઈ પાયાનો ફરક નથી; માત્ર દરેકનો જોવાનો દષ્ટિકોણ જુદો છે અને જુદી જુદી બાબતો પર ઓછાવત્તા ભાર મુકાયા છે. પરિણામે વિરોધના આભાસ ઊભા થયા છે. વસ્તુત: એવું છે નહીં.
મુદ્દાની વાત બે છે: (૧) સ્રીને સ્વાયત્ત જીવન જીવવાની તક હોવી જોઈએ અને પુરુષની જેમ જ સમાજે સ્ત્રીની સ્વાયત્તતાના સ્વીકાર કરવા જોઈએ. (૨) તેમ છતાં પણ સ્ત્રી અને પુરુષ બંને એકબીજા વિના અપૂર્ણ છે, એકબીજાનાં પૂરક છે.
પહેલી વાતનો અર્થ એ નથી કે સ્ત્રી પુરુષથી તદ્ન અલિપ્ત જ રહે. કોઈ પણ કારણસર શ્રી જૉ પુરુષ - નિરપેક્ષ જીવન જીવવા માગે, પરણ્યા વિના જ કોઈ પુરુષની મિત્ર તરીકે જીવવા ઈચ્છે તા તે એમ કરી શકશે અને સમાજ એની કોઈ ટીકા નહીં કરે, કોઈ રીતનું નીચું સ્થાન એવી સ્ત્રીને નહીં આપે. જે રીતે પુરુષ ગમે તેવા વ્યસની હોય કે દુરાચારી હોય તે પણ સમાજમાં ઊંચે મસ્તકે ફરી શકે છે, તે પ્રમાણે સ્રી પણ આજીવન કુંવારી રહે, વિધવા બને અથવા બીજી કોઈ રીતે પુરુષથી એનું જીવન અવલંબિત ન રહે તે! પણ સમાજમાં એવી સ્ત્રીનું સ્થાન પ્રતિષ્ઠાવંત રહેવું ઘટે.
બીજી વાતનો અર્થ એ છે કે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાને અનુરૂપ થઈને પ્રેમ અને સહકારપૂર્વક જીવન જીવે, એકબીજાનાં પૂરક બનીને જીવે તો સંસારની ગાડી સરસ ચાલે. આ વાત પરથી એમ સમજવાનું નથી કે સ્ત્રી પુરુષ વિના જીવી જ ન શકે. આ બંને મંતવ્યોને આત્યંતિક માની લેવામાં વિરોધના આભાસ જણાય છે. પુરુષ-નિરપેક્ષ જીવનની સ્ત્રી માટે હિમાયત કરતાં દાદા ભાગ્યે જ એમ ઈચ્છતા હશે કે સ્ત્રી પરણે જ નહીં કે મા પણ બને નહીં. માતૃત્વને તેમણે આનુષંગિક કહ્યું છે. તેમનું લખાણ (મૂળ પ્રવચન) થોડું કડક, થોડું વ્યંગાત્મક અને થોડું ઉપાલંભમાં હતું એટલે પ્રથમ નજરે વાંચકને એમ લાગે. તે જ પ્રમાણે શ્રી ચીમનભાઈ પણ ભાગ્યે જ એમ વિચારતા હશે કે સ્ત્રીનું પુરુષથી સ્વતંત્ર એવું જીવન કોઈ પણ સંજોગામાં હાઇ જ ન શકે,
આ વિચારોની સાથે બીજી પણ એક - બે બાબતો વિચારવી જોઈએ એમ મને લાગે છે. એક તો, સ્ત્રીસ્વભાવથી જ નરમ, કમજોર અને ગ્રાહક-Receptive-છે, જ્યારે પુરુષ તાકાતવાન અને આક્રમક aggressive-છે. ઉપરાંત સ્ત્રીની શરીરરચના પણ એવી છે કે માતૃત્વ એને જ આવવાનું છે. એટલે પુરુષની સરખામણીમાં જીવનના કેટલાક સમય શકિત એને બાળકના ઉછેર પાછળ ખરચવી પડે છે. આ ઉપરાંત સ્ત્રીની આર્થિક પરતંત્રતા સ્ત્રીની સામાજિક નિર્બળતાનું એક કારણ છે. એટલે ભારતીય સમાજમાં કુટુંબજીવનના જે ઢાંચા છે તે બદલાય નહીં ત્યાં સુધી સ્ત્રી સંપૂર્ણપણે સ્વાયત્ત બની શકશે નહીં, જો કે એ દિશામાં સમાજનાં વલણા રોજેરોજ બદલાઈ તે રહ્યાં જ છે પણ સવાલ એ છે કે પશ્ચિમી સમાજેમાં જે હદે શ્રી સ્વાયત્ત બની છે એટલે સુધી આપણે ત્યાં સ્ત્રીને સ્વાયત્ત અને પુરુષ-નિરપેક્ષ બનવું છે? તે આપણી લગ્નની પ્રથા, કુટુંબજીવન બધું જ બદલવું પડે. આપણી એવી તૈયારી છે ખરી?
સુબોધભાઈ એમ. શાહ
(7
૪૭
પ્રથમ પ્રવેશ
“તું હવે ઉંમરલાયક થઈ ગયો, બેટા! હવે બહાદુર થવાનું હા !” પિતાએ કહ્યું અને ટ્રેનની બારીમાંથી તેમણે દીકરાના બન્ને હાથ પકડીને સ્નેહથી દાબ્યા અને પછી કંઈક આશીર્વાદ આપ્યા. માએ બે હાથે છેાકરાનું માથું નમાવીને કપાળ ચૂસ્યું, અને ગાડી ઊપડી.
એક વિશાળ એક્લતા તેની ચારે તરફ વીંટળાઈ વળી. આજ સુધી કદી ટ્રેનમાં બેઠો નહાતા. આ પહેલી સફર હતી, અને લાંબી હતી. લાહારથી છેક મુંબઈ સુધીની. ઘરનું કોઈ સાથે નહાનું, માત્ર પિતાના મિત્ર હતા. પળે પળે ટ્રેન તેને કુટુંબથી દૂર...દૂર લઈ જતી હતી. પાંચ વર્ષના બાળકની આંખમાંથી આંસુ રેલાવા માંડયાં ને તે તેણે કોઈ જુએ નહિ તેમ ઝટપટ લૂછી નાખ્યાં. અજાણ ભીતિની લાગણી તેને ભીંસવા લાગી. નવા પ્રદેશ જવાના આનંદનું આશ્વાસન પણ તે લઈ શકે તેમ નહોતો. તેની બન્ને આંખાતા દાઢ વર્ષ પહેલાં જ ગઈ હતી.
દોઢ દિવસની સફરને અંતે તે મુંબઈ પહોંચ્યો ત્યારે તે સાવ થાકી ગયો હતો. આજ સુધી નહેરનાં વહેતાં પાણીના ઝાંઝરિયા અવાજ સંભળાતો, મેાટા બંગલામાં સુખી ને હેતાળ માબાપની છાયા હેઠળ રહ્યો હતો. પણ ત્યાં અંધ બાળકો માટે કોઈ શાળા નહોતી; ને તેના પિતા ઈચ્છતા હતા કે આંખના અભાવે દીકરો અશિક્ષિત ન રહે.
ધુમાડો, ગિરદી, જાતજાતના અવાજ, ટ્રામબસના ઘોંઘાટ અને ચિત્રવિચિત્ર ગંધવાળા આ પ્રદેશમાં પગ મૂકતાં વેદનું મન એક નિરાધાર એક્લતાથી ભરાઈ ગયું. પણ હવે પાછા કેમ જવાય? કોણ લઈ જાય?
પિતરાઈ ભાઈ સાથે તે દાદરની અંધશાળામાં પ્રવેશ્યા ત્યારે નમતી બપેારના સાડા ચાર વાગ્યા હતા. વિદ્યાર્થીઓએ હજુ હમણાં જ નાસ્તો પતાવ્યો હતો. નવા છેકરી દાખલ થવાની વાત સાંભળી તે બધા ઉત્તેજિત થઈ ગયા હતા. વેદના પ્રવેશતાં જ બધા ઊભા થઈ ગયા ને મરાઠીમાં તેને આવકાર આપ્યા. વેદે પહેલી વાર મરાઠી ભાષા સાંભળી. તેને કાંઈ જ સમજાયું નહિ. ભાઈની પાછળ પાછળ ચાલતે તે ગિરદીવાળા ભાજનખંડમાંથી પ્રિન્સિપલની ઑફિસમાં પ્રવેશી ગયો. પ્રવેશ કરતાં જ પ્રિન્સિપાલ ડૉ. હાલ્ડરે ઊંચા અવાજે અંગ્રેજીમાં કાંઈક કહ્યું. પણ વેદનું મન એટલું બધું ક્ષુબ્ધ હતું કે એ પણ તે સમજ્યો નહિ. ઘેાડી જ વારમાં એક છે.કરી આવ્યા ને તેને લઈ ગયો.
બીજા માળે છેારાઓના સૂવાનો ખંડ હતો. ત્યાં ઘણા બધા ખાટલા પડયા હતા. પેલા છેાકરાએ વેદને એક ખાટલા પર બેસાડયા ને ભાંગીતૂટી હિન્દીમાં કહ્યું : “ ગભરાઈશ નહિ હા, હું અહીં આવ્યા ત્યારે હું કે તારા જેવડો, પાંચ વરસનો જ હતો. આજકાલ કરતાં એ વાતને હવે આઠ વરસ થઈ ગયાં. મારું નામ દેવજી છે. તું સરખી રીતે ગાઠવાઈ ન જા, ત્યાં સુધી મારે તારું ધ્યાન રાખવાનું છે અને જો, તારો ખાટલો હજી આવ્યો નથી. રાત સુધીમાં આવી જશે, ત્યાં સુધી આ મારા ખાટલા વાપરવા હોય તો વાપરજે”.
દેવજીના શબ્દોએ વેદના સૂના થઈ ગયેલા હૃદયમાં આધારના એક ભાવ જગાડયો. અચાનક એરડામાં ખિખિયાટા સંભળાયા. એ હાસ્યમાં જરાયે હેત - માયા નહાતાં, એ વેદને તરત જ રામજાઈ ગયું, એકસામટા ઘણા છેકરાઓ ઓરડામાં આવી ગયા હતા ને મરાઠીમાં કંઈક બોલતા હતા. તેમને ઉત્તર આપતા હોય તેમ, દેવજીએ નાનકડા વેદને ઊંચકીને ઊંચા ધર્યા ને પછી ભાંય પર' પાછા મૂકી દીધો.
વેદ દિગ્મૂઢ જેવા ઊભા રહ્યો, ત્યાં એક પછી એક છેાકરાઓએ આગળ આવી તેના હાથ સાથે હાથ મિલાવવા માંડયા. દરેક છેાકરે વેદના હાથને હાથમાં લઈ કઠોર રીતે દબાવતા, અને દરેક વખતે વેદ ભયથી પાછળ હટી જતો. તેની આ ભીરુતા પર છેકરાઓ! ખડખડ હસવા લાગ્યા, ભાસ્કર નામના એક નવેક વરસના